September 25th 2017

નિર્મળ સ્નેહ

.             નિર્મળ સ્નેહ 
તાઃ૨૫/૯//૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતપર ધરતીને નાપારખી શકે કોઇ,કે ના કોઇથીય દુર રહેવાય
જન્મ મળે જીવને ધરતીપર,જે કર્મનાબંધનથી અહીં તહીં લઈ જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઇ જાય.
પાવનકર્મ એ સ્પર્શે જીવને જગતપર,જે મળેલદેહના વર્તનથી દેખાય
કરેલ કર્મના બંધન એજ જ્યોત જીવની,એ સત્કર્મથી સમજાઈ જાય
નિર્મળ ભાવનાએ કરેલ કર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
ના મળે કળીયુગની માયા જીવને,કે નામોહની કેડી કોઇ મળી જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઇ જાય.
શ્રધ્ધાભક્તિ એ પાવનરાહ જીવની,જે પ્રભુના પ્રેમનીવર્ષા આપી જાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,માનવદેહના કર્મથીએ સમજાય
કુદરતની આઅજબછે લીલા,જીવને મળેલ દેહને મોહમાયા આપીજાય
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જલાસાંઇની,માનવજીવનને એ પવિત્ર કરી જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઈ જાય.
===========================================================
September 20th 2017

નવરાત્રીનો પ્રારંભ

Image result for નવરાત્રીનો પ્રારંભ
.                 .નવરાત્રીનો પ્રારંભ    

તાઃ૨૦/૯/૨૦૧૭    (આસો સુદ-૧ ૨૧/૯/૧૭)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારા અનંતપ્રેમની વર્ષા વરસે,જ્યાં પવિત્ર નવરાત્રીમાં પ્રેમથી ગરબા ગવાય
ગરબે ઘુમતા ભક્તજનો સૌ તાલીઓના તાલને પકડી,સંગે ડાંડીયા ખખડાવી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
કૃપાની પાવન રાહ મળે ગરબે ઘુમતા ભક્તોને,અજબ શક્તિની વર્ષા દેહ પર થાય
આંગણે આવી કૃપા મળે માડીની,મળેલદેહને જગતપર પાવનરાહનો સંગ મળી જાય 
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે જીવને સમયે,જે જીવનમાં માનવતાને મહેંકાવી જાય
સફળ જીવનમાં સરળ રાહનો સંગાથ મળતા,તાલીઓના તાલનો સહવાસ મળી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
આસો માસની અજવાળી રાતમાં પાવનરાહ પકડતા,આરાસુરથી માઅંબા આવી જાય
મેલડી માતાનો રણકાર ગાજે ગરબામાં,જ્યાં માતાનુ આગમન ભક્તોની શ્રધ્ધાએ થાય
પાવાગઢથી માતા કાળકા પધારી કરે કૃપાની વર્ષા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
અંતરમાં નારહે અપેક્ષા જીવનમાં,જ્યાં નવરાત્રીમાં કુળદેવી માતાની કૃપા જીવ પર થાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
==================================================================
September 19th 2017

સમયની સમજ

.           .સમયની સમજ   

તાઃ૧૯/૯/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની કૃપાનોસાથ પણ મળી જાય
જીવનમાં મળતી અનેક તકલીફોને,મળેલ દેહથી ના કદીય કોઈથીય છટકાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
કરેલ કર્મ જીવનમાં દેહ મળતા જીવને,થઈ રહેલ કર્મથી અનુભવ થઈ જાય
સવાર સાંજ એ કૃપા સુર્ય દેવની જગતપર,ના કોઇજ દેહથી કદીય છટકાય
પ્રભાતે આગમન થાય સુર્યદેવનુ,દુનીયાપર સૌ જીવોને પાવનરાહ મળી જાય 
સંધ્યાની જ્યોત પગટે જગતપર કૃપાએ,જે માનવદેહને અંધકાર આપી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
મળેલદેહને સુર્યદેવના આગમને,કર્મની કેડી દીવસમાં થયેલ વર્તન થી દેખાય
સમય એ છે કુદરતની લીલા અવનીપર,નાકદી કોઇ જીવથી ક્યારેય છટકાય
આગમન વિદાય એ અદભુત લીલા,જગતપરના આવન જાવનથી મળી જાય
સમયની સંગે ચાલતો માનવી જીવનમાં,જલાસાંઇની પાવનરાહને મેળવી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
=================================================================
September 12th 2017

