September 12th 2007

મનોકામના.

                          મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.

છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
                      મેં જીવન જીવવા કાજે..તરસ્યો.

આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
           પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો

 ————————————

September 11th 2007

વર્ષાગમન.

                           વર્ષાગમન.
તાઃ૧૦/૯/૧૯૭૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ધરતીની ફોરમ ન્યારી છે;
                          એને જીવન સાથે યારી છે,
અથડાતા વાદળ ચારે કોર;
                         વિખરાતા માનવ દોડે ઓર.
                                              …ધરતીની ફોરમ

નીત કિર્તનગુંજે મનસૌના જીતે,
                         એકે વાર નહી ચૈનમળે
જ્યાં આવ્યો મેઘલો,જાગ્યા ખેતરો,
                        માનવ મહેરામણ છાયો રે.
                                              …ધરતીની ફોરમ

શીત જીવનકાજે,જો આનંદભાસે,
                          મિથ્યા જીવન લાગે ઓર
જ્યાં છાયા વાદળો,લાવ્યો વાયરો,
                            આવ્યો કેમનો દોડી રે.
                                            …ધરતીની ફોરમ

જીત માનવની,નહીં કાયરની,
                           આ વેશ દોહ્યલો છાયો રે.
દીપ પ્રકટે નહીં,પરદીપે જગે
                           એતો જીવનનો લઈ લ્હાવો રે.
                                                  …ધરતીની ફોરમ

           ———————

September 10th 2007

ભાવથી જમાડું.

                        brahmaji.jpg 

                             ભાવથી જમાડું

તાઃ૧૬/૮/૧૯૭૬.                           પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભાવથી જમાડું ભોજન,ઓ ગિરધારી ..(૨)
પુરી અને શાક થોડું,શીરામાં ઘી છે ઝાઝું.
                                                     … ભાવથી જમાડું.

ભક્તિ ને ભાવ મારો,સૌથી અનેરો સારો.(૨)
મેવા મિઠાઇ નથી,જે છે દીધુ છે અહીંથી.(૨)
તરસી રહ્યો હું મુક્તિ જગજીવન જગથી.
                                                       …ભાવથી જમાડું.

દાળઅનેભાતમીઠા,મનથીકચોરી છેકીધી.(૨)
ઝાલીલો હાથ મારો,જન્મોજનમથી તરસે.(૨)
સ્નેહ અને ભાવેવંદુ,જગના પાલનહારને.
                                                        …ભાવથી જમાડું.

અંતરના અજવાળે ને પ્રેમના પુરકપ્યાલે.(૨)
ભાવથીપીરસું તમને,મુક્તિમળવાનીઆશે.(૨)
સંતોના ગુણલાં ગાતાં,મનમાં ઉમંગો થાતાં.
                                                       …ભાવથી જમાડું.

પ્રેમે બીરાજજો હૈયે અમારે,શ્યામસુંદર બલિહારી(2)
ગિરધારી છો,વનમાળી છો,છો ચિતડાના ચોર,
હૈયે રાખી હેત અમોને,દેજો મુક્તિ જનમથી.
                                         ……માગું એટલું મનથી.
                         **************
                        

September 10th 2007

કિસ્મત.

                                    કિસ્મત
તાઃ૧૨/૧૧/૧૯૭૫                             પ્રદીપ બહ્મભટ્ટ

મારું કિસ્મત  કેવું છે,જેણે લખ્યું હોય તે જાણે,
પણ આજ મઝા માણીલે,કાલ કેવી કોણ જાણે
                                                              …મારું કિસ્મત.

એકડોનેબગડો,તગડોનેચોકડો,એમવીતીગયારેવર્ષો
આજ ફરી નહીં આવે કાલ,વરસોનોભઇ સો ભરોસો
સુરજ  ઉત્તરમાં નહીં ઉગે, પુરવ ને  મુકીને
નાહકની ચિંતા શું કરે, જાણી લે તું થોડી બાકી.
                                                              …મારુંકિસ્મત.

જંતર મંતર  છુછલંદર, દુનીયાના એ ખેલો
અરેજ્યાંજુવોત્યાં એતો હોયે,જ્યાં છે ભાઇ મેળો
દોડી એતો જાગી જાણે,આવે જ્યારે નીચે રેલો
કરોનહીવૃથા આજીવન,મનેમળો જાણીલો કાલતમારી.
                                                              …મારું કિસ્મત.

         ++++++++++++++++++++

September 10th 2007

માયા બદલે કાયા

                          માયા બદલે કાયા
                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જન્મ ધર્યો આઅવનીપર,નાકપડાં નાલફરાનું કોઇભાન
સકળ જગતની માયા એવી, ના લખી ના લખાય.
                                            …….એવી કુદરત છે કહેવાય.

નાની કાયા,નાનું મન, નાના પગને  નાના હાથ
બુધ્ધિ  પરમાત્માએ  દીધી, નાના આવે  વિચાર
ના સૃષ્ટિ કુદરતની સમજાય, કેવીઅકળ લીલા છે કહેવાય.
                                               ……એવી કુદરત છે કહેવાય.
સકળ જગતનો ભાર લીધો ને, દીધો માયાનો ભંડાર
જન્મ્યો જ્યારે ત્યારથી માયા ના ઓળખી ના ઓળખાય
મનમાં કાયમ ગડભાંજ પરમાત્માના સ્વરુપની થતી જાય.
                                                ……એવી કુદરત છે કહેવાય.
કથા કુદરતની ના કહેવાય,અવનીના જીવોને નાસમજાય
લગીર માયા વળગી ગઇ તો, જન્મ જન્મ મળતો જાય
સગપણ  સંસારીને મળતું, કાયા મળતી  મોહમાયાથી.
                                               ……એવી કુદરત છે કહેવાય.
મળેલ માનવ જન્મ તમારો, ના અળગો રહી શકવાનો
કર્મતણા બંધનથી છુટવા,સાચાસંતની સેવાકરી લેવાની
મુક્તિ તણા દ્વાર ખોલીને,પરમાત્માથી જીવને જોડી લેવાનો.
                                                 ……એવી કુદરત છે કહેવાય.

