August 26th 2019

नरेन्द्रभाईको सलाम

.          .नरेन्द्रभाईको सलाम

ताः२६/८/२०१९               प्रदीप ब्रह्मभट्ट

मेरे देशकी धरती पावन है,जीसे दुनीयामे भारत कहेते है
मै भारतका रहेने वाला हु,भारतदेश को सलाम करता हु
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
जहांजहां गुजराती जाते है,वहा जीवको पावनराह दीखाते है
गुजरातमे प्यारे मुख्यप्रधान थे,जो नरेन्द्रभाईमोदी कहेलाते है
पवित्रराह पर चल रहे है,मम्मीकेआशीर्वादसे पावनराह मीली
भारतदेशके वडाप्रधान होगये,जो गुजरातीयोके लीये सन्मानहै
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
पवित्रभुमी है भारत जगतपर,जहां परमात्माने अनेकदेह लीया
पवित्र नदीया बहेती है इस देशमे,जो जन्मसफळ करदेती है
पवित्र संस्कारही जीवनकी केडी है,जो नरेन्द्रभाईसे मिलती है
सफळ जीवनमे नाकोइ अपेक्षा अडती,पावनराह पर चले रहो
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
हिन्दु धर्मकी पावनराह मीली,जो परमात्माके अनेकदेहसेही पाई
पावनकर्मकी राह मीली जीवनमें,जहां नरेन्द्रभाईनेही चींधी राह
ऊज्वळ जीवनकी राह मीले,जहां पावनकर्मका संगाथ मीलजाय्
पवित्रराहका संग मीले,जहां जीवनमे परमात्माकी कृपा हो जाय
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
===================================================
 ह्युस्टनके साहित्यप्रेमीयोकी औरसे भारतके वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजी
ह्युस्टन आ रहे है तो उनको यादकी तौर पर ये काव्य सप्रेम दे रहा हु.
 ली.प्रदीप ब्रह्मभट्ट (आणंद) ह्युस्टन.
=======================================================
 

	
August 26th 2019

નવરાત્રીને નમન

.             નવરાત્રીને નમન   
તાઃ૨૫/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ      

