May 8th 2008
જીવની ઝંઝટ
૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવો દોડો, ઝંઝટ છોડો, જીવનની અપાર
વળગી માયા,વળગ્યો મોહ,છોડેનહીં પળવાર
અપરંપાર છે માયા એવી,નહીં જેનો કોઇ પાર
મિથ્યા વળગે,જન જીવનમાં,જેની લાલચ છે અપાર
જીવને લાલચ છે અપાર
પ્રેમ જગતમાં,માગે ના મળતો,સ્નેહ દીસે જગમાંય
કાચી કાયા લોભાઇ જાશે તો નહીં જીવનમાં ઉજાસ
એક પ્રેમની આશ જગતમાં,જીવને લાગે જેની ખોટ
ભક્તિ પ્રેમની,સીડી મળે તો,ઉજ્વળ જગજીવનછેક
પ્રદીપ દેતો એક અણસાર,સાચોપ્રેમ પ્રભુથી કરજો
માનવ માત્ર એકજ જન્મે,ઝંઝટ છોડશે આ અપાર
જેની લાલચ અપરંપાર.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 8th 2008
હાથની કરામત
તાઃ૧૪/૪/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક હાથને સાથ મળે બીજા હાથનો
તો જગતમાં કામ સફળ સર્જાય
મળે જીવનમાં હાથ થી હાથ વધારે
રળિયામણા ઝાઝા હાથ કહેવાય
એક એકની લાગણી જગમાં, કામ કંઇક કરી જાય
મળે એક થી જ્યારે અનેક, વણ કલ્પ્યુ બની જાય
એવી સૃષ્ટિ જગમાં સર્જાય
એક એકને છોડી જગમાં,જ્યાં બેનો થાય સથવાર
આવે વ્યાધી મળેઉપાધી,સંકટ જીવનમાંમળીજાય
એવી જીંદગી છે બદલાય
બે બે કરતાં જ્યાં મળેત્રીજો, ત્યાંત્રણ ત્રેખડ થાય
નાકામ ઉકલે,નામલે રસ્તો, મુઝવણવધતી જાય
વ્યાકુળ મનડું થતું જાય
બેત્રણ કરતાંમળે જ્યાં ચોથો, ચંડાળ ચોકડી થાય
એક અકળાય, બીજો બબડે, ત્યાંત્રીજો ત્રેવડ શોધે
ત્યાં ચોથો છટકી જાય
પાંચની વાત જ્યાં આવે ,પંચ પરમેશ્વર કહેવાય
કોઇ નિર્ણયખોટો નાઆવે,કારણ પાંચેઆપે ન્યાય
સાચો નિર્ણય છે લેવાય
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
May 7th 2008
ભક્તિનીશક્તિ
તાઃ૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જેને શક્તિ ભક્તિની,સ્નેહ દીસે તે જગમાં
મનમાં ના કોઇ વ્યાધી તેને, ના ચિંતા ભઇ તેને
આવો મિત્રો સૌની સંગે,લઇએ આજે લ્હાવો
…ભઇ લઇએ આજે લ્હાવો.
માળા લીધી જ્યારે હાથમાં, સ્મરણ પ્રભુનુ રહેતું
મનની છુટી મિથ્યા માયા,નામોહ રહ્યાછે સ્પર્શી
આંગણે આવેલાની સેવા,મનથીમાની લઇએ
…ભઇ મનથીમાની લઇએ.
તારુંમારું જાણી મેં લીધું,રહી ના હવેકોઇ વ્યાધી
આધી વ્યાધીની સૌ ઉપાધી,ભક્ત્ જલાથી છુટી
માગવી તારે જીવન મુક્તિ,ભક્તિ કરવીભાવે
…ભઇ ભક્તિ કરવીભાવે.
એકજીવ ને અનેક સ્વરુપ,તોય કર્મનાબંધન લાગે
લાલચ છુટીને કામના તુટશે,નમતા પ્રભુના ચરણે
માનવ જન્મ મહેંકીરહેશે,રોજ નમે તુ શીવને
…ભઇરોજ નમે તુ શીવને.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
May 5th 2008
પાર્સલ આવ્યું
તાઃ૫/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારણે આવ્યું કોઇ અજાણ્યું, મનમાં થાય વિચાર ઘણા
કોણ આવ્યું ક્યાંથી આવ્યું,શા માટે અને શું લઇ આવ્યું
….મન આકુળ વ્યાકુળ થાય
મસ્ત ખોખું હાથમાં દીઠુ, સાથે જોયા પેન અને કાગળ
મન હરખાતું ને વ્યાકુળ બન્યું,શુ હશે તેમાંતે દીસે મોટું
ના મંગાવ્યુ મેં કે ઑડર કર્યો, તોય આવ્યું આ વહેલું
….મન આકુળ વ્યાકુળ થાય
ના રમાની કોઇ માગણી હતી,કે ના દીપલ નો ઑર્ડર
રવિ કહે ના મેં કોઇ પાર્ટ મંગાવ્યો કે ના મંગાવી બુક
આવ્યો જ્યારે બારણે ડ્રાયવર બેલ સાંભળવા હું ઉભો
….મન આકુળ વ્યાકુળ થાય
આતુર મને ઘરમાં ઉભો રહ્યોતો,ત્યાં વાગ્યો ડોર બેલ
બારણું મેં જ્યાં ખોલી દીધુ,ત્યાં ધરીદીધા કાગળપેન
કરી સહીં જ્યાં કાગળ પર, મુક્યું પાર્સલ મારા હાથે
….મન આકુળ વ્યાકુળ થાય
********************************************************
પાર્સલ પર મોકલનારનું સરનામુ જોતાં એતો ન્યુજર્સીથી મારા મોટીબેન
પુજ્ય શકુબેનનું સરનામું હતું એટલે મન આંનંદીત થઇ ગયું અને જ્યારે ખોલ્યું
ત્યારે તેમાં ??????????????
May 2nd 2008
मतवाला दील
१/५/२००८ प्रदीप ब्रह्मभट्ट
आ गया में लेकर दील,रहेना पाया तेरे बीन
प्यार महोब्बत अपने पास,मेरा जीवन तेरे साथ
………आ गया में लेकर
शामगइ हुआ सबेरा,आ गया जहांतेरा बसेरा
पासमेरे आओगी तुम,भुल जाओगी बीते वोदीन
……..आ गया में लेकर
बाहोमें आया प्यार मेरा,मिल जायेगा मेरा दील
दीलको थामलीया जबमैने,बांहे तेरी मुझको घेरे
………आ गया में लेकर
प्यारभरादील मस्ताना,देखके मेरामन भरआया
आकर मेरेदीलमे समाइ,लेकर मेरादील परवाना
……..आ गया में लेकर
(((((((((((((((((((((())))))))))))))))))))))
May 1st 2008

સવાર અમેરીકાની
તાઃ૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગ્યો જ્યારે સવાર દીઠી,ના કુકડો અહીં બોલ્યો
લાગી જ્યારે ભુખ કડકડતી, પાંઉ શેકી મેં લીધો
…… ભઇ મેંપાંઉ શેકી લીધો
ના વરસાદ પડ્યો કે ના મેં હાથમાં લોટો લીધો
તોય શાવરથયોઅહીં બાથરુમમાંને,મેં નાહીલીધુ
…….ને મેં અહીં નાહી લીધુ
મંદિર હુંના રોજ જતો,પણ પ્રેમે ધેર પ્રભુનેભજતો
રવિવારે સૌ મંદીરેજમતા,અમેપ્રભુનેઘેરજમાડતા
……પ્રેમેપ્રભુનેઘેર જમાડતા
મિથ્યામાયાના મોહવળગે,ચેતીઅમે અહીંચાલતા
જગજીવન સામાન્ય દીસેતોય,પ્રભુ ભક્તિમાંરહેતા
……તોય પ્રભુભક્તિમાંરહેતા
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 1st 2008
ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તતણા ભક્તિના પોકાર,સ્નેહે સુણજો વારંવાર
દેજો પ્રેમ તણો સથવાર, રાખી હૈયે અમારે હામ
ઓ ત્રિપુરારી,ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી
તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ થાય
મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓસીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ
જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો
મા માયા તારી ભોલે સંગે, ઑમ નમઃશિવાય જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.
====================================
April 30th 2008
આવું કેમ?
૨૯/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતના આણંદમાં જ દુધની ડેરી કેમ?
કારણ એ ભારતનું અમુલ શહેર છે.
ગુજરાતીઓ વિશ્વમાં કેમ વ્યાપેલ છે?
કારણ ગમે ત્યાં જીવનના સોપાન શોધી કાઢે છે.
ડૉલરની કિંમત હવે કેમ ઓછી થવા માંડી છે?
ગેરકાયદેસરને કાયદેસરનો લાભ મળવો શરુ થયો એટલે.
