October 31st 2018

પવિત્ર ભક્તિપ્રેમ

.           .પવિત્ર ભક્તિપ્રેમ      

તાઃ૩૧/૧૦/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જે દેહને સદકર્મનો સંગાથ આપી જાય
નિર્મળ જીવનમાં નાકોઇ અપેક્ષા અડે,કે ના કદી કોઇ માયા લાગી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.
મળેલ જીવનમાં છે કર્મના બંધન,જે અવનીપરના આગમનથી સમજાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સમજણનો સાથ આપી જાય
માનવદેહ છે કૃપા ભગવાનની,મળેલદેહને જીવનમાં પાવનરાહે દોરીજાય 
અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક પવિત્રરૂપ લઈ પ્રગટી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.
માનવ દેહને બુધ્ધીનો સંગાથ મળે,જે અનેક રાહે મગજને સમજાઈ જાય
વર્તન એ દેહનીકેડી જીવનમાં,એ ઉંમરનીસાથે સમય પ્રમાણે ચાલી જાય
નિર્મળભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવને સુખશાંંન્તિ મળી જાય
આજ પ્રેમછે પ્રભુનો અવનીપર,અંતે કૃપાએ જીવને મુક્તિમાર્ગે દોરી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.

=======================================================

October 30th 2018

જન્મદીનનો સંગ

.            .જન્મદીનનો સંગ

તાઃ૩૦/૧૦/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ પકડી ચાલતા,ચી.નિશીતકુમારનો જન્મદીવસ આવી જાય
પવિત્રરાહનો સંગાથ મળ્યો તેમને,જ્યાં પિતા પંકજભાઈનીજ રાહ મળી જાય
.......એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરે શ્રી સ્વામીનારાયણની,જે પવિત્રરાહે જીવન જીવી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં ભણતરનો સંગાથ લઈ ચાલી જાય
માતા નીલાબેનના આશીર્વાદ મળે,જે જીવનમાં તનમનધનનો સંગાથ દઈ જાય
નાઅપેક્ષા કોઇ જીવનમાં રાખે,કે ના કોઇ અભિમાનની કોઇકેડી કદીય પકડાય 
...  ...એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
મળેલ માનવદેહને પવિત્રરાહની કેડી મળી,જ્યાં વડીલના આશીર્વાદ મળી જાય
પ્રદીપ રમાની વ્હાલી દીકરી દીપલના પતિદેવ થયા,પાવનરાહે જીવન જીવીજાય
ભાઈ રવિ સંગે હિમાભાભી પણહરખાય,વ્હાલા વીર,વેદ ફોઈને જોઇ રાજી થાય
સંત જલાસાંઇની કૃપા થાય દીપલ નિશીતકુમાર પર,પવિત્રરાહે પેઢીને લઈ જાય
........એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
==============================================================
    અમારા વ્હાલા જમાઈ નિશીતકુમારનો આજે જન્મદીવસ છે તે પ્રસંગની યાદ
રૂપે આ કાવ્ય લખી મારી દીકરી દીપલના તરફથી તેમને ભેંટ આપુ છુ.
લી.પ્રદીપ સંગે પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.  તા ૩૦/૧૦/૨૦૧૮ 
============================================================= 

 

October 29th 2018

કળીયુગની કેડી

.             .કળીયુગની કેડી 

તાઃ૨૯/૧૦/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયનો સંબંધ દેહને અવનીએ,અનુભવની ગંગાએ મનને સમજાઈ જાય
સમય એ કુદરતની લીલા જગતપર,કળીયુગની કાતરથી દેહ ભસાઇ જાય,
.....જે જીવનમાં અનેક કર્મનો સંબંધ આપી,જીવને આફતમોહના માર્ગે પકડી જાય.
જીવને દેહ મળે અવનીએ જે જીવને યુગના કર્મસંગે અનેકરાહે દોરી જાય
મળેલદેહને માનવતાસ્પર્શે જગતપર,જે દેહને વર્તનના અનુભવો આપીજાય
માગણી મોહ એજ કળીયુગની છે કેડી,જગતપર નાકોઇ જ દેહથી છટકાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જયાં પવિત્રરાહથીજ જીવન જીવાય 
.....જે જીવનમાં અનેક કર્મનો સંબંધ આપી,જીવને આફતમોહના માર્ગે પકડી જાય.
સમજણની રાહ મળે દેહને જીવનમાં,જ્યાં પાવનરાહે પરમાત્માની પુંજાથાય
ના અપેક્ષાનો સંગાથ મળે દેહને,જે નિર્મળ જીવનની જ્યોત પ્રગટાવી જાય
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,જીવને નિર્મળતાનૉ સંગાથ મળી જાય
કુદરતની એકૃપા જગતપર જીવને મળે,જ્યાં શ્રધ્ધાભાવથી વંદનઅર્ચના થાય
.....જે જીવનમાં અનેક કર્મનો સંબંધ આપી,જીવને આફતમોહના માર્ગે પકડી જાય.
==============================================================

