September 17th 2011

પાણી પ્રેમ

.                     પાણી પ્રેમ

તાઃ૧૭/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાણી પીતા તો ભાગે દુઃખ,મળીજાય દેહને સૌ સુખ
દવા દારૂને કરશે દુર,મળશે શાંન્તિ જીવને અદભુત
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
સવાર પડે ને આંખ  ખુલે,ઉઠીને પહેલુ પાણી એ જુએ
૧ ગ્લાસથી ૪ ગ્લાસ પાણીપીવે,બ્રશ દાંતને પછી કરે
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પચો અપચો ના પેટમાં રહે,સાદુ પાણી તેનેજ દુર કરે
રોગ દેહથી દુર જ રહે,શુધ્ધ જેનુ લોહી દેહમાં વહી રહે
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
આંખને આપે સારુ તેજ,ના ચશ્મા કે ના બીજી કોઇ ટેવ
શુધ્ધ આંખો થાય છાલકથી,સૌ તકલીફ જાય આંખથી
.                         ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પાણી પીતા સવારમાં શીખ્યો,લોહ દબાણ ત્યાં ભાગ્યુ
નાકોઇ ટેન્શન શરીરને રહે,ને આવી શાંન્તિ દેહને મળે
.                         ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
મીઠોપેશાબ પણ બંધ થાય,ને દેહ શાંન્તિ મેળવી જાય
કેન્સર  જેવા રોગને ભગાડી,જીંદગી માનવીની સુધારી
.                          ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
ગેસનીતકલીફ કે કબજીયાત,પીતા પાણી મળીસફળતા
ટીબી જેવા રોગનેય ભગાડી,જીંદગી માનવીની સુધારી
.                         …………..પાણી પીતા તો ભાગે દુઃખ.

+++++++++++++++++++++++++++++++++++

September 16th 2011

કુદરત કેવી

.                કુદરત કેવી

તાઃ૧૬/૯/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના સોટી રાખે કદી હાથમાં,કે ના કદી કોઇજ દે ઠપકાર
માનવતાની જ્યાં છુટે કેડી,ત્યાં કુદરત નારાજ જણાય
.                         …………….ના સોટી રાખે કદી હાથમાં.
કૃપા કુદરતની સૃષ્ટિ પર છે,સૌ  જીવોને મળતી જ જાય
અભિમાનની  આડી કેડીએતો,સઘળુ વ્યર્થ થતુય દેખાય
વાણી વર્તન વિચાર બદલાતાં,જગે માનવી વકરી જાય
અંત લાવવા અણ સમજનો,ત્યાં કુદરત પણ રૂઠીજ જાય
.                              …………ના સોટી રાખે કદી હાથમાં.
અધીક વર્ષા કે અધિક વાયુ,એ પરમાત્માની સરળ સોટી
અતિ તાપથી કળતી કાયા,ના માનવ મોહમાયાને જોતી
શીતળતાની લહેર લઈલેતાં,દેહને અતુટ તકલીફો મળતી
પ્રભુ ભક્તિનો એક આશરો,જીવને ક્યારેક એ શાંન્તિ દેતી
.                            …………..ના સોટી રાખે કદી હાથમાં.

+++++++++++++++++++++++++++++++++++=

September 15th 2011

મતિની શોધ

.               મતિની શોધ

તાઃ૧૫/૯/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને નારહે ક્ષોભ,જ્યાં મળે જીવને મતિની શોધ
રાહ જીવનની સાચીજ છે એક,મળે જીવનમાં ભક્તિની ટેક
.                            …………..માનવી મનને ના રહે ક્ષોભ.
ઉદય અસ્ત એ છે કુદરતનો ક્રમ,ના જગતમાં તેનો છે ભ્રમ
સમજદારના સરળજીવનમાં,નાઆધી વ્યાધી રહે અંતરમાં
લાગણી શોક ને મોહમાયાથી,મુક્ત થશેઆ મળેલ કાયાથી
પ્રભુ પ્રેમનીવર્ષા વરસી આજે,મુક્તિ રહેશે એ જીવની સાથે
.                             …………..માનવી મનને ના રહે ક્ષોભ.
જન્મ મરણ તો જીવને જ વળગે,ના જીવ કોઇ તેનાથી છટકે
ભક્તિ કેરી દોર પકડતાં જન્મે,પ્રભુ કૃપા લાવે ભક્તિ જ સંગે
મતિની શોધ જીવનમાં ન્યારી, જીવને એ છે શાંન્તિ દેનારી
સંત જલાસાંઇની રાહ નિરાળી,ભક્તિ માર્ગ સાચો આપનારી
.                             …………..માનવી મનને ના રહે ક્ષોભ.

