May 14th 2012

મળતી મુંઝવણ

.                    .મળતી મુંઝવણ

તાઃ૧૪/૫/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં મુંઝવણો આવી જાય,જ્યાં જીવનમાંરાહ ખોટી પકડાય
સંતોષની કેડી છુટે જીવનથી,એજ બલિહારી સમયની કહેવાય
.                          ……………….મનમાં મુંઝવણો આવી જાય.
કામણકાયા જગતમાં મળતાં,મતિ કળીયુગમાં ફરતી થાય
આધી વ્યાધી ના આવી શકે,જ્યાં વાતાવરણ સમજાઇજાય
નિર્મળ ભાવના સંગે રાખતાં,આવતી મુંઝવંણ  અટકી જાય
શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં  રાહત મળતી જાય
.                        …………………મનમાં મુંઝવણો આવી જાય.
સરળ કામ એ કૃપા પ્રભુની,જે અનુભવથી ઓળખાઇ જાય
સમજણનો જ્યાં સંગરહે,ત્યાં કામમાં સફળતા મળતીજાય
મોહમાયાને તગેડી દેતાં જીવનમાં,ના મુંઝવણ આવી જાય
ભાગે એતો જીવનમાંથી તરત,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                         …………………મનમાં મુંઝવણો આવી જાય.

======================================

 

May 12th 2012

સાચી સેવા

.                  .સાચી સેવા

તાઃ૧૨/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં જે ઉમંગ આપે,ને મનને શાંન્તિ દઇ જાય
સાચીસેવા એજીવનમાં,જે જીવને મોક્ષ આપી જાય
.                   ………………. અંતરમાં જે ઉમંગ આપે.
માયા વળગે દેહે જીવનમાં,કળીયુગમાં એછે અપાર
મળે નામુક્તિ કોઇ જીવને,એજ સાચી માયા કહેવાય
શાંન્તિનો સહવાસમળે દેહને,જે જીવને રાહતે દેખાય
સેવાની આ સાંકળ ન્યારી,સાચી ભક્તિએ મળી જાય
.                      ………………અંતરમાં જે ઉમંગ આપે.
તનમનને જે જકડી રાખે,જગમાં કોઇથી ના છટકાય
સાધુ સંત કે હોય ભિખારી,સૌને કળીયુગે મળી જાય
મુક્તિમાર્ગ નામળે માગતા,જે સાચી સેવાએ લેવાય
જલાસાંઇએ રાહ દીધો મને,મારુ જીવન પાવનથાય
.                   ……………….. અંતરમાં જે ઉમંગ આપે.

===================================

May 11th 2012

કલમના સોપાન

   

 

 

 

 

 

 

 

 

                   

 

 

 

                         .કલમના સોપાન

તાઃ૧૧/૫/૨૦૧૨                        તાઃ૧૧/૫/૧૯૭૧
        (હ્યુસ્ટન)                        (હરિ ૐ આશ્રમ,નડીયાદ)

પુ.મોટાના આશિર્વાદથી,કલમ મારા  હાથમાં આવી ગઈ
પ્રથમ રચના ભક્તિનીકરી,જે નડીયાદ આશ્રમમાંથી થઈ
.                                        ……………….પુ.મોટાના આશિર્વાદથી.
મનમાં ના અભિમાન મને,કે ના દેહે કોઇ મોહ પણ દેખાય
શાંન્તિ મળી મોટાના  સહવાસે,જે પાવન કર્મ કરાવી જાય
મૌનમંદીરનો લાભ મળ્યો મને,જ્યાં જીવ ભક્તિએ બંધાય
એક બે કરતાં કલમથી,આજે એક તાલીસ વર્ષે પણ લખાય
.                                          ………………પુ.મોટાના આશિર્વાદથી.
માતાપિતાનો મને સહવાસ જીવનમાં, માનવતા મળી જાય
કદીના માયા મને વળગી દેહે,કેના મને અભિમાન અથડાય
કલમ જ્યાં ચાલી સાચા રસ્તે,ત્યાંના કોઇથી તેને તફડાવાય
પ્રેમ મળ્યો સંગાથીઓને મને આજે,જે હ્યુસ્ટનમાંય મળી જાય
.                                        ………………..પુ.મોટાના આશિર્વાદથી.

