May 12th 2010

જરૂરીયાત

                   જરૂરીયાત

તાઃ૧૨/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરી લીધા મેં કામ,જેમાં મને મળી ગયાછે દામ
સારુ નરસુ ના આવડે,ક્યાંથી મળી જાય મુકામ
                           ……..કરી લીધા છે મેં કામ.
નજર દુનીયાની છોને પડે,ના પડે મને અસર
સમજ મારી શાણી માની,ફેરવી લઉ હું તત્પળ
જરૂરીયાતને રાખી મનમાં,બુધ્ધિને મુકવી  દુર
આવી જાય સંતોષ હૈયે,માનવતામાં આવે પુર
                          ………કરી લીધા છે મેં કામ.
સકળતાનો સહવાસ છુટે,ને સ્વાર્થની મળે લકીર
સમજવાની ના વ્યાધિ,કે ના આંધીને ઓળખાય
ડોકી ઉંચી દેખાય જગમાં,અંતે મળી જાય જંજીર
સમજ ને મુકતાં માળવે,દેહને જેલ જ મળી જાય
                         ………..કરી લીધા છે મેં કામ.
દીઠો મેં સંસાર અમારો,પણ ના જોઇ કોઇ લકીર
દોરી ગઇ જીવન નૈયાને,જે ભવસાગરમાં અટકી
નેવે મુકી જ્યાં બુધ્ધિને,ત્યાંમળી સ્વાર્થની સીડી
જીંદગી મારી પડી કુવામાં,નાસાથ રહે કોઇ એક
                            ………. કરી લીધા છે મેં કામ.

=================================

May 12th 2010

સાથ અને સહકાર

                       સાથ અને સહકાર

તાઃ૧૨/૫/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેનત મનથી પામતો,ને મેળવું જીવનનો સહવાસ
ઉજ્વળ જીવન સાથ દે,જ્યાં મળે સાથ અને સહકાર
                            …….મહેનત મનથી પામતો.
સગાં સ્નેહીઓનો સથવાર,જ્યાં હોય લોહીનો સંગાથ
પડતાં આખડતાં ટેકોમળે,ને સાચાસંબંધી ઓળખાય
                            …….મહેનત મનથી પામતો.
મળતો પ્રેમ અને સહકાર,સાચી મિત્રતાય સચવાય
સ્વાર્થ અને મોહ ભાગે દુર,જ્યાં હૈયે પ્રેમ રહે ચકચુર
                           ……. મહેનત મનથી પામતો.
જન્મ સાર્થક આ બની રહે,જ્યાં ભક્તિ પ્રેમ મળી રહે
મળે માબાપના પ્રેમે આશીશ,ગુરુજીની જ્યાં છત્ર રહે
                            …….મહેનત મનથી પામતો.
સાથ મળે સંબંધીઓનો,નેમળે સાચા મિત્રોનો સહકાર
જીવનની પગથી નિર્મળબને,ને સોપાન ઉજ્વળ થાય
                            ……મહેનત મનથી પામતો.
ગુજરાતીઓ તો ગૌરવ છે,જે જગે વિચરી મહેનત કરે
પામે સફળતાનાસોપાન જગતમાં,જે પ્રભુ કૃપાએ ફળે
                             ……મહેનત મનથી પામતો.

