June 26th 2008

When,Where & Why.

૨૬/૬/૨૦૦૮ ……………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ 

Human life has a great relation with

         WHEN, WHERE  &  WHY     in  His/Her  LIFE

         When He/She  is Born.
         When   He/She  is praying
         When   He/She  is Laughing      
         When   He/She  is working
         When   He/She  is sleeping
         When   He/She  is taking care
         When   He/She  is drinking
         When   He/She  is happy
         When   He/She  is cooking

                        Where He/She is living.
                        Where   He/She is praying
                        Where   He/She is Laughing
                        Where   He/She is working
                        Where   He/She is sleeping
                        Where   He/She is taking care
                        Where   He/She is drinking
                        Where   He/She is happy
                        Where   He/She is cooking

                                               Why He/She is Born.
                                               Why He/She is praying
                                               Why He/She is Laughing
                                               Why He/She is working
                                               Why He/She is sleeping
                                               Why He/She is taking care
                                               Why He/She is drinking
                                               Why He/She is happy
                                               Why He/She is cooking
 
& Finally When ,Where & Why He/She is Eating.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

                        

June 26th 2008

અજાણતા

                      અજાણતા

તાઃ૨૬/૬/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
……………………………..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર

મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
………………………………અજાણતા મળ્યો જલાનો અણસાર.

આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
……………………………….અજાણતા મળ્યો જલાનો અણસાર.

સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
………………………………..અજાણતા મળ્યો જલાનો અણસાર.

આવ્યા આંગણે સાધુનેસંતો લઇ ભક્તિનો ભંડાર
ઉજ્વળમાનવજીવનલાગે જ્યાં ભક્તિમળે લગાર
………………………………..અજાણતા મળ્યો જલાનો અણસાર.

અંતરમાં ઉર્મીઓજાગે ત્યાં ભાગે તકલીફો અજાણ
સાચોસ્નેહ ને મળશેપ્રેમ રાખશો પ્રભુથીપ્રેમ લગાર
……………………………….અજાણતા મળ્યો જલાનો અણસાર.

############################################

June 25th 2008

ભુતપલીત

                     ભુતપલીત

તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે અલખ નિરંજન, છે તપેલીમાં ત્રણ જણ
બોલો ભુત ભયંકર ભટકતા આવ્યા છે અંદર
કરુ જંતર મંતર  ચપટી વગાડી ભગાડું બંદર
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

જ્યાં નાકોઇ આરો કે કોઇ કિનારોત્યાં બનુસહારો
છે નેક અમારો સદાઇરાદો પડે લાઠી ભુતભગાડું
ધુણી ધખાવી ભુતનસાડુ,મરચુ નાખી હું નચાવુ
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

મોરપીંછ પછાડું ને મરચુ નાખી મંત્રો હું ઉચ્ચારું
બુમોપાડી સોટીપછાડું ને શરીરને હું પીંખીનાખું
આવીગયુ મારાએહાથે ફરીનાઆવે કદી આ દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

પકડ્યા વાળ ને ઝાપટ્યો બૈડો બુમો ભુત પાડે
જુવોજુવો આ મૈલીશક્તિ ના ઉભીરહે અહીં હારે
ડમ ડમ વગાડું ડમરુ હાથે ત્યાં કોઇ નારહે દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

અલખ નિરંજન (૨) બોલતો જ્યાં ભઇ હું હાલુ
ભુતભાગે પલીત પણ ભાગે કદી નઆવે સામે
ત્રણભાગે ને તેરપણ ભાગે સાંભળી મંત્રો મારા
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

************************************

June 25th 2008

મેઘધનુષ

                         મેઘધનુષ

તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતરંગનો સથવારો લઇ એ આવે આકાશે
પૃથ્વી પરના સ્નેહ સંબંધમાં પ્રેમને રેલાવે
  ………………………………એતો સાત રંગ લઇ આવે..(૨)
સફેદ રંગમાં લહેરાતી મસ્તી જગમાં ઝાઝી
શાંન્તિનો સંદેશો દેતોને માનવતા મહેંકાતી
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
લાલરંગની મૃદુતા ભઇ ભક્તિએ પ્રેમલાવે
કંકુચોખા સાથે લેતાં પ્રભુથી મન મલકાવે
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
પીળા રંગની પાવકતા હળદર કરાવી જાય
પીઠીચોળતા માનવદેહ પવિત્ર બનતો જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
ભુરા રંગના ભેદભરમ ના સ્નેહ ઉભરાઇ જાય 
માનવતાનીમહેંકથી આજેમનડું મલકાઇ જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
લીલારંગથી શાન્તિમળતી આંખોઉજ્વળથાય
પગલાં પડતાં લીલોતરીમાં દેહ સુદ્રઢ થાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
કેસરી રંગથી જીવનમહેંકે ને પવનપુત્ર થવાય
ના મનમાં વ્યાધિ રહે ને દેહ આનંદે ઉભરાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)
વાદળી રંગનું વાદળુ જ્યાં તેજ દીને દેખાય
ઉજાસના અજવાળે ભઇ જીવન ઝુમતું જાય
………………………………..એતો સાત રંગ લઇ આવે..(૨)

—————————————————

June 18th 2008

જંગલમાં મંગલ.