સરળ કેડી

.              .સરળ કેડી         

તાઃ૧૨/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
નિર્મળ જીવનની રાહ મળે દેહને,જે સત્કર્મના સંગાથથી સરળ કેડી આપી જાય
પાવનકર્મ એ કુદરતની કૃપાછે જીવ પર,કર્મના બંધન જન્મમરણને સ્પર્શી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
અનેક દેહોના સંબંધ છે જીવને અવનીપર,કરેલ કર્મથી આવનજાવનથી દેખાય
કુદરતની કૃપા એ સરળ જીવનની રાહ આપે,જે થકી મળેલ દેહથી કર્મો થાય
શ્રધ્ધા સંગે પવિત્ર ભાવથી ભક્તિ કરતા,પરમાત્માના નિર્મળ પ્રેમની વર્ષા થાય
ના કળીયુગ કે ના મોહમાયા અડે જીવને,જે જીવનમાં સરળ કેડી આપી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
કુદરતની આફતને ના આંબે કોઇ જીવનમાં,કે ના કોઇનાથીય કદીય છટકાય
મળેલદેહને પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,મળેલદેહની જ્યોત પ્રગટી જાય
સંત જલાસાંઇની પાવનરાહ સમજતા,અનેક જીવોનો પાવનપ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનમાં સ્પર્શે દેહને,કે ના કોઇનીય ખોટી દ્રષ્ટિય પડી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
================================================================
September 8th 2017

ભક્તિનો સ્પર્શ

.              .ભક્તિનો સ્પર્શ 
તાઃ૮/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમ પામતા,માનવદેહને સરળજીવન મળી જાય
અદભુતલીલા છે અવિનાશીની જગતપર,જે નિર્મળ ભક્તિ એજ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
નિખાલસ ભાવથી કરેલ ભક્તિ,જીવને પાવનરાહે પવિત્રકેડીએ લઈ જાય
કર્મના બંધન એજ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવ થઈ જાય
ઉજવળ પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જે દેખાવની દુનીયાને આંબી જાય
મળતી માયાને મળતા મોહને સમજી લેતા,કર્મનીકેડી જીવન સુધારી જાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
કુદરતની સાંકળ છે અદભુત અવનીપર,જે જીવોને અનેક માર્ગે લઈ જાય
સરળ જીવન એજ કૃપા પરમાત્માની,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
લઘર વઘર એ કળીયુગથી અડકે દેહને,જગતમાં ના કોઇનાથીય છટકાય
આગમન વિદાય એતો છે કુદરતનીલીલા,સરળ જીવન જીવતાએ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
==========================================================
September 8th 2017

ચમત્કાર

.              .ચમત્કાર     

તાઃ૮/૯/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આ છે નિર્મળરાહ અવનીએ,જીવને મળેલ દેહને સમયે સ્પર્શી જાય
માનવ જીવનમાં મળે ચમત્કાર યોગ્ય સમયે,જે ના અપેક્ષા કે આફત આપી જાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
સરળ જીવનને ના સ્પર્શે કોઇ તકલીફ,જે શ્રધ્ધાએ ભક્તિ કરતાજ અનુભવ થાય
અવનીપરનુ આગમન એછે કર્મના બંધન,પરમાત્માની કૃપાએ માનવ દેહ મેળવાય
મળેલ દેહને સ્પર્શે સમય જે ક્ળીયુગની કેડી,ના સાધુબાવાથીય કદી દુર રહેવાય
સંત જલાસાંઇએ દીધેલ પવિત્રરાહે જીવતા,જીવનમાં સુખશાંંન્તિની પાવનવર્ષાથાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
જીવનમાં મળે અચાનક શાંન્તિ દેહને,જે નિર્મળ જીવનમાં મળેલ ચમત્કાર કહેવાય
સમયને સમજી ચાલતા મળેલ સન્માનને,આદરણીય પાવનરાહે પ્રભુ કૃપા મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીએ,મળેલ દેહને સ્પર્શે ના કદીય કોઈથી છ્ટકાય
એજ ચમત્કાર છે અવનીપર પરમાત્માનો,જે જીવન સુખશાંન્તિથી સાર્થક કરી જાય 
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
=====================================================================

