August 2nd 2011

કરુણા સાગર

.                            . કરુણા સાગર

તાઃ૨//૨૦૧૧ .                         . પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તિથી વિધીનો ના કોઇ સાર,મળી જાય ભક્તિનો સાથ
ઉજ્વળ કેડી જ્યાં જીવને મળે,ત્યાં મુક્તિદ્વાર ખુલી જાય
.                           ………તિથી વિધીનો ના કોઇ સાર.
મનથી કરતાં ભક્તિ પ્રભુની,રાહ  જીવનમાં મળી જાય
આવતી વ્યાધી દુર જ ભાગે,ના એ દુઃખ દઈ  શકે લગાર
જન્મમળતાં જીવનેદેહનો,દઈજાય એઅણસાર મુક્તિનો
ભક્તિભાવનો સંગમેળવતાં,વરસે જીવે કરુણાનો વરસાદ
.                              ……..તિથી વિધીનો ના કોઇ સાર.
નિર્મળભાવના મનમાંરાખી,સંત જલાસાંઇને પ્રેમે ભજાય
રાહ મળેછે જીવનમાં સાચી,જે દેહના વર્તનથી મેળવાય
કરુણા સાગરનો જ્યાં સંગમળે,ત્યાં પ્રેમથી પાવન થવાય
સદબુધ્ધીનો માર્ગ મળતાંદેહે,થતાં સૌકામ સફળ થઈજાય
.                             ………તિથી વિધીનો ના કોઇ સાર.

=========================================

August 1st 2011

સાચી ભક્તિ

.                  સાચી ભક્તિ

તાઃ૧/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ નમઃ શિવાયના જાપથી,જીવને શાંન્તિ મળી જાય
પાર્વતીપતિની એકજ કૃપાએ,આ જન્મસફળ થઈજાય
.                         ………..ૐ નમઃ શિવાયના જાપથી.
મોહમાયાથી મુક્તિ મળતાં,દેહથી પાવનકર્મ જ થાય
આધી વ્યાધી તો દુરજ ભાગે,નેમન શાંન્તિથી હરખાય
પળે પળે સહવાર પ્રભુનો,મળેલ જન્મ સફળ થઇ જાય
મળેલ દેહને પ્રેમ જગતમાં,ના કોઇથીય એને ખરીદાય
.                       ………….ૐ નમઃ શિવાયના જાપથી.
સદવિચારની કેડી નિરાળી,સાચી ભાવનાઓ સમજાય
કળી યુગની ના કાતરવાગે,જે મંત્રોથીજ સચવાઇ જાય
મહેંકે મધુર માનવજીવન,જ્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિ જીવને મળેદેહથી,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
.                        ………….ૐ નમઃ શિવાયના જાપથી.

*****************************************

August 1st 2011

અર્ધ નારીશ્વર

________અર્ધ નારીશ્વર________

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     ૐ નમઃ શિવાય

.શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિભાવથી અર્પણ.

તાઃ૧/૮/૨૦૧૧                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી,
.                   ઓ વિશ્વનાથ,ઓ જગત આધારી;
ઓ પાર્વતીપતિ પરમેશ્વર,ઓ અર્ધનારીશ્વર,
.                    ઓ ત્રિલોકવાસી,ઓ ભોલે ભંડારી;
ઓ ભોળાનાથ ઓ વિષધારી,લેજો પ્રેમે ભક્તિ સ્વીકારી
.                        ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
રોજ સવારે પુંજન કરતાં,પવિત્ર જીવન અમને મળતાં
સુખ શાંન્તિની જ્યોતજોતાં,મનમાં શાંન્તિમેળવીલેતા
નિરાધારના આધાર તમે છો,જીવનનો સંગાથ તમે છો
ત્રિલોકમાં વસવાટ કરીને,ભક્તિથી જીવોને મુક્તિ દેજો
.                          …………ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
નિર્મળપ્રેમની જ્યોત પ્રગટાવી,દેહને શાંન્તિ પ્રેમે દેજો
આવી આંગણે પ્રેમજ લેજો,મળેલ જીવન ઉજ્વળ કરજો
સુખ શાંન્તિ ને સ્નેહે સાંકળજો,ભક્તિમાર્ગે  લાગણી દેજો
દેહ મળેલા જીવને અવનીએ,મુક્તિ ટાણે સાથે જ રહેજો
.                          ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.

*****************************************

July 31st 2011

કામની કદર

.                    કામની કદર

તાઃ૩૧/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરતાં કામ જીવનમાં,સફળતાઓ જ સહેવાય
માનવતાની મહેંક ત્યાં પ્રસરે,જ્યાં કામની કદર થાય
.                    ………….મનથી કરતાં કામ જીવનમાં.
સમજણનો સહવાસ રાખતાં,દેહે મહેનત સાચી થાય
કામકાજને મનથી સમજીલેતાં,સફળતામળતી જાય
મહેંક માનવતાની મળેજગે,એ જન્મપાવન કરીજાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
.                   …………..મનથી કરતાં કામ જીવનમાં.
આજનું કામ આજે જ કરતાં,ના આવતીકાલે લંબાય
નાઆધી વ્યાધી રહે દેહે,જ્યાં સાચવી મહેનત થાય
નિર્મળતાની વહેતી ગંગા,એ પાવન જન્મ કરી જાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
.                    …………..મનથી કરતાં કામ જીવનમાં.

