June 24th 2010

પાઘડી

                     પાઘડી

તાઃ૨૪/૬/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પહેરી લીધી પાઘડી માથે,ના પા ઘડીય સચવાય
વાંકી ચુકીને સીધી ગોઠવતાં,પોણી ઘડીય વેડફાય
                     ………..પહેરી લીધી પાઘડી માથે.
માથે પાઘડી દંભ આપે,ને દેહ અભિમાને જ ઢંકાય
કળીયુગમાં જ્યાં પડે લાકડી,ના કોઇથીએ સચવાય
સતયુગમાં એ સિંહ હતા,ગર્જના સાંભળતા ગભરાય
પાઘડી આજે પહેરી નીકળે,ચાર ચમચાથી સચવાય
                     ………..પહેરી લીધી પાઘડી માથે.
લીલાન્યારી માથે પાઘડીની,સમય સમયે બદલાય
લાલ લીલી પીળી કે ભગવી,એપ્રભુકૃપાએ સમજાય
મુક્તિલેવા વ્યાધીઓથી,કળીયુગમાં માથે ના રખાય
સરળતાની શાંન્તિ મળે,ત્યાં પાવન જન્મ થઇ જાય
                    ……….. પહેરી લીધી પાઘડી માથે.
વરરાજાની પાઘડીએ,માબાપનુ કન્યાદાન જ થાય
પતિની પાછળ ચાલેનારી,ત્યાં સંસાર ઉજ્વળ થાય
કળીયુગમાં ના પુછે પાઘડીને,એ બુધ્ધી બાંધી જાય
પત્નીસંતાન જ્યાંભાગે દુર,ત્યાં સંસાર થઇજાય ધુળ
                      ……….પહેરી લીધી પાઘડી માથે.

=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

June 23rd 2010

વ્હાલુ બાળપણ

                 વ્હાલુ બાળપણ

તાઃ૨૩/૬/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને વ્હાલુ મારું બાળપણ,ના તકલીફ વ્યાધી કોઇ
ઘોડીયામાં હું ઝુલ્યા કરું,હિંચકાવે મારી વ્હાલી ફોઇ
                       ……….મને વ્હાલુ મારું બાળપણ.
મમ્મીની સૉડ મને મળે,આખી રાત હું નિંદર લઉ
ભુલથી જો મારી આંખ ખુલે,તો ટહુકો હું માને દઉ
ચાદરભીની થતાં રડુ,મા કોરામાં સુવાડી હેતે બહુ
જીવને અખંડ શાન્તિ મળે,ને વ્હાલ કરે ઘરમાં સૌ
                      ………. મને વ્હાલુ મારું બાળપણ.
ઘોડીયે પથારીએ રહ્યા કરું,ઝુલવાની લાગી માયા
રાજા શાહી નો લાભ મળે,ને  વ્હાલ કરે મને મારા 
દેહને શાંન્તિ જીવને પણ,ના ફીકર ને ચિંતા કોઇ
આરામ હરામ મોટાઓને,એ મને ના સ્પર્શે અહીં
                       ……….મને વ્હાલુ મારું બાળપણ.
ઉંમર થી હુ દુર રહું,તો મળી જાય મને સન્માન
દીવા ની ના જરુર પડે,એ સામેથી આવી જાય
મળી જાય તનમનને વિશ્રામ,બાળપણે લેવાય
ઉંમરવધતા ઓળખાય,જ્યાં વ્યાધીઓ શરૂથાય
                      ………..મને વ્હાલુ મારું બાળપણ.

(((((((=====)))))))(((((((======))))))

June 22nd 2010

પાવન કર્મ

                      પાવન કર્મ

તાઃ૨૨/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણનાયકનુ શરણું વ્હાલુ,જન્મ આ સાર્થક થાય
મળેલ માનવજીવન આ,પાવનકર્મે મહેંકી જાય
                    ……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
ઉગમણી ઉષા ને નિરખી,ઘરમાં ધુપઅર્ચન થાય
જીવનીઝંઝટ ત્યાં ભાગેદુર,જ્યાં ઘીનો દીવોથાય
ભોલેનાથ ખુબ હરખાય,ને માપાર્વતી રાજી થાય
ભક્તિ વર્ષા મળતાં જીવને,આજન્મ સફળ દેખાય
                    ………ગણનાયકનુ શરણું વ્હાલુ.
રીધ્ધી સીધ્ધીના એદેવતા,ગણનાયક ઓળખાય
ગજાનંદના પ્રેમાળ સ્નેહે,ભક્તિ સાચી પણ થાય
મન વચનને વાણી વર્તન,એ ભક્તિએ બદલાય
પાવન કર્મ આજન્મે કરતાં,પ્રભુ કૃપા મળી જાય
                   ………..ગણનાયકનુ શરણું વ્હાલુ.
કલમ ક્ળીયુગથી ભાગેદુર,જ્યાં ભક્તિપ્રેમે થાય
ભાગ્ય વિધાતાના લેખથી,જન્મ સફળ થઇ જાય
મુક્તીઆવે જ્યાં બારણે,ત્યાંજન્મમરણ ટળીજાય
લેખ વીધીના અટકે,જ્યાં પાવન કર્મ થઇ જાય
                    ……….ગણનાયકનુ શરણું વ્હાલુ.

++++++++++++++++++++++++++++

June 22nd 2010

પ્રેમની ઓળખાણ

                    પ્રેમની ઓળખાણ

તાઃ૨૨/૬/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મળે ત્યાં મળે પ્રેમ,જે અંતરથી ઓળખાય
પ્રેમની સાચી કેડીને જોતાં,માનવમન મલકાય
                      ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
માયાના બંધન તો સૌને,ના કોઇથી એ છોડાય
રાજા,રંક કે પ્રાણીપશુ,જગે સૌને એસ્પર્શી જાય
ઉજ્વળજીવન આવે આંગણે,પ્રેમ જ્યાં પરખાય
મનનેશાંન્તિ ને ટળેવ્યાધી,એજ જીવન કહેવાય
                       ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
આવે અચાનક વણ માગ્યો,ઉભરો પ્રેમનો દેખાય
સમયને પારખી સમજી લેતાં,ના એ વળગીજાય
મળે મોહની સંગે માયા,જે સમયથી ના અજાણ
આજેઆવી કાલેભાગે,ત્યાંપ્રેમની ઓળખાણ થાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.
લાગણીના સુર અલગ છે,જે સમયને દઇદે તાલ
આવેઅચાનક જાયઅચાનક,એ ભયાનક કહેવાય
સરળ જીવનમાં ખાડોબનતાં,જીવન ડગમગ થાય
કુદરતનીએકલપડાકે,સાચાપ્રેમની ઓળખાણથાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.

   +++++++++++++++++++++++++

June 21st 2010

જીવનો સહારો

                      જીવનો સહારો

તાઃ૨૧/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળા કુદરતની અતિ નિરાળી,જીવથી એ સમજાય
જન્મ મળતાં અવનીપર તેને,દેહથી પરખાઇ જાય
                   ……….કળા કુદરતની અતિ નિરાળી.
માનવ જન્મ મળતાં જીવને,અનેક સોપાનો દેખાય
જન્મને સાર્થક કરવા તેને,માર્ગ ઘણાય મળી જાય
ભક્તિમાર્ગને પકડી લેતાં,તો જન્મ સફળ થઇ જાય
કળીયુગની ભક્તિને છોડતાં,મનથી જ એ મેળવાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.
દેહ મળે જ્યાં પ્રાણીનો,જીવને વ્યાધીઓ મળીજાય
ભુખતરસની ચિંતા એવી,નાબહાર તેનાથી અવાય
ડગલે પગલે  શોધરાખતાં,ડગમગ જીવનને જીવાય
ચેતનતાનો સંગછુટે ત્યાં,કોઇ માળો પણ તોડીજાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.
ભક્તિનો એક સંગસાચો,જે માનવ દેહથી સમજાય
પળપળ પારખીચાલતાં,વ્યાધીઓ પણ અટકીજાય
મળીજાય સાચા સંતનો સંગ,તો પ્રભુકૃપા મેળવાય
જલાસાંઇની રાહ મેળવતાં,જીવને સહારો મળીજાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.

