October 28th 2009

ગોકુળીયુ ગામ વિરપુર

                       ગોકુળીયુ ગામ વિરપુર

તાઃ૨૭/૧૦/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
                             ………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો  ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
                            ……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી,  જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી અન્ન મેળવી જાય
જલાબાપાને માતા વિરબાઇના,પવિત્ર બારણામળીજાય
                             ………ના આગગાડીના ધબકારા.
કળીયુગમાં સીતારો બનતા,મહેનત  દેહને પડે અપાર
લાગણી,માયા,મોહ છોડતા,દેહઅનહદ તકલીફે ભેંટાય
પ્રભુપરીક્ષા દેહની દેતા,સહનશીલતા ભક્તિએ લેવાય
સફળજીવન બની જતાં,પ્રભુ પ્રેમે ઝંડો ઝોલી દઇ જાય
                                ………ના આગગાડીના ધબકારા.

+++++++++++++++++++++++++++++++++++++

October 27th 2009

જીવનસંગીત

                     જીવનસંગીત

તાઃ૨૬/૧૦/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
                              …….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
                             ……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા  લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત સરગમે દેવાય
મળે જગમાં જ્યાં એ તાંતણે, જીવનસંગીત કહેવાય
                             ……..અલખની અલબેલી લીલા.

====================================

October 26th 2009

પ્રદીપ એટલે?

ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારા મિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.

                                  પ્રદીપ એટલે ?

