January 31st 2016

મા મેલડીની કૃપા

                                  મા મેલડીની કૃપા

3૧/૧/૨૦૧૬                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વલાસણથી કપિલાબેનનો ફોન આવ્યો મેં ફોન લીધો તો કહે મને મધુબેને કહ્યુ કે તુ અમેરીકાથી આવ્યો છે એટલે મને તો બહુ જ આનંદ થયો કે પાંચ વર્ષ પછી મારા મામાના છોકરા સાથે મેં વાત કરી. તારી તબિયત સારી છે ને? તારી પત્ની તારી સાથે આવી છે? તેની તબીયત કેવી છે? બધુ બરાબર છે ને? હવે સાંભળ તને સમય હોય તો તુ મને મળવા વલાસણ આવજે કારણ મારે તો ઉંમરના કારણે અવાય નહીં. આપણે મળીયે તો આનંદ થાય  અને સાંભળ તુ આવીશ ત્યારે હું તને ભાવતા રોટલા બનાવીશ. અને બીજુ એ કે આ શુક્રવારે અમારા કુળદેવી માતા મેલડીના પ્રાગટ્યનો ઉત્સવ છે એટલે તને માતાજીના દર્શનનો લાભ મળશે તો તમે બંન્ને ચોક્કસ આ શુક્રવારે માતાજીના દર્શન કરી માતાજીના પ્રસાદનો લાભ મેળવશો. આતો સમયની વાત થઈ તને મેલડી માતામાં શ્રધ્ધા અને વિશ્વાસ છે એટલે તને માતાજીએ બોલાવ્યો તો આ પ્રસંગમાં તુ અને ભાભી બંન્ને સાથે દસ વાગ્યા પહેલા આવી જ જો  એટલે તમને પ્રસંગનો લાભ મળે.

આજે બુધવાર હતો એટલે મારે મારા જુના મિત્રને ત્યાં જવાનુ હતુ.મારે તેને સરપ્રાઇઝ આપવી હતી તેના દીકરાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેની કંકોત્રી આવી હતી પણ મારી નોકરીને કારણે અવાયુ નહતુ એટલે મારે તેને લગ્નની ભેંટ આપવી હતી અને ભુતકાળને યાદ કરી આનંદ કરવો હતો. તેથી ચાર વાગે મારા મિત્ર રમેશભાઈને ત્યાં મારો પડોશી તેની ગાડીમાં અમને તેને ઘેર મુકી આવ્યો. તેમના ઘરનુ બારણુ ખખડાવ્યુ તો ભાભીએ બારણુ ખોલ્યુ. મે પુછ્યુ મારા મિત્ર ક્યાં ગયા? તો ભાભી કહે તેમનાથી ઉભા થઈને ચલાતુ નથી એટલે ખુરશીમાં જ આખો દીવસ બેસી  ભગવાનનુ નામ લેછે અને ઉભા થવુ હોય તો તેમણે લાકડી પકડી આપણે તેમને ઉભા કરી ચાલવામાં મદદ કરવી પડે. મને આ સાંભળી ઘણુ દુખ થયુ કારણ અમે બંન્ને શિયાળામાં સવારમાં એકથી બે માઈલ કસરત કરી દોડતા હતા. આજે રમેશભાઈને ઉંમર અડી હોય તેમ લાગ્યુ. હું તેમને જોઈ દોડી બાથમાં લઈ ઉભા કર્યા મારી ભીની થઈ ગઈ કારણ ભુતકાળ યાદ આવ્યો. તેમની સાથે બેસી જુની યાદ તાજી કરી.સમય પસાર થયો.

