Archive for the ‘ચિઁતન કાવ્યો’ Category

ભીખ

Friday, June 6th, 2008

                                   ભીખ
તાઃ૬/૬/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૂષ્ટિની છે અકળ લીલા ના જગમાં સમજે કોઇ
           દાન દે પૈસાનું ને માને જગમાં હું જગતનો દાની
વાણીની ના કીંમત જગે અભિમાનમાં વહ્યા કરે
          ભીખ મળી છે દાનવીરને ના જગે કોઇએ છે જાણી
ભીખ માગતો હું પ્રભુથી,કરજો આત્માનુ કલ્યાણ
           સંત સમાગમ શોધતો, હું કાયમ ભક્તિ કરવા કાજ
દાન દેવા ઉભેલ દાનવીર,ક્યાંથી લાવ્યો આ મુડી
           ચુસી લીધા ગરીબ ગુરબા,ને બેંકથી લીધી ભીખ
નીતિ ને જ્યાં મુકી બાજુએ,ત્યાં ભરી તિજોરી પૈસે
         લોન બેંકથી મેળવી લીધી ત્યાં બની બેઠોએ તાત
ભીખ જગતમાં સૌમાગે છે માગવાની છે રીતઅનેક
          ભક્તો માગે ભીખ પ્રભુથી ને માણસ માગે તમથી
અજ્ઞાની ના ભંડાર ભરેલા ના પડે જગમાંતેની ખોટ
        મુક્તિ મળતાજીવને નાલઇ ફરવું પડે જેમાગે ભીખ

???????????????????????????????????????????????

હાથની કરામત

Thursday, May 8th, 2008

                           હાથની કરામત
તાઃ૧૪/૪/૨૦૦૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથને સાથ મળે બીજા હાથનો
                                તો જગતમાં કામ સફળ સર્જાય
મળે જીવનમાં હાથ થી હાથ વધારે
                                રળિયામણા ઝાઝા હાથ કહેવાય

એક એકની લાગણી જગમાં, કામ કંઇક કરી જાય
મળે એક થી જ્યારે અનેક, વણ કલ્પ્યુ બની જાય
                                        એવી સૃષ્ટિ જગમાં સર્જાય
એક એકને છોડી જગમાં,જ્યાં બેનો થાય સથવાર
આવે વ્યાધી મળેઉપાધી,સંકટ જીવનમાંમળીજાય
                                       એવી જીંદગી છે બદલાય
બે બે કરતાં જ્યાં મળેત્રીજો, ત્યાંત્રણ ત્રેખડ થાય
નાકામ ઉકલે,નામલે રસ્તો, મુઝવણવધતી જાય
                                          વ્યાકુળ મનડું થતું જાય
બેત્રણ કરતાંમળે જ્યાં ચોથો, ચંડાળ ચોકડી થાય
એક અકળાય, બીજો બબડે, ત્યાંત્રીજો ત્રેવડ શોધે
                                             ત્યાં ચોથો છટકી જાય
પાંચની વાત જ્યાં આવે ,પંચ પરમેશ્વર કહેવાય
કોઇ નિર્ણયખોટો નાઆવે,કારણ પાંચેઆપે ન્યાય
                                            સાચો નિર્ણય છે લેવાય

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આંસુ

Wednesday, April 23rd, 2008

                               આંસુ
૨૩/૪/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્ન્મ ધર્યો મેં જગમાં જ્યારે,પ્રેમ મળ્યો તો માનો ત્યારે
પાપાપગલી કરતો ચાલુ,આંગળી પકડવા હાથ હું ઝાલુ
નીત ઉઠીને મા શોધુ જ્યારે,  આંખમાં આવે આંસુ ત્યારે
                          આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કૅડ સમો હુ આવ્યો મા ને, એકલો જા તો ભણવા કાજે
ખભે દફતરને પેન ખિસ્સામાં,જતો સ્કુલ દરરોજ રીક્ષામાં
આશીશ માગતો માબાપના, આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કોલેજના પાસ કર્યા ચાર વર્ષ,જાણે જીતી લીધુમેં સ્વર્ગ
પહેર્યા ટાઇ પેન્ટ ને શર્ટ,શોધુ નોકરી વિચારી તર્કવિતર્ક
ખભે હાથ માતાપિતા રાખે, આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

