July 29th 2011

It’s True

.                         It’s True

Dt:29/7/2011                     pradip Brahmbhatt

It’s TRUE………
.            If you pray god,God will bless you.
.            If you love people they will love you.
.            If you love you kids they will love you.
.            If you write some thing,some will read it.
.            If you forget the past your future will bright.
.            If you share your hope,God will share with you.
.            If you work hard,you will achive your goal.
.            If you think twice,you will be very nice to everyone.
.            If you love your wife your kids will love you.
.            When you pray in the house it will be temple in your life.

+++++++++++++++++++++++++++++++++++++++++++++

July 29th 2011

जगके संबंध

.                जगके संबंध

ताः२९/७/२०११                   प्रदीप ब्रह्मभट्ट

ना कोइ है मेरा जगमें,और नाकोइ है पराया भी
जगके संबंध है देहके,मृत्यु पामके छुट जाते भी
.                         …………. ना कोइ है मेरा जगमें.
प्रेमभावकी ज्योतजले,जहां निर्मळ भावना जागे
अंतरमे जब स्नेह जागे,जगके सब जीव ये मागे
कृपाकरते है गीरधारी,जहां जीवकी भक्ति न्यारी
आकर शांन्ति मनको दे,दे जीवको जगसे मुक्ति
कृपा प्रेमकी होगी प्रभुसे,आशीर्वादकी गंगा बहेगी
.                          ………….ना कोइ है मेरा जगमें.
बंधहो जाते जगकेनाते,जहां भक्तिराहमील जाती
रामनामके एक रटणसे,मुक्तिद्वार भी खुल जाते
मोहमायाका छुटे बंधन,मीले भक्तिभावका सागर
और अपेक्षा दुरहीरहेती,येहीमिलती जीवको शक्ति
वाळी वर्तन सब छुट जाते,ना कभीभी बीचमे आते
.                        …………. ना कोइ है मेरा जगमें.

॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॓

July 29th 2011

સરળતાનો સાથ

.                સરળતાનો સાથ

તાઃ૨૯/૭/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખને સંબંધ દેહથી,જગતમાં જીવ કદી ના જકડાય
સરળતાનો સાથ મળે જ્યાં,ત્યાં સંત જલાસાંઇને ભજાય
.                            ………….સુખદુઃખને સંબંધ દેહથી.
નિર્મળતાની આ નાજુક કેડી,તન,મન,ધનથી સમજાય
નામમતા કેના માયાજાગે,જ્યાં ઘેર પ્રભાત વહેલુ થાય
આવે આંગણે કૃપાપ્રભુની,ના બીજા કોઇથી જગે જોવાય
મનન શાંન્તિ દે નિર્મળતા,લાયકાતે સાતેવારે મેળવાય
.                           …………..સુખદુઃખને સંબંધ દેહથી.
સરળતાનો સાથ મુક્તિથી,જે જીવને માર્ગ બતાવી જાય
જલાસાંઇની એક માળાએ,દેહનો દીવસ ધન્ય થઈ જાય
સંસ્કારનીકેડી છે નિરાળી,જે સાચીમાનવતાએ સમજાય
ના આશાના કિરણ કોઇ શોધે,જ્યાં પ્રેમીભક્તિ થઈ જાય
.                            ………….સુખદુઃખને સંબંધ દેહથી.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

July 28th 2011

મમતાની કસોટી

.                  મમતાની કસોટી

તાઃ૨૮/૭/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલની નદીના નિર્મળ પાણી,જ્યાં સચવાય છે જીભની વાણી
મમતાને નાપારખ કોઇથી,એતો માતાના પ્રેમથી મળતાં જાણી
.                          ………….વ્હાલની નદીના નિર્મળ પાણી.
મળેલ માનવ જીવન સાર્થક કરવા,અવનીએ સૌ પ્રેમ મેળવતા
માન અપમાનની નાકોઇ માયા,જીવનમાં ના કદી પડે એ છાયા
ઉજવળજીવન મળે માનાઆશિર્વાદે,નામાયામોહને ઉભરો આવે
સાચીરાહ દેહને મળતાં જગતમાં,જીવ જન્મથી સદા મુક્તિ પામે
.                             …………વ્હાલની નદીના નિર્મળ પાણી.
સદવિચારની એ રાહ મળે ત્યાં,જ્યાં ભક્તિ ને મમતા સંગે રહે છે
મળતી દેખાવનીમાયા ભાગીજાતાં,નિર્મળપ્રેમની જ્યોત મળે છે
કરુણા કૃપાની અજબ છે હેલી,દઈ દે એ જીવનમાં સુવાસ  મધુરી
મળે માતાનો પ્રેમ હ્ર્દયથી,પરમાત્મા પ્રેમે મળે મુક્તિ જીવનથી
.                           ……………વ્હાલની નદીના નિર્મળ પાણી.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

