November 22nd 2009
संगीतकी देन
ताः१९/११/२००९ प्रदीप ब्रह्मभट्ट
प्रेम जगमें पाया मैने,ये संगीतकी है देन
सपने मेरे पुरे हो रहे है,ये है प्रभुकी रहेम
……….प्रेम जगमें पाया मैने.
आयी महेंक मेरे जीवनमें.उज्वळ लगता जन्म
प्यारभी पाया जगमें मैने,चाहतमें सबका प्रेम
महेंक गया ये जीवन तबसे,तालमीलेहै जबसे
देख रहा हु सब अपनेको,ना लगे कोइ पराया
……….प्रेम जगमें पाया मैने.
दीलमे अरमा उमंग खीले,नाकोइ उसमे सीमा
प्यार प्रभुका पाया तबसे,संगीतसे मनमें चेन
तालतालसे उमंग उभरे,मीलजाता जगमें प्रेम
नाआये आंधी नातुफान,येही है संगीतकी देन
……….प्रेम जगमें पाया मैने.
ये मंझीलका नाकोइ किनारा,नारहे कहीं व्हेम
प्यारकीछाया मीलके चले,तब दिलपे आयेप्रेम
शांन्तीका तब मीले सहारा,आ जाये सुख चेन
सुलझजाये सबचिंता जगमे,तालतालमेंहै प्रेम
……….प्रेम जगमें पाया मैने.
=================================
November 18th 2009
કૃપા એજ મોક્ષ
તાઃ૧૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોક્ષની માયા લાગતા,જીવને ભક્તિ પ્રેમે થાય
જલાસાંઇની ભક્તિ લેતા,પ્રભુરામની કૃપા થાય
………મોક્ષની માયા લાગતા.
પ્રભાત પહોરના સોનેરીકિરણે,પુંજન અર્ચનથાય
બારણુ ખોલતા ઘરમાં, પધરામણી પ્રભુની થાય
તુલસી ક્યારા આંગણેશોભે,ને ગુલાબ મહેંકીજાય
કંકુ ચાંલ્લા કરતાં દ્વારે,ચોખાથી વધામણા થાય
…….મોક્ષની માયા લાગતા.
પવિત્ર પાણી ગંગા નદીના,વધામણાથી અર્ચાય
ચારેદીશાને નમનકરતાં,પંચામૃત હાથથી દેવાય
કૃપા કરુણા સાગરની, જીવની ભક્તિ જોતા થાય
મળીજાય જ્યાં કૃપાપ્રભુની,જીવનેમોક્ષમળી જાય
………મોક્ષની માયા લાગતા.
(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))
November 17th 2009
દાનેશ્વર ભગવાન
તાઃ૧૬/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીન દયાળુ ને ભક્તિ દાતા,છો કરુણાના અવતાર
સોમવારની સવાર ઉજ્વળ,જ્યાં દીપઅર્ચન થાય
પિતા શંભુને મા પાર્વતીનો,ત્યાં પ્રેમ મળે તત્કાળ
………દીન દયાળુ ને ભક્તિ.
પ્રભાત પહોરની પહેલી કિરણે, ભાવથી ભક્તિ થાય
સુર્યોદયનાસહવાસમાં,શિવલીંગને દુધ અર્પણથાય
સુખડની ફોરમ મહેંકે ઘરમાં,ને દીવા જળહળ થાય
મંજીરાનાતાનમાં અને ડમરુનાતાલમાં ભક્તિ થાય
નમન દેહથી કરતાંસૌ,આનંદમાં ભજનપ્રેમથી ગાય
ૐનમઃશિવાયના જાપથી, હૈયેથી પ્રભુનેવંદન થાય
……….દીન દયાળુ ને ભક્તિ.
જન્મ દેહથી મુક્તિકાજે,સહજભાવમાં ભક્તિપ્રેમે થાય
ભોલેનાથના શરણે જાતાં, જીવની મુક્તિના ખુલે દ્વાર
માતા પાર્વતીની કૃપા પામતા, સ્નેહાળ શાંન્તિ થાય
અવની પરના અવતરણને,પ્રભુભક્તિએ સાર્થક થાય
મુક્તિના દ્વાર ખોલવા કાજે,હર હર ભોલે સ્મરણ થાય
મન અને માળાનુ મિલન થતાં, જીવને શાંન્તિ થાય
…….દીન દયાળુ ને ભક્તિ.
+++++++++++++++++++++++++++++++++++
November 16th 2009
શ્રધ્ધા એજ સફળતા
તાઃ૧૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતના જીવને કર્મનાબંધન,ના પારખી શક્યુ છે કોઇ
કુદરતના વ્યવહારને જગતમાં,ના જાણી શક્યુ છે કોઇ
……..જગતના જીવને કર્મના.