==================================

May 11th 2010

પુ.મોટાને પ્રણામ

@@@@

            પુજ્ય શ્રી મોટાને પ્રણામ

તાઃ૧૧/૫/૨૦૧૦ (૧૧/૫/૧૯૭૧)પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મધુર વાણી સાંભળી,મન મારુ લલચાય
પુ.મોટાના આશ્રમમાં મને,અનંત આનંદ થાય
                     ……..હરિ ૐ,હરિ ૐ સંભળાય.
નિત્ય સવારે પ્રભુ પોકારે,ઉજ્વળ જીવન થાય
તનમનના સંબંધ નિરાળા,પ્રભુ કૃપાએ લેવાય
મીઠી,મધુર,મહેંક જીવનમાં,સંતસહવાસે દેખાય
મળ્યો પુ.મોટાનોપ્રેમ અમોને,જન્મ સફળ થાય
                  ……જ્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.
સોમાકાકા રોજસવારે,ભાવથી ભક્તિગીતો ગાય
આશ્રમ આખો સ્વર્ગ લાગે,જ્યાં હરિ ૐ બોલાય
નિર્મળ ભાવે ભક્તિ જોતાં,પરમાત્માય હરખાય
પુ.મોટા આંગળી ચીંધે,જીવને સ્વર્ગ મળી જાય
              ………ત્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.

+++++++++++++++++++++++++++++++

May 10th 2010

‘દીપના અંધારે’

 

@@@@@@@@@@@@@@@@@@@@@@

*__________’દીપના અંધારે’__________*

તાઃ૧૦/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ વાણી ને સરળ સ્વભાવે,પ્રીત જગતની જાણી
પ્રેમથી સાચી પ્રીત કલમથી,ભઇ હ્યુસ્ટનમાં મેં માણી

સહકાર સ્નેહની નૈયા નાની,ગણતરીના જછે સહવાસી
કલમની તો અજબ કરામત,એ જ જીવનમાં  મળનારી
જન્મ સાર્થક જોવા જગે ઘુમે,ના મળે જીવને ચીનગારી
મનની વ્યાધી માળવેમુકતાં,પ્રભુદે જીવનમાં હરીયાળી

પ્રેમ પ્રેમાળથી મળે જગતમાં,જ્યાં બુધ્ધિએ જ પકડાય
કવિ,લેખકની દ્રષ્ટિપડતાં,પ્રદીપનાહાથે પેન આવીજાય
અહંમ ભાવને દુરકરતાં,સૌની કૃપામનથીમળીએ જાણી
સફળ જન્મમાં કૃપામાની,જે‘દીપના અંધારે’ થીઆણી

              ??????????????????????????

વ્હાલા વાચક મિત્રો,સ્નેહીઓ,

        હ્યુસ્ટનમાં તાઃમાર્ચ ૧૫,૨૦૧૦ ના ગુજરાત દિનની ઉજવણી
પ્રસંગે મારા સ્વરચિત ભક્તિ કાવ્યોનું પ્રથમ પુસ્તક ‘દીપના અંધારે’
નું વિમોચન થઇ રહ્યુ છે.તે પ્રસંગને મારા જીવનનો ઉત્તમ પ્રસંગ
માની ઉપરોક્ત લખાણ લખેલ છે.

તમારો સહકાર,તમારો પ્રેમ,તમારી લાગણી,તમારી દોરવણી અને
એટલે જ તમારો હું………પ્રદીપ બ્રહ્મભટ્ટ……  ખરુ ને?

May 10th 2010

સમય

                        સમય

તાઃ૧૦/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળી ત્યાં નૈન ઢળ્યા

            સુરજ ઉગ્યો ત્યાં સવાર

                        કુકડો સાંભળી કોયલ બોલી

                                   થઇ ગયુ મંગળ પ્રભાત.

શરણું કોનું અને ક્યારે મળે

           એ સમયથી  પરખાય

                     કુદરતની કરુણા ફરી વળે

                                     જે દેહથી ભક્તિ થાય.

આંધી વ્યાધી છોને તૈયાર રહે

             પણ દેહને ના સ્પર્શાય

                          વાણી સાચી જીભથી સરે

                                        ત્યાં જલા કૃપા થઇ જાય.

#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#

May 9th 2010

HAPPY BIRTHDAY

                Happy Birthday
                                        To Cau Chin.