#######################################

September 6th 2007

હું અને તુ

…………………હું અને તુ………………….
પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોળ વરસની સુંદરી તુને,વીસ વરસનો હું;
કેવી જોડી જામી જાયે, તુ અને સાથે હું………સોળ વરસની

તારી નીંદરડી મેં ખેચી, મારું દીલડું ય દાઝ્યું
તને નિરખી નજરથી, મારું મનડુંય માન્યું
તું જો સાથ મને આપે તો,મારું જીવતર જાય જાગી..સોળ

તું જાય ક્યાં છે ભાગી, મેંતો નજર તારી પર નાખી
અરે જાય ક્યાં તું વ્હાલી.મારા હૈયાને તુ છેતરસાવી
નજર મળેલી,કાતીલ બનીએ,જીવન સાથે વસાવી..સોળ.

હું હવે ના, તું રહી ના, મારી બની તું રાણી કહું હું
આજે નહીંતો,હું કાલે રહીશના,પ્યાસ રહેશે અધુરી
જીવન જીવવા તરસી રહ્યો છુ,માની જાને ઓરાણી..સોળ.

*************

September 6th 2007

નદી મા.

~~~~~~~~~~~~~નદી મા~~~~~~~~~~~~~~
૧૬/૧૨/૧૯૭૪………………………………………..પ્રદીપબ્રહ્મભટ્ટ
નીર ખળખળ વહેતા જાય, કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી, વહ્યા કરે નીત શિતલધાર.
…………………………..નીર ખળખળ
કિલ્લોલ કરે જગજન જેનાથી,સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે જે નિત્યે વહ્યા કરે નીત શીતલધાર
…………………………..નીર ખળખળ
નદીકેરી પવિત્રતા નીરસમી શાંત,માતાની આમાત્રુતા કૃપાકેરી આઆંખ
વંદન હો મા તુજને જેણે સફળ કર્યો અવની અવતાર
……………………………નીર ખળખળ
—————

September 6th 2007

દીનચર્યા.

                               દીનચર્યા
૨૬/૫/૨૦૦૭                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ, પતિ તપાવન સીતારામ.
મનમાં જપતાં વ્હાલારામ, પ્રભુને પ્યારા જલારામ.

ઉઠતાં મુખમાં સંતનું નામ, જીવન ઉજ્વળ કરવા કાજ.
હસ્ત પ્રક્ષાલય પહેલું કામ, કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.

વંદન ધરતીમાંને થાય, બોજ ભુમી પર કરવા કાજ.
દેહ શુધ્ધી કરણ થતું જાય, હર હરગંગે બોલાતું જાય.

ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
પુજન અર્ચન કરીને આજ, ભક્તિનું ભાથું ભરવાને કાજ.

હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
પ્રભાતે રમાજાગે રવિ જાગે, જય જલારામ કહેતા જાય.

દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.

બારણું ખોલી ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.

સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.

રાત્રે સુતાજલાબાવની વાંચી, નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.

રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી
સમજ આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય
સાંઇબાબાની કૃપાથી આચરણ કરી મનુષ્યજીવન સાર્થક કરવાનોપ્રયત્ન છે.
હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
——————————–

September 6th 2007

પ્રાર્થના.

                         પ્રાર્થના
તાઃ૧૫/૫/૧૯૯૭.                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરના અજવાળા
            મારે જોઇએ અંતરના અજવાળા
મન મંદીરના તાળા
             મારે,ખોલી દેવા સારા.
                                  ……અંતરના અજવાળા.
સકળ જગતમાં ભુલ્યો ભટક્યો
             ભટકી રહ્યો ભવ સારા
નીશદીન કાલાવાલા કરતો
               નીરખી રહ્યો નભ સારા
                                ……અંતરના અજ વાળા.
કર્મ મર્મ ન જાણી શક્યો હું
               કોને કહુ અજવાળા
તનમન શું તે સમજી શક્યો ના
               નિકળ્યો તરવા સારા
                                …… અંતરના અજવાળા.
દિપ પરદીપ હું બનવા નિકળ્યો
             રવિ,રમા,દીપલની સંગે
પારખી લેવા ભવસાગરને
              હું નીત સંગે જાગ્યો.
                                 ……અંતરના અજવાળા.
@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@

September 6th 2007

ओ मेरे राम.

                     ओ मेरे राम.
                                          प्रदीप ब्रह्मभट्ट

तेरे नाममे पाया सब संसार ओ मेरे राम
नाम तुम्हारा,काम हमारा,होगा वैसे पार
                                                 …ओ मेरे राम.

जगकी चिंता करतेकरते होगये हमबदनाम
तबनाम तुम्हारा लेकरही,हम पुरेगये भान
                                                  …ओ मेरे राम.

शरणमेंआकर सबकोजीना मनकर्मओर प्राण
तुझकोपाकर सबकोपाया करदु नीजको दान
                                                  …ओ मेरे राम.

जीवनके सुख पैयोको हमचले चलाये आज
दुःखकीआती कोइचिनगारी उसे करदेते पार
                                                  …ओ मेरे राम.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

« Previous PageNext Page »