શીતળ મન
. .શીતળ મન
તાઃ૨૦/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મહેંકી જાય ત્યાં,જ્યાં શીતળતા સહેવાય
ઉજ્વળ જીવનને પામી લેતાં,મળેલ જન્મ સાર્થક થાય
. ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.
સમજણ રાખી સ્નેહ દેતાં,જીવનમાં સાથ સૌનો મળી જાય
ડગલેડગલું પારખી ચાલતાં,ના અડચણ કોઇ આવી જાય
શાંન્તિનો સંગાથ મળતાં જીવને,કૃપા પ્રભુની મળી જાય
નિર્મળજીવન જગે જીવતાં,જીવને અનંતશાંન્તિ થઈ જાય
. …………………માનવજીવન મહેંકી જાય ત્યાં.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,સાચી માનવતામહેંકાય
આધીવ્યાધી નાઆંગણે આવે,જ્યાં જલાસાંઇનીકૃપાથાય
સરળતાની પાવન કેડીએ,જીવથી ભક્તિ સાચી થઈ જાય
મુક્તિ દ્વારના બારણા ખુલતાં,મનને શીતળતા મળી જાય
. ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.
++++++++++++++++++++++++++++++++++