December 11th 2009
ભક્તિનું માપ
તાઃ૧૦/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની કેટલી ભક્તિ જગમાં,કોઇથી ના કહેવાય
શ્રધ્ધાની ચાદર છે મોટી,જગે કોઇથી ના મપાય
………જીવની કેટલી ભક્તિ.
સંસારીની સરળતામાં,ભક્તિપ્રેમે ઉજ્વળ એદેખાય
લાગણી સ્નેહને માયા સાથે,પ્રભુ સ્મરણ થઇ જાય
મળેકૃપા ત્યાં અવનીધરની,જ્યાં સાચીભક્તિ થાય
આવે બારણે પરમ કૃપાળુ,ના ભગવું ક્યાંય દેખાય
…….. જીવની કેટલી ભક્તિ.
મંદીરના ધંટારવ વાગે,ને ધુપદીપ અર્ચનપણ થાય
માયાનાબંધન તો જીવને,ક્યાંથી ભક્તિ સાચી થાય
કુદરતની આ કળા નિરાળી,જે દેહને તરતમળી જાય
ભક્તિ ત્યાંથી ભાગે દુર,જે અનેક મંદીરોથી જ દેખાય
………જીવની કેટલી ભક્તિ.
અંતરમાં જ્યાં આનંદઉભરે,જીવને પણ શાંન્તિ થાય
ભક્તિ સાચી ત્યાં મળી જાય,જ્યાં અંતરથી સ્મરાય
જીવ મુક્તિને મળવા તરસે,જ્યાં જલાસાંઇ ભજાય
નામાયા વળગે નામોહ,ત્યાં જન્મ સાર્થક થઇ જાય
……….જીવની કેટલી ભક્તિ.
++++++++++++++++++++++++++++++++++
December 10th 2009
શરમ કેવી?
તાઃ૯/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કાનો ના માત્ર કે ના રસ્વઉ દીર્ઘઉ
તો ય જગમાં જેનો છે ક્ષોભ
આવે જ્યારે એ આ માનવ દેહને
ખુણો ખાંચરો શોધે,મનમાં રાખી લોભ
………..ના કાનો ના માત્ર કે ના.
શીતળ સ્નેહ માબાપનો જગમાં, પૃથ્વી એ પરખાય
આશીશઆવે જ્યાંહૈયેથી,જે મળતાં જીવન હરખાય
કરુણાસાગર પરમાત્માની,પડી જાય જ્યાં કૃપાદ્રષ્ટિ
કર્મ કરતાં જગમાંએવાં,જ્યાંશરમ દુરજ ભાગીજાય
…………ના કાનો ના માત્ર કે ના.
જગનાજીવને માયા વળગે,ત્યાં માણસાઇ દુર જાય
સગા સંબંધી મટી જાય,જ્યાં દ્વેષઇર્ષા વળગી જાય
મનમાં મુંઝવણ વળગી રહે,ને ઉમંગને લાગે આગ
ના રસ્તાનો અણસાર રહે,ત્યાં શરમ પણ છુટી જાય
…………ના કાનો ના માત્ર કે ના.
વાતો મોટી જ્યાંપડતી લાતો,ત્યાં શરમ ભાગી જાય
નીચી મુંડી સરળ થાતી,ના આરો કે ઓવારો દેખાય
નાના મોટા અલગ જ ભાસે,નેસાચી દ્રષ્ટિ પણ થાય
ના મળે શરમ જીવનમાં,ને જીવન પણ ઉજ્વળથાય
…………ના કાનો ના માત્ર કે ના.
—————————————————————–
December 9th 2009
મા તારા ગુણલાં
તાઃ૧૭/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમથી તારી ભક્તિ કરતો,ને ગુણલાં ગાતો મનથી
મા અંબે તારા આંગણે આવી,સ્નેહે ભજન હુ કરતો
……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
કરુણા તારી કૃપામાં છે મા,ને સ્નેહ છે તારા હૈયે
માગણી મારી સ્વીકારી લેજે,દર્શન મને તુ દેજે
………પ્રેમથી તારી ભક્તિ કરતો.