Dt.9/5/2010                       pradip Brahmbhatt

We are lucky people in Houston,      
         We have a great gift of God in Houston,
We can face any problem in Houston,
         We have great spiritual man in Houston,
We are celebrating his Birthday in Houston,
               that’s Mr.Cau Chin
                            only Mr.Cau Chin
         who helps human being in Houston.

prayer by heart,
           will take you proper place
     when you love God,
                               will show you the way
         when you keep faith,
                    you will get bleesing every Day
Mr.Cau Chin will tell you 
                         Free Free,Free
             your past,present & future.
We pray God to
      Give him happy,Healthy & Long Life.
          Happy,Happy & Happy Birthday
from
Pradip,Rama, Ravi ,Dipal,Shakuben
                                     to
                               Our Dear
       Mr. Cau Chin.On May,9th,2010
                                         On His Lovely Birthday.

+++++++++++++++++++++++++++++

May 8th 2010

ચાર ધામ

                             ચાર ધામ

તાઃ૮/૫/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની પરના આગમને,જીવને મળી જાય સોપાન
સમજી વિચારી પ્રભુ ભક્તિએ,મળી જાય ચાર ધામ
                          ………..અવની પરના આગમને.
જન્મમળે જ્યાં જીવને માનવીનો,એપ્રભુકૃપા કહેવાય
આવે અવનીએ સંતાનબની,જે માબાપ થકી લવાય
પ્રેમમળે માબાપનો દીલથી,ત્યાં સંતાનપ્રેમ સહેવાય
સેવાકરવી મનથી માબાપની,એ પ્રથમધામ કહેવાય
                           ……….અવની પરના આગમને.
કર્મના બંધન વર્તનથી છે,જે ઉંમરે જ અડકતા થાય
જુવાનીના જોશમાં કર્મ સંગે,વાણી વર્તનને કેળવાય
ગુરુજીનાજ્ઞાનની દ્રષ્ટિએ,જીવનમાં શાંન્તિને મેળવાય
વંદનકરતાં ઉજ્વળ જીવન,જીવનુ બીજુધામ કહેવાય
                              ………અવની પરના આગમને.
સંસારની કેડી વાંકીચુકી ભઇ,જે સંસારીને જ સમજાય
ડગલુ એક માંડતાવિચારે,તો પવિત્ર કર્મો જ થઇ જાય
મોહમાયાને બાંધી રાખતાં,જીવનમાં સત્કર્મો મેળવાય
પવિત્ર જીવન જીવને મળે,જે જગે ત્રીજુધામ કહેવાય
                             ………..અવની પરના આગમને.
ભક્તિ એ સંસ્કારનું ચણતર.જે બાંધેછે શાંન્તિની પાળ
મુક્તિ જીવનીસંગે જરહે,કૃપામળતાં નાલાગે ત્યાં વાર
મંદીર મસ્જીદ દુર રહે,જ્યાં ધરમાં સાચી ભક્તિ થાય
ધરના પારણે જ્યાં પ્રભુ ઝુલે,એ જ ચારધામ કહેવાય
                              ………..અવની પરના આગમને.
                   =============

May 7th 2010

શબ્દની સમજ

                    શબ્દની સમજ

તાઃ૭/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

             શ્રી  જલારામ  બાપા અને શ્રી સાંઇબાબા.