આવી જીવન સંગીની જ્યારે, જીવન જીવવું શોભે ત્યારે
હૈયે હેત માબાપને ઉભરતું, ચરણે વંદન જ્યારે કરીએ
મા અમને બાથમાંલેતી જ્યારે,આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ઉગતી ઉષાએ

Monday, April 7th, 2008

                                 ઉગતી ઉષાએ
તાઃ૨/૧૦/૧૯૮૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
             માનવ મનને સર્જન કાજે,પ્રેરે નવા પ્રભાતને
                                                            …….ટમટમતા આ

ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની..(૨),ને કલરવકરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરેમાનવને,સોનેરી કિરણો ઉરજના છેક
                                                            …….ટમટમતા આ

વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજેઆવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમાં અમૃત ધારા
                                                            …….ટમટમતા આ

લીલા તારી કળી શકુના..(૨) મનથી તારુ રટણ કરુ હું
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હું
અંતે આવજો લેવા કાજે,આ દેહ પડે જ્યાં ધરતી કાજે
                                                            …….ટમટમતા આ

***********************************************
                                       

મમતા

Sunday, September 30th, 2007

——————–મમતા _______________
પ્રદીપ બ્રહ્મભટ્ટ ………………………………..૪-૩-૧૯૯૯

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
……………………………………………..માયાવી સંસાર

સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
………………………………………………માયાવી સંસાર

અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને જીવનમાં કોઇ કુનેહ.
……………………………………………….માયાવી સંસાર

લઘરવઘર આ જીવન પગથી સુખ સંસારની ભાસે
કેમ કરીને પ્રેમ મેળવવા જીવડાં મનથી વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
……………………………………………….માયાવી સંસાર
———

રે મનડા

Sunday, September 30th, 2007

———————રે મનડા————–
તાઃ૩૦/૫/૧૯૭૭………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
………………………………………..કેમ કરીને.

કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
કર્મનો છે અણસાર ………………………કેમ કરીને.

મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
જગની ચિંતા છોડ ……………………….કેમ કરીને.

————————-

મનોમંથન.

Sunday, September 2nd, 2007

                        મનોમંથન
તાઃ૧૨/૫/૧૯૯૭.                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શ્રધ્ધા,સાચી ભક્તિ,
              જીવન જીવવા કાજે મળતી
સાચી સેવા કરી લેવા
                    જીવન કેરા ફેરા લેતી.
                                                    ….સાચી શ્રધ્ધા.

મનમંદીરને સદાય ઉજ્વળ,
                          રાખી મનમાં શિતળ નિર્ણય
પરોપકારની વહેતી ગંગા
                          નિશદીન ઝંખે જીવન સંગે.
                                                    ….સાચી શ્રધ્ધા.

કર્મ મર્મને જાણી વિરલ
                         વર્તે છે નીશદીન એ જીવન
સદાચારની શીતળ શ્રેણી
                         કદી ન અટકે હૈયે તેને
                                                    …..સાચી શ્રધ્ધા.

દીપ બનીને નીત પ્રકાશે,
                        હૈયે હેત ભરીને અર્પે;
ભાવિ જીવન અર્પણ તેને,
                        જીવન જેના સંગે ચાલે.
                                                    …..સાચી શ્રધ્ધા.

                   +++++++++++++

કોઇ નથી મારું

Friday, August 31st, 2007

                           કોઇ નથી મારું
તાઃ૨૭/૪/૧૯૭૫                         પ્રદીપ બહ્મભટ્ટ

જગતમાં કોઇ નથી મારું ભાઇ,કોઇ નથી મારું
જગતમાં કોઇ નથી તારું ભાઇ,કોઇ નથી તારું
સુખદુઃખની આ ઝંઝટ આવી,
                         કર્મની ગત કોણે જાણી…જગતમાં

માની મમતા પ્યાર પિતાનો
                        ભુલાય શાને એકેય વાર
મને મળ્યું મન માગ્યું જ્યારે
                       વિસરાયો આ જગતનો તાત
ભુલ્યો ભલે હું તને વિસારી
                        મારી નિંદર કોણે જાણી…જગતમાં