July 28th 2011

લાગણી

.                        લાગણી

તાઃ૨૮/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદર કામની કેડી ન્યારી,મળતાં ધન્યજીવન થઈ જાય
લાગણીમાયા બાંધીરાખતાં,આ જીવનમુક્તિએ મહેંકાય
.                            ………….કદર કામની કેડી ન્યારી.
મનની મતિને સમજી લેતાં,તેનીગતિ ત્યાં અટકી જાય
નિર્મળતા એતો સાચી છે મુડી,જે સમયેજ પરખાઇ જાય
મળે લાગણીઆજગે દેખાવની,જે ઘડીકમાં પકડાઇ જાય
મોકળી રાખતાં જીવથી દેહે,શીતળ સવારસાંજ થઇજાય
.                             …………કદર કામની કેડી ન્યારી.
બંધ આંખે આંસુ લુછવા,નાકોઇથી હાથ કદી લાંબો થાય
નાતાકાત કોઇ જીવનેજગે,કે તે આંખમાં ડોકીયુ કરીજાય
ખુલી આંખના તો  ખેલ અનોખા,જે દુરથી જ દેખાઇ જાય
લાગણીપ્રેમ એ અંતરના,જે સાચી ભાવનાએ મળી જાય
.                             …………  કદર કામની કેડી ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++

July 28th 2011

ડગલાંની દોર

.                 ડગલાંની દોર

તાઃ૨૮/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણી કદીના મનથી કરવી,એ કર્મના બંધને મેળવાય
જીવની જ્યોત પ્રગટે છે ત્યાં,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
.                     ………..માગણી કદીના મનથી કરવી.
કદમ ભરે જ્યાં બાળક ઘરમાં,ત્યાંથી ચાલતા શીખી જાય
આંગળીપકડી માતાની જ્યાં,ત્યાં દેહે સભાનતા મેળવાય
માનવદેહની સમજ અનોખી,જે તેના ડગલાથી જ દેખાય
એક એક ડગલું સાચવતાં,જીવનમાં સરળ રાહ મળી જાય
.                      ………. માગણી કદીના મનથી કરવી.
જુવાનીના જોશને સાચવી,જીવથી  ભક્તિભાવ સચવાય
નાજુક દેહને કેડી મળતાં,જીવનો આજન્મ સફળ થઈજાય
ભણતરની સીડીને જોતાં,ત્યાં મહેનતનો સંગ લેવાઇ જાય
મળે દેહને લાયકાત જીવનમાં,જે જીવન સાર્થક કરી જાય
.                      ………..માગણી કદીના મનથી કરવી.

===============================

July 28th 2011

કરતારની કલમ

.                   કરતારની કલમ

તાઃ૨૮/૭/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાગ્ય માગે નામળતુ આ દેહે, એતો જીવની છે ઘટમાળ
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,જે કરતારની કલમે લખાય
.                       ………..ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
માયામોહ ને આશા નિરાશા,એતો અવની પરના છે દ્વાર
વળગે  છુટે એ દેહને અવનીએ,ના  કોઇનાથીય  છટકાય
નિર્મળરાહની જ્યોતજલે ત્યાં,જ્યાં સંત જલાસાંઇ ભજાય
પ્રભુભક્તિની આ છે અનોખીચાવી,જે પ્રભુ કૃપા દઈ જાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
સરળ માર્ગની માગણી સૌની,જ્યાં જીવને દેહ મળી જાય
શીતળતાનો  સહવાસ મળે,જે સાચી ભક્તિ એ લઈ જાય
કર્મના બંધન મળે કલમથી,જ્યાં દેહથી લેણદેણ સહેવાય
મુક્તિદ્વારની ખુલે ત્યાં સાંકળ,જ્યાં નિર્મળભક્તિ થઈજાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.

