May 11th 2022

માતાનોકૃપા

સંતોષી માતા ની કૃપા પ્રાપ્ત કરવા માટે આજથી શરુ કરો આ વ્રત…વિશિષ્ટ રીતે કરો આ ઉપવાસ.. 
.             માતાની કૃપા  

તાઃ૧૧/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુ ધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતને જગતમાં પવિત્રદેશ કરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે દેવઅનેદેવીઓથી જન્મ લઈ જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ માતાએ પવિત્રદેહ લીધા,જે મળેલદેહને જીવનમાં ભક્તિ આપીજાય
માનવદેહના જીવનમાં પવિત્ર તહેવાર મળે,જે જીવને મળેલદેહને સુખ મળીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનક્રુપા કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે જીવને સત્કર્મ કરાવી જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્ર પાવનકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્ર તહેવાર ઉજવાય
અનેક પવિત્રદેહ દેવીઓએ લીધા અવનીપર,જેમની માતાના નામથી પુંજા થાય
જીવને પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહ મળીજાય
પ્રભુની કૃપાએ માનવદેહને ભક્તિની રાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પંજાકરાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
#####################################################################
 

August 30th 2016

જીવનની જ્યોત

                                   જીવનની જ્યોત                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતર ગામમાં રહેતા મણીભાઈ મળેલ માબાપના સંસ્કારને કારણે સવારમાં તાંબાના લોટામાં પાણી ભરી સુર્યદેવનુ સ્મરણ કરતા અને ૐ હ્રીમ સુર્યાય નમઃ મંત્ર જપતા સુર્યદેવને પાણીની અર્ચના કરી ઘરમાં મંદીર સામે બેસી પુંજા કરતા.એ દરમ્યાન તેમના પત્ની કાશીબેન ચા નાસ્તો તૈયાર કરતા જે સાથે બેસી ખાઈ લેતા અને ત્યારબાદ મણીભાઈ તેમના મિત્ર છગનભાઈની દુકાને સમયસર પહોંચી દુકાનમાં રજીસ્ટરનુ કામ શરૂ કરી લેતા. તેમનો જન્મ આજ ગામમાં થયો હતો તેમના પિતા ખેતી કરતા હતા એટલે જ્યાં સુધી  ભણવાની તક મળી ત્યાં સુધી ગામમાં ભણ્યા. નિર્મળતાથી જીવન જીવતા ઘણી વખત માનવીને કર્મ યા ધર્મની કસોટીમાં કળીયુગના કારણે થોડુ સહન કરવુ પડે.એક વખત એવુ બન્યુ કે તેમના દીકરા રમેશને નડીયાદના નાટ્યગ્રુહના  એક કાર્યક્રમમાં રાવણનુ પાત્ર ભજવવાની વિનંતી કરી.જુના મિત્રોની યાદને ચાલુ રાખવા માટે તેણે હા પાડી અને તે કાર્યક્રમમાં ખુબજ સુંદર રીતે તે પાત્ર પણ રજુ કર્યુ.જેના માન રૂપે તેનુ સન્માન પણ કરવામાં આવ્યુ તેના માબાપને ઘણો જ આનંદ પણ થયો કે તેમના દીકરાએ રાજા રાવણનુ પાત્ર ભજવી ખુબજ સુંદર લાયકાત બતાવી.આમ તો તેમનો દીકરો રમેશ નિશાળમાં પણ સારા માર્ક્સથી ભણીને કૉલેજમાં પણ તે આગળ વધી રહ્યો હતો. તેના જીવનમાં કદી કોઇ તકલીફ અત્યાર સુધી તો મળી ન હતી  અને માબાપની અપેક્ષા પણ ન હતી. કારણ ઘણીવાર સંતાનને મળેલ માન સન્માનને કારણે માબાપને અહંકાર અડી જાય જે સંતાનને ખોટા માર્ગે લઈ જાય.
મણીભાઈનો બીજે દીકરો મોહન હતો જે તેમને ઘણી વખત દુકાનમાં પણ મદદ કરતો હતો કારણ હવે પિતાની ઉંમર પચાસની ઉપર થઈ એટલે ઘણીવાર તે વધારે ઉભા રહી શકતા ન હતા. ને હવે શુ થયુ હતુ કે તેઓ જ્યાં કામ કરતા હતા તે તેમના મિત્રને લકવા થયો એટલે હવે દુકાને આવતા ન હતા પણ એક મિત્રને કારણે છગનભાઈને વષો જુના તેમના મિત્ર મણીભાઈ પર ભરોશો હતો એટલે તેમને તે મિલ્કતના ભાગીદાર બનાવીને સંતોષ મેળવ્યો તેમ લાગ્યુ કારણ હવે છેલ્લા છ મહીનાથી દવાખાને જવાથી દુકાને પણ આવી શકતા ન હતા. ઘણીવાર મણીભાઈ પણ તેમને ઘેર મળવા જતા ત્યારે બંનેની આંખમાં પાણી આવી જતા જે છગનભાઈના દીકરા પણ જોતા હતા. છગનભાઈનો એક દીકરો દીનેશ  નિશાળમાં શિક્ષક હતો અને બીજો દીકરો મિનેશ સરકારી કચેરીમાં ક્લાર્કનુ કામ કરતો હતો.એટલે પિતાજીને દુકાનમાં મદદ કરી શકતા ન હતા.પણ તેમને ખબર હતી કે તેમના પિતાના મિત્ર તેમને સારી રીતે મદદ કરતા હતા જેથી તેમને સંતોષ હતો.
જીવનની દરેક પળ જગતમાં કોઇથી શચવાઈ નથી.કારણ સમય એ કુદરતની નિર્મળ કેડી થાયજ્યાંમાનવી માનવતાની સમજ સમજીને જીવન જીવી રહે.કોઇને ટકોર કરવી એ આપણીઅજ્ઞાનતા કહેવાય કારણ પરમાત્માએ સૌ જીવોને જ્યાં દેહ મળે ત્યાંબુધ્ધિ અને સમજ આપેલ છેઅને તે યોગ્ય સમયેજ કામમાં લાગે છે.હવે થયુ એવુ કે મણીભાઈ નો દીકરો રમેશ રાવણનુ પાત્રભજવ્યા પછી તેનામાં થોડા વિચારોમાં એ અહંમ અડ્યુ હોય તેમ લાગવા માંડ્યુ. કારણ એ નાટક પત્યા પછી એક દેખાવડી છોકરી આવી તેને બચી કરી કહે હે રાવણ તુ સીતાનો નહી તુ આ સવિતાનો છુ એમ કહી બચી કરી ચાલી ગઈ.રમેશના મોં પરથી લાગે કે તે વિચારોના વમળમાં ઉતરી ગયો છે.બે મહિના બાદ કૉલેજમાં ડીગ્રી મળી જતા નોકરી શોધવાનુ શરૂ કર્યુ. અને ભગવાનની કૃપા  અને માબાપના આશિર્વાદથીહોસ્પીટલમાં ક્લાર્કની નોકરી મળી. નોકરી શરૂ કરી તેના ત્રીજા દીવસે તે લંચ બ્રેકમાં નાસ્તાની રૂમમાં તે હાથ ધોવા ગયો ત્યાં પેલી સવિતા તેને બાઝી ને કહેરાવણ હવે તુમારો  રમેશ થઈ જા.  વિચારમાં ને વિચારમાં આખો દિવસ જતો રહ્યો. નોકરીએથી  ઘેર પહોંચતા સમયની ખબર પણ ના પડી.રાત્રે ઉંઘનો પણ ખ્યાલ ના રહ્યો.
સવારમાં ઉઠી ક્યારે નાહ્યો  ક્યારે નાસ્તો કર્યો તે તેના માબાપને પણ ખ્યાલ  ના આવ્યો  અને  ઘરમાં કોઇને કાંઇ કહ્યા વગર નોકરીએ નિકળી ગયો. આ વર્તનનો પપ્પા મણીભાઇને  કોઇ  ખ્યાલ જ ન હતો કારણ એ તો દુકાને જવા  આઠ વાગે નીકળી જાય જ્યારે રમેશની નોકરી દસ વાગે શરૂ થાય એટલે તે સાડા  નવ વાગે નિકળી જાય. પણ આ નવા વર્તનને મમ્મી કાશીબા પાંચ છદિવસથી જોઇને વિચાર કરવા લાગ્યા કે  આ છોકરો આવુ વર્તન કેમ કરે છે? એક દીવસ રમેશ  ચા પિતો હતો તે વખતે તેને બૈડે  થાબડી તેને પુછ્યુ કે બેટા તારૂ  આ વર્તન કેમ  બદલાઈ ગયુ છે. કોઇની સાથે વાતચિત કર્યા વગર સવારમાં વહેલો  નોકરીએ જતો રહે છે  અને પછી પહેલા કરતા મોડો ઘેર આવે  છે. કંઇક કશુક થયુ છે કે શુ? તે કાંઇજ બોલ્યો નહીં થોડી વાર પછી ચા પીજતા પહેલા મમ્મીને  કહે હુ મારી  રીતે કામ કરુ છુ અને જીવુ છુ.

