July 12th 2007

વીરગતિ

                                   વીરગતિ  

પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારો લાડકવાયો આજે વીરગતિને પામ્યો
          તારા દુધની લાજ રાખવા કાજે એણે પ્રાણ દીધો છે ત્યાગી
                    એવો તારો અમર થયો છે લાલ જેની નહીં મળે મિશાલ..
માતા જેવી માતૃભુમિના રક્ષણકાજે પરદશીને પડકાર કીધો
           હાથમાં રાખી હામ અને મનમાં દ્રઢ મનોબળ રાખી
                     નિઃશસ્ત્ર હતો પોતે પણ તેણે શસ્ત્રો સામે હામ ભરી.
                                                                              …..એવો તારો
શાન્તિના દુતોની સાથે માતૃભુમિના કર્જને કાજે તૈયાર થયો
           ના તેના પર કોઇ જોર હતું ના તેના પર કોઇ દબાણ હતું
                    મનમાં એક તમન્ના હોઇ સ્વતંત્રાની નાની ચિનગારી જોઇ
                                                                               …..એવો તારો
કાજળ જેવી રાત હતી તોય મરણનું જેણે શરણું ન લીધું
          દેશદાઝને કાજે તેણે શાંન્તિના સંદેશાનો સથવાર લીધો
                  એવી હતી એ મનોભાવના જેને જગમાં નાકોઇ પડકાર હતો.
                                                                               …..એવો તારો
એક ભૂમિના સંતાનો સૌ જગમાં અમર નામના કરી ગયા
          ના કોઇ હિન્દું,ના કોઇ મુસ્લીમ ના કોઇ શીખ ઇસાઇ
                  ભારતમાતાના સૌ સંતાનો હળીમળી અંગ્રેજોને પડકાર કર્યો
                                                                               …..એવો તારો
જાન ગુમાવી વિરગતિને પામ્યા પ્રદીપ બની જગમાં અમર થયાં
         ના તારું લાગે ના મારું માન્યું આ માતૃભુમિના કર્જદાર છીએ
              મનમાં એક જ લક્ષ હતું મા તારી ગુલામી અમથી ના જીરવાઈ.
                                                                               …..એવો તારો
મળ્યા અમોને બાપુ ગાંધી સત્ય અહિંસાના એ સરદાર હતા
             મન મક્કમ ને દ્રઢ મનોબળ હિમ્મત રાખી વીરગતિને પામ્યા
                 શોક નથી માતાને જેણે દેશદાઝમાં સંતાન પોતાનું ગુમાવ્યુ.
                                                                              …..એવો તારો
કોઇનો લાડકવાયો તો કોઇનું સિંદુર જતાં સઘળુ છીનવાઈ ગયું
             કોઇનો તો આધાર ગયો તોય સ્વતંત્રતાને માટે આનંદે વિદાયા
                   કેવી ઊજ્વળ ભાવના જેમાં માનવતાની મહેંક જ મહેંકે
                                                                              …..એવો તારો
             …….જય હિન્દ…..જય ભારત માતા…….

July 4th 2007

સંતને વંદન કેમ?

              shri-pramukh.jpg                        

                         સંતને વંદન કેમ?                       

     ઑગસ્ટ ૨૦૦૦               હ્યુસ્ટન.           પ્રદીપ બ્રહ્મભટ્ટ     

              સંત એટલે તન સહિત જેણે સર્વસ્વ પ્રભુને સર્મપણ કર્યુ છે તે.સંત શબ્દ બોલવો અને તે થવા પ્રયત્ન કરવો તેમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે . સંતને જગતમાં માન સહિત  આવકારાય છે. કારણ તેમણે મળેલા મનુષ્ય અવતારમાં પુર્વજન્મના બીજા જીવો સાથેના લેણદેણને ત્યજીને જગતમાં વળગેલ સંબંધો જેવા કે મા-બાપ,ભાઈબહેન,સગાંસંબંધી એ બધાનો ત્યાગ કરીને(આ સંબંધો જીવ કોઈપણ રીતે પુર્ણ કરવા બંધાયેલ છે જાણવા છતાં)   પોતાના મન,કર્મ,વચન અને તન પર સંયમ રાખીને જગતના કર્માધિન જીવોનો ઉધ્ધાર કરવા માટે,   જીવને મળેલ મહામુલા મનુષ્ય અવતારને સાર્થક કરવા અને કરાવવા માટે પોતે ભેખ ધારણ કરીને પરમકૃપાળુ પરમાત્માની ઓળખ કરીને જગતમાં વસતા મુમુક્ષોને તેની ઓળખણ કરાવવા સારુ જીવન  અર્પણ કરેલ હોય છે.જગતની માયાવી સૃષ્ટિથી પર રહેવા માટે ભગવું ધારણ કરે છે.ભગવું કપડું એ ત્યાગનું ચિન્હ છે.    

           ભગવું ધારણ કરવા માટે તમારા શરીરે ઘણું બલિદાન આપવું પડે છે.આ વાત જગતના ઘણા ઓછા લોકો જાણતા લાગે છે કારણ કેટલાકને મેં એમ બોલતા પણ સાંભળ્યા  છે કે હું હમણાં ભગવાં પહેરીને બેસું તો લોકો મને ફલાણા મહારાજ છે તેમ કહીને પગે લાગશે. મારી આગતા સ્વાગતા કરશે‘.પણ આ મુર્ખાને એ ખ્યાલ નથી કે તેં જે ભગવું કપડું પહેર્યું છે તે રંગીન કાપડ પહેર્યા બરાબર છે. ભગવું ધારણ કરી  શકવાની     લાયકાત કેળવવી એટલે વર્ષો વીતિ જાય છે.તેનો બોલનારને પોતાના આડંબરને કારણે ખ્યાલ નથી આવતો. સાધુ મહાત્મા એ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સર્મપિત કરીને ભગવું ધારણ કરે છે અને તે ધારણ કરીને જગતના જીવોના કલ્યાણને લક્ષમાં રાખીને પૃથ્વી પર વિચરણ કરતા ફરે છે.    સંત શિરોમણી  પુ.પ્રમુખ સ્વામી મહારાજને ઉંમરને કારણે વિચરણ કરવાનું ફાવે તેમ નથી પરંતું તમારા જીવના કલ્યાણ માટે એ સંત શારીરિક કષ્ટ વેઠીને પણ પ્રત્યક્ષ પધારે છે.જે આપણા તથા આ ધરતીના પુણ્ય જ કહી શકાય.તેમને વિમાન,સ્ટીમર કે આગગાડીની મુસાફરીના કષ્ટ વેઠવા પડે છે તે આપણા જેવા જીવોના કલ્યાણ અર્થે જીવન અર્પણ કરી ચુક્યા છે.તેઓને આ સાધનોની કોઇ જ જરુર નથી.તેઓ તો સ્મરણ માત્રથી આપણી સમીપે આવી આપણા જીવનમાં સતકર્મોમાં મદદરુપ બની જાય છે.કારણ તેમણે તો જગતના જીવોના કલ્યાણ અર્થે આ ભેખધારણ કરેલ છે.તેઓ પોતાના જીવનો ઉધ્ધાર કરીને જગતના જીવોનું કલ્યાણ કરવા વિચરણ કરે છે.

July 1st 2007

Grand Ma

   grand.jpg ba-bapuji.jpg 

                 Late Shri Maniben Manibhai Patel

                              Palaj, Gujarat. India

Dear Grandmother, It’s hard to accept that you’re gone
But I’m sure you are in a better place,
Reuniting with dear Grandfather in the Heavens.
I had lot to share and many things to say,
I wanted to let you know, I thank you for the gift of Love,
That you shared with me, you always cared and loved me.
You always saw well in me, No matter what I’ve done,
You were always the one I could lean on.
After Grandfather left us, you were the strength of the Family,
It’s time now for you to rest calmly.
As your family & friends say Goodbye,
Sorrow tears roll down their eyes.
But I know you will watch the ones you love from above,
You will always be in our hearts and minds.

