October 23rd 2018

નિખાલસ જીવન

.           .નિખાલસ જીવન
તાઃ૨૩/૧૦/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા તમે ને ક્યાં તમે જવાના,જગતમાં ના કોઇનેય સમજાય
આ અદભુતલીલા અવીનાશીની અવનીપર,કુદરતની પરમ કૃપા કહેવાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
જીવને મળેલદેહ અવનીપર અનેકરીતે ઓળખાય જે અદભુત લીલા કહેવાય
પશુપક્ષીપ્રાણીને માનવદેહ સમયે મળે,જે થયેલ કર્મથી જીવને મળતા જાય
જીવનેસ્પર્શે કરેલકર્મ અવનીપર,જેને કર્મબંધનથી સમયસમયે દેહ મળી જાય
સત્કર્મ એ પાવનરાહ દેહની જીવનમાં,એજ પવિત્રકર્મનો સંગાથ આપી જાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
આંગણે આવી પ્રેમમળે કુદરતનો,જે નિર્મળજીવન જીવવાની રાહ આપી જાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,ના કોઇ મોહ કે માયાનો સ્પર્શ જીવને થાય
અનંત શાંન્તિની રાહ મળે દેહને,જે નિખાલસ જીવનસંગે પવિત્રરાહે લઈ જાય
કર્મનીપવિત્રકેડી એજ જીવની જ્યોતછે,જે જન્મમરણના બંધનથી દુર રાખીજાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment