July 9th 2010

પ્રસંગ પ્રેમ

                          પ્રસંગ પ્રેમ

તાઃ૯/૭/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયાના દરબારમાં માનવી,અહીંતહીં ક્યાંક ઘુમ્યા કરે
આજે આવશે કાલે આવશે,તેમ પ્રસંગની રાહ જોયા કરે
                         ……….દુનિયાના દરબારમાં માનવી.
જન્મ મળેલા જીવને જગતમાં,જન્મ દીવસની  યાદરહે
આવતા પ્રસંગની ઉજ્વળતામાં,સદા હૈયે પ્રેમ રહ્યા કરે
                         ……….દુનિયાના દરબારમાં માનવી.
બારાખડીના બંધન છુટતાં,ભણતરના સોપાન મળી જશે
ઉજ્વળ જીવનના સોપાનને જોતાં,ગ્રેજ્યુએશન યાદ રહે
                        ………..દુનિયાના દરબારમાં માનવી.
જુવાનીના જોશને જોતાં,કળીયુગનો સહવાસ મળી જશે
સંગાથીની શીતળતાં લેતાં જીવ,લગ્નતીથીએ લહેર કરે
                         ………..દુનિયાના દરબારમાં માનવી.
મળીજાય જ્યાં માયામનથી ,કુટુંબ કબીલાનો સાથ મળે
 આશીર્વાદની લહેર સંતાને દેતાં,જન્મદીવસનો પ્રેમદીસે
                       ………….દુનિયાના દરબારમાં માનવી.
જીવનની સરગમમાં રહેતાં,ઘણા સોપાન જીવનમાં હશે
લહીયાની લાયકાત મેળવતાં,શબ્દજગતમાં પ્રસંગમળે
                          ………..દુનિયાના દરબારમાં માનવી.
ઉંમરમાં સહવાસ લાકડીનો,જે દેહનો સાચોસંગાથ બન્યો
મળ્યા સાહિત્યનાસોપાન,જ્યાં વિજયભાઇનો સાથમળ્યો
                           …………દુનિયાના દરબારમાં માનવી.

+++++++++++++++++++++++++++++++++++

July 8th 2010

જગની માયા

                         જગની માયા

તાઃ૮/૭/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની માયા મોકળી કરવા,પ્રભુ ભજન હું કરું
રામ શ્યામની સમજણ લેતાં,હૈયે શાંન્તિ હું ધરુ
                          …………મનની માયા મોકળી કરવા.
જીવનના સોપાનને સમજતાં,ના કોઇથી હું ડરું
પ્રેમની સાચી કેડી મળતાં,જીવનને ઉજ્વળ કરું
પ્રભુ ભક્તિનો સાથ હું  લેતાં,વ્યાધીઓથી બચું
ભાગે માયા મોહ જગતના,જ્યાં જલાસાંઇ ભજુ
                           …………મનની માયા મોકળી કરવા.
માળાનો જ્યાં સાથમળ્યો,ત્યાં મણકેમણકા ગણું
સ્નેહી શબ્દોની વર્ષા મેળવતાં,જીવે શાંન્તિ ધરું
યુગ યુગના બંધન છે જીવનાં,સુખદુઃખથી હું ડરું
મળે પ્રભુનીકૃપા દેહે,જ્યાં જલાસાંઇનો પ્રેમ મળે
                            …………મનની માયા મોકળી કરવા.

+++++++++++++++++++++++++++++++++

July 6th 2010

પુ.મોરારી બાપુને.

          સંત પુ.મોરારી બાપુના  

 

 

 

 

 

 ચરણે વંદન.