મળતીમાયા જગમાં મા તારી,પ્રેમ હું ખોબે લેતો
ભક્તિની શક્તિ મેં માણી, જગમાં આવીને જાણી
……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
સુખદુઃખ તો સંસારી સરગમ,ના જીવથી એ છુટે
કૃપાતારી પામી પામર જીવ,મુક્તિ મનથી ઝંખે
……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
અંતરમાં આનંદ અનેરો,જ્યારે દર્શન તારા કરતો
માડીતારા પ્રેમને કાજે,ભક્તિ સાંજસવાર હુ કરતો
……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
લહેર ભક્તિની એવી અનેરી,જે જીવને જ્યોતી દે
મહેર પામી તારીમાડી,દેજે મુક્તિનો અણસારમને
……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
કરુ ભજનનેઆરતી પ્રેમે,જ્યોત જીવની મહેંકી રહે
આવી આંગણે માડી જ્યારે,પ્રેમે આંખ મારી પલળે
……..પ્રેમથી તારી ભક્તિ કરતો.
************************************
December 9th 2009
દીનબંધુ ભગવાન
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પરના અંધકારમાં, ઉજાસ જ્યાં મળી જાય
જગતપિતાની સૃષ્ટિ એવી,અપંગ પર્વત ચઢી જાય
……….અવની પરના અંધકારમાં.
ભક્તિનો સંગાથ મળતાંજ, અજવાળા પથરાઇ જાય
જીવજગતમાં પામરમટી,સ્નેહના વાદળે ઘેરાઇ જાય
આંધીનો અણકાર નામળે,ને વ્યાધીપણ છુપાઇ જાય
એકમેકના સંબંધ ભાગતા,જગમાં દીનબંધુ મળી જાય
……….અવની પરના અંધકારમાં.
જન્મ મૃત્યુ તો જગમાં સાચું, ના માનવ મને હું વાંચુ
સફળ સ્નેહની ઘેરી છાયામાં,માનવ બની ને હું નાચું
મળી જાય માબાપનો પ્રેમ,સાથે ભાઇભાંડુનો સહવાસ
અકળ જગતમાં પ્રેમ પ્રભુનો,જ્યાં દીનબંધુ થઇ જાય
………અવની પરના અંધકારમાં.
=====================================
December 8th 2009
ૐ નમઃશિવાય ૐ નમઃશિવાય
નામે નામનુ લગ્ન
તાઃ૨૯/૧૧/૨૦૦૯ (રવિવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલા મારા નામે નામનું,ભારતમાં લગ્નથયુ એ જાણ્યું
બેડવા ગામથી નીકળી જાન,ને આણંદમાં જઇને માણ્યું
ધોતીયુ જ્યારથી અંગેઆવ્યું,ભક્તિ સુખ ત્યારથી આવ્યુ
ૐ નમઃશિવાયની ધુનવાગતા,શિવભક્તિએ મન લાગ્યુ
આશિર્વાદ વડીલોના મળી ગયા,ને પ્રેમ નયનભાઇ નો
માતાપિતા ને વિરાટકાકાનીકૃપા,એ અમેરીકા લઇઆવી
ભજનભક્તિથી ને શ્રધ્ધા રાખી,અહીં પુંજા પ્રેમથી કરતો
સ્વીકારી ભોળાનાથે ભાવના,નેચીં.પુંજાને પરણી લાવ્યો
પિતા ભાસ્કરભાઇનો વ્હાલો,ને મમ્મીનો પણ એ લાડલો
બ્રામણ કુળનુ ગૌરવ એવો,હ્યુસ્ટન શિવમંદીરમાં આવ્યો
ભણતરની સીડીપકડી જ્યાં,ત્યાં સોપાન સિધ્ધિના મળ્યા
માગણી પરમાત્માથી ભક્તિની,અંતે જન્મસફળ છે કરવા
+++++++++++++++++++++++++++++++++++++++++
હ્યુસ્ટનના પવિત્ર શિવમંદિરના પુંજારી શ્રી પ્રદીપ પંડ્યાના આણંદમાં
તાઃ૨૯/૧૧/૨૦૦૯ નારોજ ચીં. પુંજા સાથે લગ્ન થયા તે પવિત્ર પ્રસંગની
યાદમાં શ્રી ભોલેનાથની કૃપાથી આલખાણ લખાયેલ છે જે યાદ રુપે અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ.(હ્યુસ્ટન).
December 6th 2009
શરમ એટલે નરમ
તાઃ૬/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરમ આવે જ્યાં બારણે,ત્યાં નરમ થઇ જવાય
કુદરતનીજ આ લીલામાં, જન્મ સફળ થઇ જાય
………શરમ આવે જ્યાં બારણે.
મળતા માયામોહ જગતમાં,જાણે સાગર તરી જાવ
એક એક પળ ઉભરો રહેતા,ના આગળનુ સમજાય
કુદરતની આ કામણ લીલા,સમયે જ પરખાઇ જાય
પડે જ્યારે એ જીવનમાં,ત્યાં જીવન નર્ક બની જાય
………..શરમ આવે જ્યાં બારણે.
અભિમાન આવે આંગણે ,ત્યાં માનવતા ચાલી જાય
સોળે સજી શણગાર લાવે, જ્યાં જ દિલ વકરી જાય
એક જ દ્રષ્ટિ પડે પ્રભુની, ત્યાં સઘળુ વિસરાઇ જાય
શરમને છાંયડેબેસેમાનવી,ત્યાં જીવનનરમ થઇજાય
…….શરમ આવે જ્યાં બારણે.
અગ્નિ ટાઢક ના સાથે ચાલે,અલગ અલગ અનુભવાય
પ્રેમની પણ છે નજરએવી,જે જીવનેદેહ મળતા દેખાય
મળેત્યાં થોડી ભક્તિસાચી,જ્યાં હાથ જોડી પ્રભુ ભજાય
આવે સરળતા મહેંક લઇને,ત્યાં પાવન જન્મ થઇ જાય
……….શરમ આવે જ્યાં બારણે.
===================================
December 6th 2009
પાર્થેશ
તાઃ૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન,એ બે પ્રભુનાછે શણગાર
એકે ભક્તિ પ્રેમને પકડ્યો,ને બંન્નેની મિત્રતા વખણાય
………કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દેહને લગાર મળે ભાવના,ત્યાં પ્રેમથી ભક્તિ થાય
ક્ષણક્ષણ પણ અનંત ભાસે જ્યાં કૃષ્ણની કૃપા થાય
ના સ્પર્શે જન્મના બંધન,કે ના અવનીના અવતાર
નજર પડે જ્યાં નારાયણની,ત્યાંજ પ્રેમના ખુલે દ્વાર
……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દોસ્ત દોસ્તીનો અજબ તાંતણો,ના કડીઓથી બંધાય
એક જ કડી લાગણી પ્રેમની, જે મૃત્યુ સુધી સચવાય
સ્નેહ ભાવની જ્યોત પ્રદીપ છે,જે માનવતાએદેખાય
ના ઉભરો કે દેખાવ આવે,જ્યાં સાચોપ્રેમ આવી જાય
……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
જીવન પથ પર જીવ આવતાં,સુખ દુઃખ આવી જાય
ભક્તિનો જ્યાં જીવનસહારો,કૃપા પાર્થેશની થઇજાય
મુક્તિકેરા દ્વાર ખોલે ત્યાં,નારાયણનો પ્રેમ મળી જાય
અંતઘડી આવતાંદેહની,જીવને સ્વર્ગનો સહવાસથાય
……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
+++++++++++++++++++++++++++++++++
December 6th 2009
હસ્ત રેખા
તાઃ૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લખ્યા લેખ એ જીવના બંધન,દેહ સંગે દોરાય
કર્મોકર્મની અજબ આ લીલા,રામનામે ભુસાય
………લખ્યા લેખ એ જીવના.
જીવને ઝંઝટ વળગે ત્યારે, જ્યારે તેમાં લબ્દાય
દેહનો જ્યાં સહવાસ મળે,ત્યાં જીવ પામર થાય
અજબલીલા આસૃષ્ટિની,ના માનવમને શોધાય
લેખલખેલા જીવના ત્યારે,જ્યારે દેહ છુટતો જાય
………લખ્યા લેખ એ જીવના.
મળે અણસાર જીવને જગે,પ્રભુ કૃપાએ મેળવાય
મિથ્યાલેખ બનેદેહના,એ સાચી ભક્તિએ લેવાય
હસ્ત રેખા જોનાર જગતમાં,ભુલા પડી ત્યાં જાય
રામનામની સાચી માળા, ના જીવ ફરે જગમાંય
…………લખ્યા લેખ એ જીવના.