============================

June 21st 2010

મધર,ફાધર ડે

                    મધર,ફાધર ડે

તાઃ૨૧/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનોને જ્યાં સ્નેહ મળે,ત્યાં તો મધર ડે વખણાય
મળે જ્યાં લાયકાત જીવનમાં,ત્યાં ફાધર ડે ઉજવાય
                          ………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
કઇ કેડી ક્યારે મળશે જીવનમાં,નાકોઇથી બતાવાય
ચણતર જીવનના સમજાય,જ્યાં સોપાનો છે દેખાય
મળી ગયો જ્યાં હેતપ્રેમનો,ના અડચણ કોઇ અડાય
ઉજ્વળતાની ત્યાં રાહમળે,જ્યાં માનોપ્રેમ મેળવાય
                           ………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
લાગણીના દરીયામાં રહેતાં,જીવન નૈયા ડોલતી જાય
હલેસા બને સંતાન સહવાસે,ત્યાં આખો તરીજ જવાય
સથવાર પતિપત્નીનો સંગેરહે,જ્યાં સંસ્કારને સહવાય
આગલી વ્યાધી ભાગી જાય,જ્યાં ભુતકાળને સચવાય
                             ……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.
મળે મહેનતને ખંત લગનથી, સરળતા મળતી જાય
આંગળી ચીંધી સંતાનને,પકડતાં ફાધર ખુબ હરખાય
મળે સિધ્ધિનાસોપાન જગે,જ્યાં લાયકાત મળી જાય
સંતાનને બારણે સફળતાજોતાં,ફાધર ડે ઉજવાઇજાય
                             ……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.

……$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$……

June 20th 2010

बाबा के द्वार

                      बाबा के द्वार

ताः२०/६/२०१०                  प्रदीप ब्रह्मभट्ट

बाबा त्तेरे द्वार पे आज,मैं भक्ति लेके आया हु
पुंजन अर्चन प्रेम श्रध्धा,साथ मेरे मै लाया हुं
                     ………बाबा त्तेरे द्वार पे आज.
सांइसांइका रटण मनमे,नमन हाथसे करता हुं
श्रध्धा के अतुट बंधनमें,भक्ति प्रेमसे करता हुं
ज्योतभक्तिकी मनमें जगाके,श्रध्धा सबुरी देना
आशीर्वादकी गंगालेके,बाबा द्वार मेरे तुम आना
                     ……….बाबा त्तेरे द्वार पे आज.
आया शेरडी धाम में बाबा,पाने को मुक्ति द्वार
लेकर शरणमें प्रदीपको,उज्वल करो ये संसार
मन,वचनऔरवाणीसे,करदो जीवनका कल्याण
यही भावना रखके मनमें,आया बाबा के द्वार
                      ………बाबा त्तेरे द्वार पे आज.