 

October 23rd 2018

નિખાલસ જીવન

.           .નિખાલસ જીવન
તાઃ૨૩/૧૦/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા તમે ને ક્યાં તમે જવાના,જગતમાં ના કોઇનેય સમજાય
આ અદભુતલીલા અવીનાશીની અવનીપર,કુદરતની પરમ કૃપા કહેવાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
જીવને મળેલદેહ અવનીપર અનેકરીતે ઓળખાય જે અદભુત લીલા કહેવાય
પશુપક્ષીપ્રાણીને માનવદેહ સમયે મળે,જે થયેલ કર્મથી જીવને મળતા જાય
જીવનેસ્પર્શે કરેલકર્મ અવનીપર,જેને કર્મબંધનથી સમયસમયે દેહ મળી જાય
સત્કર્મ એ પાવનરાહ દેહની જીવનમાં,એજ પવિત્રકર્મનો સંગાથ આપી જાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
આંગણે આવી પ્રેમમળે કુદરતનો,જે નિર્મળજીવન જીવવાની રાહ આપી જાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,ના કોઇ મોહ કે માયાનો સ્પર્શ જીવને થાય
અનંત શાંન્તિની રાહ મળે દેહને,જે નિખાલસ જીવનસંગે પવિત્રરાહે લઈ જાય
કર્મનીપવિત્રકેડી એજ જીવની જ્યોતછે,જે જન્મમરણના બંધનથી દુર રાખીજાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
================================================================
October 23rd 2018

સમયની સમજણ

.                      .સમયની સમજણ

તાઃ૨૩/૧૦/૨૦૧૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કોઇથીય કદીદુર રહેવાય
અજબશક્તિશાળી છે અવનીપર,પારખીને ચાલતા શાંંન્તિઆપી જાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
દેહ મળે જીવને અવનીપર,જે થયેલ અનેક કર્મના બંધનથી મેળવાય
જગતપર દેહને સમયજઅડે,જે બાળપણ જુવાની ઘડપણ આપી જાય
કુદરતની અજબલીલા જ કહેવાય,જગતપર નાકોઇથી કદી દુર રહેવાય
સરળ જીવનનો સંગાથમળે દેહને,જ્યાં નિર્મળ ભાવનાએ જીવનજીવાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
જીવનમાં મળેલ દેહ જો સમયને સમજીને ચાલે,તો શાંંન્તિ મળી જાય
પરમાત્મા તકલીફ આફતને દુર રાખે,જે જીવને શ્રધ્ધાભક્તિ આપીજાય
મળેલ માનવ દેહની માનવતા પ્રસરે,જ્યાં કુદરતની કૃપાની વર્ષા થાય
જીવનમાં કર્મનીકેડીની સમજ મળે જીવને,જે સમયસમયે પરખાઈ જાય
...એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
=============================================================
October 22nd 2018

કર્મનો સંબંધ

.              .કર્મનો સંબંધ  

તાઃ૨૨/૧૦/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કરેલ કર્મ એજ જીવની છે કેડી,જે મળેલ દેહના સ્પર્શથી અનુભવાય
પરમાત્માની પરમકૃપા મળે દેહને,જે જીવનમાં પાવનકર્મ આપી જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
જગતપરનુ આગમન જીવનુ,જે થયેલ કર્મના સંબંધે દેહ આપી જાય
ના કોઇ જીવની તાકાત જગતપર,કે ના કોઇ અપેક્ષાની માયા થાય
માનવદેહ એ કૃપા છે પ્રભુની,જે દેહને સમજણનો સાથ આપી જાય 
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિર્મળ ભક્તિરાહ દઈ જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
શક્તિનો સંગાથ મળે દેહને અવનીપર,જે પાવનકર્મ થતા અનુભવાય
આવી આંગણે પાવનકર્મની રાહ મળે,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
મળેલદેહને શાંન્તિનોસંગાથ મળતા,જીવનમાં પવિત્રભક્તિરાહ મેળવાય
સત્કર્મનો સંગાથ મળતાજ દેહને,પાવન પ્રેમની ગંગા પણ મળતી જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
===========================================================

 