તાઃ૨૫/૧૦/૨૦૦૯          (હ્યુસ્ટન)            રાણા કરણસિંહ ગનુભા

પ્રદીપ એટલે ?         પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ?         દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ?         પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ?         પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ?         જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ?         પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ?         પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ?         સેવા અને કૃપા
પ્રદીપ એટલે ?         કઠોર શ્રમ     
પ્રદીપ એટલે ?         સહકાર 
પ્રદીપ એટલે ?         ભક્ત ભુદરો
પ્રદીપ એટલે ?         દાસ
પ્રદીપ એટલે ?         દાસનો પણ દાસ
પ્રદીપ એટલે ?         વાહ
પ્રદીપ એટલે ?         સુગંધ અને સુવાસ
પ્રદીપ એટલે ?         ભાવનો ભંડાર
પ્રદીપ એટલે ?         કરુણાનો સાગર
પ્રદીપ એટલે ?         શ્રધ્ધા
પ્રદીપ એટલે ?         પ્રાર્થના
પ્રદીપ એટલે ?         પથીક
પ્રદીપ એટલે ?         ઉંચી ઉડાન
પ્રદીપ એટલે ?         તરવૈયો
પ્રદીપ એટલે ?         નભ વિહાર
પ્રદીપ એટલે ?         સાગરખેડુ
પ્રદીપ એટલે ?         મરજીવો
પ્રદીપ એટલે ?         મા ભોમનો ખેડુ
પ્રદીપ એટલે ?         ઉંડી સમજ
પ્રદીપ એટલે ?         પ્રવાસી
પ્રદીપ એટલે ?         અમીયલ વડલો
પ્રદીપ એટલે ?         વાલપનો દરીયો
પ્રદીપ એટલે ?         માનુ વાત્સલ્ય
પ્રદીપ એટલે ?         બાપુની છાયા
પ્રદીપ એટલે ?         ભારતમાતાનો સપુત
પ્રદીપ એટલે ?         વતનપ્રેમી
પ્રદીપ એટલે ?         ગરવો ગુજરાતી
પ્રદીપ એટલે ?         હિન્દુસ્તાની
પ્રદીપ એટલે ?         માણસાઇ
પ્રદીપ એટલે ?         માણસ પારખુ
પ્રદીપ એટલે ?         માનવ પ્રેમી
પ્રદીપ એટલે ?         મીઠાસ
પ્રદીપ એટલે ?         આવકાર
પ્રદીપ એટલે ?         પાણીની પરબ
પ્રદીપ એટલે ?         અન્નપુર્ણા પુત્ર
પ્રદીપ એટલે ?         ભંડાર
પ્રદીપ એટલે ?         મા શારદા પુત્ર
પ્રદીપ એટલે ?         મધુર સંગીત
પ્રદીપ એટલે ?         સરગમ
પ્રદીપ એટલે ?         સંગીત રસીક
પ્રદીપ એટલે ?         દર્દીલો ગાયક
પ્રદીપ એટલે ?         શિવ શક્તિ પુંજક
પ્રદીપ એટલે ?         સત્યનો રાહી
પ્રદીપ એટલે ?         ન્યાય
પ્રદીપ એટલે ?         વચન
પ્રદીપ એટલે ?         સાંઇ ચરણ
પ્રદીપ એટલે ?         સખો
પ્રદીપ એટલે ?         અમાસ રાત્રીનો પુંજ પ્રકાશ
પ્રદીપ એટલે ?         બીજનો ચંન્દ્ર
પ્રદીપ એટલે ?         પુનમનો ચાંદ
પ્રદીપ એટલે ?         શીતળ રાત્રી
પ્રદીપ એટલે ?         જલારામની ઝુંપડી
પ્રદીપ એટલે ?         ગુરુ આજ્ઞાકારી
પ્રદીપ એટલે ?         સદાય સ્વસ્થ યોગી
પ્રદીપ એટલે ?         પ્રસન્ન સ્મીત
પ્રદીપ એટલે ?         નાવીક (કપ્તાન)
પ્રદીપ એટલે ?         શ્રીફળ,કુંભ,સ્વસ્તીક
પ્રદીપ એટલે ?         પવિત્ર તિલક,જનોઇ
પ્રદીપ એટલે ?         ગાય-ગાયત્રી,ઉપાસક
પ્રદીપ એટલે ?         ભરેલુ તળાવ
પ્રદીપ એટલે ?         સમભાવના
પ્રદીપ એટલે ?         સહન શક્તિ
પ્રદીપ એટલે ?         હેમ શિખર
પ્રદીપ એટલે ?         ગરવો  ગિરનાર
પ્રદીપ એટલે ?         વિશ્ર્વાસ
પ્રદીપ એટલે ?         શુભ લાભ
પ્રદીપ એટલે ?         માન સરોવર
પ્રદીપ એટલે ?         ત્રિવેણી સંગમ
પ્રદીપ એટલે ?         પક્ષી કલરવ
પ્રદીપ એટલે ?         પવિત્ર ઝરણું
પ્રદીપ એટલે ?         રામાયણ ચોપાઇ
પ્રદીપ એટલે ?         ગીતા અધ્યાય
પ્રદીપ એટલે ?         ભાગવત સાર
પ્રદીપ એટલે ?         વેદ સમજ
પ્રદીપ એટલે ?         દ્વારીકાની છપ્પનસીડી
પ્રદીપ એટલે ?         ઔષધ પારખું
પ્રદીપ એટલે ?         ગામઠી નિશાળ
પ્રદીપ એટલે ?         સંબંધ -વીવેકી
પ્રદીપ એટલે ?         પથીકની કેડી
પ્રદીપ એટલે ?         સાચો પડોશી
પ્રદીપ એટલે ?         પોપટીયુ જ્ઞાન
પ્રદીપ એટલે ?         કથાકાર
પ્રદીપ એટલે ?         વાર્તાકાર
પ્રદીપ એટલે ?         આણંદનો આવકાર
પ્રદીપ એટલે ?         ઘંટાકર્ણ સેવક
પ્રદીપ એટલે ?         કવિતાનો રચનાર
પ્રદીપ એટલે ?         કવિતા (કવિરાજ)
પ્રદીપ એટલે ?         કવિતાનો પપીહો
પ્રદીપ એટલે ?         થનગનતો મોર
પ્રદીપ એટલે ?         કવિતાનો મહાસાગર
પ્રદીપ એટલે ?         ભોજનનો રસથાળ
પ્રદીપ એટલે ?         હ્યુસ્ટનની ડેલી
પ્રદીપ એટલે ?         આદર
પ્રદીપ એટલે ?         રક્ષક
પ્રદીપ એટલે ?         સ્વાસ્થતાનુ પ્રતીક
પ્રદીપ એટલે ?         ઉગતો સુર્ય
પ્રદીપ એટલે ?         વૃન્દાવન
પ્રદીપ એટલે ?         બ્રહ્મનો ભટ્ટ
પ્રદીપ એટલે ?       બ્રિજરાજ સખા
પ્રદીપ એટલે ?       ઉર્મીલ,ભાવીન,વિજય,મેહુલ,વિભુતી,કાજલ,બ્રિજકરણ નો ભેરુ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

October 25th 2009

કારતક સુદ સાતમ

                        કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
      
           પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.

