September 29th 2015

અનંત આનંદ

.                . અનંત આનંદ

તાઃ૨૯/૯/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં આનંદ અનેરો,જીવનમાં શાંન્તિ આપી જાય
કુદરતની છે અસીમલીલા,જે જીવન નિર્મળ કરી જાય
………….આવી આંગણે પ્રેમ મળે,ના અપેક્ષા કોઇ અથડાય.
પરમાત્માની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ નિર્મળ થાય
મનથીમળેલ શીતળકેડી,જીવને ઉજ્વળતા આપીજાય
મારૂ એ ના સ્પર્શે દેહને,જ્યાં તારૂને દુર રાખીને જીવાય
મોહની કેડી કળીયુગની ચાલ,જે ડગલુ ભરતા સમજાય
………..ના સ્પર્શે વણ માગેલ કેડી,જે જીવન શાંન્ત કરી જાય.
સાગર જેવડો સંસાર અવનીએ,કદી કોઇથીના છટકાય
સંત જલાસાંઇની એકજ દ્રષ્ટિએ,પ્રભુ કૃપાય મળી જાય
અનંતકૃપા આપેઆનંદ,સંસારે સુખસાગર પ્રસરી જાય
મનથીકરેલ ભાવના ભક્તિ,જીવ અપેક્ષાથીછટકીજાય
……….એ કૃપા પરમાત્માની,જે અવનીએ આવીને મેળવાય.

—————————————————————-

 

September 25th 2015

સમયની શીતળતા

.                .  સમયની શીતળતા

તાઃ૧૬/૯/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયની શીતળ કેડી,જગતમાં જીવોને સ્પર્શી જાય
ક્યારે કેટલી શીતળતાને સચવાય,ના કોઇનેયએ સમજાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
કર્મની માળા જીવનને આંબે,જ્યાં શ્રધ્ધા એજ ભક્તિ થાય
માગણીતો અનેક જીવને જકડે,નાકોઇ માનવીથી છટકાય
ગરીબહોય કેપછી રાજા હોય,એ સમયની સીડીએ દેખાય
ના ઉમંગ કે ઉત્સાહની માગણી,કે ના કોઇ અપેક્ષાય રખાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
સમજણની નિર્મળરાહને પામવા,જીવન નિખાલસ જીવાય
નામાગણી કોઈ મનથીકરતા,અંતરમાં આનંદની વર્ષાથાય
નિર્મળ જીવનનીકેડી મળતા,માનવતાની મહેંક પ્રસરી જાય
પરમાત્માની એકજ કૃપાએ,સમયની શીતળતાય મળી જાય
……એજ અજબલીલા અવિનાશીની,જીવ પારખીને જીવી જાય.
========================================

September 15th 2015

ભક્તિભાવના

.                        .ભક્તિભાવના

તાઃ૧૫/૯/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવના પકડી ચાલતા,મળેલ જન્મ પાવન થઈ જાય
અંતરમાં આનંદનીહેલી રહેતા,નામોહમાયા જીવને અથડાય
…………એજ જીવની જ્યોત છે,જે પરમાત્માની કૃપાએ મેળવાય.
લાગણી મોહ એ કળીયુગી ચાદર, અનંત જીવોથી ભટકાય
પરમાત્માની પરમકૃપા પામવા,નિર્મળભાવે જ ભક્તિ કરાય
સુખશાંન્તિ મળે જીવને સંસારમાં,જ્યાં સંસારીજીવન જીવાય
સંસારમાં રહીનેજ ભક્તિ કરતાં,જીવ અંતે મુક્તિમાર્ગે દોરાય
…………એજ જીવન જ્યોત છે,જે પરમાત્માની કૃપાએ મળી જાય.
માનવજીવનને સ્પર્શેદોષ,જ્યાં જીવનમાં અભિમાન અડીજાય
મનની મળેલ મુંજવણથી,જગતપર ના કોઇ જીવથી છટકાય
મારૂતારૂ એ વર્તન જીવનનુ,જે દરેક જન્મે જીવને મળીજાય
નામાગણી પ્રભુથી રાખતા,જીવ પર જલાસાંઇની કૃપા થાય
……….એજ ભક્તિભાવ જીવનો સાચો,જે માનવતા મહેંકાવી જાય.

