July 12th 2011

સરોજબેનનો જન્મદીવસ

 

 

   

 

 

 

                    સરોજબેનનો જન્મદીવસ

તાઃ૧૨/૭/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગાડા ગામથી આવ્યા પાળજ,બનવા સરોજના ભરથાર
અશોકુમારને વિશ્વાસએવો,પકડી ચાલશે જીવનમાં હાથ
                       ………….ગાડા ગામથી આવ્યા પાળજ.
આજકાલની દોર પકડીને ચાલ્યા,લીધો પ્રેમથી સંગાથ
મોહ માયાને દુર જ રાખતાંજ,મળ્યો ભક્તિનો અણસાર
સમયની કેડી તો લાગે નિરાળી,તનથી એ નિકળી જાય
આવ્યો જન્મદીન સરોજબહેનનો,સૌના પ્રેમેથી ઉજ્વાય
                          ………..ગાડા ગામથી આવ્યા પાળજ.
સંસારની સાચી સીડી મળતાં,પતિનોપ્રેમ મળ્યો અપાર
દીકરો વૈભવ પકડી કેડી મહેનતની,ચાલી રહ્યો છે આજ
દીપુલાડલી દીકરીએવી,લગ્ને કલ્પેનકુમાર પણ હરખાય
કુટુંબની એવી સાચી લાગણી,જે તેમના વર્તનથી દેખાય
                           ………..ગાડા ગામથી આવ્યા પાળજ.
જન્મદીનનીપ્રીત સૌને,માણી રમા,રવિ,દિપલ ખુશ થાય
જલાસાંઇની મેળવી ભક્તિ,એ પવિત્ર જીવન પામી જાય
આવી હ્યુસ્ટન આંગણુ શોભાવ્યુ,પામીને ભક્તિનો શણગાર
જીવન ઉજ્વળ મેળવી લીધુ,જે તેમના વર્તનથીજ દેખાય
                          ………..ગાડા ગામથી આવ્યા પાળજ.

************HAPPY BIRTHDAY**********

    આજે સરોજબેનનો જન્મદીવસ છે તો તેની યાદ રૂપે આ લખાણ
પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર તરફથી જય જલારામ સહિત
સપ્રેમ ભેંટ.

July 12th 2011

ગજાનંદ પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                         ગજાનંદ પ્રેમ

તાઃ૧૨/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદની કૃપા નિરાળી,જ્યાં પુંજન અર્ચન થાય
શાંન્તિનો સહવાસ નિરખી,જીવને અનંતપ્રેમ થાય
                         …………ગજાનંદની કૃપા નિરાળી.
ઉજ્વળ પ્રભાતના આગમને,જીવન ઉજ્વળ થાય
આધીવ્યાધી નારહે ઉપાધી,એતો દુર ભાગી જાય
ભક્તિનો એ અતુટ પરચો,જ્યાં ગજાનંદને પુંજાય
શ્રધ્ધા રાખી નિર્મળ મને,પાવનકર્મ જ થતા જાય
                         …………ગજાનંદની કૃપા નિરાળી.
ગૌરીપુત્રનો છે  પ્રેમ નિરાળો,જે મુશક માણી જાય
કરુણાનો તો સાગરછે,જે જીવનેમુક્તિએ દોરી જાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,ત્યાં ગજાનંદ હરખાય
મળેકૃપા પરમાત્માની,ત્યાં જીવન સફળ થઈ જાય
                        ………… ગજાનંદની કૃપા નિરાળી.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

July 11th 2011

પ્રેમની નજર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                    પ્રેમની નજર

તાઃ૧૧/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પ્રભુનો સદા મળે,ને નિર્મળ જીવન થાય
માગણીભાગે દુર,જ્યાં પ્રેમનીનજર મળી જાય
                      ………..પ્રેમ પ્રભુનો સદા મળે.
સરળતાનો સહવાસ રહે,ને સફળતાય મેળવાય
લાગણી મોહ ભાગેદુર,જ્યાં વડીલને વંદન થાય
આશિર્વાદની એકછડી મળતાં,માનવતા મહેંકાય
ઉજ્વળ જીવન બનવાલાગે,ને જલાસાંઇ હરખાય
                     …………પ્રેમ પ્રભુનો સદા મળે.
શીતળ વાયરો મળતાં દેહને,મન મારું મલકાય
શાંન્તિનો સંગાથ દેહથી,ત્યાંમનને આનંદ થાય
નજરઅંતરથી નિર્મળપડતાં,જીંદગી સુધરીજાય
અંતદેહને મળે કૃપાથી,જીવને મુક્તિ મળી જાય
                       ………..પ્રેમ પ્રભુનો સદા મળે.