 તાઃ૭/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમકૃપા મળે,એવું જીવથી વિચારી ચાલુ
આશીર્વાદે આશા પુરણ થાય,એવા સંતછે પું. મોરારીબાપુ
                             ………પરમાત્માની અસીમ કૃપા મળે.
અવનીપરના આગમને આ સંતના.પિતા છે પ્રભુદાસ બાપુ
શિવરાત્રીએ જન્મતા માતાસાવિત્રીબાને મળ્યુતેમનુ માગ્યુ
દાદાના આશીર્વાદ મળતા,મળ્યા ભક્તિથી ઉજ્વળ સંસ્કાર
શિક્ષકનો વ્યવસાય મુકી,૧૯૬૬થી ખોલ્યા મુક્તિતણાએ દ્વાર
                        …………પરમાત્માની અસીમ કૃપા મળે.
કુદરતની કૃપા ગુજરાતપર,મળ્યા જલારામ ને મોરારીબાપુ
સંસારની કેડી પર ચાલતાં,રાહ બતાવી જીવન જીવવું સાચું
ભક્તિભાવને સંગે રાખી,કર્મબંધનથી જીવને મુક્તિએ દેનારુ
પધારજો મોરારીબાપુ ઘેરઅમારે,જીવોની મુક્તિરાહ હું માગુ
                           ……….પરમાત્માની અસીમ કૃપા મળે.
લેણદેણની સાંકળ જીવ સાથે,જ્યાં કર્મ તણા બંધનનો રંગ
પ્રદીપ,રમા,રવિ,દિપલ ને નિશીત,વંદે ભક્તિભાવને સંગ
કૃપા પરમાત્માનીમળે જીવે,જ્યાં સાચા સંતને વંદન થાય
ઉજ્વળ જીવનની લકીર લેવા,વિનંતી કરીએ બાપુને આજ
                          ………..પરમાત્માની અસીમ કૃપા મળે.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

        હિન્દુ ધર્મના સંત પુ.મોરારી બાપુને આ કાવ્ય અમારી પ્રભુ ભક્તિ
અને સાચી શ્રધ્ધાથી વંદન સહિત તેમના ચરણોમાં યાદગીરી રૂપે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર.પુ.શકુબેનતથા પુ.સુરેશકુમારના વંદન.

હ્યુસ્ટન,ન્યુ જર્સી,યુ.એસ.એ.                      તાઃ૭મી જુલાઇ,૨૦૧૦

July 6th 2010

સંગનો રંગ

                               સંગનો રંગ

તાઃ૬/૭/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગી લીધું માનવી મનથી,જે લોભ મોહથી દેહે મેળવાય
જીવને ના સમજ કે સંગથી, જીંદગીનો રંગ બદલાઇ જાય
                               ………..માગી લીધું માનવી મનથી.
અવનીપર જે અવતરણ જીવના,તે જીવના બંધન કહેવાય
છુટી શકે ના કોઇ જગતમાં,હોય સાધુ કે સન્યાસી સમજાય
કર્મના બંધન સૌને વળગે,જે દેહ મળતા જગમાં ઓળખાય
શ્રધ્ધા અર્ચનને સાચીભક્તિ કરતાં,જીવને મુક્તિદ્વાર દેખાય
                                ………..માગી લીધું માનવી મનથી.
સંગ અને સહવાસ જીવનો,જે દેહ થકી જ જગમાં છે લેવાય
કોનો કેવો સંગ દેહને મળ્યો,તે તેના વર્તનથી જાણી લેવાય
મુક્તિમાર્ગને પારખી લેતાં,સાચી ભક્તિનો થઇજાય સહવાસ
રંગ નાલાગે મોહ માયાનો દેહે,જે વર્તનથી જગતમાં જોવાય
                               …………માગી લીધું માનવી મનથી.

==================================

July 5th 2010

એકલવાયુ

                         એકલવાયુ

તાઃ૫/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને બાળ નેત્રે,નવુ નવુ જગ ભાસે
માયા મળતાં જીવનમાં,ઘડપણમાં એકલવાયુ લાગે
                          ………જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
અવનીપરના આગમને દેહને,માતાનો પ્રેમ મળી જાય
માબાપની લાગણી વરસીરહે,જે સંતાનથી અનુભવાય
ઉજ્વળ જીવન સંતાનના જોવા,સોપાનપણ બતાવાય
મળીજાય સંગાથ જગતમાં,ના એકલવાયુ જીવન થાય
                          ……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
સમય પારખી જીવનજીવતાં,અંતરમાંય આનંદ થાય
વર્ષો વર્ષને સમજી ચાલતાં,ના વ્યાધીઓ આંટી જાય
સમય લીલા ન્યારી એવી,જે ઉંમરથી દેહ પર દેખાય
વાણીવર્તનને સાચવીલેતાં,જીવનમાં સફળતા લેવાય
                        ……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
ઉંમર એ દેહનુ સ્પંદન છે,જે ના કોઇથી અળગુ કરાય
સમયચાલતા સાથેચાલે,જગમાં નાકોઇથીએ છોડાય
કળીયુગની આ લીલા એવી,જે સાચા સંબંધે દેખાય
અહંકારમાં ના સાચવતા,જીવન એકલવાયુ થઇજાય
                              ……..જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
=================================