     જ્યોતિબેન તમને તો ઘણા સમય પછી જોયા અને તમે મને યાદ રહ્યા તે માતાજીની કૃપા કહેવાય.
એટલેજ તમે મને યાદ આવ્યા અને આમેય ભુતકાળ તો ભુલાય નહીં એટલે જ માતાએ મને યાદ રખાયા.
અને આમેય મારે તમને યાદ રાખવાપડે કારણ તમે તો મારા જુના પડોશી અને ખાસતો આપણે મેદીરમાં
સાથે જતા અને માતાનો પ્રેમ પણ મેળવી લેતાં.મને તો ધણો આનંદ થયો કે હિંદુ ધર્મની નવરાત્રીના 
પ્રથમ દીવસે અંબામાતાની કૃપા થઈ તો આપણે દુકાનમાં મળ્યા અને મને તરત યાદ આવી ગયા.તમારી
તબિયત કેમની છે બધુ બરાબર છે ને અને તમારા વર રમેશભાઈ અત્યારે શુ કરે છે? તેમની તબિયત
બરાબર છે ને.હા નિલાબેન તમારો પ્રેમ છે તો માતાની કૃપાએ પવિત્ર નવરાત્રીના દિવસે જ આપણે મળ્યા.
આવો આપણે અહીં ખુરશીમાં બેસી થોડી આપણી પર્સનલ વાતો કરીએ.
     બંન્ને બહેનો ખુરશીમાં બેઠા અને હાથ પકડીને આનંદ કર્યોંં.નિલાબેન કહે જ્યોતિબેન તમારે કેમનુ છે.
બધુ બરાબર છે ને તમારી તબિયત સારી દેખાય છે અને તમારા વરની દુકાનનુ કામકાજ બરાબર ચાલે છેને?
અને તમારા દીકરા અને દીકરીઓ અત્યારે શુ કરે છે.જ્યોતિબેન કહે તમને પહેલા વાત કરેલીને કે મારા વર
જ્યારે અમે અમેરીકા આવ્યા તે પહેલા આણંદમાં રહેતા હતા મારા વર વકીલ હતા અને છત્રીસ વર્ષ વકીલાત
કરી.અને મારી મોટી નણંદ ઉર્મીલાબેને અમારા માટે વિઝા માટે એપ્લાય કર્યુ અને અમને બોલાવ્યા એટલે
અમને એમ કે અમેરીકામાં આપણને સારી જીંદગી મળશે.એટલે અમે અમેરીકા આવ્યા પણ અમને ખબર 
પડી કે અમેરીકામાં હવામાનનો બહુ ભરોશો ના રખાય ન્યુયોર્ક,શીકાગો અને કેલીફોર્નિયામાં ઠંડી ખુબ પડે.
એટલે અમે હ્યુસ્ટનમાં આવ્યા કારણ મારા બાળકો નાના હતા તેથી તેમની તબીયતની ચીંતા ના કરવી પડે.
અહીં આવ્યા પછી મારા વરે પ્રયત્ન કર્યો કે વકીલાત ચાલુ રાખે પણ તેમને અનુભવ થયો કે ભારતથી આવેલ
વ્યક્તિઓને ત્યાંના ભણતરની કોઇ જ લાયકાત ના મળે અને બીજી વાત એ પણ છે અહીંના ભણતરથી કોઈ
તક ના મળે કારણ તે ઉંમરને અડીં જાય.જોકે તેમણે ત્રણમાસ ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ તક ના મળી
એટલે અમેરીકન ગ્રોસરી સ્ટોરમાં ગ્રાહકને લારી પકડી મદદ કરવાની નોકરી શરૂ કરી.અને મારા બે દીકરા 
અને બે દીકરીઓ સ્કુલમાં ભણવા જતા હતા તેમને સ્કુલની બસ લઈ જતી અને મુકી જતી અને મારે પણ 
કામ કરવુ જોઇએ તો એક ગુજરાતી ભોજનની હોટલમાં મને નોકરી મળી મને સવારે નવ વાગે લઈ જાય અને 
સાંજે આઠ વાગે પાછી મુકી જાય મારા વરને ગુરૂવારે તેમના જુના મિત્ર મળ્યા અને કહ્યુ કે તમે મારો આ 
ફોન નંબર છે મને શનિવારે સવારે ફોન કરજો તો તમને સારો રસ્તો બતાવીશ.શનિવારે મારા પતિએ 
અંબાલાલભાઇને ફોન કર્યો અને રવિવારે મળવાની માહિતી મેળવી લીધી.તેઓ અમારા ઘરથી નજીકમાં જ 
રહેતા હતા મારા વરને આનંદ થયો.રવિવારે તેમને મળવા ગયા તેમના ઘરમાં પ્રવેશતા જ તેમને અનુભવ થયો 
કે તેમની ઉપર માતાની કૃપા થઈ એટલે તેમને મળવા આવવાનુ થયુ.ઘરમાં પેસતા જ પ્રથમ રૂમમાં માતાનુ 
મંદીર હતુ જ્યાં અંબાલાલ  માતાની પુંજા કરતા હતાં. તેમણે મારા વરને કહ્યુ રમેશભાઈ તમે નશીબદાર છો 
કારણ આજે હીંંદુ ધર્મ પ્રમાણે નવરાત્રીનો પ્રથમ દીવસ છે અને તે દીવસે માતાએ તમને બોલાવ્યા અને તેજ
દીવસે તમે આવ્યા તે તમારા પર માની કૃપા કહેવાય જે તમને તક આપી.બે મીનીટ તમે માતાજીને પગે અ
લાગી લો પછી આપણે ઘરમાં બેસીએ વાત કરીએ.થોડી વાર પછી બંન્ને રૂમમા બેઠા અને અંબાલાલભાઈએ
મારા વરને કહ્યુ મારા એક મિત્ર જે બોરસદના છે અને અઢાર વર્ષથી અહીં અમેરીકામાં છે તમને વાત કરવી 
છે કે તેમનુ નામ કનુભાઈ છે ડાઉનટાઉનમાં દુકાન છે પણ તેમને આ એરીયામાં નવો સ્ટોર કરવો છે અને
તમને એ નવા સ્ટોરની બધી વ્યવસ્થા કરી આપશે.તમારે એ સ્ટોર ચલાવવાનો આ વાત ચાલતી હતી તે
વખતે જ અચાનક કનુભાઇ અંબાલાલને મળવા આવ્યા.અંબાલાલે કનુભાઈને આ રમેશભાઈ આણેંદના છે 
તેમને મે તમારી નવી દુકાન ચલાવવા માટે બોલાવ્યા હતા અને તે આવ્યા તો તમે પણ સમયસર માતાની
કૃપા થઈ અને આવી ગયા.મારા વરની જોડે તેમણે દુકાનની વાત કરીને તેમણે કહ્યુ કે દસ દીવસમાં જ
દુકાન ચાલુ કરી દઈશુ.આ ઘેરથી દુકાને જતા પાંચ મીનીટ થશે.
 મારા વર ઘેર પાછા આવ્યા અને સાંજે માતાની પુંજા કરી અને કુળદેવી માતા કાળકાને દીવો કર્યો.
તે વખતે માતાએ તેમની પર કૃપા કરી અને તેમને વિચાર આવ્યો એટલે સેવા કરી ઘરમાં ચાલતા મને કહે
આજથી આપણા ધર્મ પ્રમાણે નવરાત્રી શરૂ થાય છે એટલે માતાએ મારી પર કૃપા કરી અને પ્રેરણા આપી 
કે તુ દુકાન ચલાવજે તને શાંંતિ મળશે.સમયની સાથે જે વ્યક્તિ ચાલે તેની પર પરમાત્માની કૃપા થાય.
અંબાલાલ નિમીત બન્યા અને દુકાન ચલાવવાની વાત કરી.
 દસ દીવસમાં જ જ્યોતીબેનના ઘરથી નજીકમાં જ સંગીતા ઇંડીયન ગ્રોસરી સ્ટોર ખોલ્યો અને 
રમેશભાઈને ચલાવવા માટે આપવામાં આવ્યો.તેઓ સમયસર સવારમાં નવ વાગે દુકાન ખોલતા અને
સાંજે સાત વાગે બંધ કરી ઘેર આવી જતા અને ઘરના મંદીરમાં ભગવાનને આરતી અને માતાને દીવો
કરી દેતા.જ્યોતીબેન પણ માતાની આરતી પણ કરતા.તેમની પર માતાની કૃપાએ બે દીકરા અને બે
દીકરીઓ આપી.તેમનો મોટો દીકરો સુરેશ પછી દીકરી કામીની પછી દીકરો મનોજ અને પછી દીકરી
મોનિકા હતી.જ્યોતીબેન લગ્ન પહેલા પણ બાળપણથી માતાજીની પુંજા કરતા તેમની સાથે સ્કુલમાં 
ભણતી એક ભ્રાહ્મણ બેનપણી રાધિકાએ એક વખત નવરાત્રીની વાત ચાલતી હતી તે વ ખતેજ તેણે
કહ્યુકે ભારત એજ પવિત્ર ભુમી છે જ્યાં માતાએ બાવન સ્વરૂપ લીધા છે.અને હિંદુ ધર્મમાં ભક્તિ 
એજ પવિત્ર જીવનની રાહ આપે છે.જ્યોતીબેન તો માબાપની કૃપાએ બાળપણથીજ માતાની પુંજા
કરતા અને નવરાત્રીમાં માતા નિમીત્તે દીવસમાં એક જ વખત ભોજન કરતા અને સાંજે માતાને 
દીવો કરી આરતી કરી માતાનો ગરબો ગાઈ પછી માતાના મંદીર જતા.જ્યાં ગરબા ગાઈ અને
આરતી પણ કરતા આજ એમના જીવનમાં પવિત્રરાહ મળતી ગઈ અને જેને લીધે ચાર સંતાન થયા
જે માતાની કૃપાએ સ્કુલમાં જતા અને સમય પકડીને ચાલતા હવે કૉલેજમા જવાનુ શરૂ થયુંં મોટો
દીકરો સુરેશ વકીલનુ ભણ્યો.બીજી દીકરી કામિની મેડીકલનું ભણતી હતી ત્રીજી દીકરી નર્શનુ ભણી
હતી ચોથો દીકરો શિક્ષકનુ ભણતો હતો. ચારે સંતાન નવરાત્રીની માતાની કૃપા એ પવિત્રરાહે 
જીવતા હતા અને તેમના પિતા પણ પવિત્રરાહે માતાની કૃપા લઈ દુકાન ચલાવતા હતા.દુકાન
સવારે ખોલતા સમયસર ગ્રાહકો આવી જતા કારણ આ દુકાનમાં ગુજરાતી અનાજ,શાકભાજી અને
મંદીરની વસ્તુઓ યોગ્ય ભાવે મળતા ખુબ શાંંતિ મળતી જે તેમની શ્રધ્ધા અને તેમની પત્ની 
જ્યોતીબેનની ભક્તિ જે નવરાત્રીથી માતાની કૃપા મેળવી જીવી રહ્યા હતા એજ નવરાત્રીને નમન
કહેવાય.સૌને નવરાત્રી નીમીત્તે જય માતાજી.
========================================================================
August 21st 2019

