September 2nd 2010
સદબુધ્ધિ
તાઃ૨/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સદબુધ્ધિની સોટી પડતાંજ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
………સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તેમળી જાય
………સદબુધ્ધિની સોટી વાગતાં.
મહેનત મનથી કરતાં દેહે,યોગ્ય ફળ પ્રેમે મેળવાય
સદબુધ્ધિના સહવાસથી,ઝાઝા હાથ પણ મળી જાય
નાટેકાની કોઇ જરૂરપડે દેહને,જ્યાં કૃપા પ્રભુની થાય
ઉજ્વળ જીવન બની રહે,ને જીવ મુક્તિ એ જ દોરાય
………સદબુધ્ધિની સોટી વાગતાં.
કુબુધ્ધિ આવે જો ઓટલે,તો ખેદાન મેદાન થઇ જાય
સમજ ના પડે માનવીને,જે દુષ્ટ મતીએ દોરી જાય
સમજણનો સહવાસ મળે,ત્યાં જન્મ સફળ થઇ જાય
પળેપળને સાચવીચાલતાં,ના ખાડોખબડો મળી જાય
……….સદબુધ્ધિની સોટી વાગતાં.
===============================
August 29th 2010
ચિંતા આવી
તાઃ૨૯/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં કોઇ મળતુ નથી,કે કોઇ કેમ માનતુંય નથી
આ ક્યાંથી આવી ચિંતા,જેનેજગે કોઇ માગતુ નથી
…………જગમાં કોઇ મળતુ નથી.
સરળ ચાલતી ગાડી જીવનની,ખટક ખટક ખટકાય
શબ્દો સરળતા છોડી દેતાં,માન અપમાન અથડાય
જમણા હાથને મળે સહારો,ત્યાં ડાબો હાથ લબડાય
આવે આંગણે બંધન છોડી,દેહને ચિંતાઓ ઘેરી જાય
………..જગમાં કોઇ મળતુ નથી.
મૃદુ મળતો પ્રેમ નિરાળો,આજે એકદમ ઉભરાઇ જાય
ડગલું સીધુ માંડતા દેહ,વિટંમણાઓમાં લબદાઇ જાય
ધરમ કરતાં ધાડ પડે,જેને કળીયુગમાં લફરાં કહેવાય
કૃપાની દોરી દુર જ રહે,જ્યાં જીવે આચમન બદલાય
……….જગમાં કોઇ મળતુ નથી.
++++++++++++++++++++++++++++++++
August 27th 2010
જ્ઞાન અજ્ઞાન
તાઃ૨૭/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે છે જીવને જગતમાં,જે કર્મબંધનથી મેળવાય
મળેલ જન્મની સર્થાકતા,એ તો વાણી વર્તનથી દેખાય
………જન્મ મળેલ જીવને જગતમાં.
મળે જીવને દેહ અવની પર,જે જીવના સંબંધે સહેવાય
પ્રાણી,પશુ,પક્ષી કે જંતુ,એ દેહને તો નિરાધાર કહેવાય
માનવ જન્મ એતો કૃપાપ્રભુની,જેને સાર્થક કરી શકાય
સદમાર્ગની દોરી મળેજીવને,જ્યાં જ્ઞાનસાચુ મળી જાય
………..જન્મ મળેલ જીવને જગતમાં.
કળીયુગની આ કેડી પર તો,જ્યાં ત્યાં દેખાવ મળી રહે
મળે આશિર્વાદ ને સાચો પ્રેમ,જે જન્મ સાર્થક કરી શકે
અજ્ઞાનીના આ ભંડારમાં,જો માનવ ભુલથી પડી ગયો
જન્મો જન્મના બંધન વળગે,નાઆરો જીવને મળી રહે
……….જન્મ મળેલ જીવને જગતમાં.
મંદીર ખોલતા ભીખ માગતો,દાન નો ડબલો ધરી રહે
પત્થરને પરમાત્મા બનાવી,અજ્ઞાનીઓ સૌ ફરી વળે
સૃષ્ટિનાકર્તાને કળીયુગમાં,ભક્તોએ ભીખમાગતા કર્યા
જ્ઞાનઅજ્ઞાનની દ્રષ્ટિ દઇ,જગમાં જીવનેરાખ્યા ભમતા
………જન્મ મળેલ જીવને જગતમાં.
+++++++++++++++++++++++++++++++++=
August 26th 2010
અનુભવ
તાઃ૨૬/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ ગંગા વહે જીવનમાં,જ્યાં સફળતા મળી જાય
મળે સહવાસ અનુભવીનો,ત્યાં કામ સરળ થઇ જાય
……….સરળ ગંગા વહે જીવનમાં.