*****************************************************
સંત પુજ્ય મોટાની સેવામાં વંદન સહિત હરિ ૐ. પ્રદીપ પરિવાર.
*****************************************************

May 11th 2012

મળેલી કાયા

.                    મળેલી કાયા

તાઃ૧૧/૫/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં જીવનુ છે અવતરણ,ના કોઇથીય છટકાય
મળે દેહ અવનીએ જીવને,એને પ્રભુ લીલા કહેવાય
.                 ………………જગતમાં જીવનુ છે અવતરણ.
કરેલ કર્મના બંધન જીવને,સંબંધ જીવનમાં બંધાય
એકભુલનો પાઠ મળે,જે અનેક કાયા લઈને ભટકાય
માગણી માનવદેહની,જેનેજગતમાં સમજીનેમંગાય
મળેકૃપા જલાસાંઇની દેહે,એજ સાચી ભક્તિકહેવાય
.                ……………….જગતમાં જીવનુ છે અવતરણ.
લાગણી મોહને છોડીદેતાં,જીવને મળતી ઝંઝટજાય
મળેલ કાયા સાર્થક થાય,જ્યાં જીવ સાચારસ્તે જાય
તક મળે છે જીવને જન્મોમાં,જે  જીવને ઉગારી જાય
જન્મ મરણના બંધન છુટે,એને સદગતી જ કહેવાય
.                ……………….જગતમાં જીવનુ છે અવતરણ.

++++++++++++++++++++++++++++++++++

May 10th 2012

અધોગતિ

.                  .અધોગતિ

તાઃ૧૦/૫/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને અધોગતિ,જ્યાં પાપને પુણ્ય છે સમજાય
આવી જીવ અવનીએ ભટકે,ના જગે તેનાથી છટકાય
.                           …………….મળે જીવને અધોગતિ.
વાણી વાપરતાં વિચારે,ને જીભ પર રાખે જે લગામ
ના કોઇનો શાપમળે દેહને,કે નાકોઇ વ્યાધીઅથડાય
મળેસૌનોપ્રેમ જગતમાં,નેજીવન સફળતાએજીવાય
પ્રભુ કૃપાને વડીલની આશિષ,તે જીવોને મળી જાય
.                          ……………..મળે જીવને અધોગતિ.
વર્તન માનવ જીવનમાં,એ છે ઉજ્વળતાનું સોપાન
નાના મોટાને સમજીને રહેતા,સાથ સૌનો મેળવાય
આગળ પાછળનો સંચાર મળે,ને સરળ જીવન થાય
અવનીપરનાઆગમનને અંતે,સ્વર્ગીયસુખ મળીજાય
.                          ……………..મળે જીવને અધોગતિ.

===================================

May 9th 2012

આવી જાવ

.                    આવી જાવ

તાઃ૯/૫/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની સંગે ભાવના રાખી,આવજો અમારે દ્વાર
બારણે આવી ઉભા છીએ,આવી જાવ ઘરમાંજ
.                ………………પ્રેમની સંગે ભાવના રાખી.
નિર્મળપ્રેમને પકડી સંગે,લઈ સત્કર્મોનો સંગાથ
ભક્તિનો લઈ સાથ જીવનમાં,વર્તનને સચવાય
માયા મોહને દુર રાખીને,મેળવજો અમારો સાથ
આવશો આજે પ્રેમથી,ફરી ફરીને મળશે સહવાસ
.                ……………….પ્રેમની સંગે ભાવના રાખી.
મળશે જીવનમાં એકજ સાથ,ના ભુલશો ગઈ કાલ
યાદ રહેશે સંગ અમારો,જે લાવશે તમને વારંવાર
કળીયુગની ના કેડી સંગે,આ જન્મ સફળ થઈ જાય
જલાસાંઇની દ્રષ્ટિપડતાં,જીવનમાંમહેંક પ્રસરીજાય
.                   ……………..પ્રેમની સંગે ભાવના રાખી.

+++++++++++++++++++++++++++++++

May 7th 2012

પકડ સમયની

.                   પકડ સમયની

તાઃ૭/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે જ્યાં અવનીપર,ત્યાં સમયથી બંધન થાય
સાધુ સંત કે પ્રભુ અવતારથીય,ના સમયને પકડાય
.                    ……………….દેહ મળે જ્યાં અવનીપર.
કર્મના બંધન જીવને સંકેતે,એ દેહ મળતાંજ સમજાય
મળે માનવ દેહ જીવને જ્યાં,ત્યાં મુક્તિ માર્ગ દેખાય
સાચી રાહ મેળવવા જગતમાં,ભક્તિ માર્ગ મેળવાય
સુખદુઃખની સાંકળથીછુટવા,જલાસાંઇનુ સ્મરણથાય
.                     ……………….દેહ મળે જ્યાં અવનીપર.
ભણતરની કેડી પકડવા,બાળપણમાં જ મહેનત થાય
ફળમળે મહેનતનુ જીવનમાં,જે લક્ષ્મીજીથી મેળવાય
ઘડપણ જ્યાં બારણુ ખખડાવે,ત્યાં સાચી ભક્તિ થાય
અંતમળે દેહનેઅવનીથી,ત્યાં પરમકૃપા પ્રભુની થાય
.                       ………………દેહ મળે જ્યાં અવનીપર.

