March 28th 2013

હોળીનો આનંદ

.                            હોળીનો આનંદ

તાઃ૨૮/૩/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

હોળી આવી ગઈ લઇને ઝોળી,કેસર,કંકુને સાથે ગુલાલ
મળીગયો મનેતહેવારનો આનંદ,આવતા આણંદ આજ
.               …………………હોળી આવી ગઈ લઇને ઝોળી.
કુકડો બોલતા આંખો ઉઘડી,સાંભળ્યો મંદીરનો ઘંટનાદ
ઉજ્વળ પ્રભાતે ૐ સાંભળી,મળી ગયો કૃપાનો અણસાર
હોળીકાનુ દહનથતાં અવનીએ,પ્રહલાદની ભક્તિ દેખાય
શ્રધ્ધા ને ભક્તિ જીવનમાં રાખતાં,ના કોઇથીય હરાવાય
.               …………………. હોળી આવી ગઈ લઇને ઝોળી.
સફળતાના વાદળનેપામતા,જગતમાં સૌને આનંદ થાય
હોળીના આનંદને પામવા,ધુળેટીથી બીજે દીવસે રંગાય
માનવતાનીમહેંક પ્રસરેજીવનમાં,એજ પ્રભુકૃપા કહેવાય
રંગાયેલા દેહને જોતાં માનવીને,હૈયે પ્રેમની વર્ષા થાય
.              ……………………હોળી આવી ગઈ લઇને ઝોળી.

++++++++++++++++++++++++++++++++++

 

March 25th 2013

પલ્લવનો જન્મદીન

 

 

 

 

 

 

.

.                          .પલ્લવનો જન્મદીન

તાઃ૨૬/૦૩/૨૦૧૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થતા,જીવને દેહ મળી ગયો ભઈ
પલ્લવ નામ મળતા દેહને,ઉજ્વળ જીવન મળી ગયું અહીં
.                   …………………..પરમકૃપા પરમાત્માની થતા.
શનીવારનો શીતળ દીવસ,ને પવિત્ર પુનમ પણ કહેવાય
જન્મદેતા સંતાનને મમ્મી હર્ષાબેનને અનંત આનંદ થાય
પિતા લલિતભાઇનાપ્રેમે,પલ્લવને જીવનમાંરાહમળીજાય
ઉજ્વળતાના સોપાનજોતાં,મામામામીને બા પણ હરખાય
.                      …………………પરમકૃપા પરમાત્માની થતા.
બેન રીમાનો પ્રેમ મળતાં,ભાઇ પલ્લવને ખુબ આનંદ થાય
આશીર્વાદમળે પ્રદીપરમાના,સંગે મળે રવિ,દીપલનો પ્રેમ
કૃપાનીકેડી મળે જલાસાંઇની,સાચીરાહ જીવને આપી જાય
ઉજ્વળજીવન નેસાચીકેડીએ,પલ્લવ પર પ્રભુકૃપા થઇજાય
.                     …………………..પરમકૃપા પરમાત્માની થતા.

=================================================
 ચી.પલ્લવનો આજે જન્મ દીવસ છે પરમકૃપાળુ સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે તેને જીવનમાં તન,મન,ધનથી શાંન્તિઆપે અને જીવનમાં ઉજ્વળતાના સોપાન સરળતાથી મેળવે તે અમારી અંતરની ઇચ્છા અને આશીર્વાદ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ (આણંદ,હ્યુસ્ટન.)ના જય જલારામ.
સાથે ચી.દીપલ.ચી.નિશીતકુમાર,ચી.રવિ,ચી.હિમાના જય જલારામ સહિત જન્મદીનની શુભેચ્છા.

====================================================

March 23rd 2013

ભક્તિ પ્રેમ

.                        . ભક્તિ પ્રેમ

તાઃ૨૩/૩/૨૦૧૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે છે પરમાત્માનો,ત્યાં જન્મસફળ થઈ જાય
પાવનકર્મની કેડી મળતા,સાચી ભક્તિ પ્રેમથી થાય
.             ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
સરળતાનો સાથ મળતા,જીવનમાં શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મોહમાયાને દુર રાખતાજ,ના આફત ક્યારેય અથડાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,પાવનકર્મ જીવનમાંથાય
.              ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
માનવ જીવન તો છે કર્મના બંધન,ના કોઇથી છટકાય
અવનીપરના આગમનથી જીવને,કર્મનીકેડી મળી જાય
માનવજન્મને સાર્થક કરવા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
એકજ સાચીકેડી મળતા,અવનીપરના બંધન છુટી જાય
.             …………………..પ્રેમ મળે છે પરમાત્માનો.