	
September 6th 2017

કેડી કુદરતની

.           .કેડી કુદરતની

તાઃ૬/૯/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં જીવને બંધન છે કર્મના,જે અનુભવની રાહ પકડતાજ સમજાય
જીવનુ આગમન એ દેહ મળતા દેખાય,જે કુદરતની પવિત્રકેડી કહેવાય
.....એજ પરમાત્માની પરમકૃપા,જીવને મળેલ દેહને પાવનરાહ પણ આપી જાય.
જન્મ મળે એકર્મનો સંબંધ દેહનો,જે નિર્મળભાવે ભક્તિ કરતા મેળવાય
અનેક દેહના સંબંધ છે જીવને,જે આગમન થતાજ જીવને એજકડી જાય
મળેલ માનવદેહ જીવને અવનીપર,જીવનમાં થતા કર્મનાબંધન આપીજાય
કુદરતને ના પારખે કોઇ જગતપર,શ્રધ્ધાથી થતી ભક્તિ સમયે સમજાય
.....એજ પરમાત્માની પરમકૃપા,જીવને મળેલ દેહને પાવનરાહ પણ આપી જાય.
કરેલ કર્મના સંબંધ છે અવનીએ જીવને,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સરળ જીવનની રાહ એજ કુદરતની પવિત્રકેડી,ત્યાં માનવતા મહેંકી જાય
મળે જ્યાં દેહને મોહ અને માયા અવનીએ,કરેલકર્મથી આફત મળી જાય
ના સમજણનો કોઇ સંગાથ રહે,કે ના કોઇ નિર્મળ જીવનનીરાહ મેળવાય
.....એજ પરમાત્માની પરમકૃપા,જીવને મળેલ દેહને પાવનરાહ પણ આપી જાય.
=============================================================
September 4th 2017

પવિત્ર નવરાત્રી


.             .પવિત્ર નવરાત્રી   
તાઃ૪/૯/૨૦૧૭                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા અનંતપ્રેમની વર્ષાએ,નવરાત્રીના નવદીવસ ભક્તિભાવથી ગરબા ગવાય
તાલીઓના તાલ સંગે રૂમઝૂમ રૂમઝૂમ થતા,તાલી પાડતા પ્રેમનો તાલ મળી જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
નમન કરીને તાલી પાડતા માતા મેલડી,શ્રધ્ધાભક્તિ પારખી કૃપાએ પ્રેમ આપી જાય
અનંત શક્તિ શાળી છે માતા અવનીપર,જે નવરાત્રીના નવદીવસ અનુભવ થઈ જાય
કૃપાની પવિત્રકેડી મળે માતાની,જ્યાં પવિત્ર ભાવનાએ તાલી સંગે ગરબા પ્રેમે ગવાય
અદભુત શક્તિની કૃપા થાય ત્યાં,જ્યાં દાંડીયા લઇને ભક્તો માતાને રાજી કરતા જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
માતા ખોડીયારની કૃપાઅનેરી,જે ગરબે ધુમતી નારીઓને સંસારની પવિત્રકેડી દઈ જાય
જ્યાં કૃપા મળે પવિત્ર માતાજીની જીવને,જગતમાં ના કોઇજ અપેક્ષા કદીય અડી જાય
નવરાત્રી એ પવિત્ર તહેવાર માતાજીનો હિંદુ ધર્મમાં,જે મળેલ દેહનેએ સાર્થક કરી જાય
કુદરતની છે આજ અજબલીલા અવનીપર,જે સમય પકડીને જીવતા અનુભવ થઈ જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
===================================================================
September 1st 2017