રવિવારે મણીભાઇ સેવા કરી ચા નાસ્તો કરી રહ્યા હતા તે વખતે તેમના પત્નિ તેમની બાજુમાં બેસી કહે છેલ્લા ત્રણ અઠવાડિયાથી રમેશનુ વર્તન બદલાયુ છે. નોકરીએ વહેલો જતો રહે છે  અને મોડો પાછો આવે છે.અને તેને પુછુ તો  કાંઈ જવાબ આપ્યા વગર જતો રહે છે. મણીભાઈએ કહ્યુ મને સમય મળશે ત્યારે હુ પુછીશ. પણ સમય તો કોઇથી પકડાતો નથી. એક મહિનો થઈ ગયો  પણ કોઇ  જ માર્ગ ન મળતા. બીજા દિકરા મોહનને એક વખત સાથે બેસી નાસ્તો કરતા કાશીબાએ કહ્યુ કે બેટા તારા મોટાભાઈના જીવનમાં કોઇ તકલીફ હોય તેમ લાગે છે. તો તું જરા તપાસ કરીને જાણી લાવને  કે તેનુ વર્તન આવુ કેમ થયુ છે. અમને કહ્યા વગર વહેલો નોકરીએ જતો રહે છે અને સાંજે મોડો  પાછો આવે છે. અને કોઇની સાથે વાત ચિત પણ કરતો નથી. એટલે તે મમ્મીને કહે છે  કે મમ્મી આ  અઠવાડિયુ મારે કૉલેજમાં રજા છે તો હું તપાસ કરીને પછી તને કહીશ. આ વાત થતા કાશીબાને શાંન્તિ થઈ કે માતાની કૃપાએ બધી શાંન્તિ મળશે.

