March 23rd 2013

ભક્તિ પ્રેમ

.                        . ભક્તિ પ્રેમ

તાઃ૨૩/૩/૨૦૧૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે છે પરમાત્માનો,ત્યાં જન્મસફળ થઈ જાય
પાવનકર્મની કેડી મળતા,સાચી ભક્તિ પ્રેમથી થાય
.             ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
સરળતાનો સાથ મળતા,જીવનમાં શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મોહમાયાને દુર રાખતાજ,ના આફત ક્યારેય અથડાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,પાવનકર્મ જીવનમાંથાય
.              ………………….પ્રેમ મળે છે પરમાત્માનો.
માનવ જીવન તો છે કર્મના બંધન,ના કોઇથી છટકાય
અવનીપરના આગમનથી જીવને,કર્મનીકેડી મળી જાય
માનવજન્મને સાર્થક કરવા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
એકજ સાચીકેડી મળતા,અવનીપરના બંધન છુટી જાય
.             …………………..પ્રેમ મળે છે પરમાત્માનો.

==================================