દુનીયામાં જીવથી ભુતકાળના ભ્રમણમાંથી ત્યારે બહાર નીકળાય જ્યારે તે સાચી શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરે અને કળીયુગની મોહમાયાને દુર રાખી જીવે. મારા જીવનમાં પણ જુઓ કે મારી ભક્તિ સાચી છે તો મને મેલડી માતાએ પ્રાગટ્યના પવિત્ર દીવસે કપિલાબેનને નિમિત બનાવી બોલાવ્યો. શુક્રવારે અમે બંન્ને રીક્ષા કરી વલાસણ ગયા તો ગામની ભાગોળમાં માતાજીનુ મંદીર હજારો માતાના ભક્તોથી ભરાયેલ હતુ. કેટલી બધી શ્રધ્ધા અને ભાવનાથી આવી માતાજીની કૃપા મેળવવા સેવા કરતા હતા ઉપરના ફોટામાં તમે જુઓ કે માતાજીના દર્શન કર્યા પછી જે ભક્તો આવ્યા છે તેમને ચા નાસ્તો આપી પોતાની ફરજ બજાવતા ભક્તો એ સાચી સેવા જ્યાં માતાની અસીમકૃપા મળી જાય. માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહી સતત માતાજીનુ સ્મરણ કરતા ભક્તો મે જોયા એટલે અમે પણ લાઈનમાં ઉભા રહ્યા. બહારથી આવેલાને અત્યારના મંદીરના નિયમોનો ખ્યાલ ના હોય એટલે સમજીને સાચવીને ચાલવુ પડે. જોકે અમારી પર માતાની કૃપા થઈ તે અનુભવાયુ કારણ અમે તો બહારથી આવેલા છીએ તેવો ખ્યાલ આવતા બે ચાર ઉંમરવાળા  ભક્તો આવી કહે તમે અમારી સાથે ચાલો માતાના દર્શન કરાવીએ. અમે તેમની સાથે ચાલ્યા કોઇપણ અડચણ વગર માતાના દર્શનનો લાભ મળ્યો. એ જ માતાની અસીમકૃપા થઈ જે જીવનની યાદગીરી પણ બની ગઈ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

January 30th 2016

આનંદની વર્ષા

હ્યુસ્ટનની સાહિત્ય સરીતાનુ ગુજરાતમાં સન્માન

GG

.                     .આનંદની વર્ષા

તાઃ૩૦/૧/૨૦૧૬                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમની શીતળકેડી પકડી ચાલતા,સૌને ખુબ આનંદ મળી જાય
હ્યુસ્ટનમાં  સાહિત્ય સરીતા વહેવડાવી,નિર્મળપ્રેમને આપી જાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ  ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
ઉજ્વળ રાહે કલમને પકડતા,માતા સરસ્વતીની કૃપા થઇ જાય
ઉજ્વળ નામ છે તેમના કલમથી,જેમને પ્રેમથી જ વંદન કરાય
કલમની પવિત્રકેડીએ ચાલતા જ,સરિતા જગતમાં પ્રસરી જાય
શાંન્તિનો સહવાસ મળતા,કલમપ્રેમી પર આનંદની વર્ષા થાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ  ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
અભિમાનના વાદળ દુરજ રહે,જ્યાં નિર્મળતાએ કલમ પકડાય
અનંત કૃપા માતાની થતા,કલમની રાહ જગતમાં પ્રસરી જાય
ગુજરાતીઓનુ એ ગૌરવ છે  કલમથી,જે સાચી રાહ આપી જાય
નિર્મળ ભાવનાએ કલમ ચાલતા,ગુજરાતમાં સન્માન મળીજાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ  ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++

.      .સરસ્વતી માતાની અસીમકૃપાએ હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાથી કલમની કેડી
વહી જાય. કલમપ્રેમીઓની નિખાલસ ભાવનાએ જગતમાં સન્માન થઈ જાય.જે
હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ ગૌરવ છે જે સન્માન કહેવાય તે યાદ રૂપે આ લખાણ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