October 21st 2018

સંગાથ મળે

.             .સંગાથ મળે    
 
તાઃ૨૧/૧૦/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પ્રેમ છે પરમાત્માનો જગતપર,જીવને અનુભવે સમજાય
સફળતાનો સહવાસમળે દેહને,જ્યાં સર્જનહારનો સંગાથ મળી જાય
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
અવનીપર અજબલીલા છે કુદરતની,જે મળેલદેહને સમયથી દેખાય
કરેલકર્મ એતો બંધન છે જીવના,એ જગતપર દેહ મળતા સમજાય
નાઅપેક્ષા દેહનીહોય જીવનમાં,ત્યાં મળેલદેહ પાવનરાહ મેળવીજાય
સરળ જીવનની રાહ મળતા દેહને,પરમાત્માની કૃપાનો સંગાથ મળે
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
કુટુંબનો સંબંધ એ જીવના કર્મનો સાથ,જે કુળને આગળ લઈ જાય
ઉંમરને તો સમયનો સંગાથ અવનીએ,જેને સમયનો સંગાથ કહેવાય
મળતી માયાને સમજી ચાલતા જીવનમાં,ના આફત કોઇ અડી જાય
એ મળેલ માનવદેહને સમયે સમજાય,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય 
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
========================================================
October 19th 2018

સમજણ

.               .સમજણ
              
તાઃ૧૯/૧૦/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમજણનો સંગાથ મળે જીવનમાં,દેહને પાવનરાહ એ આપી જાય
મળેલ માનવદેહને સ્પર્શે કર્મનીકેડી,જે અનુભવનીગંગા વહાવી જાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
દેહ મળે અવનીએ જીવને,જીવના થયેલ કર્મના સંબંધથી મેળવાય
સમય ના પકડાય જગતમાં કોઇદેહથી,પણ સમજણથી એ સચવાય
માનવદેહને સમજણસ્પર્શે જીવનમાં,જયાં સત્કર્મનો સંબંધ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન થાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
પ્રેમ નિખાલસ જીવનમાં મળે,જ્યાં કોઇજ અપેક્ષા જીવથી કદી રખાય
સફળતાનો સંગાથ મળે દેહને,જે જીવને પવિત્રકર્મ તરફ એ દોરી જાય
મળે સમજણની નિર્મળકેડી અવનીપર,જે આગમનનોસ્પર્શ આપી જાય
નિર્મળ જીવનની રાહે જીવતા અંતે,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
============================================================

	
October 18th 2018

જય માતાજી

Image result for જય માતાજી ફોટા
.               .જય માતાજી     

તાઃ૧૮/૧૦/૨૦૧૮    (આસો વદ-૯)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રદીવસ નવરાત્રીના જીવનમાં,જ્યાં માતાને રાજી કરવા ગરબા ગવાય
નવદીવસ નિર્મળભાવથી પુંજનકરતા,ગુજરાતીઓને પવિત્રજીવન મળીજાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
પાવનકર્મની રાહમળે જીવનમાં શ્રધ્ધાએ,કુળદેવીમાતાની કૃપામળે માનવીને
પવિત્ર ભાવથી ગરબે ઘુમતા આપણે,દરવાજા ખુલતા માતાના દર્શન થાય
પાવન રાહ મળે કૃપાએ કુળને જીવનમાં,જે કુટુંબને પવિત્રરાહેજ લઈ જાય
મનથીકરેલ પુંજા માતાની નવરાત્રીમાં,અજબશક્તિની કૃપાપણ આપી જાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
જગતમાં ઘુમતા ગુજરાતીઓને કૃપામળે,જ્યાં નવરાત્રીએ માતાનીભક્તિ થાય
અનેક સ્વરુપ માતાજીના છે ભારતમાં,જે જગતમાં પવિત્રભુમીપણ કરી જાય 
મળેલદેહને કર્મનો સંબંધ છે અવનીપર,શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા કૃપા થાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં જગતપર નવરાત્રીએ માતાનુપુંજનથાય 
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
==============================================================
October 16th 2018

ભાગતો રહેજે

.           .ભાગતો રહેજે      

તાઃ૧૬/૧૦/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતરથી બચવાને માટે,જીવનમાં તુ ભાગતો રહેજે
અનેક પ્રસંગો તને જીવનમાં મળશે,દરેક પગલુ સાચવી ભરજે
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
માનવજીવનએ જીવના દેહનાબંધન,અવનીપર આગમને દેખાય
થયેલ કર્મની આછે કેડી દેહ મળતા,દેહને સંબંધી મળતા જાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે કૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસથી પુંજન થાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
જીવને સંબંધ અનેક દેહથી મળે,જે કરેલ કર્મનાબંધને મેળવાય
પશુપક્ષી એ આધારીત દેહ છે,જગત પર એ નિરાધાર કહેવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જીવને સમજણ આપી જાય
મળેલદેહે પગલે પગલા સાચવીને ભરે,આફતોથી ભાગતા રહેવાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
=======================================================
Next Page »