June 9th 2010

ધીરજ

                                ધીરજ

તાઃ૯/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનમનથી થતાં કામમાં,જીવનમાં સાથ મળી જાય
ધીરજ રાખી કરેલ કામ સૌ,શ્રધ્ધાએ સફળ થઇ જાય
                           ……….તનમનથી થતાં કામમાં.
ધગસ રાખેલ કામમાં,સાથે મહેનત મનથી જ થાય
સફળતાનો સહવાસ લેવા,મનથી ધીરજને મેળવાય
આવતા થોડી વાર જ લાગે,પણ સોપાન મળી જાય
જે મેળવી જીવનુ જગતમાં,ઉજ્વળ જીવન થઇ જાય
                         …………તનમનથી થતાં કામમાં.
ભણતરના સોપાને સંતાન,મનથી મહેનત કરી જાય
પરિણામની નારાહ નડે,જ્યાં સાચી કેડીએજ ચાલાય
વિચાર મનમાં આવતાં,વિચારીને જ પગલુછે ભરાય
આવે સિધ્ધીનાસોપાન જીવનમાં,નાલાંબો હાથ કરાય
                          …………તનમનથી થતાં કામમાં.
જગતકર્તાની  લીલા આ ન્યારી,ના કોઇથી એ પકડાય
સફેદ,ભગવુ કેપાઘડી પહેરતાં,ના પાપડ કોઇથીભગાય
દુરબીન લઇને દરીયોજોતાં,ઝાપટ પાણીની પડી જાય
ધીરજ રાખી સારા કામમાં,પ્રભુકૃપા પણ મળી જ જાય
                           ………….તનમનથી થતાં કામમાં.

===============================

June 8th 2010

માન્યતા

                       માન્યતા

તાઃ૮/૬/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળા કળીયુગની જીવ સંગે,ના માનવીથી સમજાય
મળે દેહને સમયઆવતાં,જગમાં કોઇથી ના રોકાય
                        ……….કળા કળીયુગની જીવ સંગે.
એક કામના અનેક રસ્તા,સાચો કોઇથી ના પકડાય
શાંન્ત ચિત્તે મનથીવિચારે,કામે સરળતા મળી જાય
માનવતામાં મોહ વળગતાં,અનેક કેડીઓ છે દેખાય
મળીજાય સંગેસફળતા,જ્યાં માન્યતા પ્રભુમાં રખાય
                         ……….કળા કળીયુગની જીવ સંગે.
મારુ તારુ સંસારી બંધન,આપણુ એ સમાજનું કહેવાય
છુટીજાય જ્યાં જગનાબંધન,જીવને મુક્તિએ લઇજાય
મનની એવી સૃષ્ટિ પ્રભુની,એ મોહમાયામાં  લબદાય
શ્રધ્ધાને માન્યતાપ્રભુથી,જે જીવને સ્વર્ગતરફ લઇજાય
                        ………..કળા કળીયુગની જીવ સંગે.

++++++++++++++++++++++++++++++++

June 7th 2010

દૌલત

                                  દૌલત

તાઃ૭/૬/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દેશબ્દનો અર્થ સમજતાં જ,સાચી સમજ આવી જાય
દૌલત શબ્દની અનેકસમજ,કઇ છે સ્પર્શે ત્યારે સમજાય
                             ……….શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માનવદેહની મહેનતે મેળવેલ,મુડીને દૌલત છે  કહેવાય
જે સહવાસે દેહને માયામળે,જગતમાં મિલ્કત તે મનાય
અતિમિલ્કતની દૌલત મળતાંજ,તમારીમાનવતા હણાય
અભિમાનના વાદળઘેરાતાં,આ માનવજન્મ વેડફાઇજાય
                          ………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માબાપનાપ્રેમને સંતાનમેળવે,તે પ્રેમની દૌલત કહેવાય
સમજી વિચારી કરેલપ્રેમે,સંતાનના જીવન ઉજ્વળ થાય
અતિ પ્રેમનીવર્ષા થાય ત્યાં,તેમની જીંદગી વકરી જાય
જીવનનાસાદાસોપાનોએ,તકલીફોની વણઝારઆવીજાય
                          ………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
ભક્તિમાં પણ આરીતનિરાળી,અતિ તેનેપણ સ્પર્શી જાય
મનમાં શ્રધ્ધારાખી ભક્તિકરતાં,સંસારે પ્રભુકૃપામળીજાય
ઉજ્વળ જીવન મળીજાય જીવને,ને સંતાનો પણ હરખાય
અતિભક્તિ મળી જાયતો,દેહનુ ભાન જીવપોતે ભુલીજાય
                         …………શબ્દે શબ્દનો અર્થ સમજતાં.

