January 30th 2010

યાદગીરી

                               યાદગીરી

તાઃ૩૦/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયનુ કામ કરે,ના તેમાં કોઇ ભેદભાવ
પકડી લેતાં માનવી બને,જે યાદ રહે જગમાંય
                       ……..સમય સમયનુ કામ કરે.
જગતપિતાની કૃપા થતાં,જીવને મળે માનવ જન્મ
થતાં અવનીએ કર્મના બંધન,જે કરેછે જીવને મુક્ત
મારા તારાની માયા બતાવે,મોહનાબંધન સદામળે
મુક્તિ પામશે આ પામર જીવ,ભક્તિમાં રાખેજો સંગ
                         ………સમય સમયનુ કામ કરે.
જીવનના સોપાન ચઢતાં,પ્રથમ ભણતરનો લેસંગાથ
મહેનત મનથી કરતાં ત્યાં સફળતાનો મળે સહવાસ
સિધ્ધિ પામતા આ સોપાને,મળીજાય દેહને સન્માન
યાદ રહે એનામ,કામ,જેને જગમાં યાદગીરી કહેવાય
                          ………સમય સમયનુ કામ કરે.
જુવાનીના જોશને પકડી,જ્યાં વિશ્વાસે મહેનત થાય
મળે સોપાન સોપાને સરળતા,જે ઘણુ બધુ દઇ જાય
સધ્ધર પાયે જીવન મળતાં,સંસાર શાંન્તિએ મહેંકાય
આંગળી ચીંધાય જ્યાં કર્મને,ત્યાં યાદગીરી રહીં જાય
                          ……….સમય સમયનુ કામ કરે.
જન્મ સાર્થક કરવાને જ્યાં,પ્રેમથી પ્રભુની ભક્તિ થાય
નિર્મળ હૈયે પુંજન કરતાં જીવને,ભક્તિ પથ મળી જાય
ઉંમરના ઓવારે આવતાં,મુક્તિદેવા પરમાત્મા હરખાય
અવનીપરની વિદાયથી,સગાંસ્નેહીઓને રાહમળી જાય
                           ………સમય સમયનુ કામ કરે.

==================================

January 30th 2010

પુણ્ય તીથી

                             પુણ્ય તીથી

તાઃ૩૦/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોઇ દિવસ અને કોઇ સમય,જે જગમાં નોંધાઇ જાય
સાર્થક માનવ જન્મ થતાં,એ પુણ્યતીથી જ કહેવાય
                    ……….કોઇ દિવસ અને કોઇ સમય.
જીવ જન્મના આ સંબંધ, તો જન્મો જન્મના છે ખેલ
કુદરતની ન્યારી આ લીલા,ના જગમાં રહે કોઇ મેળ
જન્મમળે ના જીવને જગમાં,છે મોટી ત્યાં રેલમછેલ
આજકાલના છે આ બંધન ન્યારા,ના તેમાં  કોઇ ભેદ
                    ………કોઇ દિવસ અને કોઇ સમય.
ન્યારી દેહને તક મળે,જ્યાં માનવ દેહ જગમાં મળે
ઉજ્વળજીવન સાર્થકકરતાં,ફરી જગમાં જન્મનામળે
ના રોકાય સમય કે વાર,એતો અગણીત લીલાજગે
યાદ રહે એ વાર ને તીથી,જે જગમાં કદી કદી મળે
                   ……….કોઇ દિવસ અને કોઇ સમય.
માનવતાની મહેંક છે ન્યારી,ના કુદરતનો  કોઇ ભેદ
આવી અવની પર કરતાં,સાર્થક બનતા કામ અનેક
મળીજાય ત્યાં માનવતા,જ્યાં સહકાર સાથબની રહે
પુણ્ય તીથીની આરીત,જ્યાં પ્રેમછે ત્યાંએ મળ્યા કરે
                    ………કોઇ દિવસ અને કોઇ સમય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

January 30th 2010

મો.ક.ગાંધી

                                      મો.ક.ગાંધી

તા ૩૦/૧/૨૦૧૦                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

            ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
          આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..

શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ ………..