મળતા મન દેહના જગમાં,જે જીવને પકડી જાય
રેખા એસંકેત જીવનના,હાથમાં જોતા દેખાઇજાય
ભક્તિ સાચા મનથી થતાં,રાહ સાચી મળી જાય
આવેઆંગણે પરમપિતા,ત્યાં જન્મસફળ થઇજાય
…………લખ્યા લેખ એ જીવના.
૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
December 5th 2009
. .કળીયુગી કક્કો
તાઃ૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક એટલે કદી સીધુ ના વિચારવુ.
ખ એટલે ખાવુ પીવુ અને લહેર કરવી.
ગ એટલે ગઇકાલને ભુલી જવી.
ધ એટલે ધરનો વિચાર ના કરવો.
ચ એટલે ચતુરાઇને નેવે મુકવી મશીન પર આધાર રાખવો
છ એટલે છેતરવાની વૃત્તિ રાખવી.
જ એટલે જરુર કરતા વધારે બોલવુ.
ઝ એટલે ઝીબાજોળીમાં સમય બગાડવો.
ટ એટલે ટકોર થાય તોય ધ્યાન ના આપવુ.
ઠ એટલે ઠપકો મળતા આગળ જવુ.
ડ એટલે ડફોળની જેમ ફાંફા મારવા.
ઢ એટલ્રે ઢગલો જોઇ ટુટી પડવુ.
ણ એટલે ફેણ રાખીને જીવવું.
ત એટલે તમે તમારૂ સંભાળો.
થ એટલે થપ્પડ પડે પછી રડો
દ એટલે દગાને મહત્વ આપો.
ધ એટલે ધજા લઈ ફર્યા કરો.
ન એટલે ના બોલ્યામાં નવ ગુણ.
પ એટલે પારકા પર આધાર રાખવો.
ફ એટલે ફાવે નહીં ત્યાં નીચી મુંડી કરી લેવી.
બ એટલે બોલવુ બહુ કામ પછી કરવું.
ભ એટલે ભરેલ ભાણે બેસી જવું.
મ એટલે મમતાને નેવે મુકી દેવી.
ય એટલે યાદ રાખવાની ટેવ ભુલી જવી.
ર એટલે રખડપટ્ટીમાં સમય પસાર કરવો.
લ એટલે લફરાંને વળગી ચાલવું.
વ એટલે વાતો મોટી મોટી કરવી.
સ એટલે સચ્ચાઇને નેવે મુકી દેવી.
શ એટલે શણગાર સજી ફર્યા કરવું.
હ એટલે હરામનુ ખાવાની ટેવ રાખવી.
ક્ષ એટલે ક્ષતીને ના ગણકારવી.
જ્ઞ એટલે જ્ઞાનને નેવે મુકી જીવન જીવવું.
%%%%%%%%%%%%%%%%%%%%%
December 5th 2009
ધ્રુવનો તારો
તાઃ૪/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસંખ્ય તારા નભમાંશોભે,જગમાં ગણી શકેના કોઇ
છોને જીભે ઘણીયે ભાષા,ના ગુજરાતીની તોલે કોઇ
……….અસંખ્ય તારા નભમાં.
કુદરતની એ અપાર લીલા,દે અસંખ્યનો અણસાર
શોધા શોધની માનવ પીડા,જીવ જગે ભટકે હરદ્વાર
તારલીયાની ટમટમ જોતાં,પારખી લે દ્રષ્ટિ પળવાર
અડીખમ અસંખ્યમાં ઉભો,ધ્રુવનો તારોએ ઓળખાય
……….અસંખ્ય તારા નભમાં.
ભાષાની હરીયાળી અનોખી,સર્વ જીભેથી એ સંભળાય
સમજવાની એ નાકોઇ શ્રેણી,એ જગતજીવને સમજાય
અખંડ અચળ ધ્રુવનો તારો,તેમ ભાષામાં ગુજરાતી છે
સાર્થકશબ્દ ને અખુટજ્ઞાન,એ ગુજરાતીથી અનુભવાય
………અસંખ્ય તારા નભમાં.
***********************************