December 31st 2012

વિદાય ૨૦૧૨ને

.                 વિદાય ૨૦૧૨ને

તાઃ૩૧/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન સંતશ્રીજલાસાંઇને કરતાં,જીવનમાં આનંદ થાય
આજકાલમાં સંકડાઇ રહેતા,આજે વિદાય ૨૦૧૨ને થાય
.               ………………વંદન સંત જલાસાંઇને કરતાં.
સુખદુઃખની સાંકળ  સ્પર્શે દેહને,મનને સમયે સમજાય
મળી જાય જ્યાં કૃપા જલાસાંઇની,જીવને શાંન્તિ થાય
વિતેલ વર્ષની યાદમાં,જીવને અનેક પ્રસંગ મળી જાય
મળેલ પ્રેમ એ સંભારણુબને,ના કોઇનાથી એને ભુલાય
.               ………………વંદન સંત જલાસાંઇને કરતાં.
હ્યુસ્ટનની સાહિત્ય કેડી સરળતાએ,નિર્મળ બની જાય
પ્રેમ મળ્યો છે સૌનોય મને,ના જીવનમાં એને ભુલાય
સરળતાએ સંગે રહેતા જીવનમાં,પ્રેમ મને મળી જાય
આજકાલની સંગે રહેતા કલમે,અનેક રચનાઓ થાય
.            …………………વંદન સંત જલાસાંઇને કરતાં.

=====++++++++======+++++++======

 

December 30th 2012

ચરણ સ્પર્શ

.                        ચરણસ્પર્શ

તાઃ૩૦/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કારના શીતળ સંગે રહેતા,જીવનમાં શાંન્તિ મળી જાય
વંદનકરીને ચરણ સ્પર્શતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
.                        …………………..સંસ્કારના શીતળ સંગે.
સંતાનને સ્નેહ મળે માબાપનો,જ્યાં વંદન પ્રેમથી થાય
માબાપનોપ્રેમ પારખી લેતાં,સંતાનને હૈયે આનંદ થાય
શ્રધ્ધારાખી મહેનત કરતાં,મળેલ આશીર્વાદને સમજાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં,આ જીવન ઉજ્વળ થાય
.                        ……………………સંસ્કારના શીતળ સંગે.
સંતોનો સહવાસ મળે જીવને,જ્યાં ચરણોમાં વંદન થાય
પરમાત્માની કૃપાએ,મળેલ દેહનો જન્મ સફળ થઈ જાય
અખંડઆનંદ અંતરમાં રહે,ને મળેલ જીવન પણ મહેંકાય
જલાસાંઇનાચરણે સ્પર્શતા,જીવને ભક્તિમાર્ગ મળી જાય
.                         …………………..સંસ્કારના શીતળ સંગે.

================================

 

December 30th 2012

જ્યોતી

.                      .જ્યોતી

તાઃ૩૦/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ એનું છે જ્યોતી,પણ એ એકજ આંખથી જોતી
બીજી આંખ હતી તેની ગુમ,જ્યાં પડી ગયાતા ફુલ
.                         ………………નામ એનું છે જ્યોતી.
સાંભળતા કોઇની વાણી,એ મનથી જ લેતી જાણી
ના તકલીફ કોઇનેય એદેતી,સમજી શાનથી લેતી
અણસારમળે જ્યાંહવાનો,ત્યાં બારીઓબંધ કરતી
મુખને બંધ રાખી સમયે,બંધ આંખે એસમજી લેતી
.                     ………………….નામ એનું છે જ્યોતી.
સીધી નજરથી એ જોતી,ના આડુ અવળુ એ ખોતી
મેળવીલેતી એ મનથી,જેવસ્તુ જોઇએતેને તનથી
કળીયુગપર ના નજરપડે,ત્યાં મનનેશાંન્તિ મળતી
જલાસાંઇને પ્રાર્થનાકરતાં,સંતનીકૃપાનેપામી લેતી
.                    …………………..નામ એનું છે જ્યોતી.

*********************************************

 

December 29th 2012

આકાશ

.                     . આકાશ

તાઃ૨૯/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાશ મને આકાશ મળે તો,સૌ મુંઝવણ સમજાઇ જાય
અનેક પ્રશ્નોની કેડી મારી,સરળ જીવન થતાં હરખાય
.                  ………………….. કાશ મને આકાશ મળે તો.
નિરખું જ્યારે હું ઉંચે આકાશમાં,ના કાંઇજ મને દેખાય
સુરજની ઉજળી હુંફાસ મળતાં,દિવસ મને મળી જાય
ના આંખોની તાકાત જગે,કે બપોરના સુરજને જોવાય
અંધારૂ વ્યાપતા આકાશમાં,ચંન્દ્રના દર્શન આંખે થાય
.                …………………….કાશ મને આકાશ મળે તો.
શીતળ પવન સ્પર્શે શરીરને,ત્યાં મીઠી લ્હેર મળી જાય
એજ પવન જ્યાં ઉતાવળ કરે,ત્યાંજ સઘળુય તુટી જાય
કુદરતની આલીલા એવી,જે શરીરને સ્પર્શતા સમજાય
નામાનવીની કોઇ શક્તિ,જે આપ્રસંગને આંખે જોઇજાય
.                  ………………….કાશ મને આકાશ મળે તો.