==================================

 

 

March 20th 2013

શીતળ મન

.                          .શીતળ મન

તાઃ૨૦/૩/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મહેંકી જાય ત્યાં,જ્યાં શીતળતા સહેવાય
ઉજ્વળ જીવનને પામી લેતાં,મળેલ જન્મ સાર્થક થાય
.    ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.
સમજણ રાખી સ્નેહ દેતાં,જીવનમાં સાથ સૌનો મળી જાય
ડગલેડગલું પારખી ચાલતાં,ના અડચણ કોઇ આવી જાય
શાંન્તિનો  સંગાથ મળતાં જીવને,કૃપા પ્રભુની મળી જાય
નિર્મળજીવન જગે જીવતાં,જીવને અનંતશાંન્તિ થઈ જાય
.     …………………માનવજીવન મહેંકી જાય ત્યાં.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,સાચી માનવતામહેંકાય
આધીવ્યાધી નાઆંગણે આવે,જ્યાં જલાસાંઇનીકૃપાથાય
સરળતાની પાવન કેડીએ,જીવથી ભક્તિ સાચી થઈ જાય
મુક્તિ દ્વારના બારણા ખુલતાં,મનને શીતળતા મળી જાય
.    ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.

++++++++++++++++++++++++++++++++++

March 18th 2013

મા ખોડીયાર

.                 .મા ખોડીયાર

તાઃ૧૮/૩/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણે આવતાં,આ જીવન ઉજ્વળ થાય
ભક્તિ તારી પ્રેમથી કરતાં,આજન્મ સફળ થઈ જાય
માડી ખોડીયાર તારા ચરણે લાગે છે,પ્રદીપ વારંવાર
.                 ………………..મા ખોડીયાર તારા ચરણે.
ઉજ્વળતાની કેડી મળતાં,મારા જીવનમાં શાંન્તિ થાય
આર્શીવાદની કૃપા મળતાં,મારું આ જીવન મહેંકી જાય
પ્રેમથી લાગતાં પાયે માડી,મારા હૈયે પણ આનંદથાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાં,જીવન ઉજ્વળ થાય
.                  …………………મા ખોડીયાર તારા ચરણે.
સિધ્ધીના સોપાન લેતા,મા તારો સાચો પ્રેમ મળી જાય
ચરણરજની મહેંક મળતાં,સંતાન રવિ,દીપલ હરખાય
ઉજ્વળ જીવન દેજે માડી,એજ ભાવના સદા રહી જાય
રમા સંગે માને વંદનકરતાં,ઘરનું આંગણુંપાવન થાય
.                 …………………મા ખોડીયાર તારા ચરણે.

+++++++++++++++++++++++++++++++

March 18th 2013

મળેલ માયા

.                     .મળેલ માયા 

તાઃ૧૮/૩/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને માયા જગતમાં,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક ના પ્રસરે,આ જીવનવેડફાઇ જાય
.                  .. ……………મળે જીવને માયા જગતમાં.
જન્મમરણ કાયાના બંધન,જીવે આંધીઓ આપી જાય
અધોગતીની એક જ કેડી,મળતી ઝંઝટથી જ ઝપટાય
કળીયુગની અદભુત છે લીલા,નાકોઇ જીવથી છટકાય
મળે જ્યાં માયામોહ જીવને,ત્યાં જીંદગી વેડફાઇ જાય
.               …………………મળે જીવને માયા જગતમાં.
ભક્તિભાવની અદભુતલીલા,જીવનેરાહ સાચી દઈજાય
મનથી કરતાં ભક્તિ જલાની,માનવજીવન સરળ થાય
આંધી વ્યાધીને આંબે છે ભક્તિ,અજબ  એમાં છે શક્તિ
સાંઇબાબાની શ્રધ્ધાસાચી,જીવને મુકિતમાર્ગ દઈ જાય
.               …………………મળે જીવને માયા જગતમાં.