                             સંકેત જન્મનો

તાઃ૨૫/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
           રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી  ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
            આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
                                                 ……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના અણસારમાં,પરિક્ષા કાયમ થાય
           આવે આંગણે કોઇસ્વરુપે,ના માનવીથી સમજાય
રધુવીરદાસજી આવ્યા દ્વારે,એક દેવાને અણસાર
           ભક્તિ તમારી પ્રભુ સ્વીકારે,ને ભવ સુધરશે આ
શ્રધ્ધા રાખી સ્નેહ કરીને,કરજો જીવને અન્નદાન
                                             …….ભક્તિ પ્રેમથી કરતા.
જીવનેચાવીમળતા દ્વારની,ખુલતાંકૃપામળેઅપાર
            મોહમાયાના બંધન છુટે, જ્યાં સંતાને સેવા થાય
માન મળે સન્માન મળે,ને કુળપણ ઉજ્વળ થાય
            અવની પરના આગમને,આ જન્મ સફળથઇજાય
રામનામના સ્પંદન મળતા,પવિત્ર કામ જ થાય
                                              ……..ભક્તિ પ્રેમથી કરતા.
પરમાત્માની સીધીદોરથી,સંત દઇ ગયાઅણસાર
            જન્મ ધરશે સંત બનવા,રાજબાઇનુ બીજુ સંતાન
મોટાબોઘાભાઇ,નાનાદેવજીભાઇ,નેવચેટ જલારામ
            રાખી શ્રધ્ધા રામનામમાં,લાવશે ભોજનનો ભંડાર
સંત સાધુને અતીથી સેવાએ,સફળ કરશે અવતાર
                                                ……..ભક્તિ પ્રેમથી કરતા.

(((શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ)))))

                      જલારામનો  જન્મદીવસ

                    ( ૧૪ નવેમ્બર ૧૭૯૯.)

વિરપુર ગામે મૃદંગ વાગે,જે પરમાત્માની કૃપા કાજે
ઠકકરકુળના પાવનકર્મે,ભક્ત જલારામનો જન્મઆજે
                                 …….વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રધાનજી પિતા થતાં આજે, સફળ માનવ જન્મ લાગે 
અવનીપરના આગમને,જ્યાં ભક્તિપ્રેમ ઉભરાતો આવે
મા વીરબાઇની સેવા દીઠી,જે પરમાત્માએ ગ્રહણ કીધી
જન્મ દઇ સંતાન સંતને,માનવ દેહ પાવન કરી લીધો
                                  ……વિરપુર ગામે મૃદંગ વાગે.
જન્મ કર્મના બંધન નિરાળા,અવની પરએ સાથે ચાલે
વાણી વર્તન ને માનવધર્મ, કુદરતની કૃપા પણ લાવે
સીતારામના સ્મરણ ગગનથી,ઉજ્વળછત્ર પ્રભુનુલીધુ
જન્મ સફળનુ પગલુ લીધુ,પત્ની વિરબાઇના સહવાસે
                                  ………વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રાગજી સોમજીની સંસ્કારી દિકરી,સુખદુઃખની સંગાથી
માનઅપમાન દ્વારને તોડી,મહેંનત મનમાં જડી લીધી
આવતા આંગણે દેહમાનવી, પ્રથમ પીરસી અન્ન લીધુ
જીવને ટાઢક દેતા જગમાં,પ્રભુ પ્રેમને જ પામી લીધો
                                     ……..વિરપુર ગામે મૃદંગ વાગે.

જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ 

                         સફળ  જન્મ

ભક્તિનો ભંડાર ભર્યો,ત્યાં પ્રભુ કૃપાનો થયો વરસાદ
ભોજલરામની સેવા લેતા,ઉજ્વળ જીવનનો અણસાર
                                        …….ભક્તિનો ભંડાર ભર્યો.
સંવત ૧૮૭૬માં સદાવ્રત થાય,જ્યાં અન્નદાન દેવાય
આંગણે આવતા ભક્તજનોને,પ્રેમથી ભોજન કરાવાય
નરનારીના આશીશ પામતા,પરમાત્મા પણ હરખાય
ભોજનના આંગણે આવી,પ્રભુ પણ ભીક્ષા માગી જાય
                                     ………ભક્તિનો ભંડાર ભર્યો.
દાનમાં ના આંટીઘુંટી કે,ના માનવસ્વાર્થ પણવર્તાય
સેવાને ભાવનાથી જોતાં,દાનમાં પત્ની જ્યાં દેવાય
શ્રધ્ધા વિરબાઇ માતાની,ને જલારામની પ્રિય ભક્તિ
ડંડો,ઝોળી દઇભાગ્યા રામ,વિરપુરગામબન્યુ ત્યાંધામ
                                       ……..ભક્તિનો ભંડાર ભર્યો.

