Archive for October, 2007

સુવિચાર

Saturday, October 27th, 2007

………………..સુવિચાર…………………………દીપલ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન……………………….૮૩૨/૮૮૬-૫૭૮૩

* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
…તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
* પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઇએ.
* મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.
* સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
* બાહ્ય ચક્ષુ કુદરતને જુએ,અંતર ચક્ષુ પરમાત્માને જુએ.
* જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે.
* ગુરુ બે છે.એક આત્માનું કલ્યાણ કરે,બીજા જીવનનું.
* માગવું તે પામરતા છે,મળવું તે લાયકાત છે.
* મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે,ફળ તે તેની સાર્થકતા છે.
* તારું મારું એ અજ્ઞાનતા છે,અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે.

નોંધઃ ઉપરોક્ત સુવિચાર મારી દીકરીના છે જેમાં હું પણ સહમત થઉ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

((((((((((((()))))))))))))

સંકલ્પ.

Saturday, October 27th, 2007

                                    સંકલ્પ
તાઃ૧૪/૮/૧૯૯૭.                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ ધર્મના મર્મ જ જાણો, ભવસાગર તે તરી જવાનો
તનમન પર કાબુ જે રાખે, જીવન સાચું જીવી જવાનો
                                                          ……કર્મ ધર્મના.

અવતાર મળે છે એકજ સૌને, તરી જવું તે તમારે હાથે
આગળપાછળના વિચાર મધ્યે,કામરહે બાકી દેહપડતાં
                                                            …..કર્મ ધર્મના.

સદવિચારો ની રહી શ્રેણીમાં,આજનું કામ કરો ઝપટમાં
કાલકરતાંકરતાં તમો,પુરણકરશો આઅમુલ્ય જીવતરને
                                                              …..કર્મ ધર્મના.

કરતાં કરતાં અનેક જન્મે,મળ્યો છેઆ અમુલ્ય અવતાર
તારુંમારું જગમાં કરતાંકરતાં,પરદીપ બની શકેનહીંકોઇ
                                                             ……કર્મ ધર્મના.

********* ********** ******** ********

આંગળી, એક તમારા તરફ

Thursday, October 25th, 2007

……………………આંગળી, એક તમારા તરફ………………..
તાઃ૧૬/૧૦/૧૯૯૫…………….હ્યુસ્ટન……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

………..સવારમાં ઉઠીને જ્યારે ધડીયાળ તરફ નજર કરી તો ૬.૦૦ વાગ્યાનો ખ્યાલ આવ્યો. રાતની મીઠી નીંદરને ત્યજીને બીજા દીવસના આગમનને સ્પર્શ કરતી સવાર આજે ઉગી તો ખરી પણ દરરોજની જેમ આજે ઉઠવામાં થોડી નરમાશ હતી તેનો ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે મેં સવારમાં હાથમાં આવેલ સમાચારપત્ર પર નજર કરી, અરે આજે શનિવાર - અને કાલે રવિવાર છે. સોમવાર થી શુક્રવાર સુધી શનિ,રવિ ના આનંદને માટે તથા સુખને સમીપ
આણવા માટે થતા કામ અને મહેનતના અંતે માણવા મળતો રજાનો દીવસ એટલે ‘હાશ’.
………….. મને એમ કે જીવનમાં સુખ-શાંન્તિ મેળવવા અમેરીકા આવવુ જરુરી છે. અમેરીકામાં સ્થાયી થવાને માટે જીવન જરુરી બધી વસ્તુઓ જે ભાવે મળી તેના કરતાં જે ભાવે ગઇ તે નુકશાની કરાવે તેમ હતું છતાં એક સ્વપ્ન જોયેલું કે અમેરીકામાં જીવન જીવવાના ઉત્તંગ શિખરો સર કરવા તથા જીંદગીનીનાણાં પાછળ ફરવાની ટેવને ભુલવા આવી પડ્યા. કદીક જીવનમાં આનંદ તો કદીક ધૃણાને મનમાં રાખીને જ જીવન જીવવાનું શરુ કર્યું. મનની દ્વીધા તથા કમાવાની લાલચને ન રોકવાની ઇચ્છા છતાં રોકવી પડે. કારણ આપણા દેશમાં જન્મતાની સાથે મળેલ ભારતીયતાને કારણે કામધંધો તથા વેપાર એ સહજતાથી જ જીવનમાં વણી લેવાનું હતું તે વલણ ત્યજી આ દેશમાં આવી નવા દ્વારે ઉભા રહી મારે લાયક નોકરી શોધવાની ઉત્સુકતા સાથે બારણે ટકોરા મારું પણ બારણું ખુલતાં જ એમ લાગે કે મારે લાયક નથી. આનંદના વાદળો હતાશામાં ફેરવાઇ જતાં મનમાં ચિંતાઓના દાવાનળ ફાટી નીકળ્યા.ખરે હવે એમ લાગે કે મેં ચીંધેલી એક આંગળી જે અમેરીકા દર્શાવતી હતી, ત્યારે બાકીની ત્રણ મારી માતૃભુમી ભારત તરફ હતી.અને કહેતી હતી એક કરતાં ત્રણની તાકાત વધારે છે……….વાત સાચીને???????????????

