October 31st 2010

જન્મ તારીખ

                                 જન્મ તારીખ

તાઃ૩૧/૧૦/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનીયાના દસ્તુરમાં ભઈ,જ્યાં લખાઇ જાય તમારુ નામ
મળે દેહ જીવને અવનીએ,તેને જ જન્મ તારીખ કહેવાય
                              ………..દુનીયાના દસ્તુરમાં ભઈ.
કર્મ બંધન જીવના સાથે છે,જે દેહના વર્તનથી જણાય
ના માગણી કોઇની ચાલે,કે નાતેમાં કોઇ ભેદભાવ થાય
સરળરીત પરમાત્માનીએવી,જે સાચીભક્તિએ સમજાય
તારીખ આગમનની અવનીની,કૃપાએ પ્રભુની મેળવાય
                               ………..દુનીયાના દસ્તુરમાં ભઈ.
કોને કયો દેહ મળે અવનીએ,જીવના બંધનથીજ દેખાય
લીલા ન્યારી છે આ પ્રભુની,જે સાચી ભક્તિએ અણસાય
જન્મ જકડે જીવને જ્યારે,ત્યારે કર્મના બંધનને સમજાય
જન્મ મળતાં નાનાદેહથી જીવને,તો ઘડપણથીજ છોડાય
                                 ……….દુનીયાના દસ્તુરમાં ભઈ.

****************************************

October 31st 2010

પવિત્ર દ્વાર

                             પવિત્ર દ્વાર

તાઃ૩૧/૧૦/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભાતમાં બારણું ખોલતાં,સુર્યદેવના દર્શન થાય
ઉજ્વળ જીવન લાગે દેહે,જ્યાં સુર્ય કિરણ જોવાય
                       ……….પ્રભાતમાં બારણું ખોલતાં.
પવિત્ર ધર્મ મળ્યો હિન્દુનો,સત્કર્મોથી જ મેળવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુની ભક્તિ કરાય
અહંકાર અભિમાનને છોડી,માળા જલાસાંઇની થાય
સાચુ શરણું જીવનેમળતાં,સુર્યદેવનું આગમન થાય
                       ………..પ્રભાતમાં બારણું ખોલતાં.
મળતાં પવિત્ર ધર્મ જીવને,ફરજ પવિત્રકર્મની થાય
સંસ્કાર એતો સોપાનસીધ્ધીના,આશીર્વાદે મળીજાય
સંતાનોને સાચી રાહ મળતાં,ધર્મ આપણો સચવાય
મળે ભક્તિ,પ્રેમ માનવતાનો,એ પવિત્રદ્વાર કહેવાય
                       …………પ્રભાતમાં બારણું ખોલતાં.
સંસારની  સાંકળ છે નાની,પણ કોઇથીય ના તોડાય
મનથી કરતાં સાચી ભક્તિ,દેહ ને તેનાથી બચાવાય
નાતાકાત જગતના કોઇજીવની,કે તેનાથી બચીજાય
પ્રભુકૃપાએ શાંન્તિ આવે સાથે,દુઃખને હલવુ કરી જાય
                        ………..પ્રભાતમાં બારણું ખોલતાં.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

October 29th 2010

એક સમજ

                                 એક સમજ

તાઃ૨૯/૧૦/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજની તો લકીર છે નાની,જ્યાં પ્રેમ દીસે મળીજાય
સ્નેહની સમજ મનને પડતાં જ,સાચા પ્રેમને સમજાય
                        ……….સમજની તો લકીર છે નાની.
ગોદમાં રમતા માતાની,બાળકને શીતળતા મળી જાય
આંખ ખોલતા ગાલે બચીકરીલે,એ માનો પ્રેમ સમજાય
ભીનામાંથી કોરામાં લાવે,આંખોમાં હર્ષના આંસુ દેખાય
સમજ પડે સંતાનને,કે આ પ્રેમ જન્મદાતાથીજ દેવાય
                        ……….સમજની તો લકીર છે નાની.
બાલમંદીરથી બારાખડી મળે,ત્યાંજ ભણતરને સમજાય
એકડો બગડો આવડીજતાં,સોપાન ભણતરના મેળવાય
આવે ડીગ્રી હાથમાં સંતાનને,માબાપ અંતરથી હરખાય
સમજઆવે સંતાનને ત્યારે,ને જીવનની કેડી મળી જાય
                        ………સમજની તો લકીર છે નાની.
માનવતાની મહેંક એવી  છે,જે જીવન ઉજ્વળ કરી જાય
આશીર્વાદની એક કડી મળતાં,ભાગ્ય ના દ્વાર ખુલી જાય
ભક્તિ પ્રેમ મળે જલાસાંઇથી,જે જન્મ ને સફળ કરી જાય
જીવને સમજ પડે જ્યાંસાચી,ત્યાં જગે તકલીફો દુર થાય
                       ………..સમજની તો લકીર છે નાની.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