With Love,
Dipal

Pradip’s Note: My Mother-in-Law passed away on 14th June

2007 (Thursday) for her above is the feeling of my daughter. 

 

 

 

June 29th 2007

વરસી વર્ષા હેતની

                              જય શ્રી સ્વામિનારાયણ     
                                 વરસી વર્ષા હેતની
તાઃ૨૦ જુન ૨૦૦૭                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગણિત સંતોના આધાર સુણી ભક્તિ તણો પોકાર
                   પધાર્યા પાવન હ્યુસ્ટન કરવા આજ
                         મુક્તિ કર્મ તણા બંધનથી દેવાને કાજ
                                  આવ્યા પુજ્ય આચાર્ય મહારાજ.
 મનને લાગી સ્વામિનારાયણ ભગવાનની માયા
                  સતત સ્મરણથી પાવન કરવાને આ કાયા
                      પધારજો વારેવારે દોરવા ભક્તિ કેરા દ્વારે
                                    મનડા પાવન કરજો  અમારા.
 કળશ ઉત્સવ ઉજવાય છે આંગણે આજ અમારે
              શિખર શોભસે ભક્તિ કેરા કળશ મુકાશે મંદીરે અમારે
                    પાવન પ્રદીપનું જીવન કુંટુંબ સહિત મુક્તીને માગે.
                                                          અખંડ રાખજો અમ પર હેત.
 દંડવત કરતા વારંવાર ભક્તો વિનવે કૃપા પામવા કાજ
          સુણીપ્રેમ તણો પોકાર પધાર્યા પુજ્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ
                           આંગણા પાવન થાય ને હૈયે હરખ ના કહેવાય
                                                    જીવને મુક્તિ તણા મારગ છે દેખાય.
 સાથે પુ.ધર્મકિશોરદાસજી ને પુ.દેવસ્વરુપદાસજી આવ્યા પ્રેમે આમારા
          પધાર્યા પુ.માધવજીવનદાસ સ્વામી મુખથી સતત પ્રભુની વાણી
                       વરસ્યા પુજ્ય કે.પી.સ્વામીના હેત ને થઈ પ્રભુની કૃપા
                                               આજે પધાર્યા પુજ્ય મહારાજ અમારે ઘેર.
 ના માયાના બંધન અમને ને ના કાયાના મોહ
              ઉજળા હૈયા દીસે અમારા વરસે અમો પર કૃપાળુ નો પ્રેમ
                       દંડ્વત કરતાં આનંદ હૈયે ને જીવને મલે સંતોના હેત
                                                દીસે પામર જીવ મુક્તિ તણા માર્ગે છેક.
               ———————————————- ————-
 પરમ પુજ્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અમારા પરના પ્રેમને કારણે તાઃ૨૯ જુન ૨૦૦૭ ના રોજ સંતો સહિત મારે ઘેર પધાર્યા તેની યાદ રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા તથા પુજ્ય મહારાજશ્રીના આશીર્વાદ સદા અમો પર રહે તેવી પવિત્ર ભાવનાથી સેવામાં  અર્પણ. 