(((((((((((((())))))))((((((((())))))))))))

July 11th 2011

ભોળાના ભગવાન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                        ભોળાના ભગવાન

તાઃ૧૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમે ભોળા છો ભગવાન,તમારી કૃપા કરુણા અપાર
સુણી તમે ભક્તોનાપોકાર,સદા રહો છો તેમના દ્વાર
         ……બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
દુઃખના વાદળ દુર કરીને,ભક્તોને તમે લો ઉગારી
મનથીથતી ભક્તિ જોઇને,વાણી વર્તનને સંભાળી
ઉજ્વળરાહ જીવનેદેતા,માનવજીવન સાર્થકકરતા
મોહમાયાથી દુર રાખીને,પાવન કર્મનો સંગ દેતા
       ……..બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
દુધઅર્ચન મનથીકરતાં,સદાસહવાસતમારો લેતા
સોમવારની પ્રભાતટાળે,શિવમંદીરમાં દર્શન દેતા
ગજાનંદના પિતા તમે છો,મા પાર્વતીના ભરથાર
પ્રદીપને સંતાન ગણીને,દેજો મુક્તિ ભવસાગરથી
       ……..બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.

===============================

July 10th 2011

મારો અનુભવ

 

 

 

 

 

 

 

                          મારો અનુભવ

તાઃ૧૦/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલજીરાથી મઝા મળી ગઈ,ના ટેસ્ટ ભુલાય તેનો
ખાધાપછી પાણીમાં પીવાથી,પેટે મળી જાય હેલો
એવુ જાલાની જલજીરા છે,કદી નાદેહે આળસ ભેંટે

સવારે ખાધા પછી કેપહેલાં,સ્વાદ મસ્ત તેનો લાગે
આળસને ખંખેરી નાખે જલ્દી,ને પેટનેરાખે એ સાફ
અપચાની નાવ્યાધી રહે,જ્યાં પચીજાય આપોઆપ
સુઘડ શરીર ને બાંધો મજબુત,ના દવા કોઇ વળગે
                     ………એવુ જાલાની જલજીરા ભઈ.
વર્ષોવર્ષનો છે મારો અનુભવ,પીવું છુ હુ ખાધા પછી
મનને શાંન્તિ મળી જાય,ને આળસ તો ભાગે આઘી
દેહને મળે જ્યાં રાહતસાચી,ત્યાં શાંન્તિ સાથે રહેતી
દવા ને ડૉક્ટર તો દુર રહે,જ્યાં રાહત દેહને મળતી
                     ………એવુ જાલાની જલજીરા ભઈ.

 ================================

July 10th 2011

મોંકાણનો મેળો

                    મોંકાણનો મેળો

તાઃ૧૦/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અસ્ત વ્યસ્ત જીવનની ચાલ,જ્યાં મળી જાય મોંકાણ
એક સુધરતાં બીજુ બગડે,ને જીવને ચિંતાઓ ભટકાય
                       ………..અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
અદભુતચાલતી સંસારીગાડી,ખોટીરાહે જ્યાં અથડાય
આવે એક પછી એક વ્યાધી,જેને મોંકાણ જ કહેવાય
દરીયો તો દેખાવનો છે મોટો,ના કોઇથીય એ તરાય
સમજણ ને થોડી સાચવી લેતાં,તકલીફો ઓછી થાય
                      …………અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
મારું મારુંની માયાથતાં,જ્યાં દેહે મારીજ મળી જાય
આફતનો ના અંત આવે,વારંવાર એ વધતીજ જાય
ભક્તિની એક દોરી પકડતાં,મોંકાણ પણ ભાગી જાય
કૃપા સંતની પામી લેતાં,દેહથી મોંકાણનો મેળો જાય
                      …………અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.