—–$$$$$$$$———-$$$$$$$$———$$$$$$$$$——-

નારીના ફેર

Tuesday, October 23rd, 2007

……………………નારીના ફેર…………………
તાઃ૨૯/૩/૧૯૭૭……………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારી તારા અંગે અંગે છે ફેર.
……………….મનમાં ઉમંગોને મુખડા પર છે ફેર;
જ્યાંથી નીરખુ તને ત્યાંથી દીસે નહીં કેમ.
……………………………………………….નારી તારા.

કાજળ જેવી આંખમાં,શીતળતાથી પડે ફેર
કાંટા દીસતા તનડામાં,પણ સ્નેહકેરો છે ફેર
પ્રેમળતાની જ્યોત જલે,ત્યારેદીપ સળગેછે કેમ
……………………………………………….નારી તારા.

સોડમ તારા અંગની,સર્વાન્ગે વ્યાપી રહે
એક ચિનગારી હેતની,જીવન પર બિછાઇ રહે
સુંદરતાના મોહમાં,કુરુપતા દીસે છે કેમ.
……………………………………………….નારી તારા.

તરસતા આ નૈનોમાં શું પ્રેમ છુપાયો નથી?
વરસતા આ સ્નેહમાં ઉર્મીઓ જાગી છે જેમ
નીડરતાના છાંયડે, બેઠો ડરપોક થઇ કેમ
……………………………………………….નારી તારા.
—————-

સ્નેહબંધન

Tuesday, October 23rd, 2007

સ્નેહબંધન
તાઃ૨૧/૧૧/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહબંધન…(૨) જગમાં સાચું,
સ્નેહ ભરેલા જીવનમાંહી..(૨)
કર્મનુ બંધન નીસદીન વાચું………..સ્નેહબંધન

પ્રેમ મળે છે પ્રેમની સાથે…(૨)
હેત દીસેલા મનડાં માની
જ્યોત જલે છે સ્નેહને કાજે
વર્ષો વીતિ ગયા….(૨)……………સ્નેહબંધન

મેળ જગતમાં પ્રેમને કાજે..(૨)
માનો પ્રેમ મળે એ સાચો
ભાઇની જ્યોત જલે બેન કાજે
સૃષ્ટિના ભેદ અજાણ..(૨)…………સ્નેહબંધન

**************
પ્રસ્તુત ગીત ગુજરાતી ફિલ્મ સ્નેહબંધન માટે નિર્માતાના કહેવાથી
લખેલ જેને આણંદના શ્રી કિશોર પંડ્યાએ ચંન્દ્રકૌસ રાગમાં ગાયેલ.

मेरा प्यारा हिन्दुस्तान.

Wednesday, October 10th, 2007

…………………..मेरा प्यारा हिन्दुस्तान.
ताः२१/११/१९९७………………………………प्रदीप ब्रह्मभट्ट

प्यारा हिन्दुस्तान , हमको प्यारा हिन्दुस्तान
हम जीनको कहते है भारत, वो हैअपनी शान
………………………………..हमको प्यारा हिन्दुस्तान..(२)

जनमलीया है जीस धरतीपर है वो बडी महान
अमर कहानी उसकी है, जीनकी है हम संतान
…………………………………हमको प्यारा हिन्दुस्तान..(२)

वतनहमारा हमकोप्यारा,पुरा हमको है विश्वास
गंगा जमना उसकी नदीयॉ पावन है निश्काम
…………………………………हमको प्यारा हिन्दुस्तान..(२)

सदाचारकी नदीयॉ बहेती,प्यार सदा स्वीकार
हमतो अपनी मातृभुमीके, सदा र्हे न्योछावर
…………………………………हमको प्यारा हिन्दुस्तान..(२)

अपनी भाषा अपनी गाथा, जगमे कहीं नहीं
सच्चाइके बंधनपे हमकरदे जीवनका बलीदान
…………………………………हमको प्यारा हिन्दुस्तान..(२)

अमर कहानी अमर वीरोकी,है अपना इतिहास
कुरबानी की एक राह पर, देदी अपनी जान
…………………………………हमको प्यारा हिन्दुस्तान..(२)

पावन उसकी नदीयॉ है और पावन है अवतार
पाया हमने मानवतासे सच्चा प्यार मॉका वहॉ
………………………………..हमको प्यारा हिन्दुस्तान..(२)

दीप बनके राह दीखाये,’परदीप’अपनी शान
सच्चे राही बनके देशकी,आज बढायेगे शान
………………………………..हमको प्यारा हिन्दुस्तान..(२)

………..*********…………..*********………….