January 25th 2016

જીવનની જીવંત વાત

.                         જીવનની જીવંત વાત   

તાઃ૨૫/૧/૨૦૧૬                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          સવિતાબા તમારી તબીયત કેવી છે? બધુ બરાબર છે ને.આજે દસ વષે મારી દીકરીને ત્યાં મહિનો રહેવા આવી છુ.તો તમારી સાથે વાત કરીને થોડો સમય પસાર કરુ.મારા જમાઈ ઓફીસે ગયા છે.ને મારી દીકરી તેની બે વર્ષની દીકરીને સાચવે છે. તમારે બધુ કે મનુ  છે,બધુ બરાબર છે ને?  સવિતાબા આવેલ બેનની સામે જોઇ વિચારવા લાગ્યા ત્યાં કંઈ બોલે તે પહેલા જ આવેલ કુંતાબેન કહે કેમ મને ના ઓળખી હુ મારી દીકરીના લગ્ન પછી જમાઇને એક વર્ષ બાદ સારી નોકરી મળતા અહીં રહેવા આવ્યા હતા ત્યારે હુ અહીં થોડુ રહી ગઈ હતી ત્યારે તમારા દીકરાએ મદદ કરી હતી એ મને  યાદ છે.
.         સવિતાબા સામે થોડુ જોઇ પછી બોલ્યા તમારો અવાજ પહેલા સાંભળેલ છે એટલે થોડુ યાદ આવે છે અહીં ત્રીજા ધરમાં રહે છે એ જાગૃતીના તમે મમ્મી છો ને. હવે થોડુ યાદ આવે છે કારણ જીવનને કોઇ આંબી શક્તુ નથી.આજે મારી ઉંમર સીત્તેર વર્ષની થઈ એટલે યાદ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે.અને મારા વરને હજુ દુકાનમાં નોકરી કરવી પડે છે.
.          એટલામાં એક નાનો છોકરો ઘરમાંથી દોડીને આવ્યો અને બાને કહે બા હુ નિશાળ જઉ છુ.સારુ બેટા તુ ભણવા જા.અને રસોડામાં તારુ ખાવાનુ થેલીમાં મુક્યુ છે તે લઈ જ જે.હા બા હું લઈ જઈશ.એમ કહી રસોડામાં જઈ બેગ લઈ અને દફ્તર લઈ નિશાળ જવા નીકળી ગયો. કુંતાબેન એ બાળક સામે જોઇ વિચારતા હોય તેમ દેખાવા લાગ્યા. તેઓ બેઠેલ ખુરશી સવિતાબાની નજીક લાવી અને તેમને પુછવા લાગ્યા.સવિતાબા આ નાનો છોકરો કોણ છે?   આંગળી ચીંધી સવિતાબા બોલ્યા આ મારા દીકરા યોગેશનો છોકરો જય છે. તે અહીં મારી સાથે જ રહી મોટો થઈ રહ્યો છે.કુંતાબેન વિચારતા હોય તેમ થોડુ અટકી ને પછી બોલ્યા તમારો એક જ દીકરો હતો અને એજ યોગેશ હતો ને. સવિતાબા કહે હા એ મારો એક જ દીકરો હતો અને દીકરી મીના પરણ્યા પછી એના સાસરે રાજકોટમાં રહે છે.તો યોગેશ ક્યાં ગયો? અને તેની વહુ ક્યાં ગઈ. માથે હાથ મુકી સવિતા બાચુપ થઈ ગયા એટલે કુંતાબેન ચમકી ગયા. કહે બા આવુ કેમ થયું મને કાંઇ સમજાતુ નથી. કેમ કંઇ ખોટુ થયુ છે કે શું? થોડીવાર સવિતાબા મૌન રહ્યા કંઈ બોલ્યા નહીં એટલે કુંતાબેન કહે બા કંઇ ખરાબ  થયુ છે કે  શુ?  કે પછી યોગેશ તમારી સાથે નથી રહેતો કે પછી તેને અને તેની વહુ નીતાને બહાર નોકરી મળી છે કે જેથી તમારે માથે આ જવાબદારી આવી ગઈ છે. સવિતાબા કંઇ જ બોલ્યા નહીં અને ખુરશી માંથી ઉઠ્યા અને બોલ્યા કુંતાબેન  અત્યારે મારે હજુ ભગવાનની સેવા કરવાની છે એટલે ફરી આપણે વાત કરીશુ અત્યારે તમે જાવ એમ કહી ઘરમાં જવા ગયા એટલે કુંતાબેન કહે હું ફરી તમારા સમયે આવીશ. અત્યારે જાઉ છુ.