******************************************

July 10th 2011

ચિંતાનો હાર

                          ચિંતાનો હાર

તાઃ૧૦/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એક આધાર છે,જ્યાં જીવ ઝબકી જાય
મળેજો મોહમાયા દેહે,ચિંતાનો હાર લટકી જાય
                          ………..અવની એ આધાર છે.
આગળ વ્યાધી પાછળ વ્યાધી,નારાહ કોઇ દેખાય
દેહમળતાં એ લટકી ચાલે,ના કોઇથીય એ છોડાય
મૃત્યુનીઆવે જ્યાંવેળાં,ચિંતાએ ભવોભવ ભટકાય
ઉજ્વળતા ના આવે સંગે,જીવ અવનીએ લટકાય
                          ………..અવની એ આધાર છે.
ચિંતાના ના દ્વાર કોઇ,કે ના કોઇનેય એ છોડી જાય
ઉષાસંધ્યાનો નાસહવાસ તેને,ગમેત્યારે મળી જાય
દુર રહે છે જે જીવ ચિંતાથી,તે જીવ સદાય હરખાય
મનનીશાંન્તિ માગવા કરતાં,એ મળીજાય પળવાર
                          …………અવની એ આધાર છે.

*************************************

July 10th 2011

સુખદુઃખની સીમા

                        સુખદુઃખની સીમા

તાઃ૧૦/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરની એકજ સાંકળ,સુખદુઃખ જેને કહેવાય
જન્મ મળતા જીવને જગતમાં,સૌને એ મળી જાય
                          ………..અવનીપરની એકજ સાંકળ.
રાજારંક કે પ્રાણીપશુ,દેહ મળતાં દેહને સ્પર્શી જાય
સાધુ,સંત કે હોય પુંજારી,ના કોઇનેયએ છોડી જાય
અવનીપરના આગમનમાં,સૌ એજ સાંકળે જકડાય
મુક્તિમાર્ગ એ કૃપાપ્રભુની,જે સાચીભક્તિએ લેવાય
                         ………… અવનીપરની એકજ સાંકળ.
જન્મમરણના બંધનછુટે,માયામોહના જ્યાં સંબંધ તુટે
મળેમાર્ગ જ્યાં ભક્તિનો,જીવન ઉજ્વળ થાય જીવોનો
આવી આંગણે દ્વાર ખોલે,ધુપદીપના અર્ચન જે કરતાં
જ્લાસાંઇની જ્યોતનિરાળી,ધન્ય જીવનનેએ કરનારી
                            …………અવનીપરની એકજ સાંકળ.

+++++++++++++++++++++++++++++++++==

July 9th 2011

દેજો પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                         દેજો પ્રેમ

તાઃ૯/૭/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી સાંભળજો પુકાર,અમોને દેજો પ્રેમ અપાર
ઓ શેરડીના સાંઇબાબા,મારીસામે જોજો લગાર
                       ……….મારી સાંભળજો પુકાર.
મનમાં એક છે આશા,મારી પુરી કરો અભિલાષા
ઉજ્વળ જીવન જીવતા,મને મળે કૃપા એ આશા
સદવિચારે છાયા મળતાં,મારાદ્વાર ઉજ્વળ થાતા
નિત્ય પુંજનઅર્ચન કરતાં,અમે જીવે શાંન્તિ લેતાં
                      ………..મારી સાંભળજો પુકાર
બાબા છે પ્રદીપની વિનંતી,મને ભક્તિ રાહ દેજો
કરજો થોડી કૃપા બાળક પર,મુક્તિ દ્વારને ખોલજો
આવીઆંગણે ભક્તિપ્રેમલેજો,જીવન ઉજ્વળકરજો
સાંઇબાબા નિર્મળજીવન દઈને,મુક્તિ અમને દેજો
                      …………મારી સાંભળજો પુકાર.

++++++++++++++++++++++++++++++

July 9th 2011

दर पे आया

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                       दर पे आया

ताः९/७/२०११                       प्रदीप ब्रह्मभट्ट

सांइ तेरे में दर पे आया,लेकर श्रध्धा और सबुरी
उज्वळ जीवन करही देना,नामाग रहे कोइ अधुरी
                       ………..सांइ तेरे में दर पे आया.
भक्ति जीवके संग ही रखना,मोह माया दुर रखना
प्रेमसे भरना जीवन झोली,ना माग रहे कोइ मेरी
प्यार सच्चा दीलसे  ही देना,नारहे उसमें कोइ देरी
मनको श्रध्धाऔर विश्वास मिले,नारहे उसमे अधुरी
                       …………सांइ तेरे में दर पे आया.
दीलमे रहेना प्रदीपके सदा,और रमाको साथ रखना
रविको देना प्रेम दादाका,दीपल निशीतको संभालना
शरण तुम्हारी आतेहै बाबा,उज्वळ राह हमको देना
जन्ममरणका छुटे बंधन,मुक्तिमे साथ सदाही रहेना
                       …………सांइ तेरे में दर पे आया.

++++=++++=++++=++++=++++=++++=++++=

« Previous PageNext Page »