September 25th 2007

એકાંત

……..એકાંત…….
એકાંત મને મળે તો
મન મુકીને માણી લઉ
હું
મનમાં ઉઠેલા તરંગોને
મને મળેલા સ્નેહને
મને મળેલા માનને
મને મળેલ પ્રેમને
મને મળેલ સન્માનને
મને મળેલ માબાપને
મને મળેલ આધારને
મને મળેલ ભગવાનને
મને મળેલ સંસ્કારને
મને મળેલ સહકારને…..
*********

September 19th 2007

અર્ચના

……………………..અર્ચના………………..
તાઃ૨૬/૯/૧૯૭૮…………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે જગતના તારણહારા રે,હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ સુખની કાજે ..(૨),સર્વની સાથે..(૨)
તુજ ચરણે શીશ નમાવીએ…(૨)
………………………………હે જગતના તારણહારા રે

આ શીતળ સંધ્યે, છે નિર્મળ હૈયે..(૨)
આત્મા સો પરમાત્મા..(૨)
સીતાપાર્વતી,લક્ષ્મીરાધે,રામશંકર,વિષ્ણુકૃષ્ણે;
છે અમ સૌ તુજને શરણે….(૨)
…………………………………હે વિશ્વંભર હે સ્વામી રે.

અમ જીવન સાટે,છે જ્યોત પ્રેમની..(૨)
જલે દીપ જેમ જગની કાજે..(૨)
અલ્લાઇશ્વર,ઇસુઇસાઇ,ગુરુગોવિંદ,જલાસાંઇ;
વંદન અમ સૌ ના તુજને….(૨)
…………………………………હે વિશ્વંભર હે સ્વામી રે.

.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.

September 19th 2007

રામ ભજીલે.

રામ ભજીલે.
તાઃ૧૧/૮/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે ,રે મનડા..(૨)
જંજટ તારી આ જનમની..(૨) ત્યજી લે.
રે મનડાં જંજટ તુ ત્યજી લે…..રામ ભજન.

કર્મની દોરે તુ બંધાયો,
જગના જીવન સાથે તુ સંધાયો..(૨)
મનથી માની લે આ ભવમાં..(૨)
દરીયો આ તરી લે રે મનડા..(૨)….રામ ભજન.

સર્વના સંગે તું ખેંચાયો,
મિથ્યા આબંધનમાં તું બંધાયો..(૨)
તનથી તારા થાય જેનું અર્પણ..(૨)
દીલથી રામને કરી દે રે મનડા..(૨)….રામ ભજન.

*********************

September 19th 2007

લગન કરું

…………………લગન કરું
તાઃ૧૮/૯/૨૦૦૭………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગન કરું હું લગન કરું હું,
…………………..ઢોલ ઢમકાવતો હું કહુંછુ ભઇ
……………………………………….લગન કરું હું..(૨)
છોકરી દીઠી ગયા મહીને મેં;
…………………..વાત નક્કી કરી આ મહીને મેં,
માબાપને તો ખુશી એવી;
……………………જાણે આવી વહુ લાડલી.
……………………………………….લગન કરું હું..(૨)
દોસ્તો ઘણા પરણી ગયા છે;
……………………મનમાં ચિંતા લબડી ગયાની,
સૌ પરણ્યા ને હું કેમ કુંવારો;
……………………નથી મારામાં કોઇ ખામી.
……………………………………….લગન કરું હું..(૨)
શામળાભાઇ તમેજલ્દી આવજો;
……………………કાન્તાકાકી મમ્મીને મળજો,
લેજો લ્હાવો તમે ગામના લોકો
……………………આ અવસર સુંદર મારો.
………………………………………લગન કરું હું..(૨)
ઉતાવળમાં બંડી ભુલ્યો;
……………………દોડાદોડમાં ભુલ્યો પાયજામો,
ગામમાં દોડ્યો સૌને કહેવા;
…………………….દોડતા લોકો મને જોવા.
………………………………………લગન કરું હું..(૨)

અને………..આમ દોડાદોડમાં જ્યારે સાચી પરીસ્થિતિનો ખ્યાલ
આવ્યો ત્યારે શબ્દો આપોઆપ બદલાઇ ગયા………..અને

ભજન કરું હું ભજન કરું;
…………………રોજ સવારે ભજન કરું,
રોજ સાંજે ભજન કરું;
…………………ઉજ્વળ જીવન જીવવા કાજ
……………………………………….ભજન કરું હું..(૨)
ભોજન કરી ને માળા કરું હું;
…………………પામવા કૃપા રટણ કરું છું,
મળજો રામ ને મળજો શ્યામ;
…………………મનમાં રટણ જયજયજલારામ.
……………………………………….ભજન કરું હું..(૨)

*********************************

September 16th 2007

ઓ જશોદાના કાન.