પવિત્રભુમી ભારત

.                             .પવિત્રભુમી ભારત       

તાઃ૨૧/૮/૨૦૧૯                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહને રાહમળે જ્યાં માળાજપતા,અદભુત શાંંતિ જીવને મળીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
ભારતદેશ એજ ભવસાગર છે,જેમાં ગુજરાત પાવનનાવથી તારી જાય
ગુજરાતમાં જન્મલીધો અજબશક્તિશાળી જીવોએ,દેશમાં વર્તંથીદેખાય
મળેલમાનવદેહની કર્મથી ઓળખાણ થાય,એજ સિધ્ધીસાગર કહેવાય
ગુજરાતીઓની શાન નિરાળી,જે દેહથી અદભુતશક્તિશાળી કર્મ થાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
માનવદેહ મળે ગુજરાતમાં,સરળ સમયે તે દેહ દુનીયામાં પ્રસરી જાય
ગુજરાતની શાન સંગે હ્યુસ્ટનમાં આવ્યા,જે અનેક પવિત્રકર્મ કરીજાય
ધર્મકર્મને સાચવીને ચાલતા,હિંદુ ધર્મને એ અમેરીકામાં પ્રસરાવી જાય
અનેક પવિત્ર મંદીરો કર્યા આધરતીપર,જ્યાં હજારો ભક્તો આવીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય
આઝાદીની પાવનરાહ ગુજરાતીઓ પ્રસરાવી,દેશને આઝાદ કરી જાય
ગુજરાતના મુખ્યપ્રધાન થયા શ્રી નરેંદ્રભાઇ,પવિત્ર જીવનએ જીવી જાય
માતાનો પવિત્રપ્રેમમળ્યો આશીર્વાદથી,એ ભારતના વડાપ્રધાન થઈજાય
નિર્મળભાવના સંગે પવિત્રકર્મે,ગુજરાતીઓને મળવા હ્યુસ્ટન આવી જાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
=============================================================
      ગુજરાતના મુખ્યપ્રધાન અને હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતીઓના પ્રેમને પારખી હ્યુસ્ટન આવી જાય તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય 
લખેલ છે.      લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
August 16th 2019

મળે માતાનો પ્રેમ

.             . મળે માતાનો પ્રેમ 

તાઃ૧૬/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
મળે માતાનો પ્રેમ ભક્તોને,જ્યાં પવિત્ર નવરાત્રીએ ગરબા ગવાય
શ્રધ્ધાભાવથી માતાને પગે લાગવા,પ્રેમથી ડાંડીયાસંગે રાસ રમાય
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જ્યાં માતાને શ્રધ્ધાપ્રેમથી વંદનથાય
ભક્તિભાવથી ગરબે ધુમતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
પવિત્રપ્રેમથી તાલીપાડતા,કાળકામાતાની પાવાગઢથીકૃપા મળી જાય 
એજ નવરાત્રીની પાવનરાહ છે,જે કુળદેવીની ક્ર્પા મળે અનુભવાય
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
ડાંડીયારમતા ભક્તજનો માને રાજી કરે,સંગેબહેનો તાલી પાડી જાય
ઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,જે જીવનમાં સુખ આપી જાય
સમયસંગે ચાલતા મળેલદેહ પર,તાલીઓના તાલે માતાની કૃપા થાય
અદભુત જીવનની રાહ મળે માનવદેહને,જે રાસ ગરબાથી મેળવાય 
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
========================================================

 

August 14th 2019

માતાનીકૃપા

         Image result for માતાજીના ગરબા,રાસ
.                 ંમાતાનીકૃપા                     
તાઃ૧૪/૮/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર શ્રાવણ માસની પાવનરાહ મળતા,પ્રેમથી ગરબાએ ભક્તિ કરાય
માડી તારા આંગણે આવી તાલીઓના તાલે,દાંડીયા સંગેજ રાસ રમાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
મળે પ્રેમ માતાનો જીવને પાવનરાહે,જીવનમાં અનંત શાંંતિ આપી જાય
તાલીઓના તાલે માતાને પગે લાગતા,માનવદેહને સદમાર્ગ એ લઈ જાય
પવિત્ર માસની મહેંક પ્રસરે અવનીપર,જે હિંદુ ધર્મનેજ પાવન કરી જાય 
સરળ જીવનની રાહ મળે દેહને જીવનમાં,એજ પરમકૃપા માની કહેવાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
પગલે પગલે ગરબા રમતા માતાનુ સ્મરણ થાય,જે પાવનકર્મ આપી જાય
તાલી તાલીના સંગે દાંડીયા રમતા,માતાનો અનંત પ્રેમ જીવને મળી જાય
પવિત્ર નિખાલસભાવથી માતાને વંદનકરે,કૃપાએ જીવને સદમાર્ગ મળીજાય
કૃપા મળે માતાની પરિવારને જીવનમાં,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય   
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
=============================================================