                      લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ તથા નિશીતકુમારના વંદન

June 27th 2007

ધુળેટી

                         raja.jpg 

                                    ધુળેટી
                                                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
રંગ ભરેલી આ પિચકારી કોઈની રાહ નહીં જોનારી;
    એક જ ઘાએ રંગનારી આ કોઈ થી ના નથી રોકાનારી,
રંગરંગીલા દેહે આજે માણે સૌ ધુળેટી;
    અવનવા તહેવારોમાં લપટતી આ જીંદગી માનવી તારી.
                                                           ..રંગ ભરેલી આ પિચકારી.
નાનામોટા સાથે મળીને થનગન ઉમંગે નાચે;
     ગુલાલ કેસુડાના રંગોમાં રંગી આનંદ આનંદ માણે,
અવનવા આગંતુકોને મળીને મનડું થૈ થૈ નાચે;
     સૌ ના તનમન રંગી નાખે ને ભેદભાવને ભુલાવે.
                                                          .. રંગ ભરેલી આ પિચકારી.
આવ્યો ફાગણ મહા પછીથી દુર કરવા મનડાનો મેલ;
      ભેદભાવને ભુલી  જઈને ગુલાલ જેવા વરસાવી હેત,
ના રહી ઈર્ષા ના રહ્યા દ્વેષ પરદીપ બની સૌ રાખે પ્રેમ
      ભુલી ગયા સૌ શબ્દો જુના ગાંધીસેંન્ટરમાં લાવ્યા જ્યોત.
                                                           .. રંગ ભરેલી આ પિચકારી.

                                 ————

June 18th 2007

પધાર્યા અવતારી

                      two-wince.jpg

                                    પધાર્યા અવતારી
     પ્રદીપ બ્રહ્મભટ્ટ                                          ૧૬મી જુન ૨૦૦૭.
આંગણું અમારું  પાવન કરવા આજે, મોક્ષ  પામર જીવોને  દેવાને કાજે,
શ્રધ્ધા અમારી સાકાર કરવાને સારું,પ્રેમે સાંભળી અમારા હ્રદયનો પોકાર
આવ્યા મુજ પામરને દ્વાર,ધન્ય દિવસ છે કહેવાય,વંદન તમને વારંવાર
                                                                 ..કૃપા પરમાત્માની કહેવાય
માબાપની એવી કૃપા  અમો પર થઈ,ને પ્રીતી  ભક્તિ તણી બંધાણી
ઈષ્ટદેવને ઓળખવાને,મનડું હરદમ તરસી રહેલું,પામવા દર્શન કાજે
સહજાનંદનું સ્મરણ થતાં, મનડું થનગન નાચે, ને હૈયે ટાઢક લાગે
                                                                .અમારો સફળ માનવ જન્મ
કૃપાથતાં પધાર્યા શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ હ્યુસ્ટન આવી અમારે ઘેર
ભક્તિ  અમારી પ્રેમે સ્વીકારી, પરમાત્માએ પાવન કીધા અમારા દ્વાર
સહજ ભાવ અમો પર રાખી, પધાર્યા શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી  મહારાજ
                                                               ..સદા અમારે હૈયે રાખજો હેત
શ્રધ્ધા અમારી સાચી નિરખી પરમાત્માની કાયમ કૃપા અમોએ  દીઠી
જલાબાપાનો ગુરુવારને તારીખ ૧૪મી જુન ૨૦૦૭ ના પવિત્ર દીને
પધાર્યા વડતાલદેશથી શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દેવા પરમાત્માનોપ્રેમ
                                                                    …કૃપા અનંતઘણી કહેવાય
સંત તણી અનંત કૃપા અમો પર પધાર્યા પુ.સુર્યપ્રકાશ સ્વામી સાથે
પુ.સરજુસ્વામી પઘાર્યા હેત અમો પર રાખી દેવા આશીશ અમને
ઈષ્ટદેવની દયાદ્રષ્ટી અમો પર પધારે વારેવારે સાચી ભક્તિ અમારી
                                                                        ….સદા હૈયે હેત રાખી
ના માયાના બંધન અમને,ના લાલચ ના મોહ,લાગી લગની આ દેહે
ફળફળાદિ ધર્યા રમાએ અર્પણ કરવા સ્નેહ,આરોગો અમપર રાખી હેત
બદામ,પીસ્તા,કેસર નાખી દુધ બનાવ્યું સાર્થક કરજો સાચો પ્રેમ
                                                                  ..મુક્તિ જન્મમરણથી દેજો
મારાપિતા રમણલાલને આશિશ આપીપ્રેમ વરસાવી હૈયે રાખજો હેત
માતા કમળાબેનને સ્વીકારી ભક્તિ અમારી કાયમ દેજો અનંત પ્રેમ્
રવિ,રમા ને દીપલ વિનવે,ને પ્રદીપ,નીશીત પણ વંદે કૃપા કાજે.
                                                              ..પધારજો અવતારી વારેવારે
                                         —————–
વડતાલ દેશ ગાદીના આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી હ્યુસ્ટન પધાર્યા અને ઈષ્ટદેવનીકૃપા થકી મારે ત્યાં પધાર્યા તેની યાદ રુપે તેમની કૃપાથી લેખેલ કાવ્ય તેમની સેવામાં.

પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર હ્યુસ્ટન              તાઃ૧૬મી  જુન ૨૦૦૭.

June 7th 2007

Mr. Cau Chin

mrcauchin2.jpg

Well come
                 to                
                         Mr. Cau Chin (Spiritual Leader)
By Pradip Brahmbhatt                      Dt. March 11, 2007
                             
Every time and any time,
                                          Every day and any day
We respect you. We believe you
                                          We waited long time
                                          To well come you Mr.Cau Chin.
Little house little people
                                           Little income little life, But
We always keep big Heart
                                           With big respect, big love
                                                           With little simple life.
We love God, We love godly people
                                           We love you and respect you
You show me the real way of life
                                           Because you have spiritual eye
                                                        You help us every time.
Jalrambapa loves you
                                            Shri Saibaba loves you
Lord Rama and Krishna love you too
                                           you guide and help the people 
                                                  Have a heartily blessing too.
We love you we wait for you
                                       Because you help in my simple life
No one tell me no one show me
                                        My past, Present and future
                                                        You are Great in our Life.
Ravi and Rama, Dipal and Nishit
                                         Pradip and Puj.Shakuben
We always pray for Cau Chin’s
                                         Happy, Healthy and Long Life
                                      Because you bring peace in our LIFE
            —————————————
To Respect Our Mr. Cau Chin we can request you
         To come and Bless our House at Any  and every TIME.
Pradip, Rama, Ravi, Dipal, Nishit, Puj.Shakuben, Sureshlal & family.
Brahmbhatt family of Houston & S.S.Brahmbhatt family North Bergen, NJ

May 28th 2007

પ્રમુખ સ્વામી મહારાજ

                                      pramukh.jpg

                                  જય શ્રી સ્વામિનારાયણ
                     પધારો   પ્રમુખ સ્વામી મહારાજ   પધારો
ઓગસ્ટ ૩૧,૨૦૦૦                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમારા અહોભાગ્ય કહેવાય,આપના દર્શન અમને થાય
     પ્રદીપના ભાગ્ય ખુલ્યા છે આજ,આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
અમારુ હ્યુસ્ટન પાવન થાય,આપના ચરણરજ લઈને આજ
     ભારત ભુમીના ભરથાર,ભક્તો તમને વંદન કરતા વારંવાર
                                                           પધારો પ્રમુખ સ્વામી મહારાજ.
અમારા આંગણા પાવન થાય,જેનો હરખ અમોને થાય
     અમારા ભાગ્ય ખુલ્યા કહેવાય,મળ્યા સ્વર્ગસમા સુખને દેનાર
                                                          અમારા પ્રમુખ સ્વામી મહારાજ.
કહેતા મનડું હરખપદુડું થાય,જેનું માપ નહીં  જગમાંય
    સ્વામિનારાયણ નામ સ્મરેછે,જેના રોમેરોમે શ્રીજીના શબ્દ મળેછે
                                                  આવ્યા એવા પ્રમુખ સ્વામી મહારાજ.
અહીંની ધરતી પાવન થાય,સાચા સંતોની ચરણરજ લઈ આજ
   આવ્યા સંતોનાસરદાર,સદા ભક્તોમાંરહેનાર,પાવનમનડાને કરનાર
                                                              વ્હાલા પ્રમુખ સ્વામી મહારાજ.
શબ્દ મળેના મુજને આજે, હર્ષે આંસુ રમાને ઉભરે છે
  રવિ,દીપલ પણ રાહ જુએ છે,આર્શીવાદ મલે તો ઉજ્વળ છે જીવન
                                                 આવ્યા અમારા પ્રમુખ સ્વામી મહારાજ.
આવ્યા જીવનમાં લેવાને લાલચ મોહ ભરેલી આ ધરતી પર
   સુખવૈભવથી છકીજતી આનરક ભરેલી નગરીમાંથી ઉધ્ધારવાનેઆજ
                                                              પધાર્યા પ્રમુખ સ્વામી મહારાજ.
સંસ્કાર ભરેલા ઘર્મ જીવનથી મુક્તિના માર્ગને ચિંધીને
  પાવન મનડાં સૌના કરનાર,ધર્મના સાચા રખેવાળ,ભક્તોમાં રહેનાર
                                                           આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
                                        —————