======================================

September 14th 2011

આનંદની વર્ષા

.                   આનંદની વર્ષા

તાઃ૧૪/૯/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં ખુબજ આનંદ થાય,ને મન પણ મલકાઇ જાય
કુદરતની ન્યારી કેડી મળતાં,જીવે આનંદની વર્ષા થાય
.                       ………….અંતરમાં ખુબજ આનંદ થાય.
મોહ માયાને જીવનથી તગેડતાં,સાચી રાહ મળી જાય
પ્રેમની નાની સીડી મેળવતાં,ધીરજના ફળ મળી જાય
પામરદેહને માર્ગ મળે મુક્તિનો,ને જીવને શાંન્તિ થાય
જન્મ સફળ ને પાવન કર્મ,દેહને અવનીએ મળી જાય
.                      …………..અંતરમાં ખુબજ આનંદ થાય.
માન અપેક્ષા એ માનવ દેહની,ના જીવને સ્પર્શી જાય
ભક્તિ મળે જ્યાં સાચી રાહે,ત્યાં સંત કૃપા વરસી જાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને જલાસાંઇ ભજાય
આનંદની વર્ષા થતાં દેહ પર,જીવ પર કૃપા વર્ષી જાય
.                    ……………અંતરમાં ખુબજ આનંદ થાય.

=================================

September 13th 2011

ગઈકાલ

.                 ..ગઈકાલ..

તાઃ૧૩/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલની અજબલીલા સમજતાં,ઉજ્વળ થાયછે આજ
ગઈકાલની વિદાયને ભુલતાં,આવીને  ઉમંગ આપી જાય
.                   …………આજકાલની અજબલીલા સમજતાં.
કામકાજની ભઈ કામણ લીલા,વર્તનથી જ ઉભરાઇ જાય
પરોપકારની પાવન કેડી લેતા,માનવી પણ હરખાઇ જાય
ડગલુ ભરતાં એક વિચારીએ,ત્યાંજ બીજુ સમજાઇ જ જાય
સંભાળીલેતાં વર્તન આજનું,ભઈ આવતીકાલ સુધરીજાય
.                    …………આજકાલની અજબલીલા સમજતાં.
વાણી નીકળે જીભથી જ્યાંરે,ત્યારે વિચાર પણ મળી જાય
ના આફત આવે દોડી ઘેર,ને માનવતાય સચવાઇજ જાય
મળે પ્રેમ સંબંધીઓને જગતમાં,ને જીવન સરળ થઈ જાય
કુદરતની આ લીલા ન્યારી,સાર્થક જીવનને એ છે કરનારી
.                     ………….આજકાલની અજબલીલા સમજતાં.
વિચાર વર્તનનો સંગાથ પણ મળે,જ્યાં શુધ્ધ ભાવના હોય
દુઃખનીદુનીયા દુરભાગે,ને જીવનમાં નિર્મળસુખ મળી જાય
મારું તારું બંધન છે અવનીનું,સાચી ભક્તિએ ભાગીજ જાય
સાચા સંતની સેવાનિરાળી,પાવનકર્મ ડગલેપગલે થઈજાય
.                     ………….આજકાલની અજબલીલા સમજતાં.

========================================

September 12th 2011

રામદુત હનુમાન

.

.

.

.

.

.

.

.                                       રામદુત હનુમાન

તાઃ૧૨/૯/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો સહવાસ લઈ બોલતા,રામદુત રાજી થાય
આવી ઉભાછે રામકથાએ પ્રેમે,ના દેહ કોઇ બદલાય
.                   ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
સંતની સાચી ભાવનાને  જોતાં,પ્રભુ દ્રષ્ટિ થઇ જાય
દુત આવતા અણસાર મળે,આજે કથા પાવન થાય
શબ્દસ્પર્શ મળે ભક્તોને,આવી બેઠાએ સંતની પાસ
ઉજ્વળ જીવન મળે શ્રધ્ધાએ,જે કથાએ દોરણ થાય
.                   ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
રામ કથાએ માર્ગ સુચક છે,જે પાવન કર્મ દોરી જાય
મૃત્યુનીનાકોઇ ચિંતા જીવને,જ્યાં રામદુત મળી જાય
આશીર્વાદની એક જ ટપલી,ભવસાગર તરાવી જાય
ધન્ય અવસર મળ્યો જીવને,જે આકથાએ મળી જાય
.                   …………ભક્તિનો સહવાસ લઈ બોલતા.