October 28th 2010

જય જય જલારામ

 

 

 

 

 

 

 

 

                     જય જય જલારામ

તાઃ૨૮/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરે જ્યાં મનથી,જગમાં વ્યાધીજ ના દેખાય
         શાંન્તિ મળતા મનને દેહે,સદા પ્રભુકૃપા મળી જાય
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
સુખદુઃખ તો સંસારનીનદીઓ,જગત પર વહી જાય
        આવતા જીવને દેહ સ્વરૂપે,બાળપણથી એ લપટાય
ભક્તિએવી મનથીકરવી,જ્યાં પ્રભુરામ પણ મુંઝાય
         આવીઆંગણે ભીખ માગવા,ત્યાંભાગવુ પડે તત્કાળ
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
પૃથ્વીપરનાસંબંધ નાછુટે કોઇથી,જે ભક્તિએ છોડાય
        વિરબાઇમાતાની શ્રધ્ધાએ તો,પરમાત્મા ભાગી જાય
જલારામની સેવા નિરાળી,મળ્યો વિરબાઇનો સંગાથ
         જન્મસફળ એ કરીગયા,ને દઈગયા ભક્તિનાસોપાન
                                          એવી ભક્તિ જલારામની કહેવાય.
ના કદી રાખી કોઇ અપેક્ષા,કે મળ્યા કોઇ જગના મોહ
        અન્નદાનની સાચી ભાવનાએ,જીતી ગયા પ્રભુનીપ્રીત
કુદરતના દરબારમાં જીવને,સંતોષ સદાય મળીજાય
        પ્રભુકૃપાના બારણા ધણા,જે સાચીશ્રધ્ધાએજ ખોલાય
                                           એવી ભક્તિ જલારામની કહેવાય.

===========================================
સંત પુજ્ય જલારામ બાપા તથા પુજ્ય વિરબાઇ માતાને હદયથી વંદન.
સેવક પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,શકુબેન તથાપુ.સુરેશલાલ.
_________________________________________________

October 27th 2010

લાગણીનું માપ

                    લાગણીનું માપ

તાઃ૨૭/૧૦/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના એ ફુટપટ્ટીથી મપાય,કે નાકદી એ થર્મોમીટરથી
દેખાઇજાય એ હાવભાવથી,જગેઅમુલ્ય તેની કિંમત
                       ………. ના એ ફુટપટ્ટીથી મપાય.
દોડીઆવી હાથ પકડીને કહે,હું છું તારો સાચો સંગી
તારી ચિંતાઓને તું નેવેજ મુકજે,દુરનથી હું પળથી
આભ ના તુટ્યું અત્રે,પણપડી કુદરતની એક ટપલી
ભાગ્યો હાથ છોડીને સાથી,એતો લાગણી ખોટી દીઠી
                        ………..ના એ ફુટપટ્ટીથી મપાય.
કદીક કદીક સામે મળે તો,કેમ છે એટલું જ સંભળાય
જીભથી ના વાતોલાંબી,પણજોતા સરળજીવનદેખાય
કદી નામાગે ટેકો માર્ગમાં,મહેનત સંગેએ ચાલીજાય
વ્યાધી જોઇ દોડી આવે,સાચી લાગણીજ એ કહેવાય 
                       ……….. ના એ ફુટપટ્ટીથી મપાય.
સુખની જ્યાં સીડી જુએ,ત્યાંતો પળપળ સાથે દેખાય
મોજમસ્તીની લકીરમાંસાથે,જાણે નાદુરજશે પળવાર
સૌની સાથે મળીજશે એ,ને સુખની સાંકળમાં સંગાથ
માનવતાની સોટી એવી છે,જે દુઃખમાંજ ભાગી જાય
                       …………ના એ ફુટપટ્ટીથી મપાય.