========================================

September 11th 2015

મનથી માળા

.              . મનથી માળા

તાઃ૧૧/૯/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને શાંન્તિ મળે કૃપાએ,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને ના આંબે કોઇ,એતો સાચી શ્રધ્ધાએજ બચાય
……….જીવન મરણની ઝોળીથી બચાવે,જ્યાં મનથી માળા થાય.
માળાના મણકાની સાથેજ,પરમાત્માનુ જ  સ્મરણ  થાય
બંધ આંખે શ્રધ્ધારાખતાં,અંતરમાં પ્રભુનુ આહવાન થાય
ના માગણી કે મોહ અડે જીવને,એ જ સદમાર્ગે દોરી જાય
જલાસાંઇની અસીમ કૃપાએ,મળેલ જીવન ઉજ્વળ થાય
………એજ જીવને જન્મમરણથી બચાવે,જ્યાં પાવનકર્મ કરાય.
કળીયુગની  કેડીએ જીવતા,માળા ફરે ને મગજ બીજે હોય
દેખાવને રાખી જીવન જીવતા,કુદરતની લાકડી પડી જાય
ના મંદીર કે માળાનો મોહ રાખતા,પાવનકર્મ જીવથી થાય
અંતદેહનો આવતા અવનીથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………એતો સાચી ભક્તિરાહ મળી જીવને,અંતે મુક્તિ આપીજાય.

======================================

September 10th 2015

લાગણી માગણી

.                . લાગણી માગણી

તાઃ૧૦/૯/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી માગણી અડે જીવને,જે જગે ઉત્તર દક્ષિણ કહેવાય
આવી અડે માનવજીવનમાં,જે સુખ દુઃખની જેમ સહેવાય
…………એ અવનીપરના બંધન રહે,જે  જીવને જન્મમરણ દઈ જાય.
મારૂ એતો માગણી જીવની,જીવને અપેક્ષાઓ આપી જાય
કુદરતની કામણગારી લીલા,માનવીને સંબંધને સમજાય
લાગણી એતો અંતરથી નીકળે,જેસાચી નિર્મળતા કહેવાય
પાવનજીવનનાબંધને જીવતા,જીવેકર્મની કેડીથી છટકાય.
………..એજ સાચી રાહ છે  જીવની,જે સાચી ભક્તિથી જ મળી જાય.
માનવદેહના બંધન જગતમાં,માગણી એજ મળતા જાય
અડી જાય જીવને કાયાના બંધન,ના જગે કોઇથી છટકાય
મોહમાયા સ્પર્શેજીવનમાં,એકળીયુગની શીતળતા દેખાય
જન્મમરણના બંધનજકડે,જે લાગણી માગણીએ મેળવાય
……….એજ જીવનમાં આધીવ્યાધીને આપી,કર્મબંધનથી જકડી જાય

=========================================

September 8th 2015

ક્યારે મળશે?

.               .ક્યારે મળશે?

તાઃ૮/૯/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં જીવન જળહળ થાતુ,જે માનવીથી જીવાય
અજબલીલા પરમાત્માની,એ તો અનુભવથી દેખાય …………કુદરત કરે કસોટી જીવની,જ્યાં અંધ શ્રધ્ધાએ જીવાય.
જીવનો સંબંધ છે દેહનીકેડી,જે માનવજીવન કહેવાય
કરેલ કર્મ એજ બંધન છે દેહના,સમય આવે સમજાય
અપેક્ષા જીવનમાંરાખતા,ક્યારેમળે નાકોઇથી કહેવાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,અનંત શાંન્તિ મળી જાય ……….એજ જીવનની સાચી કેડી,જે જીવને પવિત્રરાહ દઈ જાય.
કળીયુગનીકેડી લાગે નિરાળી,જ્યાં માનવીફસાઈ જાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,કદીક મોહ અડી જાય
કર્મના બંધનથી છુટવા કાજે,નિર્મળ ભક્તિથીજ જીવાય અંત જીવનનો આવતા જીવને,ના અપેક્ષા કોઇ અથડાય
…………ત્યારે જીવનેમળે મુક્તિ દેહથી,જે જન્મમરણ છોડીજાય. =========================================

September 7th 2015

સર્જનહાર

.                  .સર્જનહાર

તાઃ૭/૯/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કથા સાંભળી માનવીએ આજે,જે અબજ વર્ષોથી સર્જાઈ હતી
ના જગતમાં તાકાત  કે લાયકાત,કોઇથીય એ સમજાઇ જતી
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
પરમાત્માએ  રૂપ લીધા છે અવનીએ,જેને અવતાર કહેવાય
માનવ જીવને માર્ગ ચીંધેછે જીવનમાં,જે સદમાર્ગથી દોરાય
અજબલીલા મળેલ દેહથીદેખાય,જે માનવપશુપક્ષી કહેવાય
આજકાલને નાઆંબે કોઇ,જે અવનીના અસ્તિત્વથી સંગે હોય.
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
મળે દેહ જીવને અવનીપર,ત્યારે અનેક દેહથી એ ઓળખાય
પ્રાણી હોય,પશુ હોય કે જીવ જંતુ,જ્યાં ભટકતુ જીવન જીવાય
માનવદેહમળે જીવને,પવિત્ર જીવનજીવવાની રાહ મેળવાય
શ્રધ્ધારાખી પવિત્ર જીવન જીવતા,અંતે મુક્તિમાર્ગ મળીજાય
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.