.     બીજા દીવસે સવારમાં તેમની દીકરી જાગૃતી ચા બનાવી મમ્મી સેવા કરી રસોડામાં આવી  એટલે તેમને ચા આપી કહે મમ્મી શુ ખાવુ છે? ભજીયા કે રોટલી. અને પપ્પા ઉઠી ગયા છે કે હજુ  ઉપર સેવા કરે છે. કુંતાબેન કહે ના બેટા એ તો ક્યારના ઉઠી ગયા છે અને મંદીરે જઈને પાછા આવી થોડુ એમનુ કામ કરે છે હમણાં થોડીવારમાં નીચે આવી જશે એટલે હું તેમને ચા નાસ્તો આપી દઈશ  તુ તારૂ કામ પતાવીને જમાઈને મદદ કરવા ઓફીસે જા.ચીંતા ના કરતી.ને હમણાં અમે અહીંયા છીએ તો તુ તારા પતિની ઓફીસે જઈ મદદ કર તો તેને પણ કામમાં શાંન્તિ મળે. અમારી ચિંતા ના કરતી અને કિશનને પણ અમે સાચવીશુ એને સ્કુલમાં મુકી આવીશ અને તેને લઈ પણ આવીશ.આમ દીકરીને મદદ થાય અને સમય પણ પસાર થાય.
. બેત્રણ દીવસ થયા પણ સવિતાબાએ કુંતાબેનને જોયા નહીં એટલે તેમને મનમાં જુદા જુદા વિચારો આવવા લાગ્યા એટલે રવિવારે તે તેમને મળવા સામે ચાલીને ઘેર આવ્યા.બારણુ ખખડાવ્યુ અને કુતાબેનની દીકરીએ બારણુ ખોલ્યુ સવિતાબાને જોયા એટલે તરત કહે બા આવો મમ્મી ઘરમાં જ છે.એટલે સવિતાબા કહે આ તો ત્રણચાર દીવસ થયા અને મને મળવા ના આવ્યા એટલે મને એમ થયુ કે જતા રહ્યા કે તબીયતનો કોઇ પ્રશ્ન થયો એટલે આવ્યા નહી.જાગૃતી કહે મમ્મી બાજુવાળા સવિતાબા તમને મળવા આવ્યા છે. કુંતાબેન કહે બેટા હું નાસ્તો કરુ છુ તો તેમને કહે હું થોડીવારમાં તેમને મળવા જઊ છુ.સવિતા બા કહે સારુ બેટા હું જાઊ છુ.અને પછી પાછા ઘેર ગયા.
. કુંતાબેન સવિતાબાને ઘેર આવ્યા એટલે સવિતા બા તરત બોલ્યા મારી માનસિક તકલીફને કારણે તમને કંઇ કહી શકી નહીં તો મને માફ કરશો. શાંન્તીથી અહીં બેસો અને જે માનસિક તકલીફ મને મળી છે તે વાત હવે દુઃખી દીલે કહુ છુ તે સાંભળજો અને પરમાત્માને પ્રાર્થના કરજો કે મને મનની શાંન્તિ મળે તેવુ કરે. કુંતાબેન કહે સવિતાબા આપણે તો નિમિત બનીએ છીએ બાકી જીવને કર્મનુ બંધન જ  ખેંચી રાખે છે. જુઓ તમે કે આજે આપણે અહીં ભેગા થયા છીએ ગયા જન્મની કે આવતા જન્મની આપણને કોઇ જ ખબર નથી પણ પરમાત્માને બધો જ ખ્યાલ છે.આપણે અંતરથી પ્રાર્થના કરીએ તો એ બધુ જ સંભાળી લે છે.
.      કુંતાબેન આજે માથે પથરો મુકીને સાચી વાત કહુ છુ જે મારા જીવનમાં થયુ છે.મારા જીવનમાં મારા લગ્ન પતિ રઘુ સાથે થયા.જીવનમાં પરમાત્માએ બે સંતાન આપ્યા મારો મોટો દીકરો યોગેશ અને દીકરી મીના.મારા છોકરાના લગ્ન નીતા સાથે થયા.એ જ્યાં ભણતો હતો ત્યાં જ મીના ભણતી હતી અને તેના પિતા સાહેબ હતા અને નસીબમાં બંધન હતા તો અમારે તેને વહુ તરીકે સ્વીકારવી પડી.બંન્ને શાંન્તિથી જીવન જીવતા હતા.મારો દીકરો એક વકીલની ઓફીસમાં કામ કરતો હતો.