February 12th 2011

પુજ્ય ગુરૂજીને

                              પુજ્ય ગુરૂજીને

તાઃ૪/૨/૨૦૧૧          (આણંદ)            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વરસે પ્રેમની વર્ષા,ત્યાં ઉમંગ આવી જાય
         શીતળ સ્નેહની સીડીએ,અમને સાહેબ મળી જાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
વંદન કરતાં વડીલને,નિખાલસ પ્રેમ મળી જાય
પારેખ સાહેબની કૃપાએ,અમને સ્વર મળી જાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
સારેગમ કરતાં કરતાં તો, જીભને સ્વર મળી જાય
તાલ મળતાં તબલાના,સાંભળવા કાન હરખી જાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
ચરણોને સ્પર્શ કરતાં,અમોને આશિર્વાદ મળી જાય
શીખાઇ જાય જ્યાં તાલ,ત્યાં મધુર સર્જન થતુંજાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
વંદન પ્રદીપના સાહેબને,મારું જીવન મહેંકી જાય
આશીશ મળતાં  તેઓની,મારોજન્મ સફળ દેખાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.
દેજો પ્રેમ ખોબો  ભરીને,મારું જીવન તરસે આજ
વંદનકરતાં હૈયેથી તમોને,સ્નેહસાગર મળીજાય
                                   …………..વરસે પ્રેમની વર્ષા.

**********************************************
       આણંદમાં સંગીતના શિક્ષક શ્રી ઇશ્વરભાઇ પારેખ સાહેબની સંગીત વિધ્યાલયની
સ્થાપનાને ૧૧ વર્ષની ઉજવણી નિમીત્તે તેમના આમંત્રણને માન આપી હાજર રહેતા
ખુબજ આનંદ થતાં યાદગીરી રૂપે આ કાવ્ય તેમના ચરણોમાં પ્રેમ સહિત અર્પણ.
                                                                                         લી. પ્રદીપ બ્રહ્મભટ્ટના વંદન.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment