May 10th 2007

જાણે અજાણે

                         જાણે અજાણે

તાઃ૧૦/૫/૨૦૦૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ               

  જાણે અજાણે નામ જો તારું દેવાય તો પ્રભુ
                       તુંજમાં એ પ્રિય થઈ જાતો
                              એ તો પામતો અક્ષરધામ.
                                                    ….જાણે અજાણે
જીવનની આ  સુખશૈયામાં તુજને એ ભુલી જાતો
મરણ આંગણે આવે ત્યારે તુજને એ સમરી જાતો
                                એ તો થઈ જાતો નિરાકાર
                                                     ….જાણે અજાણે
પ્રેમની પાવક જ્વાળા ન્હાતા થઈ જતો નિષ્કામ
અંત સમયની અટારીએથી તુજમાં એ વિસરાતો
                                     એ તો  લાગે  છે પ્રેમાળ
                                                      ….જાણે અજાણે
હું છું પામર જીવ છતાં પણ ભક્તિમાં છું સંધાણો
પ્રદીપના હૈયે ભક્તિ લાગી મુક્તિ મેળવવા કાજે
                                        આવ્યો સમાવા કાજે
                                                       ….જાણે અજાણે
સાચી માયા શામળા તારી બીજી  મિથ્યા લાગે
સંતતણો સથવારો મળતાં મનડું મસ્ત છે લાગે
                               ભવના બંધન છુટતાં લાગે
                                                       ….જાણે અજાણે
                  ==============

May 9th 2007

મમતા

 પ્રદીપ બ્રહ્મભટ્ટ               મમતા             ૪-૩-૧૯૯૯

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
      એકએક  તાંતણાને  તાંણો  મમતા  સૌ માં લાગે.
                                                                 ….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે  સગાં સૌ છે  આપણી  સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ  કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
                                                                 ….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ  જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને  જીવનમાં કોઇ  કુનેહ.
                                                                ….માયાવી સંસાર
લઘરવઘર  આ જીવન  પગથી  સુખ સંસારની ભાસે
કેમ કરીને  પ્રેમ મેળવવા  જીવડાં  મનથી  વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
                                                           …માયાવી સંસાર
                   ———

May 8th 2007

Mr.Rice

Happy Birthday          

             Mr. L e o n a r d   R i c e.

             (Counselor,Houston Community Collage System, Houston)         

                                                                                     Happy Birthday

                         Happy, Happy, Happy Birthday.

                    Many, Many, Many returns of the day.

        May Lord Jesus bless you, May Lord Jesus Protect you.

                       May Lord give you healthy life.                    

               May Lord take care of your life.

              May Lord be with you in your life for your life,

               Because your are so nice and you are so wise.

              That’s why we pray for you on your Birthday.

                    

                   Jesus is Lord; L.D.Rice is your father,

                You have Mary Eve as a mother in your life.

            They must be nice, because you are nice and wise.

                             Pray for them, pray for life.

                   Pray for your sister Melissa all the time

                     We all to gather on this very nice day.

                 That’s why we pray for you on your Birthday.

 

                         Mr. Leonard Rice is always nice

                  Where ever he goes he loves Jesus twice.

                         He was born on Feb.1st 1932

                 May he always live healthy and happy life.

            Never he got sick nor he get weak and never be lazy

                                              That’s why

                       Pradip respects him, Dipal respects him

             And Lord Jesus loves his child as we love from our heart  

                     That’s why we pray for you on your Birthday 

 

                            You are always nice fellow Mr.Rice

                          May you have a happy and healthy life.

                          People love you because Jesus loves you

                  People always love you because you love the people    

                   We pray Lord Jesus, we pray the almighty God  

                          We pray Jalaram Bapa for your life  

                   That’s why we pray for you on your Birthday    

                                                   *************   

                        This poem is for Mr.Leonard’s Birthday with

                                               Love and Respect

                                                        From,

           Pradip & Dipal Brahmbhatt with the Staff    of Alief  Campus.           

                 of   Houston Community College System, Houston. Tx.

