February 25th 2011

મારુ કોણ?

                        મારૂ કોણ?

તાઃ૨/૨/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખ સંગે ચાલે દેહને,ના કોઇથીય એ છોડાય
મારુતારુ દેહને મળતાં,જીવને જન્મ મરણ બંધાય
                    ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
જીવને બંધન કર્મના છે,ને દેહને મળી જાય સંબંધ
સાચવીલેતા બંધનને,જીવનો જન્મ સફળપણથાય
                     ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
બાળપણની શીતળતા જોવા,માતાની માયા થાય
પારણે ઝુલતા સંતાને,માતાના હૈયા પણ ઉભરાય
                     ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
સમય સંગે ચાલતા દેહે,મન બુધ્ધિથી જ સચવાય
સાચવી ચાલતા જીવનમાં,સફળતાને ય સહવાય
                      ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
કેડી જીવનની નિર્મળ છે,જ્યાં ભક્તિનો સંગ થાય
આજકાલની ચિંતા છુટતાં,જીવનમાં જ્યોત થાય
                      ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
પ્રદીપ કહે આ મારું છે,ને ઘડીકમાં કહે આ તારું
મારુંતારુંની માયા છુટે,જ્યાં મોહમાયા છુટીજાય
                      ………….સુખદુઃખ સંગે ચાલે દેહને.

++++++++++++++++++++++++++++++

February 25th 2011

જય પુજ્ય જલારામ

                      જય પુજ્ય જલારામ

તાઃ૨૪/૨/૨૦૧૧           (આણંદ)                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ જય જલારામ,જય જય જય બોલો, જય જલારામ (૨)
કરુણા આધાર,દે ભક્તિના દ્વાર,મુક્તિના દેજો જીવને દાન,જય જલારામ
                                 …………….જય જલારામ જય જલારામ.
માતા વિરબાઇની શ્રધ્ધાસાચી,ભક્તિએ તો પ્રભુ હરીલીધા
આજ્ઞા માની પતિ પરમેશ્વર,સાચા વર્તન જગને દીધા
વાણીને વર્તન ઉજ્વળ કીધા,પ્રેમ કુળનો પામી લીધો
પરમાત્માને ભગાવી દીધા,ઉજ્વળ જીવન કરી લીધા
……….જય જલારામ જય જલારામ,પ્રેમે બોલો જય જલારામ.

ભવસાગરથી મુક્તિ માગી,સર્જનહારની લીલા જાણી
રાજબાઇની કુખ ઉજાળી,પિતા પ્રધાને ભક્તિ  આપી
ભોજલરામથી ભક્તિ જાણી,દીધીકુળને ભક્તિ ન્યારી
જય જય રામ,જય સીતારામ,જગમાં ઉજ્વળ તે છે નામ.
…………જય જલારામ જય જલારામ,પ્રેમે બોલો જય જલારામ.

=====================================
      ઉપરોક્ત ભજન તાઃ૨૪/૨/૨૦૧૧ ના રોજ અમારા નવા ધેર પુ.પારેખ
સાહેબે શરૂ કરેલ સંગીત વિધ્યાલયના લાભાર્થે સંગીતની બેઠક કરી હતી જેમાં
ભજન તથા ક્લાસીકલ ભજન ગાયા હતા.તે બેઠકની પ્રેરણા રૂપે આ ભજન
લખેલ છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

February 12th 2011

પુજ્ય ગુરૂજીને

                              પુજ્ય ગુરૂજીને

તાઃ૪/૨/૨૦૧૧          (આણંદ)            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વરસે પ્રેમની વર્ષા,ત્યાં ઉમંગ આવી જાય
         શીતળ સ્નેહની સીડીએ,અમને સાહેબ મળી જાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
વંદન કરતાં વડીલને,નિખાલસ પ્રેમ મળી જાય
પારેખ સાહેબની કૃપાએ,અમને સ્વર મળી જાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
સારેગમ કરતાં કરતાં તો, જીભને સ્વર મળી જાય
તાલ મળતાં તબલાના,સાંભળવા કાન હરખી જાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
ચરણોને સ્પર્શ કરતાં,અમોને આશિર્વાદ મળી જાય
શીખાઇ જાય જ્યાં તાલ,ત્યાં મધુર સર્જન થતુંજાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
વંદન પ્રદીપના સાહેબને,મારું જીવન મહેંકી જાય
આશીશ મળતાં  તેઓની,મારોજન્મ સફળ દેખાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
દેજો પ્રેમ ખોબો  ભરીને,મારું જીવન તરસે આજ
વંદનકરતાં હૈયેથી તમોને,સ્નેહસાગર મળીજાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.

**********************************************
       આણંદમાં સંગીતના શિક્ષક શ્રી ઇશ્વરભાઇ પારેખ સાહેબની સંગીત વિધ્યાલયની
સ્થાપનાને ૧૧ વર્ષની ઉજવણી નિમીત્તે તેમના આમંત્રણને માન આપી હાજર રહેતા
ખુબજ આનંદ થતાં યાદગીરી રૂપે આ કાવ્ય તેમના ચરણોમાં પ્રેમ સહિત અર્પણ.
                                                                                         લી. પ્રદીપ બ્રહ્મભટ્ટના વંદન.

February 10th 2011

વાણીવેગ

                              વાણીવેગ

તાઃ૬/૨/૨૦૧૧      (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વેગ મળતાં વાણીને,જીભથી શબ્દના સચવાય
તેજ નીકળતાં શબ્દથી,વ્યાધીઓ વળગી જાય
                            ………વેગ મળતાં વાણીને.
નિર્મળ વહેતી ધારામાં,જ્યાં પવન પ્રસરીજાય
વેગ મળતાં પાણીનો,ઘણુ બઘુય ડુબી જ જાય
એક રાહ હતી જીવનની,જેથી રાહજ મળી જાય
વધી જાય વણમાગી,ત્યાં કોમલતા ભાગી જાય
                         …………વેગ મળતાં વાણીને.
કુદરતની છે આ માયા,જે અનેક ઘણી જ દેખાય
દ્રષ્ટિ એક માનવની,વધુએ નિર્મળતાને ખોવાય
કદીક કદીક અણસાર મળે,જે સમજુથી સમજાય
અણસાર મળે છે એકને,ના કોઇથી એ મેળવાય
                         ………….વેગ મળતાં વાણીને.

—————————————————–

February 2nd 2011

માયાનો સંગાથ

                માયાનો સંગાથ

તાઃ૨/૨/૨૦૧૧          આણંદ               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા પ્રેમથી જગમાં,કળીયુગ વળગી જાય
અતિનો આનંદ થાયમનને,ને જીંદગી વેડફાઇ જાય
                      ………….મળતી માયા પ્રેમથી જગમાં.
શીતળતાનો સહવાસ દેહને,ત્યાં મનને શાંન્તિજ થાય 
કુદરતની આકૃપા નિરાળી, જેથી જીવને આનંદ થાય 
સ્નેહ પ્રેમની સાચીકેડી મળતાં,જીવનોજન્મ થઈ જાય 
ઉભરે આનંદ ભક્તિએ જ્યાં,ત્યાં પ્રભુકૃપાય મળી જાય
                     ………….. મળતી માયા પ્રેમથી જગમાં.
સરળ ચાલતા જીવનમાં ભઈ,ડગમગતાં જ્યાં દેખાય
સમજ જીવને આવે થોડી,આનેજ કળીયુગતા કહેવાય 
મળે માયાનો સંગાથ દેહને,મનને મુંઝવણ મળી જાય
કળીયુગની કેડી મળતાંતો,જીવ જગે ભવોભવ ભટકાય
                     …………..  મળતી માયા પ્રેમથી જગમાં.

=====================================