સ્નેહાળ યાદ

Wednesday, October 10th, 2007

…………………સ્નેહાળ યાદ…………………
…………………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ.

સાંજ સવારે શીતળ વાયરે યાદ તમારી છેઆવે
મનમંદીરના દ્વારે જાણે આજે ટકટક ટકોરા વાગે
એવી યાદતમારી આવે મુજનેયાદ તમારી આવે.

શ્રાવણ માસે રટતો તારા સ્નેહ ભરેલા એ શબ્દો
શ્રાવણી સાંજે મન મળેલા, યાદ મને તુ આવે
સમી સાંજની વેળા એવી મુજ જીવનસંગી લાવે.
………………………………….એવી યાદ ક્યારેક આવે.

સાગરનેસરિતાનું મિલન,સંગાથબનેભવોભવનો
તારાપ્રેમને તરસી રહ્યોતો,જેમ ચાતકચાહે મેઘ
અંત પ્રેમનો પ્રેમાળદીસે,ને મળે જીવનમાં સ્નેહ
………………………………….ત્યારે યાદ તમારી આવે.

લાગણી પ્રેમને સ્નેહ ભરેલા,હેતનાવાદળછે ઘેરાય
ક્યાંય ન દીસે સ્વાર્થ જગતમાં,સ્નેહેસ્નેહેસૌ સંઘાય
પ્રદીપ બનું તોવ્હાલું જીવન ઉજ્વળ જગમાં દેખાય
…………………………………..એવી યાદ તમારી આવે.
———————–

પરમાત્માની યાદ

Tuesday, October 9th, 2007

                        પરમાત્માની યાદ
                                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ જગતના સર્જનહારની લીલા, કોઇ કળી ના જાણે
ક્યાંક ક્યાંક તો તાંતણો બંધાય,ને ક્યારે તુટે ના જાણે
મળેલ જીવન જીવી જાણી,પ્રેમનાતાંતણે હું બંધાઈ રહું.
                                      …..એવી યાદ પ્રભુની આવે મુજને..(૨)

માની માયા ને પ્રેમ પિતાનો,મુજમાં કાંઇક વણાઇ રહે
સમજઆવતા પ્રથમપગથીયે,પારકે મનપરોવાઇ ગયું
દ્રષ્ટિ તારી નેત્રો મારા,જીવન પગથી ને જોઇ રહ્યા.
                                      …..એવી યાદ પરમાત્માની આવે…(૨)

માયામારી,સંતાનનેમમતા,તારા કાજે મુજને મળીગઇ
લેખ વિધીના લખાયા જાણે,જન્મોજન્મના સંગાથ અહીં
હાથ હાથનો ટેકો મળે તો,જીવન જન્મ સફળ બનશે.
                                     …..એવી યાદ પરમકૃપાળુની આવે..(૨)