==============================

October 26th 2010

કસોટી

                         કસોટી

તાઃ૨૬/૧૦/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સ્પર્શી ચાલે ઝંઝટ,અવનીએ મળે માનવ દેહ
સાચવી લેતા પગલાં એ,સમજાય આ જીવનનો ભેદ
                       ………..જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
મિત્રતા માનવતા સમજી,નિખાલસતાએ મેળવાય
સરળ જીવનમાં સારીજ લાગે,ના ઝંઝટ કોઇ દેખાય
કરતાકામ ક્યારેક જીવનમાં,જ્યાં મિત્રતા નિરખાય
કસોટી મિત્રતાની થાય,જે સીધા સંબંધેજ સચવાય
                      …………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
શ્રધ્ધાની એક રીત અનોખી,જે સંસ્કારે જ લેવાય
સુખદુઃખની કેડી સંસારમાં,સૌને જ એ મળી જાય
હોય સંસારી કે સાધુ દેહ,પણ કોઇથીય ના છુટાય
ભક્તિ કસોટી પાર કરતાં,મળીજાય મુક્તિનો દોર
                      ………. જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
જીવનજીવતા માનવીનું,મન અહીંતહીં ભટકી જાય
સહવાસ ને સંગ સારો મેળવવા,ઘણી કસોટી થાય
અનુભવની અટારીએ આવતાં,જીંદગી આખી જાય
ભક્તિની કસોટીએ તો,દેહથી સત્કર્મોને જ સહેવાય
                     …………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.

+++++++++++++++++++++++++++++++

October 25th 2010

આરામ

                                  આરામ

તાઃ૨૫/૧૦/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કમાલ જગતમાં,જન્મે જીવને ના સમજાય 
અણસારની એક લકીર ના જોતાં,માનવમન ભટકાય
                   ………..એજ કુદરતની કરામત કહેવાય.
દેહ નાનો મળે જન્મથી જ,પણ જીવનો ના કોઇ સંકેત
બંધનમળે જગમાં જીવને,એ મળતાનથી જીવે માગેલ
સુખ શાંન્તિ એ મળે બંધને,ના તેમાં કરી શકે કોઇ ફેર
જીવનચાલે કર્મબંધને,કુદરતી ન્યાયમાં નાછે કોઇ ભેદ
                   ………..એજ કુદરતની કરામત કહેવાય.
મહેનત મનથી સાચી કરતાં,મળી જાય દેહને સંતોષ
જુવાનીને સાચવીચાલતાં,માનવીને બધુ જ સમજાય
ધડપણના બારણે આવતાંતો,દેહને આરામ મળીજાય
ઉજ્વળતા તો આવી બારણે,આ જન્મ સફળ કરી જાય
                 …………એજ કુદરતની કરામત કહેવાય.

