May 3rd 2009
સવારની ભક્તિ
.તાઃ૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારની છે ભક્તિ સાચી,ઉજ્વળ જીવન કરવા વાળી
ભક્ત જલાની સેવા કરતાં,જન્મે જીવને શાંન્તિ મળતા
…….સવારની છે ભક્તિ.
પ્રભુ કૃપા છે જગમાં ન્યારી,સુધરે મન વચન ને વાણી
સદા સ્નેહની ભરતી આવે, જીવનમાં શાંન્તિ લઇ આવે
…….સવારની છે ભક્તિ.
મુક્તમને જેસ્મરણ થાતુ,સુખી જીવનમાં નાદુઃખદેખાતુ
કરુણા સાગર પરમ કૃપાળુ, પરમાત્માની દયા દેનારુ
…….સવારની છે ભક્તિ.
કાયાના બંધન છે જીવને, જન્મ મળે આવે છે લઇને
ભક્તિસવારની કૃપાદેનારી,જલાબાપાની દ્રષ્ટિ થનારી
…….સવારની છે ભક્તિ.
========================================
May 2nd 2009
सांइकी भक्ति
.ताः२/५/२००९ प्रदीप ब्रह्मभट्ट
सांइराम सांइराम रटते रहो,
जीवनमें शांन्ति पाते चलो;
रटते रहो प्रभु भक्तिके साथ,
रहे ना जीवनमें कोइ आश.
……..सांइराम सांइराम.
करुणाके सागर संत दयालु,
रहते है हर भक्तो के साथ;
प्रेम भावसे भक्ति जो करते,
अंतरमें आनंद वो पाते रहते.
…….सांइराम सांइराम.
दीलमे कोइ अरमान जो जागे,
सांइ कृपासे पुरे हो जातेः
प्यार जगतका मिल जायेगा,
भक्तिसे जब सब मील जायेगा.
…….. सांइराम सांइराम.
======राम राम सांइराम,राम राम सांइराम=======
May 2nd 2009
Healthy ABCD
Date:1/5/2009 Pradip Brahmbhatt
A Always get up before sun rise.
B Banana a day keeps your doctor away.
C Cabbage and lettuce has 100% iron.
D Drink more water everyday.
E Exercise is the best remedy.
F Fresh vegetables will help you to keep healthy.
G Give and get love from everybody
H Health is the wealth of the life it is in your hand.
I Ignore to eat machine made food.
J Just more vegetables make you healthy.
K Keep track of your health.
L Long life is in your hand.
M Milk is good for the health.
N No wine and alcohol beverages.
O Over limit is danger.
P Purely vegetarian has healthy life.
Q Quit drinking and smoking.
R Rest is necessary when you work continues.
S Start today do not delay.
T Talk less and work hard.
U Urine therapy is one of the best remedy.
V View before you Walk.
W Walking is also good exercise.
X ==========
Y Your health is in your hand.
Z ==========
———————————————————————
May 1st 2009
જન્મ અને જુવાની.
તાઃ૩૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાનીમાં તું સમજી લેજે,નહીં તો જીંદગી ભટકી રહેશે
મસ્ત મઝાની છે જુવાની,સમય સમજી તુ પારખી લેજે
નહીંતો તારું માનવ જીવન,મળ્યુ તને જે નીર્થક થાશે
લાગણી જ્યાં તુ મુકીશ નેવે, સાચે રસ્તે તુ ચાલી જાશે
મનનીમાગણી મુકી તુ દેજે,સાચુ જીવન પામી તુ લેશે
મળી તનેજો મમતા સાચી,નહીં આવે જીવનમાં આંધી
સંત,ભક્તિને સંગેરાખીશ,ઉજ્વળ જીવનજગે તુ પામીશ
પ્રભુ કૃપા ને પામીશ સેવા, સાર્થક જીવન કરી તુ લેવા
જન્મ જગતમાં જાણી લઇશ,જુવાની ને માણી તુ લઇશ
મોહ માયાના બંધન છુટશે,નેજીવ જગતથી મુક્તિ લેશે
++++++++++++++++++++++++++++++++++++++++
April 28th 2009
प्यारका दीप
ताः२८/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीया जले जब दीलमें, उसे प्यार कहते है
हर इन्सानके दीलमें, वो हरपल जलते है
………दीया जले जब दीलमें.
प्यार भरा संसार है ये, यहां पाना सबको है
ना उचनींच उसकेअंदर.वो सबको मिलता है
हरपल वो दिलके अंदर, गुंजता ही रहेता है
आंखे देती है इशारा, वो छुप नहीं शकता है
………दीया जले जब दीलमें.
कदमकदम पे मीलता है, ना पहेचान है कोइ
सच्चा प्यारवहां रहेता,जहां प्यारकीदिलमेजोली
एककदम भी चलपायेतो,है उज्वलताकी पहेली
मीलता प्यारभरा दीप जहां सच्चेप्यारकी हेली
………दीया जले जब दीलमें.
