December 20th 2019

પ્રેમ જ્યોત

.           .પ્રેમ જ્યોત  

તાઃ૨૦/૧૨/૨૦૧૯           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવ દેહ એતો પરમાત્માની,પાવન કૃપા જ કહેવાય
અવનીપરના આગમનને સંબંધ,ગતજન્મે કરેલકર્મથી મેળવાય
.....એજ લીલા પરમાત્માની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
પવિત્ર ભુમી અવનીપર એજ કહેવાય,જ્યાં પ્રભુના દર્શન થાય
નામોહ કે માયાનો સંબંધ છે દેહને,જે તેમના વર્તનથી દેખાય
જીવને મળેલદેહથી જીવનમાં,પાવનરાહે પ્રભુકૃપાને મેળવી જાય
નાકોઇ અપેક્ષાનો સંગાથમળે,કે નાકોઈજ માગણી સ્પર્શી જાય
.....એજ લીલા પરમાત્માની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
પાવનરાહ મળે દેહને,જ્યાં પરમાત્માની ચીંધેલ રાહે જ જીવાય
આફતને ના આંબે કોઇજ જગતપર,એજ અદભુતલીલા કહેવાય 
પાવનકર્મની રાહમળે જીવને,જે દેહની પ્રેમજ્યોત પ્રગટાવી જાય
કર્મનો સંબંધ છે જીવને દેહથી,જે પાવનકર્મથી મુક્તિ દઈ જાય
.....એજ લીલા પરમામાની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
=======================================================