{{{{{{{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}

July 28th 2011

ભોળાનાથ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   ભોળાનાથ

તાઃ૨૮/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાના એ સાગર  છે,ને ભક્તોના વ્હાલા ભગવાન
મુક્તિમાર્ગની  રાહબતાવી,ઉજ્વળ કરે આ અવતાર
એવા વ્હાલા છે ભોળાનાથ,એ છે જગતપિતા સમાન
.                              …………કરુણાના એ સાગર  છે.
ગજાનંદના વ્હાલાપિતાજી,ને મા પાર્વતીના ભરથાર
સુખદુઃખના એતો છે સંગાથી,ૐ નમઃશિવાય બોલાય
પુકાર સાંભળી સાચા ભક્તોનો,રાતદીવસ ભુલી જાય
કૃપા કરે જ્યાં મહાદેવ જગતે,સૌને શાંન્તિ મળી જાય
.                               ………….કરુણાના એ સાગર  છે.
સાંઇ બાબાની જ્યોત પ્રક્ટાવી,અલા ઇશ્વર એક દીધા
ભક્તિ પ્રેમને સમજવા કાજે,શ્રધ્ધા સબુરી જગે લીધા
જન્મ મરણની નાછે કોઇ છાયા,આવી અવનીએ રહ્યા
ભક્તોને સાચીરાહચીંધીને,પૃથ્વી પરથી વિલીનથયા
.                               ………….કરુણાના એ સાગર  છે.

**********************************

July 27th 2011

માટીની પરખ

.                      માટીની પરખ

તાઃ૨૭/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો સંબંધ છે દેહથી,જે જન્મે માટીથીજ  પરખાય
માતાના દુધની એ સુવાસ,તેના વર્તનથી ઓળખાય
.                         ………….જીવનો સંબંધ છે દેહથી.
અવનીની આ વિશાળભુમી,પણ પવિત્ર થોડી કહેવાય
પાવનકર્મની કેડી દેવા,પરમાત્મા જ્યાં અવતરી જાય
ભારત એવી કર્મભુમી છે,જ્યાં શ્રીરામકૃષ્ણ જન્મી જાય
ભક્તિભાવની રાહ બતાવીને,આ જન્મ સફળ કરી જાય
.                      …………જીવનો સંબંધ છે દેહથી.
હાય બાયની ટૂકી લાગણી,અહીં આવી ને જ સમજાય
મળતાં ઉભરે પ્રેમ દેખાવનો,જે જતાં જ વિસરાઇ જાય
મારુ તારુ ત્યાં અટકીજ રહે,જ્યાં સુધી દેખાવ ટકી જાય
સહજતાં જે રહે જન્મ સંગે,અહીં આવીને વિસરાઇ જાય
.                        ………..જીવનો સંબંધ છે દેહથી.

———————————————-

July 27th 2011

વૈકુન્ઠનો વાસ

.                       વૈકુન્ઠનો વાસ

તાઃ૨૭/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની જ્યોત જલે,ને હૈયામાં અતિઆનંદ થાય
માયામોહની ના કોઇ ચિંતા,જ્યાંમળી જાય વૈકુન્ઠી વાસ
.                     …………..નિર્મળ પ્રેમની જ્યોત જલે.
કૃપા મળે કરતારની જીવને,જ્યાં ભક્તિ પ્રેમનો છે સંગાથ
આરતી અર્ચન પુંજનકરતાં,જીવને મળે છે જગત નાનાથ
કર્મ બંધનની છે જગમાં કેડી,ના કોઇ જીવથીય એ છોડાય
મુક્તિમાર્ગની  સરળછે ચાવી,જે  ભક્તિનાદ્વાર ખોલી જાય
.                         …………નિર્મળ પ્રેમની જ્યોત જલે.
સ્વર્ગની સાચી કેડી મળે,જગતપર જ્યાં સત્કર્મો સહેવાય
દેહને મળતી કૃપા પ્રભુની,જ્યાં સાચા સંતોને વંદન થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતાં,જીવ પર પ્રભુ દ્રષ્ટિ થાય
મળી જાય વૈકુન્ઠનો વાસ જીવને,નેજન્મમરણ ટળી જાય
.                           ………….નિર્મળ પ્રેમની જ્યોત જલે.

==================================

« Previous PageNext Page »