=========================================

 

September 4th 2015

લાગણી કે લોટી

.               . લાગણી કે લોટી

તાઃ૨/૯/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા માનવદેહે જીવનમાં,એજ સંગાથ આપી જાય
આજકાલને ના આંબે કોઈ,જે માનવ જીવનથી સહેવાય
…………આવી અવનીપર જીવને,મળે લાગણી કે લોટી અથડાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ કલમપ્રેમીઓનો,જ્યાં માસરસ્વતીની કૃપાથાય
અપેક્ષાના વાદળ જ્યાં તુટે,ત્યાં પાવનકર્મજ પ્રેમથી થાય
ના અંતરમાં કોઇ અભિલાષા,જ્યાં લાગણી પ્રેમ મળી જાય
………..એજ સાચી રાહ જીવની,જે કળીયુગથી દુર રહીને જીવાય.
વાણીવર્તન સાચવી જીવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
સરળ જીવનનીરાહે ચાલતાય,કદીક કદીક દુઃખ આપીજાય
પડે માથે લોટી તિરસ્કારની,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
એજ કુદરતની અજબલીલા,જે સમયસમયને આંબી જાય
………..માગણીમોહને સમજી જીવતા,આવતી આફત અટકી જાય.

++++++++++++++++++++++++++++++++++++++

 

September 4th 2015

અંતરનું વ્હાલ

.                .અંતરનું વ્હાલ

તાઃ૪/૯/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલ વ્હાલ હુ કરુ અંતરથી,ના ઉભરો કોઇ અથડાય
સંતાન પારખે પ્રેમ માબાપનો,જે માનવતા કહેવાય
………..હૈયેથી વરસેલ હેત જીવનમાં,સંતાનનો સ્નેહ આપી જાય.
અજબ છે લીલા કુદરતની,નાલોહીના સંબંધે સહેવાય
ભાઈબહેનના સંબંધને સ્પર્શે,જ્યાં કળીયુગ અડી જાય
માબાપને છોડી દુર રહીને,સંગીની સંગે છે જ ભટકાય
એજ દેખાવનીદુનીયા,જેને કળીયુગની અસર કહેવાય.
……ના અંતરથી વ્હાલ મળે દેહને,કે ના જન્મમરણથીય છટકાય.
પરખ પ્રેમની જીવને મળે,જ્યાં નિર્મળતાએ જ જીવાય
મળે સફળતાના સોપાન જીવને,જે આશિર્વાદે મળીજાય
ના અપેક્ષાની કોઇ માયા રહે,એજ નિખાલસતા કહેવાય
પ્રેમની નિર્મળ કેડીએ ચાલતા,ના અપેક્ષા કોઇજ રખાય
………એ જ પવિત્ર રાહ દઈ દે જીવને,જે કર્મબંધનને છોડી જાય.

=============================================

September 1st 2015

શક્તિશાળી ભક્તિ

.                 .શક્તિશાળી ભક્તિ

તાઃ૧/૯/૨૦૧૫                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં શક્તિ છે ન્યારી,જગતમાં ના કોઇથી અંબાય
આવી આંગણે કૃપા મળે છે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
………….ના કળીયુગ કે માયા સ્પર્શે,જ્યાં જલાસાંઇને પુંજાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,ના વ્યાધી કોઇ અથડાય
મળે પ્રેમ જીવનમાં  સૌનો,ના અપેક્ષાય કોઈજ રખાય
પરમાત્માનો પ્રેમ પામતા,મળેલ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધાએ કરેલ  ભક્તિએ,જીવનો મુક્તિમાર્ગ ખુલી જાય
………….એજ સાચી ભક્તિ છે ,જ્યાં પરમાત્માય રાજી થાય
માનવદેહ મળે જીવને અવનીએ,એજ પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી પગલુભરતા,જીવને પવિત્રરાહ મળીજાય
અંતરમાંઆનંદ ત્યાં ઉભરે,જ્યાં નિખાલસ જીવન જીવાય
નામાગણી કે નાઅપેક્ષા રહેતા,પાવનકર્મ જીવનમાંથાય
………….મળે સંત જલાસાંઇની કૃપા,જ્યાં પ્રેમથી ભક્તિ થાય.

======================================