       +++++++++++++++++++++++++++

June 7th 2010

મારી ભક્તિ

                             મારી ભક્તિ

તાઃ૭/૬/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું,મનથી સ્મરણ કરુ પ્રભુનુ
મોહ માયાથી દુરજરાખી,ઉજ્વળ જન્મ માગુ પ્રભુથી
                          ……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
પ્રભાતઉજ્વળ જોવારોજની,સુર્યદેવનુ પુંજન કરુ છું
આગમને જેમ પૃથ્વીઉજાસે,જીવનમારું રહે સહવાસે
પ્રભુભક્તિ દે મનનેશાંન્તિ,ના મળે જીવને અશાંન્તિ
જલાસાંઇને શરણે હું રહેતાં,ભક્તિ મારી શાંન્તિ દેછે
                         ………..શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
માસરસ્વતીની કૃપામળી,ત્યાંજીવનેસાચીરાહમળીછે
મહેનતતનથીકરતાંઆજે,સંસારનીસૌ વ્યાધી ટળીછે
સમયપારખી ભક્તિ કરતાં,ઉજ્વળ પ્રભુકૃપા લીધીછે
સરળજીવન નેસાચીરાહ,સહવાસીઓથી આજેમળીછે
                           ……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
જગની માયા દુર રહીછે,ભક્તિ પ્રભુની મનથી કરી છે
માયાપ્રભુની મેળવી લીધી,શાંન્તિજીવને મળી ગઇ છે
ભક્તિનો અણસાર જલાથી,જીવને મુક્તિ દેશે જન્મથી
સાચીભક્તિની અજબશક્તિ છે.જીવે જગે જાણીલીધીછે
                           ………… શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.

       ============================

June 6th 2010

એ આવ્યો

                         એ આવ્યો

તાઃ૬/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવનની શીતળ લહેર સંગે,મધુરમીઠી સુવાસ લઇને
એ આવ્યો મેધનાદ લઇને,વરસી રહ્યો વરસાદ આજે
                        …………પવનની શીતળ લહેર સંગે.
અવનીપરના આગમને,જગત જીવ હેત પ્રેમે હરખાય
વરસાદની એક બુંદજ મળતાં,પૃથ્વી મહેંકીજાય આજે
શીતળ વાયરો દેહને સ્પર્શે,માનવદેહ જગત પર હરખે
મળતાં સહવાસ શાંન્તિલાવે,માનવદેહે ઉજ્વળતાઆવે
                        …………પવનની શીતળ લહેર સંગે.
હૈયે ટાઢક,દેહે ટાઢક,મળે જગતના જીવને સાચી ટાઢક
મહેર અવની પર સુગંધ લાગે,શબ્દ મળેના તેના માટે
પવનનીલહેર શીતળતાલાવે,ઉજ્વળ જીવનત્યારે લાગે
મળી જાય શાંન્તિ મનને,એ આવ્યો આ વરસાદ ત્યારે
                          ………પવનની શીતળ લહેર સંગે.