May 18th 2007

સપનું આવ્યું

          એક અનોખુ …………સપનું આવ્યું
                                                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપનું આવ્યું, સપનું  આવ્યું, સોમવારની  રાત્રે મુજને; 
                                                               એક અનોખું સપનું આવ્યું.
મુજને ગમતું, લોભતું મનને, આનંદની એક  લહેર સમું;
                                                               એક અનોખું સપનું આવ્યું.
કામણ મારી કાયા લાગે,મસ્ત બની મનમોર સમ નાચે;
                                                        એવુ એક અનોખું સપનું આવ્યું.
મૃદંગ વાગે ઢોલ વાગે, તનમન સૌના ડોલતા લાગે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
કિલ્લોલ કરંતી,નૃત્ય કરંતી,માનવમેદની ચારે કોર ઘુમે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
હળદર રંગી કાયામારી,સુરવાર કુરતો શોભે દેહે,માથે મુગટ મારે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
સવાર હતો હું અશ્વ તણો ને દેતો પગના ઠેકા ધીમે ધીમે
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
બંધ પડર જ્યાં ખુલી ગયા ત્યાં રાત્રીનો અંધકાર દીસે.
       પડ્યો પથારી પરથી જ્યારે માન્યું એ ઘોડા એ ઠેકી છે દીધી;
           લાગ્યું મુજને ત્યારે આ તો રાત્રીનું એક સ્વપ્ન હતું,
               સુઈ ગયો મન મારી ત્યારે આંખોમાં ઊંધનો અણસાર હતો.
ચાર પ્રહરની રાત્રી વીતે ધીમેધીમે,વાત વિચારો મનમાં રહેતા પરોઢીયે ભઈ
                                                                 એક અનોખું સપનું આવ્યું.
દીઠો માનવ  ભીખ માગતો, છતે પૈસે  બે  હાથ  ધરે
                                                             એવુ એક અનોખું સપનું આવ્યું.
આવે એક પછી એક,  વારે વારે  ભિક્ષા લેવા કાજે
                                                             એવુ એક અનોખું સપનું આવ્યું.
રાજા  જેવો  લાગતો માણસ ,રંક બનીને હાથ ધરે
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
હતા સૌ  એકમેકની  પાછળ  સૌની પાછળ  હુંય હતો
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
વાદળ ગાજ્યા કાળા ભમ્મર ચારે કોર દીસે આવ્યો અચાનક મેધ,
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
મોંઢું મારું ભીજાયું પાણીએ જાગવા મુજ પર છાલક એક મારી
                               લાગ્યું ત્યારે આતો છે ભઈ પરોઠીયાનું સપનું સાચું.
                                                ————–