++++++++++++++++++++++++++++++++

July 31st 2011

લફરુ

.                   લફરુ

તાઃ૩૧/૭/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

લટક મટકતી ચાલ જોતાં,કળીયુગે દેહ લબડી જ જાય
બે ત્રણ ડગલાં ચાલતાં પાછળ,બરડે લાકડી પડી જાય
.                            ………….લટક મટકતી ચાલ જોતાં.
હાય બોલતા હૈયુ થથરે,ને ના પાછળ વળીને જોવાય
અટકી જાય એક ડગલું જગે,તો મોહ માયાએ ભટકાય
ચાર દીવસની ચાંદની ચમકે,ને અંધારૂ ઘોર થઈજાય
ના દેખાય દીવાલ કે દરવાજો,ત્યાં લફરું વળગી જાય
.                          …………..લટક મટકતી ચાલ જોતાં.
બંધ થાય એકઆંખ મટકી,ત્યાં સામેબીજી મટકી જાય
અણસાર દે એ તકલીફનો,જે ના માનવ દેહે સમજાય
તકલીફોના વાદળઘેરાતાં,જીવનમાંઅંધકાર શરૂથાય
આગળપાછળ ના કોઇ સહારો,આ જીદગી ત્યાંવેડફાય
.                          …………..લટક મટકતી ચાલ જોતાં.

===================================

July 31st 2011

જીંદગી કેટલી

.                  જીંદગી કેટલી

તાઃ૩૧/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાણતું નથી કોઇ આ જગતમાં,કે જીંદગી ક્યારે પુરી થાય
નિર્ધન કે ધનવાનની ના કિંમત,જીવ જ્યાં દેહ છોડી જાય
.                       …………જાણતું નથી કોઇ આ જગતમાં.
આજકાલને પરખાય નાકોઇથી,ના પરમદીવસનો ખ્યાલ
સમજે સાચીરાહ મળીછે,જેનાથી જગમાં થઇ જશે ન્યાલ
મળેલ જીંદગી માનવીની જીવને,જગે  આફતોથી ધેરાય
સાચવી સમજી ચાલતી જીંદગી,આફતે નર્ક એ થઈ જાય
.                      ………….જાણતું નથી કોઇ આ જગતમાં.
આંગળી પકડી ચાલતું બાળક,માબાપે સંસ્કારથી બંધાય
સરળ ચાલતી જીવની કેડી,ભાવનાએ નિર્મળ બની જાય
સકળજગતમાં સૃષ્ટિનીમાયા,જીવને કાયાએ જકડી જાય
ભક્તિનીનિરળી રાહમળે,ત્યાં જીવની જીંદગી સુધરીજાય
.                       …………..જાણતું નથી કોઇ આ જગતમાં.

==================================

July 31st 2011

પકડાયેલ કેડી

.                      પકડાયેલ કેડી

તાઃ૩૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે મોહ નેમાયા,ના જગમાં છે તેની કોઇ કાયા
આડી અવળી રીત બતાવી,આપી જાય જીવનમાં લ્હારા
.                      …………..જીવને જકડે મોહ ને માયા.
કેવી કોરી જીંદગી દેહની,જીવનમાં બંધ આંખેજ સમજાય
વર્તન વાણીને જાણી લેતાં,જગમાં એ જીવ પરખાઇ જાય
દેખાવે ફરતી માળાના મણકે,ના કુદરતની કલા સમજાય
મુક્તિ માગવી દેહથીજગે,એજ દીપની ઉજ્વળતા દેખાય
.                       …………..જીવને જકડે મોહ ને માયા.
સરળતાની જ્યાં સીડી મળે,ત્યાં કામક્રોધ પણ  ભાગીજાય
મળે કૃપા સંત જલાસાંઇની,જે મળેલ દેહથીય અનુભવાય
સાચીસમજણ માનવીની છે,જેનાથી ભક્તિદ્વાર ખુલીજાય
પકડાયેલી કેડી જગતે જીવની,તે તેના કર્મબંધન કહેવાય
.                          ………….જીવને જકડે મોહ ને માયા.