******************************************

September 11th 2011

સદગુણ

.                       સદગુણ

તાઃ૧૧/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ છે દેહથી અવનીએ,ને દેહનો છે મોહમાયા
કાયાની કરામત અગણિત છે,જેને સદગુણોથી સચવાયા
.                     ………..જીવને સંબંધ છે દેહથી અવનીએ.
ક્યાંક ઉભરો આવે માયાનો,ત્યાં અતિપ્રે મપણ થઈ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવેલ ઉભરો  અટકી જાય
જીવનના છે બે ચાર દીન,પરમાત્માની કૃપા એ સમજાય
પારખી લેતાં પળ પળ દેહે,જીવને સદગુણ સમજાઇ જાય
.                    ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
સવાર,બપોર ને સાંજ સમજાય,જ્યાં દોર સાચી મેળવાય
અવની પરના આગમનને પારખતાં,કર્મ બંધન સમજાય
મુક્તિ કેરી દોર મેળવવા જીવને,મળે છે  ભક્તિનો રણકાર
સદગુણથી એ સમજાઇ જાય,ત્યાં ખુલી જાય મુક્તિનાદ્વાર
.                     ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.

*********************************************

September 11th 2011

જીવનો ઉજાસ

.                     જીવનો ઉજાસ

તાઃ૧૧/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસતી રમતી જીંદગી જોઇને,મન મારુ ખુબ મલકાય
મળે પ્રેમ જગતમાં જ્યાંસૌનો,ત્યાં જીવ પાવન થાય.
.                          ………..હસતી રમતી જીંદગી જોઇને.
અવનીપરના આગમનને તો,પારખી શક્યુ છે ના કોઇ
કુદરતની કરામત એવી,જીવને જન્મ મળતા સમજાય
કર્મબંધન જન્મને ખેંચે અવનીએ,ના કોઇથીય છટકાય
દરીયો ખુદી કિનારે આવતાં,નદીમાં એ ફસાઇ જ જાય
.                           ………..હસતી રમતી જીંદગી જોઇને.
ગતિકર્મની સમજાઇ જાય,જ્યાં પાવનભક્તિ થઈ જાય
બંધ આંખે દર્શન કરતાં,જગત પિતાનો પ્રેમ મળી જાય
આવી અંતરમાં મળે શાંન્તિ,ત્યાં જ પ્રભુ કૃપા મેળવાય
ના મોહમાયા પણ અડકે દેહને,જ્યાં જલાસાંઇને ભજાય
.                         ………….હસતી રમતી જીંદગી જોઇને.

++++++++++++++++++++++++++++++++++++

September 9th 2011

કર્મની પકડ

.               કર્મની પકડ

તાઃ૯/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી ચાલતા પાવનકર્મ,મનમંદીર ખુલી જાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ થઈ જાય
.                 ……………પકડી ચાલતા પાવન કર્મ.
કીર્તન ભક્તિ સહજ ભાવના,માળાથી મહેંકી જાય
મનથી કરેલ પ્રભુ ભક્તિ જ,જીવને એ તારી જાય
મોહમાયાના બંધન છુટતાં,માનવી મન હરખાય
આવીપ્રેમ મળે જલાસાંઇનો,આજન્મ સાર્થક થાય
.                     …………પકડી ચાલતા પાવન કર્મ.
ભક્તિની આ સાંકળ ન્યારી,ના કોઇનેય જકડી જાય
પ્રભુ કૃપાને પામવા કાજે,જીવ એને પકડવાને જાય
મળી જાય એક કડી જીવને,ભટકતો દેહ અટકી જાય
મળે મુક્તિ માગતા દેહે,આમાનવ જન્મ મહેંકી જાય
.                     ………….પકડી ચાલતા પાવન કર્મ.

================================

September 8th 2011

ગુરુજી

.

.

.

.

.

.

.

.                         ગુરુજી

તાઃ૮/૯/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો મળે માર્ગ,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળરાહે આંગળી ચીંધતા ગુરુજી,મુક્તિમાર્ગે દોરીજાય.
.                             …………….માનવતાનો મળે માર્ગ.
જન્મ મળતાં જીવને અવનીએ,નિશ્વાર્થ ભાવનાજ દેખાય
સહવાસ મળતાં જીવનમાં,અવનીએ આંટીઘુટી સમજાય
મળતી માયાની સાચી કેડી,ત્યાં મોહ પણ ભાગી જ જાય
શીતળતાની સવાર મળે જીવે,જ્યાં ગુરુભક્તિ સાચીથાય
.                                 …………..માનવતાનો મળે માર્ગ.
સંત જલારામે ઝંઝટછોડી,ને વિરબાઇ માતાએ છોડ્યા મોહ
ભક્તિ લીધી ગુરુ ભોજલરામથી,ને દઈ દીધી ભક્તિની દોર
કાયાનીમાયા મુકતાં માળીયે,જ્યાં અન્નદાનની લીધી પ્રીત
માર્ગ લઈ માનવતાનો વિરપુરમાં,ભક્તિ દોરની દીધી રીત
.                                  …………..માનવતાનો મળે માર્ગ.
+++++++++++++++++++++++++++++++++++=

« Previous PageNext Page »