અને મીનાને પણ સરકારી કચેરીમાં નોકરી મળી ગઈ.એટલે બંન્ને કમાતા હતા અને અમને પણ રાહત થઈ.લગ્ન પછી ત્રીજા વર્ષે જય નો જન્મ થયો.છોકરો સંસ્કારી જીવ હતો તે તેના વર્તનથી દેખાયુ.જ્યારે એ ચાર વર્ષનો થયો એ સમયે તેના પપ્પા નોકરીથી મોડા આવવાનુ શરૂ થયુ.એટલે એક વખત તેના પપ્પાએ તેને પુછ્યુ યોગેશ હવે તું મોડો કેમ ઘેર આવે છે? ઓફીસમાં હવે કામ વધી ગયુ કે શુ? યોગેશ કંઇજ બોલ્યો નહીં તેની પાસે કોઇ જવાબ ન હતો.તેની રૂમમાં જતો રહ્યો. મીના થોડી વહેલી સુઈ જતી હતી કારણ હમણાં તેને સવારે વહેલુ નોકરી પર જવાનું થયુ એટલે સવારે તે તેના સમયે નોકરી પર પહોંચી જતી કારણ સરકારી નોકરી હતી એટલે સમયે પહોંચવુ પડે.
. જીવનની જ્યોત ક્યારે પ્રગટે અને ક્યારે હોલવાય તે કોઇ જ સમજી શકતુ નથી.યોગેશના જીવનમાં બન્યુ એવુ કે જેનાથી તેને પરદેશનો મોહ લાગ્યો અહારથી આવેલ એક છોકરીનો સમ્બંધ થતા તેને મોહ લાગ્યો.તે જે વકીલની ઓફીસમાં કામ કરતો હતો તેના સાળાની છોકરી પ્રેમલગ્ન કરી લંડન ગઈ હતી.ત્યાં ગયા પછી થોડા સમય પછી તેને ખબર પડી કે તે જેને પરણી છે તેણે તો પહેલા બે લગ્ન કરી છુટાછેડા લીધેલ છે અને આ તેના ત્રીજા લગ્ન થયા.હવે કોઇ રસ્તો નહીં.શું કરવુ તેનો ખ્યાલ પણ ના આવે.એટલે આ વકીલે તેને કહ્યુ કે આ છોકરો પરણેલો છે પણ મહેનતુ છે અને તને લંડનમાં વાંધો નહીં આવે.એમ કરી તેની સોડમાં દાખલ કરી ગેર કાયદેસર કાગળો કરી લંડનનો મોહ લગાડ્યો એટલે યોગેશ તેની પાછળ ફરવા લાગ્યો.અને તેથી ઘેર મોડો આવવા લાગ્યો.અને ઘેર કહે મારા કામથી હુ મોડો આવુ છુ.અને બરાબર ત્રીજા મહીને નીતા જોડે ઝગડો કરી જતો રહ્યો.વકીલને ત્યાં તપાસ કરી તો ખબર પડી કે તે કોઇ લંડનથી આવેલી છોકરીને પરણી જતો રહ્યો.થોડા સમય પછી નીતા એ જાણ્યુ એટલે તે મને કહે કે મારો પતિ મારો ના રહ્યો તો હવે મારે અહીં રહેવાની ક્યાં જરૂર છે એમ કહીને જયને અહી મુકીને ત્રણ વર્ષથી જતી રહી છે હવે મારો છોકરો મારો નથી તો તેની વહુ પણ મારી ના રહીં અત્યારે અમારૂ કુળ અમારી પાસે છે એટલે અમારી જવાબદારી કે તેને મોટો થવામાં મદદ કરવી.
. આટલુ બોલી સવિતાબા ધ્રૂશ કે ધ્રુશકે રડી પડ્યા ત્યાં કુંતાબેને તેમને બાથમાં દબાવી લીધા. આ જીવનની જીવંત વાત.
. અને બરાબર પાંચ વર્ષ પછી એક રાતે યોગેશે આવી બારણુ ખખડાવ્યુ અને ઘરડા સવિતાબા પરાણે ઉઠીને આવી બારણુ ખોલ્યુ ત્યાં તેમનો ખોવાયેલ યોગેશ દેખાયો તે જ સમયે તે માના પગમાં પડી રડીને કહે છે કે મા મારૂ જીવન બગડી રહ્યુ છે મને કૃપા કરી બચાવો.મારી કુબુધ્ધીથી હુ બહાર ભાગી ગયો હવે પસ્તાયો છુ એટલે મા મને માફ કર .
==================================================================================================================