શ્રીમાન

મોહમાયાને ત્યાગી પવિત્ર જીવન જીવી ગયા.
રેક પળને પારખીને જીવન સાર્થક કર્યું.
થી જોયા સ્વાર્થ કે લોભ,ફક્ત દેશની આઝાદી એ લક્ષ હતું
લાલચ અને લોભને દુર રાખી દેશ માટે જીવન અર્પણ કર્યુ.
ક્ષ મેળવવા ભારતની જનતા તેમનો સાથ બની

ર્મ અને ધર્મ જનતાને બતાવતા સૌનો સાથ મળ્યો.
હીમ અને રામને એક જોતાં કોમવાદ દુર રહ્યો.
હેનત કરી માનવતાનો માર્ગ લીધો.
ચંચળ મન પર કાબુ રાખી શ્રધ્ધાને સબળ કરી.
રેક જીવને માનવતાનો માર્ગ બતાવ્યો.

ગાંધી કુળને જગતમાં ભારતની શાન કરી.
ધીરજ રાખી સત્યનો માર્ગ મેળવી દેશને આઝાદ કર્યો.

         શ્રી મહાત્મા ગાંધીએ જીવન ઉજ્વળ કરી ગુજરાતીઓને જગતમાં
શાન અપાવી છે.

તે પવિત્ર જીવને કોટી કોટી વંદન.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.તાઃ૩૦/૧/૨૦૧૦.

++++++++++++++++++++++++++++++++++++++++

January 30th 2010

જાગતા રહેજો

                     જાગતા રહેજો

તાઃ૨૯/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની આ કામણલીલા,ના મહીમા અપરંપાર
આંગણે આવી ઉભી રહેએ,કરવા જીવનને બરબાદ 
                 ……….. કળીયુગની આ કામણલીલા.
માનવતાનીમહેંક રહેપાછળ,ને આગળદોડે અહંકાર
પામી લેતા જગતના આસુખને,છોડી દે એ ઘરબાર
કોણ ક્યારે મારું રહેશે અહીં,ના મળશે કોઇ અણસાર
છોડી ચાલશે પોતાનાસર્વને,દુશ્મન બનેએ પળવાર
                      ……….કળીયુગની આ કામણલીલા.
લીપસ્ટીક લાલી જ્યાં મળશે,નારી દેહ જગે એ ભટકે
ટાય પૅન્ટની પકડ મળી જતાં,માનવતા ત્યાંજ અટકે
સ્નેહ સંતાનનો લેવા માબાપને,કળીયુગે નમતા દીઠા
ભગવાનો દેખાવપણ માણતાં,વૈભવનાભંડાર છે લીધા
                     …………કળીયુગની આ કામણલીલા.
===================================

January 30th 2010

પ્રેમી પોકાર

                          પ્રેમી પોકાર

તાઃ૨૯/૧૦/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અણસાર સહવાસનો,કે ના સ્વાર્થનો રણકાર
જગમાં સમયે આવી મળે,હ્ર્દયનોજ પ્રેમીપોકાર
                         …….. ના અણસાર સહવાસનો.
કુદરતની આ રીત ન્યારી,જે પ્રેમ શબ્દે મળી જાય
અંતરનો કે બહારનો છે,એતો સમયે સમજાઇ જાય
મોહ માયા ના દેખાય,જ્યાં માબાપનો આવી જાય
આશીર્વાદ જ્યાં દીલથી મળે,ત્યાં ના ઉભરો દેખાય
                         ……… ના અણસાર સહવાસનો.
માનવદેહની માયા જીવને,મુક્તિના બતાવે એ દ્વાર
ભક્તિનો પોકાર દીલથીકરતાં,મળે સંતોનો સહવાસ
સાચી ભક્તિ મનથીજ કરતાં,ના ભુમી ભટકવું થાય
મળીજાય કૃપાપ્રભુની,ના દિવો લઇ શોધવા જવાય
                     …………. ના અણસાર સહવાસનો.

************************************

January 29th 2010

કર્મની ઓળખાણ

                       કર્મની ઓળખાણ

તાઃ૨૮/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
                        ………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
                      ………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ થાય
સમય ના હાથમાં કોઇના,કે ના કોઇથી એ કદી રોકાય
સંતનુ શરણુ મેળવી લેતાં,જીવને સદ માર્ગે દોરી જાય
અલખની દોરી મેળવીલેતાં,કર્મે જીવન પણમહેંકી જાય
                        ……….જીંદગી તો જીવી જવાની.

===================================

January 29th 2010

અવસ્થા

                                  અવસ્થા

તાઃ૨૮/૧/૨૦૧૦                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધનમાં ભઇ,જીવને જન્મ મળી જાય
કૃપાપ્રભુની એવીનિરાળી,સમયે અવસ્થા દેખાઇ જાય
                           ………જન્મ મરણના બંધનમાં.
માતાની કૃપા થકી જીવને,જગતમાં દેહ મળી જાય
બાળપણ દેહને મળતાં,સર્વનો પ્રેમ પણ આવી જાય
હાલરડાની મીઠી સોડમમાં,માબાપનો પ્રેમછે લેવાય
આંખની પલક જોવાને માતા,સારી રાત જાગી જાય
                         ………..જન્મ મરણના બંધનમાં.
માયા છુટતાં બાળપણની દેહે,જુવાનીના મળે સોપાન
બુધ્ધિ ચાતુર્ય વાપરી લેતાં,જીવનમાં કેડી મળી જાય
સોપાન સધ્ધરતાનામળે,જ્યાં મહેનત મનથીજ થાય
જુવાનીની અવસ્થાને પારખતાં,જન્મ સફળ થઇ જાય
                           ………જન્મ મરણના બંધનમાં.
કુદરતની કલા પારખતાં, સમયે ઉંમરની આવે દિવાલ
સાચવીનેટેકો લાકડીનોલેતાં,ના ડગીમગી ક્યાંયજવાય
સહવાસ અને સથવાર મળતાં જ,મનને હળવાસ થાય
બાળપણ,જુવાનીકે ઘડપણ,આ દરેક અવસ્થા સચવાય
                            ……..જન્મ મરણના બંધનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 28th 2010

વંદનના સોપાન

                 વંદનના સોપાન

તાઃ૨૭/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન માબાપને,જેણે દીધો છે માનવ દેહ
જન્મ દીધો માતાએ,ને પિતાએ દીધો ઉજ્વળ પ્રેમ
                       ………પ્રથમ વંદન માબાપને.
કર્મના બંધન જીવની સાથે, જે ગતિએ લઇને જાય
વાણી વર્તન સાચવી લેતા,જીવન પણ સાર્થક થાય
વંદન માબાપને કરતાંમનથી,આશીર્વાદ છે લેવાય
જીવનમાં શાંન્તિ આવીજાય,ને પ્રભુ કૃપા પણ થાય
                        ……….પ્રથમ વંદન માબાપને.
પ્રભાતપહોરમાં પ્રભુનેવંદન,જીવે માનવતા મહેંકાય
ધુપ,દીપને અર્ચન કરતાં,જીવપર પરમાત્મા હરખાય
મહેંકે જીવન માનવતાએ,ને સધળા કામસફળ થાય
મનનેમળે નેજીવનેમળે,જે શાંન્તિ પ્રભુકૃપાએ લેવાય
                          ………પ્રથમ વંદન માબાપને.
ભણતરના સોપાન બતાવી,રાહ જીવનમાં જેણે દીધો
ગુરુજીનેવંદન થાયપ્રેમથી,જેથી ઉજ્વળ જીવન લીધુ
માર્ગ મહેનતનો મેળવી,જીવે સાર્થક જન્મ જગે દીઠો
મનુષ્યજીવન પ્રભુકૃપાએ,આશીર્વાદે પાવનકરી લીધુ
                         ………પ્રથમ વંદન માબાપને.