……………..ઓ જશોદાના કાન
તાઃ૧૫/૯/૨૦૦૭………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના
તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા
……………………………….ઓ જશોદાના જાયા.
વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો
હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.
ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો
દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.
……………………………….ઓ જશોદાના જાયા.
કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું
ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું
અંતે આવજો, લેવા કાજે, મુક્તિ પ્રદીપને દેજો
પરદીપ બનાવી જ્યોતજલાવી,રમાને સંગે લેજો
……………………………….ઓ જશોદાના જાયા.
કદીનથીઆમોહજીવનનો,ના માગવાનીકોઇમાયા
દીપલદીપેઉજ્વળજીવન,રવિપ્રકાશીજગમાંજીવન
નિશીત પ્રેમની પડખે રહીને,રટણ તમારા કરીએ
ભવસાગરની આ ગલીઓમાં,ફરીનહી અવતરીયે
……………………………….ઓ જશોદાના જાયા.

*******************

September 15th 2007

ઓ જશોદાના કાન.

                      ઓ જશોદાના કાન

તાઃ૧૫/૯/૨૦૦૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના

તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા

                                             …………ઓ જશોદાના જાયા.

વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો

હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.

ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો

દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.

                                             …………ઓ જશોદાના જાયા.

કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું

ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું

અંતે આવજો, લેવા કાજે, મુક્તિ પ્રદીપને દેજો

પરદીપ બનાવી જ્યોતજલાવી,રમાને સંગે લેજો

                                             …………ઓ જશોદાના જાયા.

કદીનથીઆમોહજીવનનો,ના માગવાનીકોઇમાયા

દીપલદીપેઉજ્વળજીવન,રવિપ્રકાશીજગમાંજીવન

નિશીત પ્રેમની પડખે રહીને,રટણ તમારા કરીએ

ભવસાગરની આ ગલીઓમાં,ફરીનહી અવતરીયે 

                                             …………ઓ જશોદાના જાયા.

              

                    *******************

           

September 15th 2007

किशन कनैया

********* किशन कनैया
ताः२५/८/१९७८ (जन्माष्टमी) प्रदीप ब्रह्मभट्ट

कृष्ण कनैया,जीवन नैया, अपनी पार लगादो
दर्शन तेरे तरसे ये मन.(२)करदो पुरण आश
राधेश्याम,कृष्णकान,मुरलीधर गिरधारी रे…कृष्णकनैया.

भकतोके मन सुखदुःख तु है…(२)
अपने मनका राजा तु है…(२)
तेरी कृपासे,जगने जीवन,पाया मेरे प्राण…..राधेश्याम.

मनतो अर्पण,तन भी अर्पण..(२)
अर्पण सारा नश्वर जीवन…(२)
परलोकमें तु,इसलोकमे हम,दर्शन तेरे तरसे…राधेश्याम.

जगका जीवन,है पल दो पल..(२)
तुमसे नाता जन्मोजन्मका…(२)
ये तुट न पाये जीवननैया,डोले तुम बीन रे…राधेश्याम.

******************
सन १९७८में जन्माष्टमी के पवित्र तहेवारके दिन कृष्ण भगवानके चरणोमें
उपरोक्त काव्य समर्पित किया था……प्रदीपकुमार ब्रह्मभट्ट,आणंद.

September 14th 2007

સ્નેહબંધન.

                               સ્નેહબંધન
તાઃ૯/૬/૧૯૭૭                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
(જન્મ દીધો આધરતીપર,ઉપકાર કર્યો મુજ પામરપર;
 સદા નિરંતર દુઃખ હતુ ત્યાં, પ્રેમ નહીં અપરાધ હતા.)