      આ બંન્ને સંતો ભારતમાં થઇ ગયા છે.એક વિરપુરમાં
અને બીજા શેરડીમાં.શ્રી જલારામને બાપા કહેવાય છે અને
શ્રી સાંઇ ને બાબા કહેવાય છે.આ બંન્ને શબ્દ સરળ છે પણ
તેનો અર્થ સમજતાં ખ્યાલ આવશે કે એ શબ્દ જે તે યોગ્ય
સંતને બોલાય છે.
      શ્રી જલારામે સંસારમાં રહી પત્ની સહિત ભગવાનની
સેવા કરી છે.એટલે પતિપત્નીનો જ્યાં સહવાસ હોય ત્યાંજ
સંતાનનો પ્રેમ મળે છે.જો બા ન હોય તો પિતાની કોઇ જ
કિંમત નથી કારણ બાએ જન્મદાતા છે.એટલે જે સંસારમાં
છે તેને જ તે શબ્દનો સ્પર્શ છે.જલારામે જ્યારે પોતાના
પત્ની વિરબાઇને ધરડા સાધુની સેવા કરવા જવા કહ્યુ ત્યારે
વિરબાઇ માતાને મળેલ સંસ્કારને લીધે તેમના પતિએ આજ્ઞા
કરી તે સ્વીકારી કોઇપણ જાતના વિવાદ વગરસેવા કરવા ગયા.
એટલે કે સંસારમાં રહી પરમાત્માને હરાવ્યા સાથે બા અને પા
નો સમ્બંધ સચવાયો તેથી શ્રી જલારામનેસંત શ્રી જલારામબાપા
કહેવાય છે.
         તેવી જ રીતે શેરડીનાસંત શ્રીસાંઇ જેમનુ અસ્તીત્વ હતુ
છતાં દુનીયાની કોઇ વ્યક્તિની તાકાત નથી કે તે બતાવી શકે કે
તેમના માબાપ આ હતા? જગતનું સત્ય એછે કે સાંઇ એ અલ્લાહ
અને ઇશ્વરને એક બતાવ્યા છે.જેમ બા એ પુત્ર અને એના પૌત્રોને
પ્રેમ આપી સદમાર્ગે દોરે છે.તેમ તેમણે જગતના જીવોને દોર્યા છે.
તેમને સંસારનો કોઇ સહવાસ ન હતો ના તેમને પત્ની હતી કે ના
તે પિતા હતા છતાં તેમણે જીવોને પ્રભુ ભક્તિ તરફ દોર્યા છે.
જે રીતે તેમના જન્મની કોઇ નિશાની નથી તેમ તેમના દેહ મુક્યા
પછીનો કોઇ પ્રસંગ નથી.
            તેથી સાંઇને શ્રી સાંઇબાબા કહેવાય છે અને જલારામને
શ્રી જલારામ બાપા કહેવાય છે.
          આ બંન્ને શબ્દો સરળ છે પણ આ સંતો માટે જે વપરાય
છે તે આ સમજ છે.બાપા એટલે સંસારના સહવાસી અને બાબા
એટલે અલૌકિક પ્રેમ.

                      =============

May 6th 2010

જીવનની ઉજ્વળતા

                     જીવનની ઉજ્વળતા

તાઃ૬/૫/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરમનો સહવાસ મુકતાં

               અભિમાનને આઘુ કરતાં

                              પ્રેમની સાંકળ પકડતાં

સ્વજનનો સહકાર લેતાં

                માનવતાની મહેંક માણતાં

                                સુંદર જીવન પામી લેતાં

કળીયુગને હૈયેથી દુર કરતાં

                 માનવતાની કેડી મળતાં

                               જીવન ઉજ્વળ મળી જવાનું.

================================

May 6th 2010

સુખની શોધમાં દુઃખ

                    સુખની શોધમાં દુઃખ

તાઃ૬/૫/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની આ કતારમાં,ભઇ શોધવા નીકળ્યો સુખ
અથાગ મહેનત માથે પડી,બારણે આવી ઉભુ દુઃખ
                      ……….કળીયુગની આ કતારમાં.
ડગલુ ભરતાં હું વિચારુ,છો ધ્યેય ઉભોહોય થોડો દુર
સમજ મારી સાચવી લેતો,ના રહેતો મોહમાં હું ચુર
કામણગારો છે આ કળીયુગ,આવશે લાલચમોહ લઇ
સાચવતાં જો વારલાગશે,દુઃખનો દરીયો મળશે ભઇ
                     ………..કળીયુગની આ કતારમાં.
મોહ માનવીની સીડી છે,જે જીવને અનેક દે સોપાન
ભક્તિપ્રેમનો મળે જો ટેકો,ઉજ્વળ જીવનદે ભગવાન
લકીર કેવી પકડી જીવે,એ તો અનુભવથી મેળવાય
સુખનીશોધમાં નીકળતા,કળીયુગમાં દુઃખ મળી જાય
                       ………..કળીયુગની આ કતારમાં.

              ============

« Previous PageNext Page »