મંગળવારે મોટાભાઇ નોકરીએ જવા નિકળી ગયા ત્યાર બાદ મોહન બસમાં બેસીને  હોસ્પિટલ ગયો અને ત્રીજા માળે ભાઇની રૂમ આગળ  ગયો તો તે ત્યાં ન હતો  પણ ત્યાં બેઠેલા બહેનને પુછ્યુ તો કહે તે ચા નાસ્તો કરવા નીચે નાસ્તાની રૂમમાં ગયા છે. ત્યાં જઈને મોહને તેના મોટાભાઈને રાવણના પાત્ર પછી બાઝેલી છોકરીની સોડમાં બેસી તેને ખવડાવતો જોયો.  આ જોઇને મોહન કાંઈજ  બોલ્યા વગર  નીચે ઉતરી  બસમાં બેસી ઘેર પાછો આવતો રહ્યો.  અને પછી મમ્મીની  રૂમમાં જઈ કહે મમ્મી મોટાભાઇની જીંદગી જોખમાં છે.  મમ્મી કહે, શું થયુ બેટા?  તું એવુ કેમ  બોલ્યો કે  તેની જીંદગી જોખમમાં છે. એટલે મોહન કહે મમ્મી રમેશ ત્યાં નોકરી કરતી છોકરી જે રાવણના પાત્ર પછી રમેશને વળગેલીની લપેટમાં છે.  તે એની સોડમાં પેસીને જીંદગી બગાડી રહ્યો છે તેવુ લાગે છે. પણ મમ્મી તુ ચિંતા ના કરીશ હું તારા દિકરા તરીકે અને તેના ભાઈ તરીકે મારી ફરજ બજાવીશ.
ગુરૂવારે મોહન ફરી હોસ્પિટલ ગયો અને નીચે ઑફીસમાં જઈને કર્મચારીની ઓળખ તરીકે  પુછ્યુ કે રમેશભાઈની રૂમમાં બીજા કોણ બહેન કામ કરે છે.  તો કહે ત્યાં કોઇ બહેન કામ  નથી કરતા  પણ એક સવિતાબેન છે જે સફાઇનુ  કામ કરે છે તે ત્યાં  વધારે ફરતા હોય છે. એટલે મોહનને ખ્યાલ  આવી ગયો કે તેજ સ્ત્રી છે જે મારા ભાઈની જીંદગી બગાડવા ચોંટી છે. અને રાવણ વખતે પણ તેજ  હતી. તેની થોડી માહિતી મેળવી તે જ્યાં ભાડાની રૂમમાં  રહેતી હતી તે જગ્યાએ ચાલુ દીવસે ગયો તો એ જગ્યાના માલિકને મળી થોડી વાતચીત કરી સવિતાબેનની થોડી માહિતી મેળવી લીધી કે તે  પહેલા નડીયાદમાં  તેના પતિ સાથે રહેતી હતી અને એક બાળક પણ છે. તેના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હતો તેનો ખ્યાલ તેને સંતાન થયા પછી આવ્યો. કારણ તે એક નિશાળમાં કામ કરતો હતો  જ્યાં તેને એક  કામવાળીની કેડી ચોંટી હતી.  એટલે તે માહિતી  મળતા  સવિતા તેને છોડીને આવતી  રહી અને હવે બીજાને  શોધી રહી છે જે  તેનો જીવન સાથી બને.
સાંજે ઘરે આવી મોહનને મનમાં અશાંન્તિ હોવાને કારણે કોઇની સાથે  બહુ વાતચીત  કર્યા વગર  વહેલો પોતાની રૂમમાં જઈ સુઇ ગયો.  બીજે દીવસે  મોટોભાઇ જ્યારે નોકરીએ  જતો રહ્યો  ત્યારે મમ્મીની સાથે ચા  નાસ્તો કરતા ગઈ  કાલે જે માહિતી મળી તે વાત કહી કે મમ્મી તારો મોટો છોકરો તો ખોટા રસ્તે છે. તેને રાવણ વખતે જે છોકરી બાઝીતી તે તો પરણેલી છે અને એક છોકરાની  મા પણ છે અને પતિને તરછોડી છુટાછેડા લીધા વગર રમેશ જ્યાં કામ કરે છે ત્યાં કામવાળીનુ કામ કરે છે અને દરરોજ રમેશની સૉડમાં પડીને રમેશની જીંદગીમાં જોડાવા  પ્રયત્ન કરે છે.  અને રમેશ  ભોળો  છે એટલે તેને બીજો કાંઇ ખ્યાલ આવતો નથી  એટલે તે આપણા ઘરમાં  તેનુ વર્તન  બદલે  છે. આ સાંભળી કાશી બા  વિચારના વમળમાં કાંઇજ ના બોલી શક્યા. રાતે એઅક ગ્લાસ પાણી પી ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ ના આવ્યો.
બીજે દીવસે ઘરમાં ભગવાનની પુંજા કરતા હતાં ત્યાં માતાજીની  દ્રષ્ટિ પડી  હોય  તેમ લાગતા  તેમને મનમાં વિચાર આવ્યો અને તે કૃપા સમજતા  બહાર સુર્યદેવને અર્ચના કરવા ગયા ત્યાં તેમના  જુના બહેનપણી  જ્યોતી બહેન મળવા આવ્યા. જ્યોતીબેન પધારો ઘરમાં તેમ કહી તેમનો  હાથ  પકડી ઘરમાં લાવ્યા. જ્યોતીબેન  ત્યાં ખુરશીમાં  બેસો હુ દીવો કરી આવુ છુ. બેટા મોહન  માસીને  પાણી આપ હું આવુ છું. મોહને  પધારો માસી કહી ખુરશીમાં બેસવા  કહ્યુ અને પાણી  પણ  આપ્યુ. પછી કાશીબા આવીને તેમની સાથે બેઠા.ઘણા લાબા સમય પછી  અચાનક આવ્યા તેથી કાશીબાને આનંદ થયો. પછી વાત કરતા  તેમને તેમના મોટા દીકરાના  ખોટા રસ્તાની વાત કરી. ત્યારે જ્યોતી બહેને તેમને કહ્યુ કે તમે ભુવા  જ્યોતીષ  કરતા કુળદેવીને પ્રાર્થના કરો અને બને તો  નવરાત્રીના નવ દીવસ  માતાના ગરબાનો લાભ લઈ ભક્તિ કરીને માને પ્રાર્થના કરો તે  બધુ  જ સંભાળી  લેશે.  બે મહિના બાદ નવરાત્રીનો તહેવાર આવવાનો હતો  એટલે કાશીબાને  માતાની  કૃપાએ પ્રેરણા  મળી એમ લાગ્યુ. તે રાત્રે કાશીબાને માતા કહેવા આવ્યા કે તારી ભક્તિને કારણે હુ  આવી હતી તું શ્રધ્ધાએ નવરાત્રી કરજે કહી માતા જતા રહ્યા.
કાશીબાને આ એક આધ્યાત્મિક પ્રેરણા અને સાચી ભક્તિની કૃપા લાગી એટલે તેમણે મોહનને કહ્યુ બેટા તુ માતાજીની ભક્તિ કરતો રહેજે  જે આપણા કુટુંબને સાચી રાહે લઈ અંતે મુક્તિમાર્ગ  આપશે. નવરાત્રીના આગલા દીવસે કાશીબાએ મોટા પુત્ર રમેશને કહ્યુ કે તે નોકરીએ જતા પહેલા મંદીરમાં માતાને પગે લાગજે અને બને તો નવરાત્રીના નવ દીવસ એક વખત ખાજે. રમેશ કહે મા હુ થશે તો કરીશ કહી જવાબ આપ્યો.
નવરાત્રીના પ્રથમ દીવસે સવારમાં જ  ઘરમાં માતાજીને પગે લાગી મમ્મીને કહે હું દીવો કરી પછી નોકરીએ જઈશ. આ વર્તનથી કાશીબાને માતાની કૃપાનો અનુભવ થયો. તેમણે મનથી નક્કી કર્યુ કે મારે સંપુર્ણ અપવાસ કરવો છે કારણ માતાએ કૃપા કરી એટલે જ રમેશ રોકાયો. ત્રીજે દીવસે જ જાણવા મળ્યુ કે સવિતા પર તેના પતિએ કેસ કર્યો હતો અને તે જીતી ગયો હતો એટલે સવિતાને તેના પ્રથમપતિની સાથે રહેવા અને તેના બાળકનુ ધ્યાન આપવાની જવાબદારી આવી ગઈ.આ કામ થવાથી રમેશને ખ્યાલ આવી ગયો કે સવિતાતો પરણેલી અને એક સંતાનની માતા હતી એટલે તેને ખરો ખ્યાલ આવ્યો કે નવરાત્રીની સાચી ભક્તિએ મને બચાવ્યો.મા નવરાત્રીના નવ ગરબાએ મને પવિત્ર જીંદગી આપી અને માબાપ,ભાઇનો પ્રેમ મેળવવાની તક આપી.