===================================

March 14th 2013

માળાની પકડ

.                     .માળાની પકડ      

તાઃ૧૪/૩/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માળા પકડતા હાથમાં,પ્રભુરામનુ સ્મરણ મનથી થાય
અંતરમાં શાંન્તિ અનુભવતા,જીવને શાંન્તિ મળી જાય
.                       ………………….માળા પકડતા હાથમાં.
પવિત્રકેડી મળે જીવનમાં,ત્યાં નાઆફત કોઇ અથડાય
સાંઇકૃપાના વાદળ વરસતાં,જીવને શાંન્તિ મળી જાય
મોહ માયાની ચાદર છુટતાં જ,સરળ જીવન થઈ જાય
મુક્તિ માર્ગની રાહ મેળવતા,આ જન્મ સફળ થઈજાય
.                       ………………….માળા પકડતા હાથમાં.
ભસ્મ મળે જ્યાં સાંઇબાબાની,મળેલ દેહ પવિત્ર થાય
ૐ સાંઇના એકજ સ્મરણે,આ જીવનપાવન થઈ જાય
મુકિતઆવી જ્યાં મળેજીવને,ત્યાં જન્મમૃત્યુ છુટી જાય
સાંઇબાબાના સરળ પ્રેમથી,પાવનકર્મ જીવનમાં થાય
.                    ……………………માળા પકડતા હાથમાં.

++++++++++++++++++++++++++++++++++++

March 14th 2013

જલારામ જ્યોત

.                            .જલારામ જ્યોત

તાઃ૧૪/૩/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત નિરાળી,જીવને રાહ સાચી દઇ જાય
ભક્તિ પ્રેમથી એ મેળવતાં,જીવના કર્મબંધન છુટી જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
નિર્મળ પ્રેમની એ જ કેડી છે,જીવ કળીયુગથી બચી જાય
માનવતાની ત્યાં મહેંક પ્રસરે,જ્યાં અન્નદાન પ્રેમથી થાય
મનથી કરેલ ભક્તિ જલારામની,જીવને શાંન્તિ મળીજાય
આંગણે આવી પ્રેમ મળે પ્રભુનો,જીવન ઉજ્વળ થઈ જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
શ્રધ્ધાસાચી રાખી જીવતાં,જીવથી મોહમાયા ભાગી જાય
સુખ શાંન્તિના જ્યાં વાદળ વરસે,ના દુઃખ ઉમરે  દેખાય
જલારામની છે જ્યોત ઉજ્વળ,માનવજીવન મહેંકી જાય
પ્રભુકૃપાની એક જ કિરણે,જીવના જન્મ મરણ છુટી જાય
.                   …………………જલારામની જ્યોત નિરાળી.

==================================

March 13th 2013

કેડી ભક્તિની

.                   .કેડી ભક્તિની

તાઃ૧૩/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાની સાચી રાહે જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળ જીવન જીવીલેવા,જીવે કેડી ભક્તિની મેળવાય
.              ………………સરળતાની સાચી રાહે જીવનમાં.
અંતરમાં ના ઉભરો આનંદનો,કે ના દેખાવ  મળી જાય
શાંન્તિના વાદળ સહેવાતા,ના કળીયુગથી પકડાવાય
નિર્મળતાની સરળ કેડીએ,લાગણીઓ પણ ભાગી જાય
સરળ જીવનમાં શાંન્તિ મેળવતા,કર્મપાવન થઈ જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.
સંત જલાસાંઇની ભક્તિ ન્યારી,કર્મબંધન છુટતા થાય
જીવને મળેલ કેડી ભક્તિની,અંતે મુક્તિ માર્ગ દઈ જાય
આવી આંગણે પ્રભુ રહે,એજ જીવની સાચી કેડી કહેવાય
મળી જાય મુક્તિ જીવને,અવનીએ કર્મબંધન છુટી જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

March 4th 2013

જીવબંધન

.                            જીવબંધન

તાઃ૪/૩/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે કર્મના બંધન,જગતે જન્મ મરણથી  સહેવાય
સમજણ સાચી જીવને મળતાં,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
.                           …………………જીવને જકડે કર્મના બંધન.
અવનીપર ના આગમનને,જીવના કર્મ બંધન છે કહેવાય
શીતળતાનો સંગ રાખતા,જગતના લેણદેણથી  છટકાય
જગતની સૃષ્ટિછે કળીયુગી,જલાસાંઇની ભક્તિએ છુટાય
અંતરમાં આનંદ વરસતા,જીવને મુક્તિ માર્ગ મળી  જાય
.                          …………………..જીવને જકડે કર્મના બંધન.
માતાપિતા એ નિમીત બને છે,જે જીવને દેહ આપી જાય
સમજણ સાચી સંગે રાખતાં,માનવજીવન નિર્મળ થાય
અવનીના બંધન છે જીવના,દેહને અહીં તહી  લઈ જાય
આજે અહીં ને કાલે તહીં,એ જ સાચા જીવબંધન કહેવાય
.                       ……………………જીવને જકડે કર્મના બંધન.

+++++++++++++++++++++++++++++++++++

Next Page »