++++++++++++++++++++++++++++++++++++

July 30th 2011

ચાલતી ગાડી

.                     ચાલતી ગાડી

તાઃ૩૦/૭/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલતી ગાડીએ ચઢી જાવ તો,સૌનો સાથ મળી જાય
આવતી ગાડીની રાહ ના જોતાં,નિર્મળ સૌ બની જાય
.                  ………..ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
સમયને કોઇ ના રોકે,કે ના સમયને કોઇથીય પકડાય
નાતાકાત અવનીપર કોઇની,છોને રૂપ હોય ભગવાન
દેહના બંધન અતુટ જગતમાં,કર્મથી જ એ ઓળખાય
મળે માનવ દેહ અવનીપર,એજ સાચી સફર કહેવાય
.                   …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
નિંદરને નોખી રાખવીદેહથી,તો નાકોઇ જગે ભટકાય
શિતળ હોય જ્યાં સવારી,ત્યાં મધુર પવન મેળવાય
જગતની ગાડી જીવને બાંધે,ત્યાં જન્મે જીવ બંધાય
મુક્તિ એ છેલ્લુ સ્ટેશન મળે,જ્યાં ભક્તિ સાચી થાય
.                    …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.

____________________________________

July 30th 2011

જન્મદીનની યાદ

.    પુજ્ય સાહેબને ૯૦મા.                           .(૨જી ઑગસ્ટ ૧૯૨૧)

.                            જન્મદીને યાદ.

.                                                  કૌટુમ્બીક વૃક્ષ રૂપે.
.તાઃ૩૦//૨૦૧૧______________ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્કુલના મારા સાહેબ હતા,ને નામ છે અંબાલાલ
.      ખડોલ ગામથી આણંદ આવ્યા લઈ કાશીબાને સાથ
.            જન્મદીનનો આનંદ અનેરો,ભોજનમાં ઉજવાય છે આજ

દીકરા મોટા વિનુભાઇ ને સંગે  સ્મીતાભાભીનો સહવાસ
.              સંસ્કાર દીધા દીકરા જીગરને ને દીકરી ઉર્વીમાંય દેખાય

દીકરી બીજી હતી વ્હાલી જેનુ નામ મધુબેન પ્રેમે બોલાય
.             જમાઇ સતીષકુમાર છે જેનો સહવાસ બધાથી મેળવાય.
સંતાનમાં દીકરો મીતેશ છે,ને દીકરીને સોનલ કહેવાય
.                સંસ્કાર સિંચન મળ્યા સાહેબથી,ના બાળકોથી ભુલાય.

ત્રીજા સંતાન દીકરા વસંતભાઇ જેમને સહવાસ વિણાબેનનો
.                મોટી દીકરી તો શીતલ, અને વચેટ દીકરી છે ચાંદની
દીકરો એક છે નામ તેનું આકાશ,ત્રણેય સંતાનમાં છે સાથ
.             અમને મળેલ પ્રેમ અનોખો,અમારાથી ના કદીય ભુલાય

સૌથી નાના દીકરા રાજુભાઇ છે,ને સાથે અમીબેનનો સાથ
.             સંતાનમાં છે બે વ્હાલી દીકરીઓ,નીકી રુહીથી ઓળખાય
પ્રેમ હ્ર્દયથી દેતા અમને,ના કદી રમા,રવિ,દીપલથી ભુલાય
.            અમને મળેલ આઉજ્વળ પ્રેમે,અમારા જીવન મહેંકી જાય

++++++++++++++++++++++++++++++++++++++++++
.            આણંદના મારા હાઇસ્કુલના શિક્ષક પુજ્ય અંબાલાલ સાહેબના ૯૦મા જન્મદીનની યાદ
રૂપે તેમના કુટુંબના પ્રેમને કદી ના ભુલાય તે ભાવનાથી આ કૌટુમ્બીક વૃક્ષ તેમની સેવામાં અર્પણ
કરુ છુ. કોઇપણ ભુલ હોય તો દીકરો સમજી માફ કરશોજી,
લી.આપનો સ્કુલી સંતાન
.          પ્રદીપ બ્રહ્મભટ્ટ્ના વંદન સહિત જય જલારામ.             તાઃ૩૦ મી જુલાઇ ૨૦૧૧. હ્યુસ્ટન.

==================================================

July 29th 2011

ઘોડીયુ ગમે

.                     ઘોડીયુ ગમે

તાઃ૨૯/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ,ઓ મંજુબેનના ભાઇ
સાંભળો મારીવાત,હું સાચુ કહુ,મને ઘોડીયુ ગમે ભઇ
.                 …………ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
ના સવાર બપોર કે સાંજ નડે,ને ના તાપ કે અંધકાર
અરે મળે આનંદઓઢીને ડોલતાં,ના કોઇથીય છોડાય
ભુખ લાગે ત્યારે ના ભસવાનું,ઉંઆ ઉંઆ કરવાનું તંઇ
મળીજાય બાટલી મોંઢામાં,ફરીપાછુ પારણે ઝુલવાનું
.                …………..ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
નામારે કોઇ કામકરવાનું,ના ટેબલ ખુરશીએ બેસવાનું
આરામ કરતાં પગ હલાવું,ને શીતળ કપડુયે ઓઢવાનું
મનનેમઝા ને તનનેઆનંદ,શાંન્તિ ભરીને ઉંઘી લેવાનું
ટપલીપડતાં બુમ પાડવાની,છાનું રહેવા બચી લેવાની
.                   ………….ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

« Previous PageNext Page »