============================

June 6th 2010

જન્મદીને પ્રાર્થના

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                           જન્મદીને પ્રાર્થના

તાઃ૫/૬/૨૦૧૦    (૫/૬/૧૯૪૯)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો માનવીનો,આજીવ પર પ્રભુ કૃપા કહેવાય
માબાપ,ભાઇ બહેનની સાથે,સ્નેહાળપ્રેમીઓ છે હરખાય
અવનીપર આવતાંદેહને,નામ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળીજાય
                                  ………..જન્મ મળ્યો માનવીનો.
બાળપણમાં મળ્યોપ્રેમ,જે સંતાન બની મેં માણી લીધો
ઘોડીયામાં આનંદ મળ્યો,મા જશોદાનો મળ્યો કનૈયાને
પ્રાર્થના અને પ્રેમ સ્વીકારી,પ્રભુએ કર્યો ઘણો જ ઉપકાર
ભણતરના સોપાને સિધ્ધી દીધી,મને મળીગયા સોપાન
                                  ……….જન્મ મળ્યો માનવીનો.
જન્મ જીવના બંધન છોડી પ્રભુ,આજીવને મુક્તિ જ દેજો
અખંડ ચરણની સેવા હું માગી,કર્મના બંધનથી જ નીકળુ
માનવતાની મહેંક પ્રસરે,ને નારહે આ જીવનની અપેક્ષા
દેહના બંધનથી દુરજ રહેતા,જીવ રહે જલાસાંઇને શરણે
                                  ………..જન્મ મળ્યો માનવીનો.

=================================

June 4th 2010

શ્રધ્ધાંજલી…..

 

 

 

 

 

 

 

 

                      શ્રધ્ધાંજલી…..

તાઃ૪/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં,મુકી ગયાછે એ પ્રેમની સુવાસ
આદિલભાઇની ગઝલન્યારી,જેમાં મા સરસ્વતીનો સહવાસ
                                 ………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
ગઝલમાં એ ગણનાયક જેવા,જીવન ઉષ્મા ભર્યુ કરીજાય
શબ્દે શબ્દની કેડી પણ ન્યારી,જે નાનામોટાથી સમજાય
ઉમંગ શોકને પારખી લઇને,શબ્દોના સજાવે એ શણગાર
કૃપામાની આંગળીએ રહેતી,જે કલમથકી કાગળ પરજાય
                            …………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
દેહ ત્યજો એ જીવના બંધન,ના કોઇથી અવનીએ છોડાય
યાદ બને સંભારણા જગતમાં,જે કલમ લેખકની કહેવાય
ગઝલ તમે આજે વાંચી,કાલે વાંચસો ને ભવિષ્યે વંચાય
જીવને શાંન્તિ પ્રભુ પણ દેશે,જે વાંચીને હજારોછે હરખાય
                             ………….હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.

===============================

          ગુજરાતી ભાષાના મહાન લેખક અને ગઝલકાર સદગત
શ્રી આદિલભાઇને હ્યુસ્ટન હંમેશાં યાદ કરે કારણ તેમણે અહીં આવી
ગુજરાતી સાહિત્ય સરિતાને પગથીયા આપ્યા છે.તે મહાન અને
પવિત્ર આત્માને અમારા સૌ તરફથી શ્રધ્ધાંજલી રુપે લખેલ કાવ્ય
અર્પણ. ……..પ્રદીપ બ્રહ્મભટ્ટ.