કદર ક્યાંથી વિશ્વે થશે
                       કાયા શુધ્ધ રહેતી નથી
માનતા મારું જે કહ્યું મેં
                       પારકુ થઇ ચુક્યું છે
કદી મારું માન્યું નથી મેં
                         કદી કહ્યું નથી મેં મારૂ…જગતમાં

                   ###############

વિદાય

Sunday, August 12th, 2007

                              વિદાય                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાજળ જેવી કાળી આંખો  તોય  ઉઘડે નહીં આ  નૈન
ટપકટપક ટપકી રહેલા લાગે  સાવનભાદોનાઆ વ્હેણ

તનથી જેમ ના હ્રદય નીકળે મનથીના નીકળે વિચાર
કેમ કરી આ વસમી  વેળા સહન  થશે તમ સંગ વિના

હાથ ન ઉપડે વિદાય દેવા  અને શિશ ના ઉપડે મારું
લાગે  હૈયું  રડવા  જ્યારે  રોકી  શકું  ના આંસુ   ત્યારે

એવી ઘડી હું ત્યજવા ચાહું દુર મુજથી થોડા ના જાયે
મનમા રાખી સ્મરણ પ્રભુનું વિનવું જલ્દી પાછા આવે

ભ્રમણ કરીને થાકવા આવ્યો  મળ્યો  તારો સથવારો
હવે પ્રદીપ ના ખોવા ચાહે મળેલ તારો અનંતસહારો

બાળક મારા  હૈયે રાખી  જીવન  જીવું તમ  સંગે  હું
રવિ,દિપલ તોઆંખનીકીકી જ્યોત રમા થઈપ્રકાશે

જીવન ઉજ્વળ જીવી રહ્યો તો આવી ક્યાંઆ વિદાય
ગણી રહ્યો  હું  દિવસો  આજે  આગમન  ક્યારે  થાશે

વિદાય ત્યારે વસમી લાગે અંતરમાં અકળામણ થાય
શબ્દ મળે ના  વાચા કાજે   વિદાય મનને   છે   લાગે

અનંતનાઓવારેઆવી નીરખી જીવન મનડું છેમલકાય
નાવડી મારી સ્થિર પાણીમાં ધીમી છે  ચાલતી દેખાય

મસ્તમઝાના દિવસો માણતા જીવનસાગર પણ હરખાય
વિદાય કેરું મોજુ  આવતા હાથ હલેસા પકડવાને  જાય

હાલમ ડોલમ જીવનનૈયા અમારી ડગમગ ડગમગ થાય
થશેશાંત એજીવનનૈયા વિદાપ જ્યારે આગમનમાં ફરીજાય.

               —–૦૦૦૦૦૦૦૦૦૦——

सात संबंध

Friday, August 3rd, 2007

२२/५/१९८७         सात संबंध       प्रदीप ब्रह्मभट्ट

जींदगी की राह पर, हमे आज चलना  है,
हो सके तो साथी बनकर साथ निभाना है.
                                                    ..जींदगी की राह पर
एक हमारी नेकी है जिसे जीवनमे अपनाया है,
आगे जाकर खुद ही मंझील पहुच तो जाना है.
                                                     ..जींदगी की राह पर
दो हमारेसच्चे साथी जीसका साथ कदी ना छुटे,
आ गयेजो ये हमारी बाहोमे कोई कभी ना छुटे.
                                                     ..जींदगी की राह पर
तीन काम है हमको करने सच्ची राहपे चलके,
झुठ ना बोले बुरा ना देखे सत्यका ले सहारा.
                                                     ..जींदगी की राह पर
चार हमारी मांग है प्यारसे खाने दो हमे जीने दो,
सच्चा न्याय मिले तो ये प्यारकी ज्योत सदाजले.
                                                     ..जींदगी की राह पर
पांच हमारे कर्म है जो सन्मार्गो  से भरे रहे,
पंचकर्म है जग में महान ऐसे जीवनको सलाम.
                                                     ..जींदगी की राह पर
छह हमरे बंधन है मातापिताका जन्मसे नाता,
भाई-बहेनका कर्म से नाता बेटा-बेटीसे रुहाई.
                                                      ..जींदगी की राह पर.
सातवा बंधन जन्मोजन्मका सात फेरेमे कह जाये.
सच्चे प्यारका ये बंधन मुक्तिका जन्मोसे देता आये 
                                                      ..जींदगी की राह पर.
                     ०००००००००००००००