January 24th 2016

ચીંધેલઆંગળી

.                    .ચીધેલ આંગળી

તાઃ૨૪/૧/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે,જ્યાં માનવી સરળ જીવન જીવી જાય
નિર્મળરાહ ને સંગે ચાલતા,જીવને મળેલ આજીવન મહેંકીજાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
અપેક્ષા તો જીવનમાં સ્પર્શે છે સૌને,ના કોઇ જીવથીય છટકાય
પરમાત્માની કૃપા મળીજાય  જીવને,ત્યાં સફળતા મળતી જાય
મળતી લાગણીને પારખીલેતાં,જીવથી કળીયુગથી દુર રહેવાય
શાંન્તિનોસહેવાસ મળતા જીવનમાં,પવિત્રમાર્ગ પણમળી જાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
સંત જલાસાંઇની જ્યોત પ્રગટતા,પવિત્ર દ્રષ્ટિ જીવનેમળીજાય
મારૂ તારૂની કેડીને સમજતા,જીવનમાં પાવન રાહ ને મેળવાય
દુઃખ સુખ ના સ્પર્શે  દેહને,ત્યાંજ જીવને અનંત શાંન્તિ દઈ જાય
પવિત્રરાહે ચીંધેલ આંગણી,જીવને દેહે પાવન કર્મ કરાવી જાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.

===========================================

January 20th 2016

જાગતોરહેજે

.                     . જાગતો રહેજે

તાઃ૨૦/૧/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગતો રહેજે ભઈ નહીં તો,તને જીવનમાં શાંન્તિ મળશે નહીં
ના આગળ ના પાછળ જોતાજ,નિર્મળતાનો સંગ મળશે અહીં
………….એ જ  છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
મળશે જીવનમાં ઉજ્વળકેડી,નહીં મળે તને જગે વ્યાધી કોઇ
સુખના વાદળ સંગે રહેતા,પામર રાહને પામી લઈશ તુ અહીં
પળે  પળની પવિત્ર  રાહે જીવતા,જીવને અનંત શાંન્તિ  થઈ
પામી પ્રેમ જીવનમાં સૌનો,કર્મનાબંધન તારા છુટીજશે ભઈ
………….એ જ  છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
મેં કર્યુ છેકે મારાથી થયુ છે,ના કોઇ મોહ તેમાં તુ રાખતો ભઈ
પવિત્ર કર્મ થશે જીવનમાં,એજ  કૃપા સંત જલાસાંઇની થઈ
દેહને બંધન ઉંમરના  સ્પર્શે,જે સમય સમયે સમજાય અહીં
અવનીના આગમનને છોડવા,ભક્તિભાવથી પુંજા કરજે ભઈ
………….એ જ  છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.

==========================================

January 20th 2016

કર્મનાબંધન

.                .કર્મનાબંધન

તાઃ૨૦/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાનો સહવાસ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબીલે જીવનમાં,જ્યાંપ્રેમની જ્યોત પ્રગટી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અનેક દેહ મળે જીવને અવનીએ,જે  જન્મ મળતા જ દેખાય
કર્મના બંધન એ પગથી  છે જીવની,જીવને સમયે સમજાય
નિરાધારની કેડી  છે અવનીપર,જે પશુપક્ષીથી જગે દેખાય
માનવદેહની પ્રગટે જ્યોત,ત્યાં જીવ અવનીપર આવી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અભિમાનની રાહ મળે માનવીને,ત્યાં કર્મ બંધનથી જકડાય
મારૂતારૂની એકજ ઝલકમળે,જીવ આવન જાવનથી બંધાય
ભક્તિભાવ મનથી રાખતાં,જીવપર જલાસાંઈની કૃપા થાય
વિદાય વેળાએ દેહને  છોડતા,પરમાત્મા  જીવને દોરી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