==+++++++++++++++++++++++++==

June 19th 2010

થયેલ ભુલ

                         થયેલ ભુલ

તાઃ૧૯/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પહેલી ભુલને હું માફ કરું,બીજીને કરે ભગવાન
ત્રીજી ભુલે થાપટ પડે,જ્યાં ધાવણ આવે યાદ
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
ભુલાય જ્યાં સાંકળ સીધી,ત્યાં ભુલ શરૂ થાય
માને જ્યાં તે સાચીકેડી,ત્યાં વ્યાધી વધીજાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.
કરતાં કામ જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સચવાય
ધીમી ગતીએ ચાલતાં,જીવન સરળ થઇજાય
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
આગમન અવનીપર,માબાપની કૃપાએ થાય
વર્ષે એકવાર વ્હાલ કરી,ના તેમને તરછોડાય
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
સંસ્કાર સાચવી પકડુ પાની,ભુલબધી સમજાય
આશીર્વાદ મળે હેતથી,ત્યાં જીંદગી સુધરીજાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.
માનવજીવન મહેંકીરહે,જ્યાં સમયને સચવાય
મતીનેમળે રાહજીવનની,ત્યાં ભુલ કદીનાથાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.

++++++++++++++++++++++++++++

June 18th 2010

સંતોષી માતા

                  

 

 

 

 

 

 

 

 

 

                           સંતોષી માતા

તાઃ૧૮/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણું મા સંતોષીનુ મળતાં,જીંદગી બદલાઇ ગઇ
ઉજ્વળ જીવન મેળવતાં,મારા મનને શાન્તિ થઇ
                    ………શરણુ મા સંતોષીનુ મળતાં.
શુક્રવારની શીતળ સવારે,માના ચરણે સ્પર્શુ જઇ
વંદન કરતાં માગુ મનથી,મને ભક્તિ દેજો અહીં
માનવ મનથી ભુલ થાય,તો માફી માગતો જઇ
કૃપામળતાં સંતોષીમાતાની,મનેસમજ આવીગઇ
                  ………..શરણુ મા સંતોષીનુ મળતાં.
દેહ મળ્યો મને માનવીનો,મા કૃપા દેખાઇ ગઇ
સંતાન હું સાર્થક બનુ,એવીમતી દેજો મને અહીં
મોહ માયાનેદુર જ રાખે,કહેતો માના ચરણે જઇ
મળે સહવાસ ભક્તિનો,એવુ મનથીમાગતો અહીં
                  …………શરણુ મા સંતોષીનુ મળતાં.

============================

June 17th 2010

મંજીરાના તાલ

                     મંજીરાના તાલ

તાઃ૧૭/૬/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીરાના તાલ સાંભળતાં,મનમાં કંઇ કંઇ થાય
ઉમંગ આવે અંતરમાં અનેરો,ના કોઇથી કહેવાય
                        …………મંજીરાના તાલ સાંભળતાં.
ઉગમણી ઉષાને નિરખવા,બંધ આંખો જ્યાં ખુલી જાય
પ્રભાતના સોનેરી કિરણોની,ત્યાં મહેંક પણ મળી જાય
લહેર પવનની શીતળમળતાં,જગે આનંદઆનંદ થાય
શબ્દોનીય સમજ મળે,જ્યાંમંજીરાના તાલ મળી જાય
                           ………..મંજીરાના તાલ સાંભળતાં.
ભક્તિનો અણસાર એવો,જગતમાં કોઇથીય ના કહેવાય
મનથી કરેલ ભક્તિમાં તો,પરમાત્માનો પ્રેમ મળી જાય
ખંજરીના ખણખણાટની સાથે,મળીજાય મંજીરાના તાલ
ભક્તિના શબ્દોની જીવને,જીવનમાંવણઝાર મળી જાય
                           …………મંજીરાના તાલ સાંભળતાં.
આવી આંગણે મળે ભક્તિ,જીવને મળે જ્યાંસાચી શક્તિ
મળે માનવતા સંગે જીવનમાં,નેઆધી વ્યાધીથી મુક્તિ
સરળતાનો સહવાસ રહેતા,આમાનવ જન્મેજીવ હરખાય
અંત નિરાળો લાગેજીવને,ને અંતે જીવને મુક્તિમળીજાય
                            ………..મંજીરાના તાલ સાંભળતાં.

================================

« Previous PageNext Page »