January 9th 2010

આજ અને કાલ

                     આજ અને કાલ

તાઃ૯/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

આજકાલ એ દેહના બંધન,
                 મળતા જીવને જગના સગપણ
જન્મ ધરે જ્યાં જીવ જગતપર,
                મળીજાય આજકાલની એ અંદર
                 ……… આજકાલ એ દેહના બંધન.
પરમાત્માની કૃપા અને,જીવના જગતના બંધન
જીવને એવો જ દેહમળે,એ માનવી પશુ કે બંદર
લેણદેણ છે હિસાબ પ્રભુનો,નામાનવી સમજે કોઇ
ભક્તિભાવમાં જે જીવ ચાલે,એણે પ્રભુકૃપાને જોઇ
                     ………આજકાલ એ દેહના બંધન.
આજને પકડી જે ચાલે જગમાં,ના તેને ચિંતા કોઇ
મળીજાય મહેનતથી આજે,તેણે કાલ ઉજ્વળ જોઇ
કાલ કરવાની તેવડમાં જ,જે આજને ભુલીજ જાય
આવે વ્યાધી આંગણે આજે,નાકાલ માટે એ રોકાય
                    ……….આજકાલ એ દેહના બંધન.
આ સમયને પકડી ચાલતાં,સઘળુજ સચવાઇ જાય
રાહની કોઇ ના જરુરપડે,કે ના સમય વેડફાઇ જાય
આજ કાલનો ના વિચાર કરતાં,વ્યાધીઓ દુર થાય
મળીજાય જ્યાં કૃપા પ્રભુની,ત્યાં હિંમતથીજ જીવાય
                     ………આજકાલ એ દેહના બંધન.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

January 9th 2010

જન્મ મરણ

                   જન્મ મરણ

તાઃ૯/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણ એ દેહના બંધન,
          જ્યાં જીવ અવની પર આવે
રામ,કૃષ્ણ એ નારાયણ રૂપ,
            તોય તેમના દેહને ના છોડે.
                        ……….જન્મ મરણ એ દેહના.
દેહ જગત પર આવતાં,માતાનો જગે પ્રેમ મળે
લાગણી માયાને સ્નેહથી,માતાની કુખ છે ઉજળે
પામી પ્રેમમાતાનો દીલથી,દેહને શાંન્તિ જ મળે
જન્મસફળ કરવામાં તેનો,પ્રેમ માનો પાયો બને
                          ………જન્મ મરણ એ દેહના.
વાણી,વર્તનને મહેનતને,પિતાના પ્રેમે રાહ મળે
સાચી કેડી પકડી લેતા,ઉજ્વળ જીવન મળે તેને
દેહનાસંબંધ અવનીના,સાર્થક સાચી કેડીએ બને
હૈયેથી મળતા હેતથી જ,જન્મ ઉજ્વળ બની રહે 
                         ……….જન્મ મરણ એ દેહના.
મૃત્યુ જન્મનો સંબંધી,જ્યાંજન્મ મળે ત્યાંએ મળે
ના જગમાં કોઇ છોડી શકે,ના અળગુએ કદીબને
જન્મની જ્યાં તારીખ મળે,ત્યાં મૃત્યુનીય લખાય
જન્મમરણના બંધન સાચા,ના રહે કદીએ આઘા
                         ………જન્મ મરણ એ દેહના.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

January 9th 2010

ગામના મુખી

                   ગામના મુખી

તાઃ૮/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમના મુખથી શબ્દો સરતા,
                  નિર્મળ ઉજ્વળ જીવન જીવતા
નાતજાતનો ભેદભગાડી,સાત્વીક જીવનપ્રેમ લેતા
એવા મુખી શંકરદાદા,ગામમાં કેમ છે સૌને કહેતા
                      …..પ્રેમના મુખથી શબ્દો સરતા.
મળીગયેલ માબાપનોપ્રેમ,ને સગા સંબંધીનો સ્નેહ
પ્રેમીજીવન જીવતાસંગે,આનુઆને ન કરવાનીટેવ
માગણી ના કરતું કોઇ,તોય સદાસહારો સૌને એ દે
ભક્તિસંગે જીવન રાખી,ઉજ્વળ જીવન ગામમાં લે
                  ……….પ્રેમના મુખથી શબ્દો સરતા.
ભણતરનાસોપાન મહેનતે,જરુર જેટલામેળવીલીધા
કરીયાણાની દુકાન ખોલી,સૌનાપ્રેમ મનથીએ લેતા
ભાવતાલની ના લમણાકુટ,સ્નેહ પ્રેમનીજ્યોત દેતા
નાતજાતકે કોમવાદના,નાકોઇ સ્પંદનમનમાં રહેતા
                     ………પ્રેમના મુખથી શબ્દો સરતા.
ઉંમરને ના અટકાવી શકે કોઇ,જેને જગમાં જ્ન્મમળે
૮૭નીપાકટ ઉંમરે પણ,ઘરમાં બેઠા તકલીફને દુરકરે
સમજમાનવીની જ્યાંઅટકે,ત્યાંબારણે આવીઉભા રહે
માર્ગમોકળો કરતાંમુંઝવણનો,અંતરથી સૌનોસ્નેહમળે
                    ……….પ્રેમના મુખથી શબ્દો સરતા.

++++++++++++++++++++++++++++++++

January 9th 2010

સરળ સૃષ્ટિ

                   સરળ સૃષ્ટિ

તાઃ૮/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ કરતાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુપ્રેમની પ્રીતમળતાં,હૈયુ પણ આનંદે હરખાય
                         ………ભોલેનાથની ભક્તિ કરતાં.
જન્મ મળતાં જગે જીવને,લેખ વિધાતાથી  લખાય
ગણપતિની કલમ ચાલતાં,જીવન ઉજ્વળથઇ જાય
સંતાન ભોલેનાથનાએ,જે સૌ પહેલા જગે છે પુંજાય
ભોલેનાથની ભક્તિએ,કૃપા વિધાતાનીય મળી જાય
                          ………ભોલેનાથની ભક્તિ કરતાં.
માનો અમુલ્ય પ્રેમ મળે જ્યાં,મા પાર્વતીજી પુંજાય
આશીર્વાદ મળેજ્યાં માના,ત્યાં જીવનઉજ્વળ થાય
દેહનો સંબંધ આજીવથી,જે માની કૃપાએ સચવાય
શાંન્તિ મળે જીવનજીવતાં,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
                         ………. ભોલેનાથની ભક્તિ કરતાં.
ભોલેનાથ તો ભોળાછે,જ્યાં ભક્તિ શ્રધ્ધાએજ થાય
જીવને આપે શાંન્તિ ને પ્રેમ,જ્યાં દુધ અર્ચન થાય
પ્રેમઅનંત મળીજાયજીવને,ઉજ્વળજીવનથઇ જાય
દુનીયા આખી વિખરાઇજાય,જ્યાં તાંડવ જગે થાય
                           ………ભોલેનાથની ભક્તિ કરતાં.

==============================