================================================================

January 31st 2016

મા મેલડીની કૃપા

                                  મા મેલડીની કૃપા

3૧/૧/૨૦૧૬                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વલાસણથી કપિલાબેનનો ફોન આવ્યો મેં ફોન લીધો તો કહે મને મધુબેને કહ્યુ કે તુ અમેરીકાથી આવ્યો છે એટલે મને તો બહુ જ આનંદ થયો કે પાંચ વર્ષ પછી મારા મામાના છોકરા સાથે મેં વાત કરી. તારી તબિયત સારી છે ને? તારી પત્ની તારી સાથે આવી છે? તેની તબીયત કેવી છે? બધુ બરાબર છે ને? હવે સાંભળ તને સમય હોય તો તુ મને મળવા વલાસણ આવજે કારણ મારે તો ઉંમરના કારણે અવાય નહીં. આપણે મળીયે તો આનંદ થાય  અને સાંભળ તુ આવીશ ત્યારે હું તને ભાવતા રોટલા બનાવીશ. અને બીજુ એ કે આ શુક્રવારે અમારા કુળદેવી માતા મેલડીના પ્રાગટ્યનો ઉત્સવ છે એટલે તને માતાજીના દર્શનનો લાભ મળશે તો તમે બંન્ને ચોક્કસ આ શુક્રવારે માતાજીના દર્શન કરી માતાજીના પ્રસાદનો લાભ મેળવશો. આતો સમયની વાત થઈ તને મેલડી માતામાં શ્રધ્ધા અને વિશ્વાસ છે એટલે તને માતાજીએ બોલાવ્યો તો આ પ્રસંગમાં તુ અને ભાભી બંન્ને સાથે દસ વાગ્યા પહેલા આવી જ જો  એટલે તમને પ્રસંગનો લાભ મળે.

આજે બુધવાર હતો એટલે મારે મારા જુના મિત્રને ત્યાં જવાનુ હતુ.મારે તેને સરપ્રાઇઝ આપવી હતી તેના દીકરાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેની કંકોત્રી આવી હતી પણ મારી નોકરીને કારણે અવાયુ નહતુ એટલે મારે તેને લગ્નની ભેંટ આપવી હતી અને ભુતકાળને યાદ કરી આનંદ કરવો હતો. તેથી ચાર વાગે મારા મિત્ર રમેશભાઈને ત્યાં મારો પડોશી તેની ગાડીમાં અમને તેને ઘેર મુકી આવ્યો. તેમના ઘરનુ બારણુ ખખડાવ્યુ તો ભાભીએ બારણુ ખોલ્યુ. મે પુછ્યુ મારા મિત્ર ક્યાં ગયા? તો ભાભી કહે તેમનાથી ઉભા થઈને ચલાતુ નથી એટલે ખુરશીમાં જ આખો દીવસ બેસી  ભગવાનનુ નામ લેછે અને ઉભા થવુ હોય તો તેમણે લાકડી પકડી આપણે તેમને ઉભા કરી ચાલવામાં મદદ કરવી પડે. મને આ સાંભળી ઘણુ દુખ થયુ કારણ અમે બંન્ને શિયાળામાં સવારમાં એકથી બે માઈલ કસરત કરી દોડતા હતા. આજે રમેશભાઈને ઉંમર અડી હોય તેમ લાગ્યુ. હું તેમને જોઈ દોડી બાથમાં લઈ ઉભા કર્યા મારી ભીની થઈ ગઈ કારણ ભુતકાળ યાદ આવ્યો. તેમની સાથે બેસી જુની યાદ તાજી કરી.સમય પસાર થયો.