================================

December 29th 2012

બહેન આવી

 

 

 

 

 

 

 

 

 

.

.

.

.                          બહેન આવી

૨૯/૧૨/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પારખી અમારા અંતરનો,મારી વ્હાલી બહેન આવી અહીં
વર્ષો વર્ષની પ્રેમની કેડીને,આજે  સાચા પ્રેમે જ પકડાઇ  ગઈ
એમ વિપુલાબેનની આંખો જોતાં,આજે  જ ભીની દેખાઇ ગઈ
.                      …………………..પ્રેમ પારખી અમારા અંતરનો.
પ્રેમની સાચી શીતળતા મળી,ત્યાં  ભાવનાની આંખો ભીની થઇ
પ્રીથીલા આવી દોડી બારણે,એતો માસીની બાથમાં છુપાઇ ગઈ
ભીની આંખે પુનિતાજોતી,મમ્મીમાસીની સ્નેહે આંખો ભીની થઈ
આજે આવ્યો પ્રસંગ અનેરો,જોઇ કૃષ્ણાની લાગણી ઉભરાઇ ગઈ
.                     ……………………પ્રેમ પારખી અમારા અંતરનો.
શૈલા મારી બહેન નાની આવીહ્યુસ્ટન,સંગે સબ્રીના દીકરી આવી
ઇઝાઝ એના પતિછે વ્હાલા,સંગે દીકરા અનીષનો પ્રેમએ લાવી
બાથમાં લેતાં નાની  બહેનને,હૈયાપ્રેમથી આંખો મારી ઉભરાતી
વર્ષોવર્ષની અલગતા તુટતાંજ, અંતરની લાગણીઓ મેળવાતી
.                     ………………….. પ્રેમ પારખી અમારા અંતરનો.

*************************************************

.               .વિપુલાબેનની નાની બહેન શૈલાબેન તેમની દીકરી શબ્રીના સાથે
હ્યુસ્ટન આવી તેની યાદ રૂપે આ લખાણ વિપુલાબેન પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.
તાઃ૨૭/૧૨/૨૦૧૨.          ગુરૂવાર

December 29th 2012

સ્મરણ સાંઇનું

.                       સ્મરણ સાંઇનુ

તાઃ૨૯/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝંઝટને તોડે,ને ના આફત કોઇ અથડાય
સ્મરણ સાંઇનુ પ્રેમે કરતાં,જીવને શાંન્તિ મળી જાય
.                ………………….જીવનની ઝંઝટને તોડે.
નિર્મળ જીવન જીવને મળતાં,પાવન કર્મ થઈ જાય
બાબાની એક જ દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ પણ થાય
વાણીવર્તન પ્રેમ સંગે જીવતાં,સૌનો પ્રેમ મળી જાય
સ્મરણ માત્ર અંતરથી કરતાં,જીવ મુક્તિએ હરખાય
.              …………………… જીવનની ઝંઝટને તોડે.
સાચી ભક્તિનો સંગ રહેતા,જીવનમાં સદકર્મ થાય
કળીયુગની ના કેડી મળે,કે ના મોહમાયા અથડાય
શ્રધ્ધા ભક્તિ એજ છે સબુરી,માનવમનને સમજાય
સાંઇસાંઇની સરળ રાહે,જીવ પર પ્રભુની કૃપા થાય
.              ……………………જીવનની ઝંઝટને તોડે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

December 26th 2012

લાગણીનો દરીયો

.                  . લાગણીનો દરીયો

તાઃ૨૬/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં ના આંધી આવે,કેના વ્યાધી કોઇ જ દેખાય
સરળ જીવનની સાંજ મળે,ત્યાં ઉજ્વળ જીવન થાય
.                  ………………..જીવનમાં ના આંધી આવે.
પ્રભુની ભક્તિ એ અજબ શક્તિ,જીવને શાંન્તિ થઈ જાય
નાહકની ચિંતાને ફેકતા જીવનમાં,સુખ સાગર છલકાય
મળે જ્યાં સાચો પ્રેમ જગતમાં,ના લાગણીઓ ઉભરાય
પ્રેમ અંતરનો સાચો મળે જીવને,ના અપેક્ષા કોઇ રખાય
.                ………………….જીવનમાં ના આંધી આવે.
મળેપ્રેમ માબાપનો સંતાનને,એ પ્રેમ અંતરનો કહેવાય
લાગણીનો ના ઉભરો રહે ત્યાં,કે ના અપેક્ષાની કોઇ દોર
કર્મબંધન કેડી જીવની,જે જલાસાંઇની કૃપાએ છુટી જાય
ના મળે મુક્તિ જીવને, જ્યાં લાગણીનો દરીયો ઉભરાય
.               …………………..જીવનમાં ના આંધી આવે.