#*******#********#********#

ગુજરાતી

Monday, October 8th, 2007

પ્રદીપકુમાર……………….ગુજરાતી……………..બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન
હું ગુજરાતી ને તમેય ગુજરાતી, આપણે સૌ ભઇ છીએ ગુજરાતી
જગમાં માયા ને જગમાં પ્રેમ, વરસાવે મનથી વરસાદની જેમ
હેત મેળવી ને હેત વરસાવી, હૈયે અનંત પ્રેમ દર્શાવું તેવો
………………………………………………..હું ગુજરાતી
હ્યુસ્ટન ટેક્ષાસને કર્યું ગુજરાત, સ્નેહપ્રેમથી મેળવી હાથમાં હાથ
શબ્દેશબ્દે જ્યાં અર્થ સરે, ને હૈયે હૈયે ઉભરાય છે હેત
પ્રેમ મળ્યો સંસ્કારમાં જેને, નામળે આ જગમાં કદીયે જોટો
………………………………………………..હું ગુજરાતી
મહાભારતને માળીએ મુક્યું, જીંદગીમાં ના છે કોઇ રામાયણ
કર્મના બંધન તો છે બાંધેલા, ના તે માટે મનમાં કોઇ શંકારહી
અહીંયાં આવ્યો પ્રેમ મેળવવા, કલમ તણી સૃષ્ટિને હું માણું
………………………………………………..હું ગુજરાતી
અબ્દુલભાઇની કલમ અજબની, શબ્દે શબ્દના છે જ્યાં અર્થ સરે
‘રસીકમેઘાણી’નામથીજગછેજાણે, કલમ ભાષાની ભઇ તેમની ભારે
સુમનભાઇની સરળ ભઇ ભાષા ને વર્ષાબેનની કમાલની કલમ
………………………………………………..હું ગુજરાતી
ચીમનભાઇ તો’ચમન’બન્યા ને મનોજભાઇ,’મનોજ હ્યુસ્તનવી’
એવો ભાષા પ્રેમ પ્રેમીઓનો, અંતરમાં ઉપજાવે અનેરા હેત
ગીરીશભાઇની ગરવી કૃતિઓ, ને શબ્દોના સણગાર ધીરુભાઇના
………………………………………………..હું ગુજરાતી
વિશાલભાઇની વિશાળ ભાવના, હેમંતભાઇ હરખાતે હૈયેસુંદરલખીજાય
શબ્દોનાસથવારેઆવ્યુ છેગુજરાત, કલમમળતાંહાથમાંપ્રદીપ છેમલકાય
ક્ષતી મારી પ્રેમથી કરજો માફ,સદા હૈયે રાખી પ્રેમે માગતો સૌના હેત
…………………………………………………હું ગુજરાતી
પ્રવીણાબેન ને લખવાની માયા, ને સરયુબેન સુંદરકૃતિ આપે,
વિજયભાઇના સથવારે મળીગયાસૌ મહંમદભાઇપણલખતાંનાથાકે
સુરેશભાઇનું સુંદર સર્જન, ને રમેશભાઇની પ્રેરણા અમને મળતી
…………………………………………………હું ગુજરાતી
રસેશભાઇની કલમ મઝાની,ને નિખલભાઇની અનોખી ભાષા
વાંચવા સૌના મનડા તરસે,વાંચકોના મનમાં છે અભિલાષા
આંગણું અમારુ હ્યુસ્ટનનું શોભે, ગુર્જરી કલમ તણા સથવારે
દેવીકાબેનની દ્રષ્ટિ અનેરી,ને નિશીતભાઇ ની લગનકલમની
…………………………………………………હું ગુજરાતી
અશોકભાઇનેકીરીટભાઇ સર્જનમાં સાથે,ફતેહઅલીનેસાથેવિશ્વદીપભાઇ
મા સરસ્વતીના સૌ વ્હાલા સંતાન, હૈયે હાથે સ્નેહ ધરીને પ્રેમ સૌમાં પ્રેરે
માયા સર્જકોનીનેસંતાનછુ મા નો,સરસ્વતીનોપુત્ર છુ નેભાઇભાંડુંસૌમારા
…………………………………………………હું ગુજરાતી
————————–
અમેરીકાના હ્યુસ્ટનમાં ગુજરાત લાવનાર લેખકોને સંકલિત કરવાનો પ્રયત્નશ્રી વિજયભાઇ શાહની પ્રેરણાથી મેં કર્યો છે જે મારી શુધ્ધભાવનાથી થયો છે.નિખાલસ ભાવના હોઇ કોઇ ક્ષતિ હોય તો સર્જકો તથા વાંચકોની માફી માગું છુ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન રવિવાર તાઃ૭મી ઓક્ટોબર,૨૦૦૭. .

હે ભોલેશંકર

Sunday, October 7th, 2007

                      હે ભોલેશંકર
                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ભોલેશંકર, હે ડમરુધારી
            હે ત્રિશુલધારી,હે ભોલે ભંડારી
                     છો જગતઆધારી,છો પ્રલયંકારી
                                                   ……..હે ભોલેશંકર

છો મૃત્યુદાતા,છો જીવન આધારી
          તમે સૃષ્ટિધારી,છો પાપવિનાશી
                   દો મુક્તિ અમોને,લઇ હાથ અમારો
                                                    …….હે ભોલેશંકર

હે પાર્વતીપતિ,હે વિષધરધારી
          છો પરમકૃપાળુ,છો પરમદયાળુ
                  લો ભક્તિ અમારી,દો શક્તિ અનેરી
                                                    …….હે ભોલેશંકર

દો દર્શનદાની,લો ભવ આ સુધારી
        દો મુક્તિમાયાથી,લો ભક્તિસ્વીકારી
                   છો વિશ્વવ્યાપી,ઓ ત્રીશુલધારી
                                                    …….હે ભોલેશંકર
————————————————