મૃત્યુનો અણસાર
મૃત્યુનો અણસાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
…….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધ છે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપાપ્રભુની અપાર
………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને સાર્થકકરવા,નીત દયાપ્રભુ વરસાવે
………મૃત્યુનો અણસાર મળે.
જન્મ મરણનો નાતો વણેલો,જીવથી એ જકડાયો
સાચીભક્તિ કરતાંજગમાં,નાજીવને ફરી મળનારો
દેહનાબંધન ને પ્રેમનાબંધન,જીવને વળગી ચાલે
મૃત્યુ જીવનુ સહર્ષ થાશે,ને ભાગશે જીવના બંધન
…….મૃત્યુનો અણસાર મળે.
================================