May 6th 2007

ગુજ્જુ છુ હું નિરાળો

                            ગુજ્જુ છુ હું નિરાળો          
                                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો હું ગુજરાતી ભઈ ને રમા મારી છે ગુજરાતણ.
           હ્યુસ્ટન આવ્યા કેમ અમે ભઈ તેની ના કોઈ રામાયણ.
                                                                  ….તેવો ગરવો હું ગુજરાતી.
સુરજ ઉગતા ઝળહળે જેમ જીવન તેમ રવિ અમારો દીપી ઉઠે;
               માનવ મનડાં તૃપ્ત જીવનને સદા નિરંતર તરસી રહે ,
વણ માગેલી આફત જ્યાં આવે ત્યાં ગુજરાતી ભઈ ટકી રહે;
               આકુળ વ્યાકુળ કુંજ ગલીમાં સાચું જીવન તે શોધી રહે.
                                                                 ….તેવો ગરવો હું ગુજરાતી.
જીભે પ્રેમ ને હૈયે હેત માનો મળ્યો ગુજરાતી એક;
               રોજ સવારે ભજન કિર્તન ને સાંજે સાયં દિપ કરે.
પ્રેમ મળે જેને ધરમાં ને જગમાં સૌમાં સ્નેહ જુએ;
        હાથમાં હાથ રાખીને દેતો ટેકો કાયમ હૈયે છે આનંદ દીસે.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.
વ્હાલું અમારું સંવત વર્ષ દીવાળીએ સૌ આનંદ કરે;
                એકમેકના દુઃખડાં ભૂલીને મનડાં સૌના મળી રહે,
વ્હાલી અમારી દીકરી દીપલ આવી અવની પર તે દીને;
       દેશ ઉજવે દીન ખુશહાલે લાગે જન્મદીન દીકરીનો ઉજવાય.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.
નથી કોઇ માયા દેહને આજે આત્મા તણો આનંદ મળે;
              પ્રદીપ બની જીવન છે જીવતાં હૈયે આનંદ મળી રહે,
નહીં કોઇ લાલચ નહીં કોઇ મોહ મિથ્યા અમોને લાગે રે;
             સાર્થક જીવન જલાને શરણે ત્યારે સાચો હું ગુજરાતી ભઇ.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.

                                 xxxxxxxxxx

May 6th 2007

ત્યાં સુધી.

                                   ત્યાં સુધી.        

                                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજને શું પુછવું નિશા કેરો અંધકાર ક્યાં લગી?
                  જ્યાં સુધી આકાશમાં ચાંદનીની મૃદુતા છે ત્યાં સુધી.
સહરાની કાયાને શું પૂછવું આવી અગન ક્યાં લગી?
                                  જ્યાં લગી સુરજ પ્રકાશ આપશે ત્યાં સુધી.
અલ્પ જીવી પુષ્પોને શું પુંછવું તારી સૌદર્યતા ક્યાં લગી?
                              જ્યાં સુધી બે પુષ્પોનું મિલન થાય ત્યાં સુધી.
ચમનને શું પુછવું કે તારી પુષ્પ પથારી ક્યાં લગી?
                               જ્યાં સુધી પુષ્પોમાં સજીવનતા છે ત્યાં સુધી.
સજળ નેત્રને શું પુછવું ભીની આંખો ક્યાં લગી?
                                             જ્યાં સુધી હૈયે હેત વરસે ત્યાં સુધી.
કબરમાં સુતેલા દેહને શું પુછવું નિંદ્રા તારી ક્યાં લગી?
                                  જ્યાં સુધી આ નશ્વર દેહ પામશું ત્યાં સુધી.
ર્નિવસ્ત્ર કે કંગાળને શું પુછવું જીંદગીના તમાશા ક્યાં લગી?
                               જ્યાં લગી જીવનમાં હર્ષ ન આવે ત્યાં સુધી.
થાકેલા જીવને શું પુછવું મૌન ધારણ ક્યાં લગી?
                                        જ્યાં લગી પ્રદીપ મૌન સેવે ત્યાં સુધી.
            —-****—-****—–****

May 6th 2007

ક્યાં સુધી?

                                        ક્યાં સુધી?

