February 6th 2013
. .કુદરત
તાઃ૬/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ હવાનો સંગ મળતા,જીવનમાં શાંન્તિ મળી ગઈ
અગમનિગમના ભેદ જોતા,જીવને કુદરત સમજાઇ ગઈ
. ……………….શીતળ હવાનો સંગ મળતા.
અવનીપર છે કુદરતની દ્રષ્ટિ,પ્રસંગથી એ પરખાઇ ગઈ
જીવને મળેલ જન્મ જગત પર,કર્મની કેડીય પકડાઇ ગઈ
માનવ દેહની પરખ પ્રભુની,જે સાચી રાહને આપતી થઈ
અસીમ કૃપા કુદરતની મળતા,જગે માનવતા મહેંકી ગઈ
. ……………….શીતળ હવાનો સંગ મળતા.
આંધી ક્યારે આવે અવનીએ,ને જાય ક્યારે આવતી વ્યાધી
કુદરતની આ અદભુત લીલા,ના જગતમાં કોઇએ છે જાણી
પરમ કૃપાળુ છે પરમાત્મા,જે સાચી ભક્તિએ કૃપાથઈ જાય
સંતની સાચીભક્તિ પ્રગટે,જ્યાં જીવથી રાહ સાચી પકડાય
. ……………….. શીતળ હવાનો સંગ મળતા.
+++++++++++++++++++++++++++++++++
February 4th 2013
. .વિશ્વાસનો સાથ
તાઃ૪/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજીલે મનથી તુ શ્રીરામ,તારા સરળ થશે સૌ કામ
મળશે જીવનમાં તને સાથ,તારી પુરણ કરશે આશ
. …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
મીરાંબાઇની માયા ભક્તિની,ઉજ્વળ બની પ્રભાત
શ્રધ્ધારાખી પ્રભુ સ્મરણતાં,મળ્યો જીવે મુક્તિ સાથ
પાંડવોના સાર્થી બનતાં,તીરે કર્યા કૌરવોને મહાત
મહાભારતનીગાથા ઉજ્વળ,કૃષ્ણેકરી દીધી અપાર
. …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
સુખ દુઃખની સાંકળને તોડે,જ્યાં મળે છે ભક્તિની ઢાલ
વિશ્વાસરાખી એક જ ટેકે જીવતાં,શ્રીરામસીતા હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જ્યાં નિર્મળ શ્રધ્ધા હોય
મુક્તિમાર્ગની કેડી મળતાં,જીવનાજન્મમરણ છુટી જાય
. ………………….ભજીલે મનથી તુ શ્રી રામ.
**************************************
February 3rd 2013

.
.
.
.
.
.
. .ૐ
તાઃ૩/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ શબ્દના સ્મરણ માત્રથી,જીવને અનંત શાંન્તિ થાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
ગૌરીનંદનના છે એ પિતા,ને માતા પાર્વતીના ભરથાર
ત્રિશુલધારી જગમાં પ્રસરતાં,ભક્તોનોએ કરેછે ઉધ્ધાર
ભુતપલીત ભડકીનેભાગે,નાકોઇ મેલીશક્તિની તાકાત
શરણુલીધુ જ્યાં ભોલેનાથનું,ત્યાંમુક્તિમાર્ગ મળી જાય
. ………………….ૐ શબ્દના સ્મરણ માત્રથી.
એક જ શ્વાસે ૐ સ્મરતાં,શરીરમાં ઉજ્વળ સ્પંદન થાય
મનને મળતી શાંન્તિના સંગે,મળેલ જન્મ સાર્થક થાય
તારણહારી છેઅવિનાશી,અવનીએ અનેકરૂપે એ દેખાય
શ્રધ્ધાનુ છે શરણુસાચું,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
. …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
===============================
February 2nd 2013

.
.
. .બગલાની બારાત
તાઃ૨/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બગલાની બારાત આવી,છાપરે આવી રાહ જુએ છે અહીં
ક્યારેઆવે વધુ ઘરમાંથી,વરરાજાતુરત આવીજાય તહીં
. …………………બગલાની બારાત આવી.