July 4th 2010

સરળ જીવન

                           સરળ જીવન

તાઃ૪/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગું હું મોહ માયા,કે ના માગું કદી અભિમાન
પૃથ્વી પરના આગમને,હું ગાવુ ભક્તિના ગુણગાન 
                           …………ના માગું હુ મોહ માયા.
જન્મ મળતાં જીવને જગે,દેહ થકી સઘળુ જ દેખાય
નેત્ર દીધાછે પરમાત્માએ,અજુગતુ જોતાંએ ફેરવાય
માનવી મને મળી કૃપા,કે બુધ્ધિથી સઘળુ સમજાય
વિચારીને પગલુ ભરતાં,જીવનો જન્મસફળપણથાય
                               ……….ના માગું હુ મોહ માયા.
આગળ ચાલે વ્યાધી ત્યારે,ધીરજ નો લેતો સહવાસ
મહેનતના સોપાનો સંભાળી,ચાલતો ડગલાં હું બેચાર
ભક્તિપ્રેમના ટેકાએ,મળીજતો જલાસાંઇનો મનેસાથ
દેહને મળતા સરળ જીવનથી,જન્મસાર્થક થતો જાય
                             ……….ના માગું હુ મોહ માયા.

***************************************

July 4th 2010

કુદરતનો દંડો

                          કુદરતનો દંડો

તાઃ૪/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી માનવીસમજે,તોય જગમાં ફંદો થાય
અહંકાર ને અભિમાન જોતાં,કુદરતનો દંડો પડી જાય
                       ……..સમજણ સાચી માનવી સમજે.
મેઘનાવાદળ નિરખી ખેડુતો,ખેતરમાં હળ સાથે દેખાય
આવતા મેધનોસહવાસ મેળવી,જમીનપણ મહેંકીજાય
ન્યાય કુદરતનો સરળછે,જ્યાં દેહને દેખાવ ચોંટી જાય
અતિ વરસાદની ઝાપટ પડતાં,જળબંબાકાર થઇ જાય
                      ………..સમજણ સાચી માનવી સમજે.
માનવીમનની સરળબુધ્ધિ,જે જીવન ઉજ્વળ કરીજાય
કુદરતની દયાથી જગે માનવી,પાવન કર્મો કરી જાય
શીતળ પવનની લહેરમળે,જે જીવનને મહેંકાવી જાય
ઝડપ વધે જ્યાંપવનની ,ત્યાં ખેદાન મેદાન થઇજાય
                       ………સમજણ સાચી માનવી સમજે.
નિર્મળજીવન લાગે માનવીને,જ્યાં સુર્યનોઉદય થાય
પ્રકાશની પાવક જ્યોતમાં,દિવસ પણ મલકાઇ જાય
અતિનો સહવાસ મળે જ્યાં,સુર્ય કિરણોનો પૃથ્વી પર
અસહ્ય ગરમીની છત્રછાયામાં,ના માનવીથી જીવાય
                      ………સમજણ સાચી માનવી સમજે.