પાપા પગલી કરતુ બાળક,આંગળી પકડી ચાલીજાય
છુટી જાય જો આંગળી ટેકો,તો એ તરત ગબડી જાય
જીવનજીવવા માનવીને,જગતમાં કામ વળગી જાય
ખંતથી કરતા કામમાં,ધીરજથી સફળતા મળી જાય
………..સરળ ગંગા વહે જીવનમાં.
કલમની કેડી પુર્ણકરી,મહેનતની ઇમારત ચઢી જાય
ડગલું ભરતાં સાચવે જીવનમાં,સધ્ધરતા મળી જાય
અનુભવીનો સંગાથ મળે ત્યાંતો,કામ સરળ થઇજાય
જ્ઞાન જીવનમાં મળીજાય,જે અનુભવીથીજ મેળવાય
………..સરળ ગંગા વહે જીવનમાં.
+++++++++++++++++++++++++++
August 23rd 2010
પ્રેમની ચાદર
તાઃ૨૩/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગત જીવની સફળ ચાવી,એક કેડી એ જ પકડાય
મળીજાય જ્યાં પ્રેમની ચાદર,જન્મ સફળ થઇ જાય
………..જગત જીવની સફળ ચાવી.
દેહ મળતાં જીવને જગતમાં,જન્મ દેનાર છે હરખાય
બાળ દેહને જોતાં માબાપને,હૈયે અનંત આનંદ થાય
મળે પ્રેમ સહવાસીનો દેહને,ત્યાં મળી જાય આધાર
ઉજ્વળ જન્મ જોઇ લેતાં જ,પ્રભુ કૃપા મળી કહેવાય
……….જગત જીવની સફળ ચાવી.
બંધન દેહના કર્મબને,જીવને અવનીએ લાવી જાય
પ્રેમ જગતમાં મળેદેહને,જે જન્મની ચાદરે લપટાય
મળે પ્રભુના પ્રેમની ચાદર,આધી વ્યાધી ટળી જાય
મુક્તિ પામે જીવ દેહથી,જગત નિરાકાર મળી જાય
………. જગત જીવની સફળ ચાવી.
#############################
August 22nd 2010
માનવ નૈન
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
………કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવનજીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
……….કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
આંટીઘુંટીની આ દુનીયામાં,ઇર્ષાદ્વેશ મળી રહેવાનો
આવે ત્રાસનેમાયા માર્ગે,જીવન આખુદુઃખી થવાનુ
મળેઅસર એનૈનની,કલીયુગ આવી ભરખી જવાનુ
………કુદરતની આ કળા નિરાળી.
===============================
August 22nd 2010
ભક્તિ દોર
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને લગની લાગી મનથી જલારામની
મને ભક્તિ મળી છે જલાસાંઇથી
ઓ પરમ કૃપાળુ,તમે છો અતિ દયાળુ,
મારી ભક્તિ સ્વીકારી,લેજો જીવને ઉગારી.
……..મને લગની લાગી જલાસાંઇની.
આંખ ખોલતા રટુ જલાસાંઇને,હાથજોડી નમન કરુ હું
અંતરમાં રહેલ ભક્તિ ભાવને,અર્ચનથી અર્પણ કરુ હુ
નિત્ય સવારે દીવો કરતાં,મુક્તિ માગવા વંદન કરુ હુ
સ્મરણ પ્રભુનુ મનથી કરુહું,સાચાસંતને દંડવત કરુ હું
………. લાગી લગન જલારામની.
વાણીવર્તન સમજસાથે,મનથીવિચારી પગલુ ભરુ હું
મોહ માયાથી દુર રહેવાને,જલાસાંઇનુ સ્મરણ કરુ હું
કળીયુગનો પડછાયો છોડવા,સુર્યદેવનુ પુંજન કરુ હું
મનથીમાગુ મુક્તિ જીવની,પરમાત્માને નમન કરુ હું
……….. લાગી લગન જલારામની.