================================

October 24th 2010

સમયને પગલે

                        સમયને પગલે

તાઃ૨૪/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના મારી લાયકાત કે ભઈ,હું બેપગલાંય પણ ચાલુ
ધોડીયામાં આરામ કરુ ત્યાં,ક્યાંથી કોઇનેય હું જાણું
                        ……….ના મારી લાયકાત કે ભઈ.
નાની આંગળી પકડે માડી,ત્યાં પડખાં ફેરવી જાણું
ઉંઆ ઉંઆ હું કરતો ત્યારેજ,મમ્મીથી દુધનેહું માણુ
ઝુલતા મારા ઘોડીયાને પણ,દોરીથી કોઇજ હલાવે
બહાર નીકળવા બે હાથ આવે,ત્યાં છુ તેમ હું જાણું
                        ………ના મારી લાયકાત કે ભઈ.
બારાખડીથી આગળ વધતાં,હું કલમ પેનને પકડુ
માનુ હવેકે લાયકાત મારી,ભણતરની કેડીને જાણુ
ચાલ્યો બે ડગલાંજ સાથે,ત્યાં મળ્યો મિત્રોનો પ્રેમ
આવી સમજણ મને ત્યારે,ભાગી ગયો મનનો વ્હેમ
                        ……….ના મારી લાયકાત કે ભઈ.
સમયે સંગીનીમળી મને,મળ્યો લાયકાતે સહવાસ
જીવન જીવવાની પગથી પકડતા,સાથીઓ હરખાય
મળતાંજ મનને ભક્તિ દોર,મળ્યો મને સાચો સંકેત
કરતાં સાચી પ્રીતે ભક્તિ,શાંન્તિ મળી મનને ભરપુર
                      ………..ના મારી લાયકાત કે ભઈ.

+++++++++++++++++++++++++++++++

October 23rd 2010

મારૂતીનંદન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                              મારૂતીનંદન

તાઃ૨૩/૧૦/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ જેની શક્તિ છે,ને છે શ્રધ્ધાજ જેમનુ જીવન
એવા અંજનીપુત્ર શ્રી હનુમાનજીને,કરુ છું હું વંદન
                             ………..ભક્તિ જેની શક્તિ છે.
સાતવારમાં શનીવારને જ,જગે ભક્તિદીન કહેવાય
મળી જાય જો પ્રેમપ્રભુનો,આ જન્મ સફળ થઈ જાય
રામનામની માળાહાથમાં,નેસદા ઉભાએ ભક્તિ દ્વાર
મોહમાયાને તોડી નાખતાં,આ જીવ મુક્તિએ દોરાય
                             ……….. ભક્તિ જેની શક્તિ છે.
ચાલીશામાં શ્રધ્ધા રાખતાં,સતત સ્મરણ જ્યાં થાય
મારૂતીનંદન આવીબારણે,સાંકળ ભક્તિની દઈજાય
ભુત પલીત તો ભડકી ભાગે,જ્યાં ગદાધારી દેખાય
મળી જાય કૃપા પ્રભુરામની,સંગે સીતામા સહવાય
                             ………..ભક્તિ જેની શક્તિ છે.

શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરાશ્રીરામ શ્રીરામ 
======================================

October 22nd 2010

બંધન

                         બંધન

તાઃ૨૨/૧૦/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લેખ લખેલા ના મિથ્યા થાય,એ તો વર્તનથી દેખાય
શાણીવાણી નાસંભળાય,જ્યાં પવિત્ર જીવ તરછોડાય
                            ………..લેખ  લખેલા ના મિથ્યા.
જન્મમળ્યો રાજકુળમાં જગે,ને અઢળક સંપત્તિ દેખાય
કર્મના બંધન નાછોડે દેહને,સમયે ભીખ માગવા જાય
                             ………..લેખ લખેલા ના મિથ્યા.
મળી જાય છે માયા જગની,છોને ઉજ્વળ કુળે જન્માય
પ્રભુની કૃપા જ્યાં જાયછે દુર,ત્યાં મારપડે જગે ભરપુર
                           ……….. લેખ લખેલા ના મિથ્યા.
સંસારના સંબંધ સાચવીને,મન ભક્તિમાં રહેછે ચકચુર
ઘરમાં ભક્તિભાવના વાદળથી,મળીજાય શ્રધ્ધાભરપુર
                          ……….. લેખ લખેલા ના મિથ્યા.
લખેલાલેખ ના મિથ્યાથાય,પણ થાય કૃપાએ અણસાર
બંધન દેહના છુટતાચાલે,જ્યાં સાચી ભક્તિને મેળવાય
                          ……….. લેખ લખેલા ના મિથ્યા.
મારાની મમતા રાખતો જીવ,ભટકી રહે ભવસાગરમાંજ
પૃથ્વી પરના આગમનમાં,પ્રાણીપશુ કે જળચર જન્મેએ
                           ………..લેખ લખેલા ના મિથ્યા.

#####################################

Next Page »