એકજ ધર્મનું બીજુ મંદીર થાય ત્યારે જુનુ મોટુ કેમ કરે?
કારણ જુના મંદીરની આવક ઓછી ના થાય.
મંદીરવાળા રસોઇ તથા મીઠાઇનો ધંધો અહીં કેમ કરે છે?
મફતમાં મળતા લોટ-તેલના ઉપયોગથી ડૉલર ઉભા કરવા.
પોતાના ઘરનું સમારકામ અહીં જાતે કેમ કરે છે?
અહીંના ડૉલરને રુપીયાથી ગણી વિચારે છે એટલે.
અહીં લાલી લિપસ્ટિકનો ઉપયોગ વધારે કેમ થાય છે?
પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ આ દેશમાં વધારે છે એટલે.
અહીં એક ગામથી બીજે ગામ જવા રેલગાડી કેમ નથી?
પેસેન્જર મળે નહીં અને વસ્તી કરતાં જમીન વધારે છે.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
———————————————————–
April 28th 2008
સ્વપ્ન!!! ના સાકારતા
૩૧/૮/૧૯૭૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હજુ જ્યારે એકલો બેઠો હોઉ ત્યારે મારા મનમંદીરમાં તે દેવી આવી બેસે છે.
તેનો એ ચહેરો, એ નિખાલસ ભાવ, મારા પ્રત્યેની એની લાગણી એની સ્નેહાળ
આંખોમાં જોવા મળતી હતી.આજે જ્યારે મને મારાજીવનની યાદદાસ્ત ઘડીઓ
યાદઆવે છે.ત્યારે સૌથીપહેલી એનીતસવીર મારી આંખો સામી ઉપસી આવે છે.
આજે તેનાઅસ્તિત્વનો મને ખ્યાલ નથી,પણ હાલતે આ દુનિયાપર છે એમમારો
આત્મા માને છે..ના સાચીવાત છે અને હજુ મારા હ્રદય પરસવાર થઇને બેઠી છે.
આ વાત ને જાણે એક જ દીવસ થયો હોય તેમ લાગે છે.
મારી અને તેની આંખોનું મિલન તેના ઘરની નજીકનાગામમાં થયું હતું.
યુવક મહોત્સવના એ પ્રસંગે જાણે બે માછલીઓ એક જાળમાં ફસાવા આવી ગઇ.
મારો અને તેનો પહેલો પરિચય તો તે પણ જાણતી ન હોતી. પણ છતાં અમારી
આંખો એક બીજાને જોવા લાગી જાણે વર્ષોનો સચવાઇ રહેલો પ્રેમ નૈનોથી આજે
મળી રહ્યો છે. ન મારું મોં ખુલ્યુ કે નમારી આંખો ફેરવી લેવાઇ. તેનોસાદોપહેરવેશ,
મોં પરનો નિખાલસ હાવભાવ મારા મનપર સવાર થઇ ગયોહતો.સાદાપહેરવેશમાં
પણ તેનામાં કલાનીઆરાધ્યતા જોવામળતી હતી જ. એમારે મન મનની દેવીહતી,
કારણ મેં મારા મનમંદીરમાં કલાને સ્થાન આપેલ હતું જ, અને આથી જ કલાનીએ
દેવીને મારા મનની દેવી બનાવવાની ભાવના મનમાંજાગી.પ્રથમ પરીચયમાં ફક્ત
હું જ જાણતો હતો કે તે મારા મનની દેવી થવાને લાયક છે.જ્યાંસુધી સાથે રહ્યાત્યાં
સુધી તેના પર મારી નજર, મારું દીલ કુરબાન હતું.પણ હોઠ હલ્યા જ નહીં, સીવાઇ
રહ્યા. જો હાલ્યા હોત તો આજે એકલો અટુલો ના હોત, તે દેવીને મનના મંદીરમાં
બેસાડી મારા મનનીરાણી બનાવી લાવ્યો હોત,અરે મારા ઘરની રાણી બનાવીલાવ્યો
હોત..પણ!!!