June 3rd 2010

પ્રેમની શોધ

                          પ્રેમની શોધ

તાઃ૩/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવો મળશે ને કેટલો મળશે,ક્યારે મળશે ને ક્યાંથી મળશે
સમજ મને નાઆવી શકશે,ક્યારે જીવની આવ્યાધી ટળશે
                              ……….કેવો મળશે ને કેટલો મળશે.
માગું મનથી પ્રેમ હ્રદયનો,ડરુ છુ હું કે નામળે મને ઉપરનો
દુનીયાદારી મેં જાણી લીધી,ત્યારથી જીવની સમજુ સ્થીતી
અતિ મળે જ્યાં ઉભરો દેહથી,સમજી લેવુ ત્યાં ગયો કામથી
                               ……….કેવો મળશે ને કેટલો મળશે.
સંતાનના સહવાસ નો પ્રેમ,તરસે માબાપ જીવનમાં એમ
લાગણીપ્રેમ ને સદાચાર રહે,જ્યાં સંસ્કારનીગંગા વહ્યા કરે
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં માબાપનોપ્રેમમળી રહે
                              ………..કેવો મળશે ને કેટલો મળશે.
જીવ આ ઝંખે પ્રભુની પ્રીત,માનવ શોધે જગે તેની રીત
માળાથી મળશે કે મંદીરથી,ના સમજમાં આવે એ કોઇથી
આશિર્વાદથી  કે દંડવતથી,ના સમજાય અહીં માનવીથી
                           …………કેવો મળશે ને કેટલો મળશે.

===============================

June 3rd 2010

નિરાળી ભક્તિ

                       નિરાળી ભક્તિ

તાઃ૩/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુની ભક્તિ,મળે છે શક્તિ
પ્રભુની ભક્તિ નિરાળી,જીવેમળે છે શક્તિ ન્યારી
કરેલા કર્મો,સંગે વહે છે
કરેલા સતકર્મો જીવનમાં,ગંગા જેમ સંગે વહે છે.
                           ………પ્રભુની ભક્તિ નિરાળી.
મોહ માયા છે જગતમાં સૃષ્ટિ પ્રભુની
મળેલી મમતા માની જીવને જકડી ચાલે
છુટે ના તનમનથી એ,જન્મથી  દેહે વળગે
જલાસાંઇની જ્યોત જ્યાંછે,લાગે સાર્થકજીવન ત્યાંછે.
                       ………….પ્રભુની ભક્તિ નિરાળી.
મુક્તિ ના દે માનવી જીવને
મિથ્યા આપે માળા,જ્યાં દર્શન માટે માનવ તરસે
શ્રધ્ધાસાથે જીવચાલે,નાવ્યાધી જગમાં કોઇ આવે
મુક્તિ દ્વાર પ્રભુ ખોલી આવે,સંગે સાથે કરુણા લાવે
                            ……….પ્રભુની ભક્તિ નિરાળી.

 ++++++++++++++++++++++++++++++++

June 2nd 2010

હ્રદયનો પ્રેમ

                       હ્રદયનો પ્રેમ

તાઃ૨/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પત્થર જેનો ઘા વાગે તો,ના કોઇથીય ઉભુ રહેવાય
વજ્ર જેવો ઘા વાગે તોતો,ના જગમાં એ સહન થાય
માબાપ કષ્ટવેઠે જગે,સુખી જોવા સંતાનના સોપાન
આંસુ લુછી મા દોડી આવે,ને પિતા દે પ્રેમનો પોકાર 
                             ……….. પત્થર જેનો ઘા વાગે તો.
બાળપણથી જુવાની સંગે,પળપળ માનો તો પ્રેમમળે
ભીનુ જોઇ બદલે પાટલી,ને સંતાનને એ કોરામાં મુકે
માનીસહન કરવાની રીતઅજબ,બાળકને એમળી રહે
દુધનુ પોષણ એ પ્રેમે આપી,સંતાનને સરભળતી રહે
આંખમાં એ આંસુ જુએ તો,પળમાં પ્રેમ દઇએ લુછીલે
                              ………પત્થર જેનો ઘા વાગે તો.
માયાની ના દ્રષ્ટિ માગું,ના લોભની કોઇનાની લકીર
જન્મ સાર્થક કરવા સંગે,રાખુ પ્રેમને જાણે હોય ફકીર
મમતા માતાની મળેમને,ને જીવન રહે મારું હેમખેમ
કરુણાવરસે પરમાત્માની,ને સૌનો મળે હ્રદયનો પ્રેમ
                             ……….પત્થર જેનો ઘા વાગે તો.

============================

« Previous PageNext Page »