                                                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
 સુરજનો  આ  તાપ ક્યાં સુધી ?         જ્યાં  સુધી  આ   પ્રુથ્વી છે ત્યાં  સુધી.
 ચાંદાની આ ચાંદની ક્યાં સુધી ? જ્યાં સુધી સુરજનોસહવાસ છે ત્યાંસુધી.
 માયાની આ જંજાળ  ક્યાં સુધી ?        જ્યાં  સુધી  જન્મો મળશે  ત્યાં  સુધી.
 પતિપત્નિનો  આ પ્રેમ ક્યાં સુધી ?       જ્યાં  સુધી  સ્નેહે  જીવ્યાં  ત્યાં  સુધી.
 બાળકોને  લાડ પ્રેમ  ક્યાં સુધી?    જ્યાં સુધી માબાપની સાથેછે ત્યાં સુધી.
 સંતોના આ માન ક્યાં સુધી ?          જ્યાં સુધી  પ્રભુનું  શરણું  છે ત્યાં સુધી.
 ભણતરનો આ પ્રકાશ ક્યાં સુધી ?       જ્યાં સુધી  બુધ્ધિ  પહોંચે  ત્યાં સુધી.
 પ્રદીપ બનશો ક્યાં સુધી ?                જ્યાં  સુધી  આ જીવન  છે  ત્યાં સુધી.
 મારું મારું કરશો ક્યાં સુધી ?        જ્યાં સુધી સ્વાર્થ  વળગેલ છે ત્યાં સુધી.
 મનનું  મિલન છે ક્યાં સુધી?             જ્યાં સુધી મન મળેલા છે  ત્યાં સુધી. તનનો આ સંબંધ છે ક્યાં સુધી?     જ્યાં સુધી કર્મ બંધાયેલા છે ત્યાં સુધી.
                                           ———–                                       

May 6th 2007

સાતવાર

                                            સાતવાર

મે ૧૧,૨૦૦૬                                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતવારની સરળ વાત ભાઈ,ના તેમાં કોઈદ્વીધા ભઈ,
                      સોમવાર ને મંગળવાર, બુધવાર ને ગુરુવાર,
                                શુક્રવાર ને શનિવાર, અને અંતે આવે રવિવાર.
                                                               ……ભઈ અંતે આવે રવિવાર

અકળ જગતમાં માનવી જન્મે, સાતવારના વારે એક,
              જગતપિતાની લીલા એવી, મૃત્યુ પામે સાતવારના વારે એક.
                                                              ……ભઈ સાતવારના વારે એક

ના માયા ના મોહ પ્રભુને,અર્પણ સૌ જગતના જીવોને,
             ખેલ જગતનો હાથમાં તેના, તોય ના દીઠા પરમેશ્વરને.
                                                          ….ભઈ તોય ના દીઠા પરમેશ્વરને

કોણ કોનું ને કોણ મારું, જન્મની સાથે મને મળે,
              મૃત્યુ મળતાં જગમાં જીવને, કોઈ સંબંધ રહે નહીં.
                                                            ……..ભઈ કોઈ સંબંધ રહે નહીં

દેહ પડ્યો આ પૃથ્વી પર ,સગા સૌ વિદાય કરે,
              મળશે પંચભુતમાં ત્યારે,સગા સૌ વિસરી જશે.
                                                            ……ભઈ સગા સૌ વિસરી જશે.

જન્મદાતા ને દુઃખ હરતાં,પરમ કૃપાળુ  પરમાત્મા,
             આત્માતારો અમર થાશે, પ્રદીપ બની જો જીવી જશે.
                                                        ….તું પ્રદીપ બની જો જીવી જશે.

પળમાં સૌ તમને નમશે, જો પ્રેમ પ્રભુ પ્રત્યે હશે,
              જન્મ મરણના આ બંધનમાંથી,પ્રભુ તમને મુક્ત કરશે.
                                                           ….ભઈ પ્રભુ તમને મુક્ત કરશે.

                                    ————

May 1st 2007

માનવ અને મનુષ્ય

                                                               માનવ અને મનુષ્ય     

પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ)  હ્યુસ્ટન.        

                    માનવીનું જીવન સંઘર્ષથી ભરેલું છે. જો જીવનમાં સંઘર્ષ ન હોય તો તે જીવન નથી.કારણ સંઘર્ષ જ માનવને મનુષ્ય બનાવે છે.  સંઘર્ષોનો સામનો કરતો આ માનવ ત્યારે જ મનુષ્ય બની શકે છે જ્યારે તે સંઘર્ષોનો સામનો કરતો આનંદીત જીવન જીવી તેમાંથી પાર નીકળે છે.જન્મ ધારણ થતાં માનવ પોતાના માથે જવાબદારીઓનો બોજ લઈને જ આવે છે.  માનવીને માનવ તરીકે જીવન જીવવા માનવતા ભરેલા વર્તન સહિત સત્કર્મો કરવા તે તેનું કર્તવ્ય છે. મનુષ્ય સંઘર્ષમાં વણાયેલ છે. મનુષ્ય અને માયા એ જીવનરુપી રેલગાડીના પાટા છે, કારણ તે જ જન્મોજન્મના જીવનના પાયામાં છે.અને તેથી જ કોઇપણ મનુષ્ય કોઇપણ કામ કરવા પ્રેરાય છે તૈયાર થાય છે.       મનુષ્યના જીવનમાં નીચેના વિધાનને જો વણવામાં આવે તો તે પોતાના જીવનને ઉત્તમ રીતે જીવી શકે અને એવી રીતે જીવે કે જે બીજાને પણ ઉત્તમ રીતે જીવન જીવતા શીખવાડી શકે,  પ્રેરી શકે જે આ વિધાનથી ખ્યાલ આવી જશે.                           માનવીના જીવનમાં સદાચાર અને પરોપકારની ભાવના હંમેશા પ્રગતિકારક અને ઉત્તમ જીવન બનાવે છે. અક્ષરસહ ઉપરોક્ત વિધાનને જાણી લેતાં આદર્શ મનુષ્ય બનવામાં કોઈ આંચ આવતી નથી.જે નીચે દર્શાવેલ છે. 