==================================

December 25th 2012

ભોલે શંકર

.                      .ભોલેશંકર

તા:૨૫/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની ભક્તિ કરતાંજ,મન મારું ખુબ હરખાય
ઉજ્વળ કેડી મળતા જીવને,પાવન કર્મ જીવથી થાય
.                   ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,જીવન ઉજ્વળ થઈ જાય
મળે કૃપા માતા પાર્વતીની,સંગે ગજાનંદ પણ હરખાય
કર્મની સાચી કેડી મળતાં,સદકર્મ જીવનમાં થઈ જાય
.                  …………………….ભોળાનાથની ભક્તિ કરતાં.
સાચી શ્રધ્ધા રાખતાં જીવનમાં,પ્રભુની કૃપા મળી જાય
ગૌરીનંદન રાજીરહેતાં,જીવની આકેડી પવિત્ર થઇ જાય
મોહમાયા કાયાથી છુટતાં,પિતા ભોલેનાથની કૃપા થાય
જન્મમૃત્યુના બંધનતુટતાં,જીવનોજન્મ સફળ થઈ જાય
.                   ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
ભોલેશંકરના સ્મરણ માત્રથી,જીવે પાવનકર્મ થતાથાય
માતા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ દેહ પવિત્ર થઈ જાય
નંદેશ્વરની એકજ ટપલીએ,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
જન્મ મરણના બંધન છુટતાંજ,સ્વર્ગની સીડી મળી જાય
.                    …………………..ભોળાનાથની ભક્તિ કરતાં.

*******************************************

December 24th 2012

વિચારનીકેડી

.                         વિચારનીકેડી

તાઃ૨૪/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલને આવકારતા જીવનમાં સવાર પડી ગઈ
.            શું કરવુ ને શું ના કરવુ તે વિચારતા સાંજ પડી ગઈ
માનવમનને ના મોકળાશ મળી કોઇ જીવનમાં અહીં
.           આફત આવે કે લાફત વાગે કાંઇજ સમજ આવે નહીં
જીવનને જકડતી કેડી મળતાં વ્યાધીઓ મળતી થઈ
.            લાગણીની પકડી લાકડી જીવે નિર્મળતા ભાગી ગઈ
સિધ્ધીના સોપાન શોધતા જ આવી પડ્યો નીચે અહીં
.            મનની મુંઝવણ ના સંગે ચાલે ઉજ્વળતા મળી  ગઈ
અંતરની છોડતા લાગણીઓને સાચીરાહ પકડાઇ ગઈ
.           સમજ સમજને શોધતાં અંતે વિચારની કેડી મળી ગઈ.

)(((((((((()(((((((((((((((((()))))))))))))))())))))))))))(

December 24th 2012

પ્રેમ અંતરથી

.                       પ્રેમ અંતરથી

તાઃ૨૪/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સ્નેહનો સંગ રાખતાં,જીવનમાં શીતળતા મળી જાય
ઉજ્વળ ભાવિ પારખી લેતાં,સાચોપ્રેમ અંતરથી મળી જાય
.                      ………………….સરળ સ્નેહનો સંગ રાખતાં.
પ્રીતનીકેડી તોપ્રભુને પ્યારી,સાચી માનવતાએ મળી જાય
જીવની જ્યોત પ્રગટતાં જગે,કૃપા જલાસાંઇની  મળી જાય
સત્કર્મોનો  સંગાથ જીવનમાં,સાચી ભક્તિ એ જ મળી જાય
માયામોહના ત્યાગસંગે,જીવને સાચોમુક્તિમાર્ગ મળી જાય
.                      ………………….સરળ સ્નેહનો સંગ રાખતાં.
લાગણી સાચી સ્નેહથી મળતાં,જગે સુખ શાંન્તિ મળી જાય
અંતરનો સાચો આનંદ મેળવતાં,નિશ્વાર્થભાવના મળી જાય
પકડી લેતા જ કેડી ભક્તિની,ઉજ્વળ રાહ જીવને મળી જાય
પામી લેતાં પ્રેમ સાચો જગતે,માનવતાની મહેંક મળી જાય
.                      …………………..સરળ સ્નેહનો સંગ રાખતાં.

+++++++++++++++++++++++++++++++++++

Next Page »