++=====++======++=====++=====
August 21st 2010
હનુમાનજી
તાઃ૨૧/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મેળવવા પરમાત્માનો,રૂપ અનેક ધરાય
કયા રૂપમાં ક્યારે આવે,ના કોઇથીય સમજાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
બાળ પ્રભુને પારખીલેતાં,અયોધ્યા આવી જાય
આવી આંગણે શીવજી સંગે,દોરડીએ છે બંધાય
સંગ મેળવવા હનુમાનનો, આંખો ભીની કરાય
બાળ રામને મા પ્રેમથી,હનુમાનજી મળી જાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
ભક્તિની આ રીત અનોખી,ના માનવને દેખાય
મા સીતાની કૃપાને કાજે,સિંદુરથી દેહને ભીંજાય
શ્રધ્ધાની શક્તિ અનોખી,લંકાના દહને સમજાય
કુદરતની આ ન્યારી રીત,અવતારોએ મેળવાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
અતુટ શ્રધ્ધા મનમાં રહેતા,દુઃખ દુર ભાગી જાય
આવેભુલથી આંગણેવ્યાધી,હનુમાનજી ગળીજાય
ભોલેનાથ તો ભોળાછે,ને પ્રભુ વિષ્ણુ અતીદયાળુ
બ્રહ્માજીનો પ્રેમ મળે,ત્યાં કૃપા સરસ્વતીની થતી
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
+++++++++++++++++++++++++++++
August 12th 2010
જીવના સોપાન
તાઃ૧૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગમાં મળેલા બંધન,એ લેણદેણે મેળવાય
જન્મ મરણ દેહને મળે,જે જીવના સોપાન કહેવાય
……….જીવને જગમાં મળેલા બંધન.
આવી રહેલ સંતાનને નિરખી,માતા પિતા હરખાય
દેહને ના તકલીફ મળે કોઇ,તેથી માતાને સચવાય
સમયની દોરી હાથ પ્રભુને,સમયે જન્મ મળી જાય
જીવને મળેલ જન્મ જગે,પ્રથમ સોપાન બની જાય
……….જીવને જગમાં મળેલા બંધન.
બાળપણની આ બાળ લીલામાં,જીવ આનંદે મલકાય
સરળ મળતા જગના આ બંધન,ઉંમરે થોડા બદલાય
બે પાંચને પસાર કરતાં,દેહથી સમજ થોડી મેળવાય
જન્મેમળેલ જીવનુંસોપાન બીજુ,જેને જુવાની કહેવાય
……….જીવને જગમાં મળેલા બંધન.
જોશમાં રહેતા જુવાનીમાંતો,દેહથી ઘણું બધું મેળવાય
શ્રધ્ધા નેમહેનતના સંગથી,દેહને જરુરીયાત મળીજાય
માયા કાયાના મોહ છુટતાં,પવિત્ર ઘડપણ આવીજાય
આ દુનિયાની કર્મ લીલા,ત્રીજુ સોપાન જીવનુ કહેવાય
………જીવને જગમાં મળેલા બંધન.
જીંદગીની અજબ આકૃતી,જન્મ મળતાં જીવને દેખાય
બચી શકે નાકોઇ તેમાંથી,એ જ અજબ લીલા કહેવાય
જલાસાંઇની ભક્તિને જોતાં,જીવને મુક્તિ માર્ગ દેખાય
મૃત્યુનું જ્યાં ખુલેબારણુ,જીવને સોપાન ચોથુ મળીજાય
……….જીવને જગમાં મળેલા બંધન.
++++++++++++++++++++++++++++++
August 10th 2010
આવ્યો શ્રાવણ
તાઃ૧૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો શ્રાવણ શીતળતા લઇ,સાથે ભક્તિનો સથવાર
મળે જગે કરુણાઅપાર,જ્યાં મળીજાય પ્રભુનો દરબાર
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
ધર્મ ધ્યાનને પુંજન અર્ચન,પ્રેમે ઘરમાં જ ભક્તિ થાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,જે પ્રભુ કૃપાએ મળી જાય
નિર્મળજીવન બનેસહવાસે,એ સાચી ભક્તિથી મેળવાય
શ્રાવણમાસની આ નિર્મળભક્તિએ,જીંદગી પાવન થાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સોમવારે શંભુની પુંજા,ને મંગળવારે ગજાનંદને પુંજાય
બુધે મા અંબાની ભક્તિ,ને ગુરુવારે જલાસાંઇને ભજાય
શુક્રવારે માસંતોષીની પુંજા,ને શનીએ હનુમાન પુંજાય
માતા દુર્ગામાં રવિએ શ્રધ્ધા,જે સાચી ભક્તિએ લઇજાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સંસ્કાર સિંચન માબાપના,એતો આશિર્વાદે મળી જાય
પવિત્રમાસની પાવન ભક્તિએ,વ્યાધીઓ ભાગી જાય
નાઆવે આધી કે વ્યાધી,એતો પ્રભુ કૃપાએ ટળી જાય
સાર્થક જીવને જીવન મળે,ના જગે કોઇથી એ દેવાય
……….આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
=++++++++++++++++++++++++++++=