આતો લીલા પરમાત્માની,નામાનવીને કંઇ સમજાય અહીં
ઘર સંસારની શીતળ કેડી,પતિપત્નીથી મળી જાય છે ભઈ
જીવનોસંબંધ દેહથી જ છે,ના માનવી પશુપક્ષી ઓળખાય
મળેલ દેહના સંબંધ છે જગતમાં,જે વરવધુથી જ સહેવાય
. …………………બગલાની બારાત આવી.
સંતાન જીવનની કેડી બને ,જે માબાપને જીવનમાં સમજાય
સમયની ચાલમાં સંગેચાલતાં,ક્યારે મળેલ જીવન પુરૂ થાય
કુદરતની છે આ કરૂણા ન્યારી,ભક્તિનો સંગ રાખતાં પકડાય
બારાતઆવે માનવીની કે બગલાની,નાકોઇ ફરક કંઈદેખાય
. …………………બગલાની બારાત આવી.
++++++++++++++++++++++++++++++++++++
February 1st 2013
.
. .આવ્યા આંગણે
તાઃ૧/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ લેવા,લીધો પ્રેમે ભક્તિનો સાથ
આવ્યા માડી આંગણે આજે,દેવા જીવને મુક્તિનો હાથ
. …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.
અનેકરૂપે મા અવનીએ આવી,કૃપા પામ્યા જીવ અનેક
સફળ જન્મની સરળ કેડીએ,જીવને શાંન્તિ દઈને હેત
નિર્મળતાનો સંગ રાખતાં,ના આધી વ્યાધીય અથડાય
ભક્તિપ્રેમની સરળકેડીએ,મા તારી કૃપા જીવપર થાય
. ………………….ઉજ્વળ જીવનની રાહ લેવા.
ધુપદીપની અર્ચન સંગે, માડી આંગણે કંકુ ચોખા મુકાય
આવજે વ્હેલી ભક્તિ સ્વીકારી,જીવે સુખ શાંન્તિ સહેવાય
માડી તારા ચરણસ્પર્શથી,મારું આ ઘર પવિત્ર થઈ જાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવથી જન્મ મરણ છુટી જાય
. …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.
=====================================
January 31st 2013
. પિઝા કે વિઝા
તાઃ૩૦/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પિઝા જોઇને જીભડી ચટકે,જાણે અમૃત જોયુ અહીં
વિઝા લેવા લાઇનમાં રહેતાં,તબીયત લથડી ગઈ
. ………………….પિઝા જોઇને જીભડી ચટકે.
બે દીવસનો બનેલો માવો,તે પર ચીઝ મુકાઇ ગઈ
માઇક્રોમાંમુકી ગરમકરતાં,તમને તાજુ દેખાય ભઈ
મોંમાં મુકતા ગરમ લાગતાં,જીભને ફ્રેશ લાગે અહીં
ઘેર પહોંચતાજ પેટ પકડાતા,પથારી બગડતી થઈ
. …………………..પિઝા જોઇને જીભડી ચટકે.
આનથી ને તેનથી તેમ કહીને,ધક્કા ખવડાવતા અહીં
બહાર જવાની મોહમાયામાં,ના કામ કોઇજ થતું ભઈ
અંતે વિઝા મળતા લાગે તમને,સ્વર્ગ મળશે ત્યાં જઈ
અહીં આવીને ના જોબ ના સાથ,નાકોઇ રાહ મળે ભઈ
. …………………..પિઝા જોઇને જીભડી ચટકે.
+++++++++++++++++++++++++++++
January 30th 2013

.
. . ઇદે મિલાદ
તાઃ૩૦/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા પામવા પરવર દીગારની,પ્રેમથી પ્રાર્થના થાય
હાથ જોડીને અર્ચનાકરતાં,રહેમ અલ્લાની થઈ જાય
. …………………કૃપા પામવા પરવર દીગારની.
શ્રધ્ધા રાખી આકાશે નિરખી,દુઆ મનથી છે મંગાય
અલ્લાની એક નજરે,જીવનમાં ઉજ્વળતામળી જાય
ધર્મ કર્મની ના આડી કેડી,કે નાકોઇ ભેદભાવ દેખાય
સરલતાની શિતળ કેડીએ,ઇદે મિલાદ સૌને કહેવાય
. ………………..કૃપા પામવા પરવર દીગારની.