અવની પરના આગમનમાં,જીવને છે જગતના બંધન
માનવમન જો પારખી જાણે,નારહે ફરી જગે અવતરણ
કુદરતની છે એકજ નીતી,કરેલ કર્મનાફળ મળે છે અહીં
શ્રધ્ધા સાચી મનમાં રહેતા,શાંન્તિ જ મળશે જીવનેઅહીં
………જગતના જીવને કર્મના.
હાથ પગની જ્યાં ચાહત મહેનત,પ્રભુ કૃપા મળી જાય
દેહનીવ્યાધી દુરરહે ત્યાં,જ્યાંલગની મનથી લાગીજાય
એક એક તાંતણો જોડાતા,સાચી કેડી જીવને મળી જાય
સફળતાનો સહવાસ મળે ત્યાં,જ્યાં શ્રધ્ધા સાચી થાય
……….જગતના જીવને કર્મના.
=================================
November 13th 2009
સાચી માયા
તાઃ૧૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માબાપને જોઇને સંતાનને થાય
સંતાનને જોઇને માબાપને થાય
જલારામબાપાને જોઇને અન્નદાનથી થાય
સાંઇબાબાને જોઇને માણસાઇથી થાય
સફળતા જોઇને મહેનતથી થાય
પતિને જોઇને પત્નીને થાય
પત્નીને જોઇને પતિને થાય
કાગળ પેન જોઇને લખનારને થાય
ભાઇને જોઇને બહેનને થાય
બહેનને જોઇને ભાઇને થાય
માલીકને જોઇને પ્રાણીને થાય
સભાને જોઇને નેતાને વાણીથી થાય
સંગીતને સાંભળી કાનને થાય
મીઠાઇને જોઇને જીભને થાય
સુંદરતા જોઇને આંખને થાય
લાગણી મેળવીને હ્રદયને થાય
કલાકારને જોઇને કલા માણનારને થાય
વાંચનારના પ્રતિભાવ વાંચીને કૃતિકારને થાય
દુઃખ મળતા પરમાત્માની થાય
જીવના કલ્યાણ માટે ભક્તિથી થાય
દમડી જોઇને ભિખારીને થાય
================================
November 13th 2009
મારે આંગણે
તાઃ૧૨/૧૧/૨૦૦૯ (ગુરુવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજ મારે આંગણે રે,આવ્યા ઝોળી દંડા સાથ
વિરબાઇમાતાના નાથ,છે વિરપુરના ભરથાર
…………આજ મારે આંગણે રે.
કરુણા સાગર ભક્તિ આધારી,પ્રેમના અવતારી
પ્રભુ કૃપાને પામી જગમાં,ઉજ્વળ જીવન સાથ
મહેંક પ્રેમની મેળવીને, લીધી માનવતાની કેડી
સંતાન સંગે પાવન જન્મ,કરવાની દીધી સીડી
…………આજ મારે આંગણે રે.
સવારસાંજની ભક્તિ નિરાળી,અંતર જીવન ઉજ્વળ
આવી આંગણે મહેંકે ભક્તિ,જગમાં ભજન છે શક્તિ
મળી ગઇ જ્યાં કૃપા પ્રભુની ,ના વ્યાધી છે જગમાં
મળશે જગે માયાથીમુક્તિ,જ્યાં વળગે ભક્તિ જીવે
……….આજ મારે આંગણે રે
++++++++++++++++++++++++++++++++++++
November 11th 2009
ભક્તિ સાથે ભજન
તાઃ૧૦/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહની વિટંમણામાં ભઇ,સાગર ના સમજાય
સુખ સાગર કે દુઃખ સાગર,એ પડીએ ત્યાં પરખાય
……..માનવદેહની વિટંમણામાં.
પ્રભાતના પહેલા કિરણના સ્પર્શે, સુર્યોદયને પુંજાય
નમણી આંખે પુંજી લેતા,પાવનદ્વાર ઘરના થઇજાય
સમયને પારખી ભક્તિ કરતાં,પ્રભુ કૃપા પણ થાય
આવે આંગણે મહેંક તુલસીની,ત્યાં હૈયુ પણ હરખાય
……..માનવદેહની વિટંમણામાં.
ભજન કરતાં મતી અટકે,જે ના લટકે વ્યાધી મળતા
શબ્દ સુરના તાલમાં રહેતા,ભાવનાએ ભરાઇ જવાય
બંધ આંખે જગતને જોતાં,મળે પ્રભુની અનોખી પ્રીત
ભક્તિને સંગાથ મળે ભજનનો,સ્વર્ગ પામવાની રીત
………માનવદેહની વિટંમણામાં.
+++++++++++++++++++++++++++++++++
November 11th 2009
સનાતન સત્ય
તાઃ૧૦/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના કલ્યાણ માટેની દોરી એ ધર્મ છે.
ધર્મના દરવાજાની ચાવી ભક્તિ છે.
હિન્દુ ધર્મમાં ધર્મના અનેક સ્વરુપ છે.