================================

May 7th 2012

સંસ્કાર મળે

.                  .સંસ્કાર મળે

તાઃ૭/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મળે માબાપથી,ના શોધવા ક્યાંય જવાય
મળે એ તો જન્મની સાથે,જે જન્મ સફળ કરીજાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.
ભણતર મળે છે ગુરૂજીથી,જે મહેનતને આપી જાય
મનથી કરેલી મહેનતે જીવે,ધન વૈભવ મળી જાય
મનને શાંન્તિ મળે આવીને,જ્યાં મોહમાયા છોડાય
સાર્થક જીવન જીવી લેતાં,ભક્ત જલાસાંઇને ભજાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.
આશિર્વાદ મળે અંતરથી,ત્યાં સદકર્મોનેજ સમજાય
મારુતારુની માયાભાગે,ત્યાંઅનંત શાંન્તિમળી જાય
પરમાત્માની જ્યાં કૃપા મળે, ત્યાં સંતને વંદન થાય
દ્વાર ખોલતા પ્રભુ પધારે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.

#####################################

May 7th 2012

શીવબાબા

 

 

 

 

 

 

 

 

 

.                       . શીવબાબા

તાઃ૭/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબા કે શીવબાબા બોલો;
.               પરમકૃપાળુ ભોલેનાથ હરખાય,
ભક્તિ ભાવને પકડી રાખતાં;
.                 જીવનુ જગતમાં કલ્યાણ થાય.
.               …………………સાંઇબાબા કે શીવબાબા બોલો.
સોમવારની છે  સવાર નિરાળી;
.                 ને શિવલીંગે દુધ અર્ચના થાય,
મનને શાંન્તિ ને ઉજ્વળ જીવન;
.                શીવજીની કૃપાએ જ મળી જાય.
.                  ……………….સાંઇબાબા કે શીવબાબા બોલો.
ૐ સાંઇનાથાય નમઃની માળા જપતાં;
.                સાંઇબાબાની અનંત કૃપા થાય,
નિર્મળ કેડી મળતાં જીવનમાં;
.                  બાબા પ્રેમે બારણે આવી જાય.
.                 ………………..સાંઇબાબા કે શીવબાબા બોલો.
ભક્તિ ભાવની કેડી પકડતાં;
.                  જીવનમાં અનંત શાંન્તિ થાય,
મોહમાયાની ચાદર છુટતાં;
.                   જીવને મોક્ષ માર્ગ મળી જાય.
.                 ………………..સાંઇબાબા કે શીવબાબા બોલો.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

 

 

 

May 7th 2012

જ્ન્મ દીવસ શ્રી જશભાઇનો

.                 .જ્ન્મ દીવસ

તાઃ૬/૫/૨૦૧૨.   શ્રી જશભાઇનો        રવિવાર .

પરમકૃપાળુ પરમાત્માની દ્રષ્ટિ,શ્રી જશભાઇ પર પડી જાય
તોંતેર વર્ષ પુરા કરીને આજે,એ તો ચુંવોતેર વર્ષના થાય
એવા વ્હાલા શ્રી જશભાઇને,જન્મદીને શુભચ્છાઓ  દેવાય.

કૈલાસબેનનો સંગ મેળવીને,જીવનના સોપાન ચઢી જાય
ૐ શાંન્તિથી સ્મરણકરતાં,માબાપનો સાચોપ્રેમ મળીજાય

સંતાનોનો સહવાસ અનેરો,જે બાળકોના સંસ્કારથી દેખાય
નિતીનભાઇ ને ભુમીનો પ્રેમલેતાં,ખુશીઆનંદની વર્ષાથાય

દીકરી ઇલાબેનની પાવન કેડી,માબાપનો પ્રેમ મળી જાય
અનુબેનને આનંદપણ અનેરો,જોઇ ઉંમર પિતાની હરખાય

પ્રદીપ રમા પરઆશિર્વાદ બંન્નેના,શાંન્તિ આવી મળીજાય
દીપલ રવિના ઉજ્વળ જીવમાં,સદા મહેંક તેમની વરસાય

પરમકૃપાળુ પ્રભુની દ્રષ્ટિએ,જીવનમાં સુખસાગર મળીજાય
વર્ષો વરસ એ શાંન્તિથી જીવે,એ જ સૌની લાગણી દેખાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.         .મુરબ્બી શ્રી જશભાઇનો આજે જન્મ દીવસ છે.તેઓ તોંતેર વર્ષને વટાવી
આજે ચુંવોતેરમાં  પ્રવેશ કરે છે.પરમ કૃપાળુ પરમાત્મા તથા સંત શ્રી જલારામ
બાપા તેમને લાંબુ આયુષ્ય સારા  સ્વાસ્થ્ય સાથે આપે તેવી અમારી પ્રાર્થના.

લી.પ્રદીપ,રમા,દીપલ,નિશીતકુમાર,રવિ,હિમાની  જન્મ દીવસની યાદ.

 

« Previous PageNext Page »