(((( જય જલારામ જય જલારામ જય જલારામ ))))

October 25th 2009

મૃત્યુનો અણસાર

                      મૃત્યુનો અણસાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
                            …….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધ છે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપાપ્રભુની અપાર
                          ………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને સાર્થકકરવા,નીત દયાપ્રભુ વરસાવે
                          ………મૃત્યુનો અણસાર મળે.
જન્મ મરણનો નાતો વણેલો,જીવથી એ જકડાયો
સાચીભક્તિ કરતાંજગમાં,નાજીવને ફરી મળનારો
દેહનાબંધન ને પ્રેમનાબંધન,જીવને વળગી ચાલે
મૃત્યુ જીવનુ સહર્ષ થાશે,ને ભાગશે જીવના બંધન
                            …….મૃત્યુનો અણસાર મળે.

================================

October 25th 2009

ભભુતીનો ચમત્કાર

                  ભભુતીનો ચમત્કાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
                        ……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
                        ………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર કહેવાય
માનવજીવન મુકી દેતાં,અહીંયાં મશીનથી જીવાય
                        ………ભલભલાને ભુમી ચટાડુ.
સ્નેહ દેખાવ છે ઉપરનો, ના અંતરમાં કાંઇ ઉભરાય
ભોળપણાનો એ લાભ લેતા,નિર્દોષ જ લપટાઇ જાય
ભક્તિ સાચી મેળવી જીવે,મુક્તિ માનવદેહથી લેવા
સતભુમીનો સહવાસ રાખી,જગે ચમત્કાર દુર કરવા
                          …….ભલભલાને ભુમી ચટાડુ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

October 24th 2009

પ્રેમની સીટી

                    પ્રેમની સીટી

તાઃ૨૩/૧૦/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ ક્યારે કેવી રીતે, ક્યાંથી કેમ આવી જાય
પ્રેમની સીટી વાગતા ભઇ,મિત્રો જ મળી જાય
                               ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્નેહની સાંકળ મળી જતાં,હૈયે પ્રેમ ઉભરાઇ જાય
પાંદડેપાંદડેપ્રેમ સરી જાય,ત્યાં સુગંધપ્રસરી જાય
દુનીયાના અંધકારમાં,જીવનને જ્યોત મળી જાય
બ્રીજ મળી જતાં પ્રદીપને,હૈયે અનંત આનંદથાય
                                  ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્વાર્થ ભરેલ સંસારમાં,દુઃખ સાગરમાં ડુબી જવાય
હલેસાના સહવાસમાં,ધીમેથી એ પ્રેમે તરી જવાય
શરણું જલાસાંઇનું  લેતાં,જીવનમાંમહેંક આવી જાય
આંગણે આવતા મિત્રોથી,આંખમાં આંસુ આવીજાય
                                      …..કોણ ક્યારે કેવી રીતે.
લાગણીની ના માગણી, તોય પરેશભાઇ દઇ જાય
સાથીઓના સહવાસ દેવા,અમારે ઘેર આવી જાય
કલાપ્રેમની જ્યાં જ્યોત જલે,ત્યાં ભક્તિ પ્રેમે થાય
ના દેખાવના મહેલ મળે,તો ય આંગણું મહેંકી જાય
                                   ……..કોણ ક્યારે કેવી રીતે.