માતાને વંદન

Image result for માતાને વંદન

.             .માતાને વંદન    

તાઃ૧/૯/૨૦૧૭                      પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જય અંબે માતા,મા જય દુર્ગે માતા,ગરબે ઘુમી વંદન કરીયે મા કૃપા તમારી લેવા
ભક્તિપ્રેમથી વંદન કરીને બોલીએ પ્રેમથી,જય કાળકા માતાને જય ખોડીયાર માતા 
.....માડી તમારા ચરણે પગે લાગીને વંદન કરીને,નવરાત્રીમાં પ્રેમથી ગરબાઓ ગવાય.
દર્શન આપી માકૃપા કરજો ભક્તોપર,મળેલ જીવને તમારી કૃપાએ શાંન્તિ મળીજાય 
નિર્મળ જીવનની રાહ મળતા પાવન કર્મથી,અવનીપરના આગમન બંધન છુટી જાય
કર્મના બંધન એજ તો છે સંબંધ જીવના,જે જીવને અનેક દેહ આપીને પકડી જાય
માતાજી તમારીકૃપા મળે દેહને અવનીએ,જે ગરબે ધુમતા માડીના પ્રેમની વર્ષા થાય
.....માડી તમારા ચરણે પગે લાગીને વંદન કરીને,નવરાત્રીમાં પ્રેમથી ગરબાઓ ગવાય.
દાંડિયા રાસને હાથમાં પકડી ગરબે ઘુમતા,માડી તમારા પ્રેમનીકૃપા શ્રધ્ધાએ મેળવાય
આંગને આવી મા દર્શન દેજો ભક્તોને,જ્યાં પવિત્રપ્રેમથી માડીના ગરબા પ્રેમે ગવાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જે મળેલ દેહને પાવન રાહથી અનુભવ થઈ જાય
વંદનપ્રેમ અને નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિ માતાની,સુખ સ્વર્ગની કૃપા આપી જાય
.....માડી તમારા ચરણે પગે લાગીને વંદન કરીને,નવરાત્રીમાં પ્રેમથી ગરબાઓ ગવાય.
=================================================================
September 1st 2017

જય વ્હાલી માતા

Related image

.                            .જય વ્હાલી માતા

તાઃ૧/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલીઓના તાલ સંગે માડી તારા ભક્તો,ગરબે ઘુમી તારી કૃપા પામવા આવે
પકડી પાવન પવિત્રકેડી જીવનમાં માડી,તારી કૃપા પામવા દર્શન કરવા લાગે
.....નવરાત્રીના પવિત્ર દીવસે માતા કાળકા,પાવાગઢથી હ્યુસ્ટન આવી શાંંન્તિ જીવને આપે.
શ્રધ્ધા પ્રેમને સંગે રાખીને ભક્તો કૃપા પામવા,માતાના ગરબા પ્રેમથી સૌ ગાય
અદભુતલીલા મા તારી અવનીપર,જે અનેક પવિત્રરાહ આપીને ભક્તોને જીવાડે
ગરબે ઘુમી તાલી પાડતા મા તારી,પ્રેમની વર્ષા જીવને મળેલ દેહને સુખ આપે
અનંત શક્તિશાળી છે માતા કાળકા,થયેલ દર્શનથી જગતમાં ભક્તોએ પ્રેમ માગે
.....નવરાત્રીના પવિત્ર દીવસે માતા કાળકા,પાવાગઢથી હ્યુસ્ટન આવી શાંંન્તિ જીવને આપે.
કૃપા મળે જ્યાં માતાની દેહને ત્યાં લાગણી મોહની માયા નાકદીય જીવને સ્પર્શે
અંતરમાં આનંદની વર્ષા મળે કૃપાએ,ના માગણી કે કોઇજ અપેક્ષા રહેતી સંગે
મળે માતાનો પ્રેમ જીવને મળેલ દેહને સ્પર્શે,જે પાવનકર્મ કરાવીને સુખ આપે
પ્રેમભાવના સંગે શ્રધ્ધા રાખતા જીવને,પાવનકર્મના સંબંધ જીવનમાં મળી જાશે
.....નવરાત્રીના પવિત્ર દીવસે માતા કાળકા,પાવાગઢથી હ્યુસ્ટન આવી શાંંન્તિ જીવને આપે.
=====================================================================
Next Page »