દેહના અસ્તિત્વનું અવતરણ એ માબાપ છે.
માનવદેહના જીવનના માર્ગનો પાયો છે ભણતર.
પૃથ્વી પરના અવતરણ બાદ દેહનુ અસ્તિત્વએ ખોરાક છે.
જન્મ અને મૃત્યુનો સંબંધ એટલે કર્મ.
દેહના અવતરણના સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
સંસ્કાર એ માબાપના આશિર્વાદ અને પ્રભુ ભક્તિથી મળે.
શેરડીના સંત પુ.સાંઇબાબા સિવાય જગતના કોઇપણ દેહનુ અસ્તિત્વ
માબાપ વગર શક્ય નથી.
કુળ કરતાં તમારી સંસ્કારી સમજ એ જીવનને પવિત્ર બનાવે છે.
અલ્લાહનુ કોઇ સ્વરુપ ન હોવા છતાં તેમાં રહેલી શ્રધ્ધાએ જીવ
મુક્તિ મેળવે છે.
જીવના અસ્તિત્વ સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
જીવના ઉધ્ધાર માટેના અનેક સ્વરુપો છે.
જીવને મળેલ દેહમાં બીજા જીવોના સંબંધ જ્યાં ત્યાં અને
ત્યારે પુરા કરવા જ પડે છે.
જીવ અને કર્મના સંબંધમાંથી પરમાત્મા જ મુક્તિ આપી શકે છે.
અને છેલ્લે…….
જન્મ અને મૃત્યુના ફેરામાંથી સાચી ભક્તિ અને સંસ્કાર
જ મુક્તિ આપી શકે છે.
November 10th 2009
મેળવી દીધી
તાઃ૯/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સચ્ચાઇને સંગે રાખી,જ્યાં મનમાં વાળી ગાંઠ
રાહ ઉજ્વળ પણ દીઠી,જે મળવામાં ના બાધ
…….સચ્ચાઇને સંગે રાખી.
ડગલુ માંડતા પહેલા જ,મળી જાય છે અણસાર
સાચવીને જગમાં ચાલતા,ના ઠોકર પણ ખવાય
પ્રભુકૃપાને પામવા જગે,જ્યાં ભક્તિ ઘરમાંથાય
મુક્તિ જીવ મેળવી લેશે,જ્યાં શ્રધ્ધા સાથેરખાય
…….સચ્ચાઇને સંગે રાખી.
માબાપને ચરણે શીશ ધરે,ત્યાં હૈયુ ઉભરાઇ જાય
આશિર્વાદની વર્ષા વરસે, જ્યાં પ્રેમે વંદન થાય
સરળતાને સફળતા સંગે,જીવન પણ મહેંકી જાય
બારણુ ખોલતા પ્રભુ પધારે,ત્યાં જન્મ સફળ થાય
……..સચ્ચાઇને સંગે રાખી.
શક્તિ એકને નામ અનેક,જે ધરતીએ છે ભજાય
મોહ,માયાને મમતાસાથે,ત્યાં નાપ્રભુપ્રેમવર્તાય
ભીખ પ્રભુથી મુક્તિની,જે જીવની સાથે સંધાય
દુનીયાના બંધનને છોડતા,જલાસાંઇ મેળવાય
……..સચ્ચાઇને સંગે રાખી
*************************************
November 9th 2009
કળીયુગી પ્રેમ
તાઃ૮/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાય બાયની બાંય પકડી,ચાલે છે જ્યાં પ્રેમ
અંત આવે વણમાગેલ,ના તેમાં છે કોઇ વ્હેમ
………હાય બાયની બાંય પકડી.
ડુંગર જેવા પ્રેમમાં,નજીક પહોંચતા ખચકાય
દેખાવ એવો જગમાં,ના માનવમન હરખાય
કદીક ઉભરો આવતાં,વ્હાલે તોરણપણ બંધાય
દેખાવના આંસુ વહી જતાં,પ્રેમી મન મલકાય
……..હાય બાયની બાંય પકડી.
દુનિયા આ દેખાવની,ના સત્યતાનો રહે સાથ
વ્યાધી નજીક આવતાં જ,ભાગે જ્યાં ત્યાં પ્રેમ
ના અવસરની છે ચિંતા, કે ના રહે કોઇ ઉમંગ
કળીયુગી પ્રેમમાં પડી જતા,અંત રહે ના ક્ષેમ
……..હાય બાયની બાંય પકડી.
હાય કહેતા વળગીચાલે,ના પ્રીત મનથી હોય
લાગણીને દઇ મુકી માળીયે,શોધતા જગે પ્રેમ
શબ્દોની માયાને લેતા,ના બચીશક્યુ કોઇ એમ
વિખરાયેલ લહેર વાળથી,બાય મનથી કહેવાય
……. હાય બાયની બાંય પકડી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