માબાપને હંમેશા આદર્શ બનાવો. 

ર્યો સ્વાર્થ ન જોતાં પરમાર્થ પણ કેળવો. 

વીચાર એવા કરો કે જેનાથી તમારું તથા બીજાનું પણ કલ્યાણ થાય.

 નામને દૂર રાખી પોતાના કામથી મહાન બનો. 

જીંદગીમાં સારા કર્મો જ સાથે આવશે તે પ્રથમ જાણો. 

ર્તન એવું કરો કે જે સૌ સ્વીકારવા પ્રયત્ન કરે.

 જરથી હંમેશાં સારું અને સત્ય જોતાં શીખો. 

માંની મમતા અને પિતાનો પ્રેમ એ જીવનને નિર્મળ બનાવે છે. 

દાય પ્રેમને સાથે રાખો આનંદ આવશે. 

દાન એતો જીવનનું ભાથું છે જે સમજીને કરવું. 

ચાર્તુયતા એમાં છે જે વિવાદને ત્યજી દે. 

ખે આકાશ તુટી પડે સત્યને વળગી રહેવું. 

વતાર એતો કર્મોની પોટાલી છે. 

નેતર અને જીવન વાળો તેમ વળે તે ર્નિવિવાદ છે. 

રમાત્માની એક નજર એ ભવોભવનો સંતોષ છે.

રોજ પોતાના જીવનદાતાને યાદ કરશો તો જીવન આર્દશ બનશે.

તંગ અને જીવન ક્યારે કપાય તે કોઇ જાણતું નથી.

કાતર જેવા ન બનતાં સોયના ગુણ ગ્રહણ કરવા પ્રયત્ન કરો.

ખેવાળ જેનો પરમાત્મા છે તેને બીજો કોઇ ભય નથી.

નીજ જીવન પરમાત્માને શરણે કરે તેનો ઉધ્ધાર અવશ્ય છે.

ભાઈભાંડુ કર્મનું બંધન છે,સ્વીકારી લો.

ર્તન એ જીવનનો અરીસો છે.

નામ સ્મરણ એ વર્તનને પવિત્ર બનાવે છે.  

ઊપરોક્ત કથનને છણાવટથી જીવનમાં ઉતારતાં મનુષ્ય કર્મથી પણ ઉત્તમ જીવનજીવવા પાત્ર બને છે.અને તેના આત્મામાં જીવન જીવ્યાં કરતાં આત્માને પરમાત્માનો પ્રેમ ચીર શાંન્તિઅર્પે છે.અને તેથી જ તે આર્દશ મનુષ્ય બની શકે છે.ભુલ કરવી એ માનવનો  હક્ક હોય તો કરેલી ભુલને સુધારી  લેવી ફરજ બને છે. ભુલ ન કરનાર દેવ છે,  સુધારનાર વીર છે. કરનાર માનવ છે અને છુપાવનાર અપરાધી છે.આ જગતનું સત્ય છે મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.                                                                      