                         જંગલમાં મંગલ
તા૧૮/૬/૨૦૦૮………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

જંગલમાં મંગલ થાય ને આનંદ હૈયામાં થાય
…………….મલકાતા મનડા આજ, જીવન જીવવાને કાજ
હૈયાને મળતી હામ, કૃપાજલાની મળતી આજ
…………..માનવતાની મહેંક જ્યાં.મહેકે,મળે સૃષ્ટિનો સાથ
અગમનીગમના ભેદ ખુલેને.થાય પ્રભુથી પ્રીત
……………આત્માની ઓળખાણ થાય ત્યાં છુટે જગની.રીત
જંતરમંતરનીજ્યાંપડેચોકડી,ભુતપલીત દેખાય
……………સાથ ના રહે હેત પ્રેમ ત્યાં,મળે ઇર્ષાનેસાથે દ્વેષ
સમયની સાથે ચાલતી નૈયા,હાલમ ડોલમ થાય
…………..મનમાં નારહે ક્યાંય હેતભાવ ને સદાદુખીદેખાવ
આવતી ઝંઝટ સામેચાલી,સુખ શોધતામળે દુઃખ
…………..ના આરો કોઇજોતા થાયમનમાં વ્યાધીઓઅપાર
સર્જનહારની અકળલીલા નાકોઇશક્યું છેજાણી
…………..ના અણસાર મળે કે નથી સાંભળી પ્રભુની વાણી
મનમાં હેત હશે મંગલકારી,તો જંતર નહીં દીસે
………….પરમાત્માની કૃપા પામી ને સૃષ્ટિથી જીવન દીપે

________________________________________

June 14th 2008

શ્યામ ઓ રાધેશ્યામ.

                            શ્યામ ઓ રાધેશ્યામ.

તાઃ૧૪/૬/૨૦૦૮                                    પ્રદીપ  બ્રહ્મભટ્ટ

શ્યામ ઓ રાધેશ્યામ, મારી છે કામના
          અંતરમાં હેત રહે,મનમાં ઉમંગ રહે
                    ભક્તિંમાં ભાવ રહે,હૈયામાં પ્રેમ રહે
                                      ……શ્યામ ઓ રાધેશ્યામ.

કીર્તન હું કરતો તારા,મનથી છેલગનીતારી
           માગું હું ભક્તિ તારી, લેજે આજીવને ઉગારી
માયાની સીડીને તું, કરજે જીવનથી અળગી
            દેજે જીવનમાં મને, ભક્તિની લગની લગાડી
                                     …….શ્યામ ઓ રાધેશ્યામ.

જન્મને કર્મને માયા,બંધનને તું જ સંભાળજે
         અવનીના આગમનને, પ્રભુ કર્મથી બચાવજે
માનવ જીવન ને મારા, સાર્થક તું બનાવજે
         વળગેના મોહમને,પ્રીત મારામનડે જગાવજે
                                      …….શ્યામ ઓ રાધેશ્યામ.

રાધાનો છે શ્યામ તુ,નેગોકુળનો છે કાન તું
          મારો ઘનશ્યામ તું,ને જીવનઆધારપણ તું
મારો સથવાર તું છે, ને જગતકરતાર છે તું
………મનની માયામાં તું છે,ને ભક્તિમાં તું અમારી
……………………………………………….શ્યામ ઓ રાધેશ્યામ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 13th 2008

વિચારું કે…..

                   deli12june.jpg                        

…………………… . વિચારું કે…….
તાઃ૧૨/૬/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, વિચાર મને કેમ આવે
સંકટનીજ્યાં સીડીજોતો ત્યાં,કેમમારીપાસે એ આવે
  …………………………………………………..ક્યાંથી આવ્યો.
મુંઝવણ વધતી જાય મનમાં,જે કોઇને ના કહેવાય
સારુ નરસુ હુ વિચારતો, ને સુખદુઃખમાંય લપટાતો
…………………………………………………….ક્યાંથી આવ્યો.
દુઃખની જ્યારે સમીપ રહેતો, મનડુ મુંઝાઇ જાતુ
સુખની શૈયા શોધવા સારુ,મહેનત હુ ખુબ કરતો
  …………………………………………………..ક્યાંથી આવ્યો.
લાગણી મનમાં ઘણી રહે પણ ઉભરો કદી ના લાવું
જાણી ગયો આ જગનુ જીવન,જે મીથ્યા મોહ લાવે
  …………………………………………………..ક્યાંથી આવ્યો.
પાછળના હું જોતો જ્યારે,સોપાન આગળ ચઢીજતો
મનમક્કમ જ્યાંકરીલેતો,ત્યાં સુખનીલહેર મળીજતી
  ……………………………………………………ક્યાંથી આવ્યો.
પગદંડી છે એકલવાયી, પણ જલાબાપાથી પ્રીત
આનંદ લાવે હૈયે ત્યાં, જ્યાં આવી ભક્તિની રીત
……………………………………………………..ક્યાંથી આવ્યો.
ભોલેનાથની કૃપા પામવા, હર હર ભોલે ભજતો
સંસારની ઝંઝટથી છુટવા,હું ભક્તિ મનથી કરતો
……………………………………………………..ક્યાંથી આવ્યો.
જન્મ મરણ કેમ જીવને વળગે,સૃષ્ટિ કેમ અનેરી
માનવ માત્ર ચિંતીત હૈયે,જ્યાંત્યાં જગે કેમભટકે
……………………………………………………..ક્યાંથી આવ્યો.