May 16th 2007

અમેરીકાની હવા

                                     અમેરીકાની હવા….
                                                                એક શુધ્ધ ભારતીયની નજરે.
દીકરો.                                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા પહેલા આંસુ આવતાં ને તું યાદ આવતી,આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
જે દીકરાઓના જન્મ વખતે માબાપે પેંડા વહેંચ્યા તે જ દીકરાઓએ મોટા થઇને માબાપને વહેંચ્યા.
મંગળસુત્ર વેચીને કરજ કરીને પણ તને મોટો કરનાર માબાપને  ઘરની બહાર કાઢનાર દીકરા હવે તારા જીવનમાં અમંગળ સત્ર શરુ થઈ ગયું છે તે જાણી લેજે.
ભાગ માટે ભાંજગડ કરનાર દીકરાઓ બે ચીજ માટે કાયમ ઉદાર બને છે અને તે છે માબાપ.
શ્રવણ બનીને તીર્થયાત્રા ન કરાવી શકો તો ચીંતા નહીં પણ ધરડા માબાપની જીવનયાત્રાને યાતનામયી ન બને તેનું ધ્યાન દીકરો બનીને રાખજે.
માબાપની આંખમાં બે વખત આંસું આવે છે,દીકરી સાસરે જાય ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.
બાળપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનાર ન બનતો.માબાપની કુરબાનીને ધ્યાનમાં રાખી કર્મ કરજે જેથી તેમના મસ્તક ઉંચા રહે અને તો જ તમારા બાળકો પણ રાખશે.
બાળપણના આઠ વર્ષ આંગળી પકડીને જે માબાપ તને સ્કુલે લઈ જતા હતા તે માબાપને ઘડપણના આઠ વર્ષ આંગળી ઝાલીને મંદીરે લઈ જજે.
ઘરની માને રડાવે ને મંદીરની માને ચુંદડી ઓઢાડે તો યાદ રાખજે દીકરા,મંદીરની મા ખુશ નહીં જ થાય પણ ખફા તો જરુર થશે જ.
બચપણમાં જે દીકરાને માબાપે બોલતા શીખવાડ્યું એ જ દીકરો ઘડપણમાં માબાપને ચુપ રહેતાં  શીખવાડે છે.
જે દીવસે માબાપ તમારા કારણે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ આંસુમાં વહી જાય છે.
તેં જ્યારે પ્રથમ શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં.તારા માબાપ જ્યારે છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે.
પત્ની પસંદગીથી મળતી ચીજ છે માબાપ પુણ્યથી મળતી ચીજ છે,પસંદગીથી મળતી ચીજ માટે પુણ્યથી મળતી ચીજને ઠુકરાવશો નહીં.
ઘરનું નામ માતૃછાયા કે પિતૃછાયા પણ તે ઘરમાં માબાપનો પડછાયોય ન પડવા દે એ મકાનનું સાચુંનામ પત્નીછાયા રાખવું એ ઊત્તમ થઈ પડે.
                           ભાગ્યાશાળી ભારતીય.
મા
મારે ખરી પણ માર ના ખાવા દે તે મા.
માબાપના આર્શિવાદ જ જીંદગીને ઉજ્વળ અને ઉન્નત બનાવી શકે છે.
પરમાત્માનું અવતરણ થાય ત્યારે તેમને પણ માની ગોદમાં રમવું પડે છે.મા એતો મા જ છે ત્યાં સૌને નમવું પડે છે અને તે સૌને ગમે છે.
માબાપે આપેલો સાચો વારસો પૈસો નહીં પણ પ્રમાણિકતા અને પવિત્રતા છે.
ગમે તેવા ગુણીજન હોય તોય મા ના સૌ રૂણીજન છે
                                    અને અંતે
ઉપર જીસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ,જીસકે બીના જહાં નહીં ઉસે મા કહેતે હૈ.

                                     ————————-

« Previous PageNext Page »