માનવતાની મહેંક ના સંગે,નાતજાતને ભુલી જવાય
હાથ જોડીને સ્નેહાળ ભાવે,શુભ ભાવનાએજ મળાય
મળે જીવને પ્રેમ અલ્લાનો,કે પરવર દીગારનો એક
જીવનમાં રાખી શ્રધ્ધા સાચી,જીવી રહ્યા જીવન નેક
. ……………….. કૃપા પામવા પરવર દીગારની.
*******************************************
January 29th 2013
. કરુણાનો સાગર
તાઃ૨૯/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ અવિનાશી અવની આધારી,જગતપિતા કહેવાય
સુખ શાંન્તિની શીતળવર્ષા,સાચી ભક્તિભાવે મળી જાય
. ………………..અજબ અવિનાશી અવની આધારી.
જન્મની કેડી જીવને મળે,જ્યાં કર્મના બંધન છે બંધાય
આવી અવની પર દેહ મેળવી,જ્યાં ત્યાં એ ફરતો જાય
અસીમ કૃપા છે અવિનાશીની,સાચી ભક્તિએ મેળવાય
કરુણાનોસાગર છેનિર્મળ,એ જલાસાંઇનીકૃપાએદેખાય
. …………………અજબ અવિનાશી અવની આધારી.
મારૂ એતો મમતા છે,ના કોઇ જીવથી જગે એને છોડાય
તારૂની જ્યાં સમજ પડે જીવને,ત્યાં પાવનકર્મોજ થાય
પવિત્ર રાહ મળે જીવને જગે,ત્યાં જીવ મુક્તિએ દોરાય
દેહનાબંધન જ્યાં છુટે જીવથી,આવનજાવન છુટી જાય
. ……………….અજબ અવિનાશી અવની આધારી.
##############################
January 28th 2013
. .માડી તારા ચરણે
તાઃ૨૮/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને આનંદ થાય
નિર્મળતાનો સંગ રાખતાં,માનવતા મહેંકી જાય
. ………………..માડી તારા ચરણ સ્પર્શતા.
ઉગમણી પ્રભાતે માડી,તારું પ્રેમથી પુંજન કરાય
ધુપદીપથી અર્ચન કરતાં,મન મારુ ખુબ હરખાય
વંદન કરી શીશ ઝુકતાં,મા આશીર્વાદ મળી જાય
સરળ જીવનની મહેંક લેતાં,કૃપા તારી થઈ જાય
. …………………માડી તારા ચરણ સ્પર્શતા.
અનેકરૂપની ઉજ્વળ ગાથા,સાચી ભક્તિએ સમજાય
મનથી કરેલ ભક્તિપ્રેમને,મા તારી કૃપાએ મેળવાય
આવી આંગણે સ્મૃતિદેતાં,મા મને જીવનમાં સમજાય
સદાતારો પ્રેમમળતાં,જીવે આધી વ્યાધી નાઅથડાય
. ………………….માડી તારા ચરણ સ્પર્શતા.
**********************************
January 27th 2013
. .મળતી જાય
તાઃ૨૭/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવન ઉજ્વળ કરવા,તનમનથી સમજાય
મળી રહેલી શીતળ કેડીએજ,સફળતા મળતી જાય
. …………………માનવ જીવન ઉજ્વળ કરવા.
મળેલ જીવન આ કેડી સંગે,કર્મ બંધનથી જ બંધાય
સરળતાની સાચી રાહે,જીવને નિર્મળતા મળી જાય
મનથી માગણી પ્રભુથી કરતાં,શ્રધ્ધાએ જ મેળવાય
ઉજ્વળતાનો સંગ રહેતા જીવને,સાચીરાહ મળીજાય
. ………………… માનવ જીવન ઉજ્વળ કરવા.
ભક્તિ ભાવને સમજી ચાલતા,ભક્તિની રાહ મળી જાય
જલાસાંઇને પ્રાર્થના કરતાં,જીવથી પાવન કર્મોજ થાય
મોહ માયાની ચાદર છુટતાં,જીવે કર્મ બંધન છુટી જાય
નિર્મળ જીવન જીવી લેતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
. …………………..માનવ જીવન ઉજ્વળ કરવા.
.++++++++++++++++++++++++++++++