=================================

January 28th 2010

અપેક્ષાનો સંગ

                            અપેક્ષાનો સંગ

તાઃ૨૭/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં અવનીએ,જીવનેઅનંત આનંત થાય
માનવ દેહને પામતા જગમાં, ખુશી ખુશી થઇ જાય
                         ……..જન્મ મળતાં અવનીએ.
કર્મનાબંધન છે જીવને,જે અવનીએ જ લાવી જાય
દેહ સાર્થક કરવા જગમાં,અણસાર માનવીએ  થાય
પ્રભુ કૃપાને  પામવા કાજે, ભક્તિના લઇ લે છે દ્વાર
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરતાં,પાવનપ્રેમ મેળવાય
                        ………જન્મ મળતાં અવનીએ.
જીવનેમાયા વળગે જગતની,જન્મે જન્મે મળીજાય
વ્યાધી સાથે અડચણ આવે,જ્યાં મોહમાયા જોડાય
ભક્તિ મનની સાચા સંતની,ખોલે પ્રભુ કૃપાના દ્વાર
જન્મમરણને ત્યજવા,જીવની અપેક્ષા મુક્તિનીથાય
                         ………જન્મ મળતાં અવનીએ.
કરુણા સાગરની કરુણા ન્યારી,જે નિર્મળતાએ લેવાય
સ્વાર્થ મોહને દુર ફેંકતા,સાચા સંતનો સહવાસ થાય
મળીજાય જ્યાં પ્રભુ સ્મરણ,રામનામની પ્રેરણા થાય
ઉજ્વળ જન્મ થાય જીવનો,સ્વર્ગની ધરતીએ જવાય
                        ………..જન્મ મળતાં અવનીએ.

=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=

January 27th 2010

૨૦૧૦ની જીવન જ્યોત

               ૨૦૧૦ની જીવન જ્યોત

ચી.દીપલ,નિશીત હ્યુસ્ટનથી નીકળ્યા,
                     અમદાવાદમાં માણવા ઇશીતાના લગ્ન;
આંગણે આવ્યો પ્રસંગ રધુભાઇ ને,
                    દીકરીને ઉજ્વળ જીવનમાં દેવામાં મગ્ન.

પરીમલભાઇ કે રધુભાઇ નામ બે,
                      પણ ઘરમાં ભઇ આ વ્યક્તિ છે એ એક;
માતા પન્નાબેનની લાડલી ઇશીતા,
                     છે વળી ભાઇ ઇશાનની વ્હાલી મોટીબેન.

પારેખ કુટુંબની સંસ્કારી લાડકી દીકરી,
                    બનશે સિધ્ધાર્થકુમારના જીવનનો સંગાથ;
ફેબ્રુઆરીની તારીખ પહેલીના મંગળફેરે,
                    ભળશે એ પ્રેમાળ કુટુંબે લગ્નના ફેરે સાત.

પ્રસંગે મોટા પપ્પા પંકજભાઇ હરખાય,
                    મોટી મમ્મી નીલાબેનતો હરખપદુડા થાય;
શ્વેતાબેન સાસરેથી આવ્યા ઓમની સાથે,
                     માણવા ઇશીતાના લગ્નનો મળતો આનંદ.

દાદાચંપકભાઇ પૌત્રીનાલગ્ને છે મલકાય,
                 દમયંતીબા પણ ખુશીના આશીર્વાદ દઇ જાય;
સંજયકાકા અને ફાલ્ગુની કાકી પણ હરખાય,
                 ભાઇ આદીત્યને બહેન એકતા પણ રાજી થાય.

પ્રતીમાબેન પણ પહોંચી ગયા ત્યાં જલ્દી,
                 જાનને આવકારવા વહેલા ચંચલ પાર્ટી હોલે;
સાસુ ભારતીબેન ને સસરા દીનેશભાઇને મળ્યા,
                 જમાઇ ચી.સિધ્ધાર્થને પોંકવા કંકુ ચોખા સાથે.

દીકરીને વિદાયનો પ્રસંગ આવે જીવનમાં એક
                   માબાપ મલકાય જોઇને દીકરીના સુખ અનેક
પ્રદીપ,રમાના હૈયાના આશીર્વાદથી મેળવે
                 ઇશીતા,સિધ્ધાર્થ સુખી સંસાર જલાસાંઇથી ભેંટ

***************************************
            કલા નિકેતન અમદાવાદના શ્રી પરીમલભાઇની દીકરી
ચી.ઇશીતાના લગ્ન તાઃ૧/૨/૨૦૧૦ના રોજ છે.તે લગ્નની યાદ રૂપે
મારી દીકરી દીપલની પ્રેરણાથી અર્પણ.     લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

Next Page »