                                                             ————-

May 1st 2007

સમજવાની સમજ

સમજવાની સમજ             

                   તમે જે સમજ્યા તે વાત સમજતાં મારે થોડી વાર લાગી  કારણ તમારી સમજ અને મારી  સમજવાની સમજમાં થોડો ફેર છે. તમે જે સમજો છો તે મારે સમજતાં સમય લાગે છે, તેના મૂળમાંમારી સમજવાની સમજ સમજીને સમજવાની છે.હું જે કાંઈ સમજવા પ્રયત્ન કરું છું તે  સમજીને સમજુ છું એટલે આપણી સમજવાની   સમજમાં ફેર છે.તમારી  સમજવાની સમજ સરળ  છે જ્યારે મારી સમજ તે વાતને સમજીને સમજવાનું લક્ષમાં રાખીને સમજવાની વ્રુતિ રાખે છે  અને તેથી આપણી બન્નેની સમજમાં સહજ ફેર છે. તમે જે વાત તુરત સમજી શકો છો તે સમજ   મારી સમજમાં આવતાં વાર લાગે છે કારણ કોઈપણ કામને સમજીને સમજતાં તેમાં રહેલ ધ્યેયને  તમે પામી શકો છો અને  તેથી તે સમજવામાં સફળતા સમાયેલી છે જે સમજ્યાં વગર સમજવામાં  નથી મળતી અને તેથીજ મારી સમજવાની સમજ સરળ નથી અને આને કારણે જ તમારી સમજવાની સમજ સરળ છે  જ્યારે મારી સમજવાની સમજ અલગ છે.…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

April 29th 2007

પધારો પ્રાણ પ્યારા

                 પધારો પ્રાણ પ્યારા આચાર્ય મહારાજશ્રી

    tej.jpg

   .

 

.

 

.

.

.

.

પ્રદીપ બ્રહ્મભટ્ટ                                                 તાઃ૯ મી માર્ચ ૨૦૦૦       

    પધારો અવનીધર અવતાર તમને વંદન વારંવારં                                  
                         તમારા ચરણે પાવન થાય અમારું રુડું હ્યુસ્ટન ગામ.                      
   સ્વામિનારાયણના સ્મરણ માત્રથી ભવોભવના ત્રાસ મટે છે                          
                     મોક્ષ તણા તો દ્વાર ખુલે છે ને જીવલડાને પ્રાણ મળે છે.                      
  સુરજ જેવું મુખ પ્રકાશિત તેજ તણા પુંજ તમો છો            
   નામ ગુણ સૌ તમમાં પામ્યા તેથી આપ તેજેન્દ્રપ્રસાદ ઓળખાયા.                       
  પગલાં પડે ત્યા સૃષ્ટિ નાચે મનડુ મસ્ત બની ને માણે                        
                  પધારો ધર્મ તણા અવતાર અમારા આંગણાં પાવન થાય.                    
  ઓગણીસો ચુંવાલીસની એપ્રીલ માસે તારીખ અગીયારના રોજ                      
                  પધાર્યા અવની પર છો આપ જગતને દેવા જીવનનો દોર.                      
  માર્ચ માસની આઠમી તારીખ સાલ બે હજારની થાય                    
              ભાગ્ય ખુલ્યા સૌ હ્યુસ્ટનવાસીના આપથી પાવન અમારા દ્વાર.                     
 અમારો ધન્ય થયો અવતાર અમોને મળ્યો તમારો સથવાર                 
            જીવન ઉજ્વળ થવાને કાજ અમો પામ્યા દર્શન આપના આજ.                     
 પરદીપ તમો છો દીપી રહ્યા છો વિચરણ કરતા આપ                                
           જાણે તારા મંડળ મધ્યે શોભે આભે પુનમ કેરો ચાંદ.                   
 શીતળ આપના આર્શીવચન મનડું પાવન થાય                                  
         સ્પર્શ માત્રથી પાપ બળે છે વંદનથી તો મોક્ષ મળે છે.                 
ધન્ય આપનો અવતાર અમારું જીવન ધન્ય બનાવ્યું આજ                                    
             આપ કૃપાના કરનાર અમોને મોક્ષ તરફ દોરનાર.                 
જીવન ઉજ્વળ અમારા થાય આપના દર્શન કરતાં આજ     
                 અમોને  બાળક  જાણી આપ  કરજો   પ્રદીપની  ક્ષતી  માફ.                                                                                                                                       ————

ભગવાન શ્રી સ્વામિનારાયણની અમદાવાદ (કાલુપુરમંદીર) ગાદીના આચાર્ય મહારાજશ્રી પુજ્ય તેજેન્દ્રપ્રસાદજી હ્યુસ્ટનમાં નવા મંદીરની સ્થાપના તથા મુર્તી પ્રતિષ્ઠા નિમિત્તે પધારેલ  તે પવિત્ર પ્રંસંગે તેઓશ્રીને હ્યુસ્ટનની યાદ રુપે સપ્રેમ ભેંટ્. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ.

« Previous PageNext Page »