January 20th 2016

લગ્નજીવન

.                       .લગ્નજીવન

Jay Jala Bapa

.             Happy Marriage Anniversary

તાઃ૨૦/૧/૨૦૧૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમ કૃપાએ,રાહુલને સાચો સંગાથ મળી જાય
કર્મની પવિત્રકેડી લઇ જીવતા,પત્ની મીતાનો સાથ મળી જાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળ્યો જ્યાં પ્રેમ માબાપનો,ત્યાં રાહુલને નિર્મળ રાહ મળી જાય
ભણતર એ જીવનની કેડી,જે મેળવતા સાચીસમજણ મળી જાય
મળી ગયો માબાપનો  પ્રેમ,સંગે ભાઈ બહેનની પ્રીત મળી જાય
કૃપા મળી ભગવાનની તેને,જે મીતાના લગ્ન બંધનથી દેખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
પવિત્રજીવનની રાહે જીવતા,માતાપિતાનોપ્રેમ પણ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી પકડતા, પુત્ર યુગ સાચી રાહ ચાલી જાય
એજ રાહે જીવન જીવતી દીકરી ક્રિશ્ના,માબાપને વંદન કરી જાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં સાચી નિર્મળભક્તિ થાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળે પ્રેમ માબાપનો રાહુલને,જ્યાં નિખાલસ સેવા એ કરી જાય
અ.સૌ.મીતાને પણ મળે પ્રેમ તેમનો,જ્યાં સંસ્કાર સાચવી જાય
સુખ શાંન્તીની રાહે જીવન જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
ભાઈ પ્રદીપને આનંદઅનેરો,સંગે રમા,રવિ,દીપલ પણ હરખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.        .મારા નાનાભાઈ રાહુલના ૨૦મી જાન્યુઆરીના રોજ જીવનસંગીની
અ.સૌ.મીતાની સાથે લગ્ન થયા.તે દીવસની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ
જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ.                        જાન્યુઆરી ૨૦,૨૦૧૬

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ.

January 19th 2016

ભજનભક્તિ

.                 .ભજનભક્તિ

તાઃ૧૯/૧/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજનભક્તિમાં અજબ શક્તિ છે,જે નિર્મળતાએ સહેવાય
મનથી કરેલ સાચી ભક્તિ,પરમાત્માની કૃપા લાવી જાય
………….એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
કરેલ ભજન એ મનને પ્રેરે,જે  દેહને અનુભવથી સમજાય
પાવનરાહપામવા જીવનમાં,અંતરથી પ્રભુનીભક્તિ થાય
ઉજ્વળ જીવનનીકેડી મળતા,પ્રભુભજનનીરાહ મળી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
માનવજીવન એ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
સુખશાંન્તિના વાદળ સ્પર્શે,જેસાચી ભજનભક્તિએ મેળવાય
નિર્મળભાવથી સેવાકરતાં જીવને,કૃપાએમુક્તિરાહ મળીજાય
કર્મના બંધન છુટે જીવથી,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ પડી  જાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.

======================================

January 13th 2016

મળી ગઈ

.                .મળી ગઈ

તાઃ૧૩/૧/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટી ગઈ,જ્યાં ભક્તિ નિર્મળ થઈ
મળી ગઈ મને પ્રીત પ્રેમીઓની,જે કલમ પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
સરળ જીવનની રાહ મળી,જ્યાં મનમાં સમજણ થઈ
કલમની નિર્મળ કેડી મળી,જ્યાં પ્રેમીઓ મળ્યા અહીં
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,જે કલમથી દેખાય છે અહીં
ગુજરાતીની ગાથા બની ગઈ,જે નિર્મળતા આપી ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
પરમકૃપા જલાસાંઈની થઈ,જે નિર્મળરાહ બતાવતી ગઈ
મળી ગઈ પ્રેમની જ્યોત પ્રેમીઓને,જે સફળતા દેતીથઈ
માગણીનાકોઇ કલમપ્રેમીની,લાયકાતે જગતમાં પ્રસરીગઈ
અભિમાનની આંગળી દુર રહી,જ્યાં નિર્મળતા પકડાઈગઈ
……….એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.

+++++++++++++++++++++++++++++++++++++++

January 12th 2016

જ્યોત પ્રગટે

.               .જ્યોત પ્રગટે

તાઃ૧૨/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે જીવનમાં પ્રેમસાચો,જ્યાં જીવન નિખાલસ જીવાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
અંતરમાં આનંદ પ્રસરે જીવનમાં,ના કોઇજ અપેક્ષા રખાય
કરેલકર્મની ઉજ્વળ રાહે,મળેલ દેહ જીવને રાહ મળી જાય
ભક્તિની નિર્મળરાહ પામવા,સંત જલાસાંઇને વંદન થાય
માનવદેહ સાર્થક કરવા કાજે,ઘરમાં નિર્મળ ભક્તિ જ થાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
કર્મના બંધન એ જીવની કેડી,જે આવન જાવનથી સમજાય
મૃત્યુમાર્ગએ અવનીએ દેહને સ્પર્શે,જે જન્મ મળે સ્પર્શી જાય
નિર્મળભક્તિ એ અજબશક્તિ છે,જે અખંડશાંન્તિ આપી જાય
મોહમાયા નાકદી સ્પર્શે જીવને,ત્યાંજ જીવને મુક્તિ મળીજાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.

=========================================

Next Page »