++++++++++++++++++++++++++++++++++++++++++

June 12th 2008

રાઘવને રામ.

                          રાઘવને રામ
તાઃ૧૨/૬/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાઘવને રામ કહું, કાન્હા ને કૃષ્ણ  કહું
મનથી હું પ્રભુ ભજુ, બીજુના જાણું કશું
                                          ……રાઘવને રામ કહું
અંતરમાં લાગે હેત, મળે જ્યાં પ્રભુ પ્રેમ
લાગે છે જીવન નેક, જલા છે સાથે છેક
                                          ……રાઘવને રામ કહું
મળી છે ભક્તિ મને,માબાપે દીધી પ્રેમે 
ઉજ્વલછે જીવનદીસે,મળીજે પ્રભુ પ્રીતે 
                                        ……..રાઘવને રામ કહું
સાંભળુ ભક્તિ ગીત, પ્રભુથી લાગે પ્રીત
વંદનહુંમનથીકરતો,ના હુંજીવનથી ડરતો
……………………………………………….રાઘવને રામ કહું
માગું હું મનથી પ્રભુ, શરણે હુ કાયમ રહુ
લાગે ના માયા મોહ, જીવ ને છુટતાં દેહ
                                      ……….રાઘવને રામ કહું
મનમાં ના વ્યાધી મને,સાંઇના નામથી
અમર ભક્તોની કૃપા,ભક્તિથી મળી મને
………………………………………………રાઘવને રામ કહું

********************************************

June 12th 2008

પ્રભુથી પ્રીત.

                                 hanukaka.jpg                     

                                   પ્રભુથી પ્રીત 
તાઃ૧૨/૬/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
  ………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
 . ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
 ……………….જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુના દુત
  ………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
 ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…

June 11th 2008

જરુર નથી.

                                    જરુર નથી
તાઃ૧૧/૬/૨૦૦૮
…………………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

  • ભક્તિ સાચા દિલથી કરશો તો દેખાવ કરવાની કોઇ જરુર નથી.
  • માબાપની સેવા મનથી કરશો તો આશિર્વાદ માગવાની જરુર નથી.
  • બાળકોને સંસ્કાર આપશો તો હડધુત થવાની જરુર નથી
  • ભણતરનો પાયો જેનો મજબુત છે તેને નોકરી માટે ભટકવાની જરુર નથી
  • લગ્ન કરી અહીં આવેલાના માબાપને અહીં આવવાની જરુર નથી.
  • ઘરડા માબાપને બોલાવી બેબી સીટીંગ કરાવવાની કોઇ જરુર નથી.
  • દીકરાની વહુનો છણકો સાંભળવાની કોઇ જરુર નથી.
  • સાચી ભગવાનની સેવા ઘરમાં થાય છે બહારજવાની કોઇ જરુર નથી.
  • દેશમાં એક ધર્મના જુદા જુદા ફાંટા કરવાની કોઇ જરુર નથી.
  • જ્યાં ઘરમાં જ ભક્તિ થતી હોય ત્યાં મંદીરો પાછળ ખર્ચાઓની કોઇ જરુર નથી.
  • એકજ ગામમાં એકજ સંપ્રદાયના જુદાજુદા મંદીરો કરવાની કોઇ જરુર નથી.
  • ભગવું ધારણ કરેલ સાધુને સેલફોનની કોઇ જરુર નથી.
  • સત્ય સ્વીકારી જીવનારને ભટકવાની કોઇ જરુર નથી.
  • જન્મ મળેલ છે તેણે મૃત્યુથી ડરવાની કોઇ જરુર નથી.
  • સંતાનોનો સાચોપ્રેમ તેમનાલગ્ન બાદમાબાપને જોવા મલે છે જે કહેવાની કોઇ જરુરનથી.
  • માની આંખ ખુબ આનંદ થાય ત્યારે અને સંતાન તરછોડે ત્યારે ભીની થાય જે કહેવાની જરુર નથી.

<<><<<<<><<<<<<<<<<<><<<><><<><><><<<<><><><><<<<><><<<<><><<

Next Page »