દુનીયામાં જીવથી ભુતકાળના ભ્રમણમાંથી ત્યારે બહાર નીકળાય જ્યારે તે સાચી શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરે અને કળીયુગની મોહમાયાને દુર રાખી જીવે. મારા જીવનમાં પણ જુઓ કે મારી ભક્તિ સાચી છે તો મને મેલડી માતાએ પ્રાગટ્યના પવિત્ર દીવસે કપિલાબેનને નિમિત બનાવી બોલાવ્યો. શુક્રવારે અમે બંન્ને રીક્ષા કરી વલાસણ ગયા તો ગામની ભાગોળમાં માતાજીનુ મંદીર હજારો માતાના ભક્તોથી ભરાયેલ હતુ. કેટલી બધી શ્રધ્ધા અને ભાવનાથી આવી માતાજીની કૃપા મેળવવા સેવા કરતા હતા ઉપરના ફોટામાં તમે જુઓ કે માતાજીના દર્શન કર્યા પછી જે ભક્તો આવ્યા છે તેમને ચા નાસ્તો આપી પોતાની ફરજ બજાવતા ભક્તો એ સાચી સેવા જ્યાં માતાની અસીમકૃપા મળી જાય. માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહી સતત માતાજીનુ સ્મરણ કરતા ભક્તો મે જોયા એટલે અમે પણ લાઈનમાં ઉભા રહ્યા. બહારથી આવેલાને અત્યારના મંદીરના નિયમોનો ખ્યાલ ના હોય એટલે સમજીને સાચવીને ચાલવુ પડે. જોકે અમારી પર માતાની કૃપા થઈ તે અનુભવાયુ કારણ અમે તો બહારથી આવેલા છીએ તેવો ખ્યાલ આવતા બે ચાર ઉંમરવાળા  ભક્તો આવી કહે તમે અમારી સાથે ચાલો માતાના દર્શન કરાવીએ. અમે તેમની સાથે ચાલ્યા કોઇપણ અડચણ વગર માતાના દર્શનનો લાભ મળ્યો. એ જ માતાની અસીમકૃપા થઈ જે જીવનની યાદગીરી પણ બની ગઈ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

November 1st 2012

શ્રી જલારામ ઠક્કર

.                  શ્રી જલારામ ઠક્કર

તાઃ૧/૧૧/૨૦૧૨ (ગુરૂવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ   જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા  લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા   રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
   મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.

પ્ર   પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા  ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
   નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી   જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી  અન્નદાનની રાહ લીધી.

    ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક    કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
    કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને  પ્રભુ કૃપા મળે છે.
    રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.

********************************************************

June 16th 2012

બચાવો

.                              બચાવો

તાઃ૧૬/૬/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          .પરમ કૃપાળુ પરમાત્માએ મનુષ્ય દેહ આપી જીવને કર્મના
બંધનથી જન્મની પરંપરા કે પછી મુક્તિ મેળવવાની તક આપી છે.
આ સાંકળમાંથી બહાર નિકળવાની ઇચ્છા હોય તો કોઇપણ યુગમાં
સાચી ભક્તિ જીવને બચાવે છે.

*  જીવે કરેલ કર્મ એજ તેની તિજોરી છે.
*  દરેક દેહે જીવન દરમ્યાન મહેનત કરવી જ પડે છે.મહેનતના
.    ફળ રૂપે તેને જરૂરીયાત મળે છે.
*  પશુ પક્ષી અને પ્રાણીએ દુનીયામાં આધારીત દેહ છે.જેને બીજા
.   પર આધાર રાખવો પડે છે.
*  મનુષ્ય દેહ એ પરમાત્માની અસીમ કૃપાએ મળે છે.જે કર્મના
.   બંધનમાં બંધાવે યા તેમાંથી મુક્તિ કરાવી શકે છે.
*  દરેક પળને સાચવીને સત્કર્મોનો સાથ મેળવી જીવન જીવતાં
.    દેહનો અંત પરમાત્માના હાથમાં  જ છે તે વિશ્વાસ એ કૃપા છે.
*  કળીયુગમાં દેખાવની ભક્તિ કે પહેરવેશ એ જીવને કર્મમાં જકડી
.   રાખી જીવને દેહ મળતા જ રહે છે કારણ તે મુક્તિથી દુર છે.
*   અંતરમાં વિશ્વાસ અને નિર્મળ સ્વભાવ એ વડીલને વંદનની રાહ
.    આપે છે.
*   ઉંમરનો સંબંધ જન્મ મળેલા દરેક જીવને છે.પણ લાયકાતે જ
.    તેને વંદન અને પ્રણામ મળે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++

November 17th 2010

ઘરના ડૉક્ટર

                                          ઘરના ડૉક્ટર

તાઃ૧૭/૧૧/૨૦૧૦                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

  • ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
  • મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
  • હળદર અને આંમળાનુ ચુર્ણ એક ચમચી ભેગા કરી રોજ લેવાથી ડાયાબીટીસ મટે છે.
  • જીરાનુ ચુર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
  • તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસીડીટી મટે છે.
  • મેથીના કુમળા પાનનું શાક બનાવી ખાવાથી લોહી સુધરે અને શક્તિ મળે છે.
  • મરીને શુધ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા નાંખવાથી આધાશીશી મટે છે.
  • રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મુકવાથી ઉધરસ ઓછી થાય છે.
  • રાઇ અને મરીના ચુર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી મટે છે.
  • કોપરેલ અને લીંબુનોરસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી અને દાદર મટે છે.
  • ફુદીનો અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. 
  • મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઇ જાય છે.
  • મરી,તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  • મચ્છર કે કીડી-મંકોડાના ડંખ પર લીબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  • તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
  • છાલ સાથે કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
  • જુનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
  • લવિંગનુ તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
  • દુધમાં ઘી મેળવી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • શેરડીનોરસ પીવાથી હેડકી બંધ થાય છે,જીરૂ ચાવવાથી હેડકી બંધ થાય છે.
  • માથું દુઃખતુ હોય તો લવિંગનુ તેલ કપાળે ઘસવાથી મટી જાય છે.
  • સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
  • ખાંડ અને લીંબુનો રસ ભેગા કરી માથું ધોવાથી જુ અને ખૉડો ઓછો થાય છે.
  • એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.
  • દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.
  • લસણની કળીઓ ગળવાથી લકવો મટે છે.

 __________++++++++__________++++++++_________

 *** આ તો ભઇ ઘરના દર્દીઓ માટે ઘરના ડૉક્ટરના ઘરગથ્થુ જ ઇલાજ.
                    આડ અસર તો નહીં જ અને એક્સ્પાયર ડેટ પણ નહીં.***

===========================================

September 8th 2010

દુર ભાગે?

                                    દુર ભાગે

તાઃ૮/૯/૨૦૧૦                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપર જીવનુ અસ્તિત્વ એદેહ છે જેને આંખોથી જોઇ શકાય છે
અને આંખોથી જોઇ શકાય એ જ પરમાત્માની લીલા પણ છે.પણ
ઘણું એવુ પણ છે જેનો અનુભવ થાય અથવા તો અનુભુતી થાય.

નીચેની બાબતો વિચારવા જેવી લાગતા વિચારવા મુકુ છુ.
***વાંચી વિચારજો અને તેનો જવાબ તમારા વિચારને આપજો.

૧.   જ્યારે માનવીને સાચી સમજ આવે ત્યારે જ કુબુધ્ધિ દુર ભાગે.
૨.   જ્યારે ભણતરને મહત્વ અપાય ત્યારે જ અભણતા દુર ભાગે.
૩.   જ્યારે મન મોહ માયામાં પરોવાય ત્યારે જ સંસ્કાર દુર ભાગે.
૪.  જ્યારે સંયંમ નારહે ત્યારે જ ભગવું પહેરનાર નારીથી દુર ભાગે.
૫.  જ્યારે માતાના દુધની કદર ના કરી શકાય ત્યારે તેને સન્માનથી દુર રાખે.
૬.  જ્યારે મહેનત કરી કમાવાની તાકાત ના હોય ત્યારે સંસારથી દુર ભાગે.
૭.  જ્યારે માનવી જેને ભગવાન બનાવે તેને દાન પેટીથી ભીખ માગવા માટે
     ભગવાનો સહારો આપી સાચા જ્ઞાનીઓથી દુર રાખે.
૮.  જ્યારે પરમાત્માની સાચી ઓળખ થાય ત્યારે તે જીવથી ભીખ માગવાના
     રસ્તાઓ દુર ભાગે.
૯.  જ્યારે પ્રભુની સાચી ઓળખ જીવને થાય ત્યારે ઘરમાં ભક્તિ થાય કળીયુગી
     મંદીર દુર ભાગે.
૧૦. જ્યારે જીવને પરમાત્માની કૃપા મળે ત્યારે જન્મ મરણ દુર ભાગે.
૧૧. જ્યારે માબાપની આજ્ઞાને માથે ચઢાવાય ત્યારે જ દુઃખ દુર ભાગે.
૧૨. જ્યારે મા થકી જીવને દેહમળે ત્યાર બાદ સૌ પ્રથમ તેને વંદન કરતાં
     આશીર્વાદથી જ વ્યાધીઓ દુર ભાગે.
૧૩. જ્યારે માતાથી સંસ્કાર અને પિતાના આશીર્વાદ મળે ત્યારે આવતી બધી
      વ્યાધીઓ દુર ભાગે.
   અને છેલ્લે
૧૪. જ્યારે સાચા સંતનુ માર્ગદર્શન મળે ત્યારે જ દેખાવની ભક્તિ દુર ભાગે.

++++++++++++++++++++++++++++++++++++++++++

May 2nd 2010

Never Happen

                          Never Happen

 Dt.2/5/2010                      Pradip  Brahmbhatt

If  you work hard,You will achieve your goal
If  you miss a chance,you have sorry to say

It you love by heart,you will be happy in life
If you pray every day,God’s grace every time

Life is little on the earth,try to make it worth
Once you get a chance,you can get worm life

Love looks small,but it will make you life long
It will never happen,if you miss the human life

Never say sorry,or never think you are wrong
keep the faith in God,you will not remain long.

If  you love  little  kids,god will love you in life
Bad things will never happen in your happy life

=================================

November 11th 2009

સનાતન સત્ય

                     સનાતન સત્ય

તાઃ૧૦/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના કલ્યાણ માટેની દોરી એ ધર્મ છે.
ધર્મના દરવાજાની ચાવી ભક્તિ છે.
હિન્દુ ધર્મમાં ધર્મના અનેક સ્વરુપ છે.
દેહના અસ્તિત્વનું અવતરણ એ માબાપ છે.
માનવદેહના જીવનના માર્ગનો પાયો છે ભણતર.
પૃથ્વી પરના અવતરણ બાદ દેહનુ અસ્તિત્વએ ખોરાક છે.
જન્મ અને મૃત્યુનો સંબંધ એટલે કર્મ.
દેહના અવતરણના સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
સંસ્કાર એ માબાપના આશિર્વાદ અને પ્રભુ ભક્તિથી મળે.
શેરડીના સંત પુ.સાંઇબાબા સિવાય જગતના કોઇપણ દેહનુ અસ્તિત્વ
માબાપ વગર શક્ય નથી.
કુળ કરતાં તમારી સંસ્કારી સમજ એ જીવનને પવિત્ર બનાવે છે.
અલ્લાહનુ કોઇ સ્વરુપ ન હોવા છતાં તેમાં રહેલી શ્રધ્ધાએ જીવ
મુક્તિ મેળવે છે.
જીવના અસ્તિત્વ સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
જીવના ઉધ્ધાર માટેના અનેક સ્વરુપો છે.
જીવને મળેલ દેહમાં બીજા જીવોના સંબંધ જ્યાં ત્યાં અને
ત્યારે પુરા કરવા જ પડે છે.
જીવ અને કર્મના સંબંધમાંથી પરમાત્મા જ મુક્તિ આપી શકે છે.

અને છેલ્લે…….
                    જન્મ અને મૃત્યુના ફેરામાંથી સાચી ભક્તિ અને સંસ્કાર
જ મુક્તિ આપી શકે છે.

November 10th 2008

ભક્ત અને ભક્તિ.

                                     ભક્ત અને ભક્તિ
તાઃ૯/૧૧/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

            જીવને જન્મ મળે એટલે કે દેહ ધારણ થાય અને તે જ્યારે સમજવાની કક્ષામાં
પગ મુકે અને મન કાર્યરત થાય એટલે તેદરેક બાબતે પોતાના લક્ષ નક્કી કરે છે.બાળક
સ્કુલમાં જાય તો ત્યાં તેનુ લક્ષ છે ભણવાનું એટલે કે તેમાતાસરસ્વતી નો ભક્ત કહેવાય,
તેવી જ રીતે જ્યારે ઘર સંસાર શરુ થાય ત્યારે તે પોતાની બુધ્ધીનો  ઉપયોગ કરી ઘર
ચલાવવા નાણાંની જરુર પડતા તેનુ લક્ષ ધન કમાવવાનું થાય ત્યારે તે માતાલક્ષ્મીનો
ભક્ત કહી શકાય.
           આમ જીવનના દરેક ક્ષેત્રે તે જીવ ભક્ત બને જ છે. અને જ્યારે શરીર નિવ્રુત્તીના
આરે આવે ત્યારે બીજા જીવો તેમની રીતે લક્ષને વળગી રહેછે જ્યારે મનુષ્ય પરમાત્માની
કૃપા પામવાનુ લક્ષ રાખી તે પ્રભુનો ભક્ત બને છે.અને આ જ રીતે જીવ તે લક્ષને પ્રાપ્ત
કરવા માટે જે મહેનત કરે તેને ભક્તિ કહેવાય કારણ ભક્ત તેના ધ્યેયને પહોંચવા પ્રયત્ન
કરે છે જેને સમઝણ શક્તિ પ્રમાણે ભક્તિ કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Next Page »