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=
April 28th 2009
સહારો
.તાઃ૨૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર પડે જ છે. સહારા વગર તેજીવન શક્ય નથી.
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર
શક્ય નથી.
અને જેને,,,,,,
પરમાત્માની કૃપા મળે
તેને માટે જગતમાં કંઇ જ અશક્ય નથી.
?????????????????????????????????????????????????????????
April 27th 2009
વાણી વર્તન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ પ્રેમથી,ને જીવ ઉજ્વળ છેદેખાય
આગણે જ્યારે મુક્તિ આવે,સંત જલારામ હરખાય
વાણી પ્રેમ મેળવશે જીવનમાંને વર્તન મહેંકીજાય
……વાણી વર્તન સુધરશે.
————————————————-
April 27th 2009
दील ये चाहे
ताः२७/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीलसे मेरी चाहत है,प्यार मीले मुझे सबका
हर दीलमे में खो जाउ,येही मेरा एक सपना
……..दीलसे मेरी चाहत है.
अनजानी सी राहो पर, चल रहा आज अकेला
सोच समझ कर कदम चले,मीले मुझे सहारा
अपनापन महेसुस करुमें, ये ही सच्चा दामन
आकर मीले सच्चाप्यार,मीलजाये मुझे अपना
……..दीलसे मेरी चाहत है.
लेकर आया प्यार भरा दील,भीगी दो ये आंखे
मीले अपनी राहोपे चलते,कदम मीलाउ अपना
हाथ मीलाके साथ चाले,जीवन भर मील जाये
आये प्यारभरी राहोपे,देदे महेंक येही मेरासपना
……..दीलसे मेरी चाहत है.
++++++++++++++++++++++++++++++++++++++++
April 27th 2009
ધુપદીપનુ અર્ચન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય ગજાનંદ ગણપતિ, મને દેજો પ્રેમભાવની ભક્તિ
નિત્ય સવારે કરુછુ સેવા, જીવન ઉજ્વળ કરી હુ લેવા
……..જય ગજાનંદ ગણપતિ.
ધુપ દીપ હુ કરુ પ્રેમથી,અર્ચન પુંજન ભક્તિ ભાવથી
સ્મરણ તમારુ મનમાં રાખી, કરુ ભક્તિ હું અંતરયામી
ઉજ્વળજીવન થાયઅમારું,કૃપામળે ઓઅવનીઆધારી
રાખજો અમ પર હેત દયાળુ,સદાતમો છો ખુબમાયાળુ
……..જય ગજાનંદ ગણપતિ.
રિધ્ધિ સિધ્ધિના દેવ તમો છો,સદા કૃપાળુ તમે ઘણાછો
ભક્તિ પ્રેમને સદા સ્વીકારી,છો ભક્તોના તમો બલીહારી
માગણી મનની જ્યાં જુઓ ત્યાં હૈયેઆવી તમો વસો છો
લો સ્વીકારી ધુપ દીપને,જ્યાં કરુ સદા હું અર્ચન મનથી
………જય ગજાનંદ ગણપતિ.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
April 27th 2009
મને ઇર્ષા આવે.
તાઃ૨૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો જોઇ મને ઇર્ષા આવે કે મારા બાળકો પણ
મહેનત કરી સિધ્ધિના સોપાનો કેમ ના ચઢે?
સાચા સંસારી સંતોની ભક્તિ જોઇ મને ઇર્ષા આવે કે મારાથી પણ સંસારમાં રહી
પરમાત્માની કૃપા કેમ ના મેળવાય?
ભારત દેશમાં સંસ્કાર,ભક્તિ,સમાજ,માનવતા અને પ્રેમ જોઇ મને હવે ઇર્ષા આવે
કે આવુ વાતાવરણ અમેરીકામાં કેમ ના થાય?
ભારતીય સંગીત અને ગીતો સાંભળી મને હાલ ઇર્ષા આવે કે એવું શાસ્ત્રીય સંગીત
અને અવાજ અમેરીકામાં કેમ ના મળે?
ભારતદેશને આઝાદી મળ્યા પછી સત્તા મેળવનાર મોટા ભાગના બીજા રાજ્યોના
જ રાજકારણીયો જ છે તો મને ઇર્ષા આવે કે મારા ગુજરાતીઓમાં એ સિધ્ધિ કેમ નથી?
ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જન્મેલ વ્યક્તિની મને ઇર્ષા આવે કારણ ગુજરાતમાં
જન્મેલી વ્યક્તિઓએ બીજા દેશોમાં રોજી રોટી માટે કેમ દેશ છોડવો પડે છે?
અને……??
જો મેં ભગવું ધારણ કરેલ હોય તો મને સંસારમાં સમૃધ્ધ અને સંતુષ્ટ વ્યક્તિઓને જોઇ
ઇર્ષા આવે કે અમો સાધુઓને માબાપ,ભાઇબહેન કે સંતાનનો પ્રેમ કેમ ના મળે?
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=