સમય ક્યાં વહીગયો છે તેમ માની ફરી મળ્યો.એના તરફથી પ્રથમવાર
મારા પરના પ્રેમની વાત તેના મુખેથી સાંભળી.મન હાથમાં ન રહ્યું આમતેમ ઘુમવા
લાગ્યું અને તેના એ ભોળા અને પ્રેમાળ મુખડાને જોઇ મન નાચી ઉઠ્યું. તે પણ મારી
ને તેનીવણ કલ્પી યાદ બની ગઇ. હજુ તો મારા ખભા પર મુકેલા માથાના વાળના
ટુકડા આજે પણ ખભા પર પડેલા છે તેમ લાગે છે. એનો એ પ્રેમાળ ચહેરો,સ્નેહાળ
સ્પર્શ મને અને મારા આત્માને ચીર શાંતિ અર્પી ગયો.એ પ્રેમ મનઆજે ભુલીશકતું
નથી.હજુ તેની એ ધીમી ગતીને નિહાળવા તત્પર છે.તેની બે શબ્દોની લીપીમાં
તેની પ્રેમમાં નિષ્ઠા, કુટુંબ પ્રત્યેની ભાવનાને પામવા હું સમર્થ બનીશ કે નહીં? તે
માટે પ્રયત્ન કરતો જ રહીશ તેમ આત્મા માની રહ્યો છે.દીવાની જ્યોત જેમ બળે છે
તેમ વધુ પ્રકાશ અર્પે છે.જ્યોતને સીધો સંબંધ દીવા સાથે જ છે.પરકાજે સળગતી
જ્યોત જો પોતાની સાચી ભાવનાથી દીપ સાથે સંગ રાખે તો એ જગતમાં હંમેશા
પ્રકાશ આપી શકે છે.પણ આ માટે એકની કુરબાની જગતમાં લખાયેલી જ છે. મારા
પરના અત્યાચારોને હું ભુલવા તૈયાર થયો ત્યારે તેની મહાન ભાવનાને ન ડગાવી
શક્યો. જ્યોતને ન સમાવી શક્યો . જો એ ભાવના ડગાવી શક્યો હોત તો જ્યોતના
સહવાસથી દીપ જગતને પ્રકાશ આપી શક્યો હોત!!!
અને મને વિશ્વાસ છે કે મારી ભાવના અમર છે એમ લાગતું હતું કારણ
આ જાતની સ્થિતિ મારી આંખો સ્વપ્નામાં પાંચમી વાર જોઇ ચુકી હતી અને તેપણ
પરોઢના સમયે. કારણ જ્યારે જ્યારે આ સ્વપ્ન આવ્યુ ત્યારબાદ સવારના
પાંચના ટકોરાથી જાગીજવાયું હતું.
કહેવત છે કે વહેલી પરોઢનું સ્વપ્ન સાચું જ પડે છે. શું મારે પણ??????
************************************************************************
April 25th 2008
આગમન ઉર્મીબેનનું.…
……આંગણે અમારે…..
તાઃ૨૪/૪/૨૦૦૮ હ્યુસ્ટનમાં…… પ્રદીપ બ્રહ્મભટ્ટ
પધારો સરસ્વતીના સંતાન,
પ્રેમે આવકારીએ ને હૈયા અમારા ખુબ હરખાય
જેની રચના અમારી કલમથી ના લખાય
એવો હરખ કે જે શબ્દોથી ના કહેવાય.
પધારો પ્રેમ સ્વીકારી આજ,
હ્યુસ્ટનના સર્જકો હરખાય ને મુખડા છે મલકાય
પ્રેમ સ્નેહ અમારો દઇશું મનથી તમને
લેજો સ્વીકારી હૈયુ હરખાવી દેજો આજે.
પામવા પ્રેમ સર્જનહારોનો,
મનડું હંમેશા થનગન થનગન થતું જાય
ઉર્મીબેન ઉપનામથી બેન પધાર્યા હ્યુસ્ટનમાં
આજે સાગર સર્જકોનો અહીં રહ્યો ઉભરાય.
આંગળી ઝાલી ઉર્મીબેન ની
સાહિત્યસાગર તરવાનિકળ્યા પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ ઉલેચવા આવ્યા ઓળખી અમારામન
ગુજરાતીથી ભરી દીધુ આ અમેરીકાવન.
————————————————————————–
આજે અમેરીકામાં ગુજરાતી ભાષાનો સાગર ભરનાર બેન કે જેને સાહિત્ય જગત
“ઉર્મીસાગર” ના પ્રખર નામથી ઓળખે છે તેઓ આજે હ્યુસ્ટનમાં પધાર્યા છે જે ખુબ
જ આનંદનો પ્રસંગ હોઇ આ લખાણ મારા તરફથી યાદ રુપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી ભેંટ તાઃ૨૪.૪.૨૦૦૮ ગુરુવાર