*******************************************

October 24th 2009

ઘેરા વાદળ

                    ઘેરા વાદળ

૨૩/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરખી ગગનમાં અંધકાર, નૈનો કાયમ ઢળી પડે
અણસાર મેઘરાજાનો થાય,વાદળ ધેરા ફરી વળે
                         …..નિરખી ગગનમાં અંધકાર.
શનનન કરતી લહેર પવનની,મૃદુતા દેતી જાય
મહેંક મનને મળી જતા,જીવન લહેર પામી જાય
કુદરતનો સંકેત થતાં,માનવમન પ્રજ્વલીતથાય
અણસારની ચિનગારીએ જ,પ્રભુ કૃપા મળી જાય
                     ……..નિરખી ગગનમાં અંધકાર.
વિજળીનો ચમકાર નિરખી,માનવતા જાગી જાય
માટીની સોડમ મળી જતાં,દેહે માનવતા મહેંકાય
મેઘરાજાના આગમનનો,જગે અણસાર મળી જાય
પૃથ્વી પરનો આનંદ અનેરો,ઘેરા વાદળ દઇ જાય
                    ……. નિરખી ગગનમાં અંધકાર.

###################################

October 20th 2009

પ્રભાતમાં શરણું

                     પ્રભાતમાં શરણું

તાઃ૧૯/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિવજીનું મેં શરણું  લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
                        ………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
                        ……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી મોહ છોડી, માનવ જીવન ચરણે ધરતો
સંતાનબનીને રહેવાશરણે,મા વિનંતી મનથી કરતો 
પકડીહાથ અમસૌનો માડી,મુક્તિ સંગે અમારી રહેજો
                           …….શિવજીનું મેં શરણું લીધુ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

October 18th 2009

પ્રેમની તાકાત

                પ્રેમની તાકાત
તાઃ૧૭/૧૦/૨૦૦૯    (હ્યુસ્ટન)       પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પ્રેમની તાકાત ભઇ એવી,ના જગમાં દીસે એ ઓછી
      આણંદથી હ્યુસ્ટન લઇ આવી,મારા મિત્ર બ્રીજ જોષી
 
સંગીતના તાલ મેળવી, જ્યાં કદમ મીલાવી ચાલ્યા
      પ્રેમની જ્યોત જલાવી,ત્યાં મિત્રો ભેગા થઇને હાલ્યા
આણંદની શેરીઓમાં સૌ, જેના પ્રેમથી ગુણલા ગાતા
      લાવ્યા સરગમ પ્રેમની અહીં, ના જેની જગમાં ગાથા
 
સમ્રાટ બની સંગીતના, ભક્તિ મા સરસ્વતીની લીધી
      ના માન અપમાનની કેડી,કે ના અભિમાનની સીડી
સાંકળ પ્રેમની છે એવી,ના જગમાં એ કોઇથી અજાણી
     તોય દીઠા ના મેં તમે,કે ના તેની છે પ્રેમમાં માગણી
 
મળે સ્નેહ ને માયા, જેમ સાંકળના જગમાં છે બંધન
     કડીકડીનો મેળ રહે,ત્યાં સદા હૈયામાં પ્રેમના સ્પંદન
મેળવી પ્રેમ જગતમાં,જ્યાં જીવનમાં ઉજ્વળતા લાવે
     પવિત્રભાવના ને માયા જે સદાઆનંદ હૈયે લઇ આવે
 
સંગીતની સરગમ લઇને,શ્રી બ્રીજ જોશી આગળચાલે
     તાલના બંધન રાખવાને,ઢોલી મસ્તીથી ઢોલ વગાડે
વાંસળીના વ્હેણ લઇને, મધુર સંગીતના સુર જમાવે
     મંજીરાના રણકાર મળે, મળતા જે હ્રદયે સુર જગાવે
 
અંતરાની આંટીધુટીમાં રહેતા,સરગમ પકડી સૌ ચાલે
     હૈયે હેત વરસે ને ઉભરે પ્રેમ,ને સાંભળતા સ્નેહ લાવે
મળે પ્રદીપને પ્રેમઅનેરો,જે પ્રેમની તાકાત લઇ આવે
     આવશે આંગણે પ્રેમ સઘળો,સૌ સંગીતના સહભાગીનો
 
=========================================================
       આણંદથી મારા મિત્ર અને મા સરસ્વતીના સંતાન શ્રી બ્રીજભાઇ જોશી
અહીં હ્યુસ્ટન આવ્યા અને મને મળવાની તક મળી તેની યાદ રુપે આ લખાણ પ્રેમ
સહિત અર્પણ કરુ છુ.
       લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરીવારના સપ્રેમ જય જલારામ.
  તાઃ૧૭/૧૦/૨૦૦૯   શનીવાર  આસો વદ-૧૪(કાળી ચૌદસ) સં.૨૦૬૫.   

 
Next Page »