પ્રેમથી પ્રેમ થશે વશ જ્યાં,છે સદા સ્નેહની ગાંઠ
પ્રેમ પ્રેમ અને પ્રેમ દીસે છે, સદા સ્નેહની આડ
સમય નથી એ રોકી શકતો જન્મ મરણની ચાલ
યાદ રહે એ..(૨) જેના પર સૌથી સાચો  પ્રેમ….પ્રેમથી
 
વખત વખતનું કામ, જગતમાં જો અન્યાય કરે
ન્યાય મળે એને ત્યાં , જ્યાં કર્મનો છે  હિસાબ
કળીયુગની આ રામકહાણી,બની રહેશે બલિદાન
સ્નેહબંધન ક્યાં અજાણ્યુ, જે મનનો કરે મેળાપ….પ્રેમથી

જન્મમરણ ની આ ફેરીમાં કોનો કેટલો સાથ છે
કેમ કરી એ જાણી લેશો, મૃત્યું છેલ્લે  કેમ  છે
જીવતર જીવ્યું જેટલું જેવું,તેનો ત્યાં છે હિસાબ
ભૂલ કરો તો.(૨)જાણી લેજો ફેરો તારો નેક છે….પ્રેમથી

          ~~~~~~~~~~~~~~~~~~~

September 12th 2007

યાદ.

                                યાદ
તાઃ૧૬/૯/૧૯૭૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
            
વિસરી ગયા હશો તમે મને;
             પણ હું કેમ તમને ભુલુ,
યાદ તમારી આવશે ત્યારે;
                       જ્યારે આ દીન આવશે ફરી…વિસરી..

સત્ય ને અસત્ય ઘરના માનતા હશો
            પણ પ્રેમને તમે ક્યાં જાણતા નથી
દરિયો ડહોળાઇને જ્યારે વિષ મળે
                     કેવી સ્થિતિ હશે ત્યારે જ મારી……વિસરી.

આજ છુપાવો કાલ છુપાવશો
             ક્યાં લગી આમ તરસાવશો.
જીંદગીની આખરી ઘડી સુધી
                    મને વિશ્વાસ છે આપનો……….વિસરી.

માન્યા તમને જીવનસંગીની
            ખબરનતી કે આમ વિસરાઇ જશો
પણ વિશ્વાસ વસ્યો હ્રદયે મને
                     કે કાલ મને તમે મળશો નક્કી…..વિસરી.

હેત તમનેછે છતાંકેમ બોલતાનથી
            પ્રેમ મુજનેકરવાછતાંચહીશકતાનથી
તોડી દો આ જગતના બંધન તમે

            ‘પરદીપ’કાજે જગતને ત્યજવા આજે..વિસરી.

        ———————

September 12th 2007

સાચું સગપણ.

                        સાચું સગપણ
તાઃ૨૧/૨/૧૯૭૬.                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભજીલે ભજીલે મનડાં, રામનું નામ  ભજીલે
ત્યજીલે ત્યજીલે તનડાં,કાયાના માન ત્યજીલે…ભજીલે.

જગમાં મળેલું જીવન,મોંઘું અમુલુ છે..(૨)
મનથી કરેલું કરમ, સૌથી અનેરુ છે…(૨)
તનના ને મનના મુકી..(૨)
માન અપમાન  ભુલી..(૨)
કાયાથી (તું) કામ કરીલે ….રે મનડાં…….ભજીલે.

મારું ને તારું અલ્યા,ક્યાં લગી જાણું..(૨)
પળઅનેબેપળ પછી,વિસરી જવાનું સારું..(૨)
વસમી વેળાઓ તારી..(૨)
પહેલેથી  જાણી લેજે…(૨)
મનથી (તું) રામ સ્મરીલે ….રે મનડાં…….ભજીલે.

કર્મનેમર્મ તો છે,જગમાં જ ઝાઝાતારા..(૨)
બાકીનથી અહીંતારું,સાથે નથી કોઇ વ્હાલું..(૨)
ભેદને જાણ મનડાં ..(૨)
ત્યજીલે માન મનના..(૨)
છેલ્લી સફર (તું) ભરીલે …..રે મનડાં…….ભજીલે.

    *************************

« Previous PageNext Page »