       ++++++++++++++++++++++++++++

July 3rd 2010

રમાનો જન્મદીવસ

                   રમાનો જન્મદીવસ

તાઃ૩/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉમંગ આવે હૈયે ત્યારે,નીજ આંખમાં અશ્રુ  ઉભરાય
ત્રીજી જુલાઇઆવેત્યારે,રમાનો જન્મદીવસ ઉજવાય
                                       ……….ઉમંગ આવે હૈયે ત્યારે.
બારાખડીથી બહાર નીકળતાં,ભણતર પકડાઇ જાય
પેન કાગળ હાથમાં આવતાં,જીવન ઉજ્વળ દેખાય
મેળવી પ્રેમ માબાપનો,રમાએ મેળવ્યા છે સોપાન
જીવન  સાથી મારી બનતાં,સંત જલાસાંઇ હરખાય
                                        ………ઉમંગ આવે હૈયે ત્યારે.
રવિ,દિપલને સંસ્કારદીધા,ને લીધો ભક્તિનોસંગાથ
જન્મ અમારો સાર્થક થશે,ને મળશે સતકર્મોની દોર
આણંદ છોડી હ્યુસ્ટન આવ્યા,આ છે લેણદેણની  જોડ
ભક્તિનો સંગાથ મળતાં,લાગે ખુલતાં મુક્તિના ડોર
                                      ……….. ઉમંગ આવે હૈયે ત્યારે.
જન્મદિનની શુભભાવના,લાવ્યા જલાસાંઇને શરણે
માગણી પરમાત્માનેચરણે,જીવને ભક્તિસાચી દેજો
માનવ જીવનની વ્યાધીઓને,ભક્તિથીજ ઉલેચીએ
ને આશીર્વાદમળે વડીલોના,જે જીવન ઉજ્વળ દઇદે
                                ……….. ઉમંગ આવે હૈયે ત્યારે.

***************************************

July 2nd 2010

સરગમ

                            સરગમ

તાઃ૨/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય જ્યાં સુર શબ્દને,ત્યાં મનડાં સૌ હરખાય
મધુર સ્વરની રેલી મળે,જગમાં સરગમ એ કહેવાય
                     ………મળી જાય જ્યાં સુર શબ્દને.
લખી લીધેલા શબ્દોને જગતમાં,આંખોથી જ વંચાય
નેત્રબિંદુ પર અસરપડતાં,માનવી અર્થ સમજીજાય
ના ટેકાની કોઇ જરૂર પડે,કેના કોઇથી એસમજાવાય
પરમાત્માની આ અજબલીલા,જે આંખોથીજ વંચાય
                    ……….મળી જાય જ્યાં સુર શબ્દને.
શબ્દસુરનો તાલ મળતાં,સૌને કાનથી એ સંભળાય
નાસ્પર્શ કે ન નેત્રની જરુરપડે,એ તાલથી સમજાય
જીવનની સરગમ નિરાળી,ના કોઇથીય એ પકડાય
સુખદુઃખએ બેશબ્દછે,જગતના સૌજીવોથી મેળવાય
                     ……….મળી જાય જ્યાં સુર શબ્દને.

     ++++++++++++++++++++++++++++++

July 2nd 2010

પ્રભુ પ્રેમ

                              પ્રભુ પ્રેમ

તાઃ૨/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં પરમાત્માનો,ના માગણીએ મેળવાય
મોહમાયાના બંધનછોડતાં,સાચી ભક્તિએ મળીજાય
                        ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
ઉજ્વળજીવન પાવનકર્મ,જીવની સાચી ભક્તિનોમર્મ
મનથી કરેલી ભક્તિ પુંજા,જીવનમાં નારહે કોઇ દ્વીધા
મોહ તો છે આ દેહનાબંધન,અને માયા છે આજીવના
ક્યારે છુટે એ કોઇ નાજાણે,આ તો પરમાત્માની લીલા
                       ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
શીતળતાનો સહવાસ રહે,જ્યાં અભિમાનને ભગાડાય
દેખાવની દુનીયાનેછોડતાં,જીવને સદમતી મળીજાય
સહવાસમળે જ્યાં જલાસાંઇનો,ભક્તિની પ્રેરણા થાય
પાવનકર્મનો સંગ મળતાં જીવને,પ્રભુ પ્રેમ મેળવાય
                       ………..પ્રેમ જગતમાં પરમાત્માનો.
જગનીમાયા એ નીર ઝાંઝવાના,વ્હેણ ક્યારે બદલાય
કર્મબંધન જીવની સાથે,અવનીએ દેહ મળતાં દેખાય
મનથી થતી ભક્તિનીશક્તિ,જીવનેમુક્તિએ લઇ જાય
જન્મમરણના છુટે બંધન,કૃપાથી પ્રભુ પ્રેમ મળી જાય
                         ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.

       ============================

« Previous PageNext Page »