February 28th 2014

મોહની માયા

.                   મોહની માયા

તાઃ૨૮/૨/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન જીવને માયા વળગે,અવનીપરના આગમને દેખાય
કરેલ કર્મની કેડી છે સાંકળ,જે જીવને કાયા મળતા સમજાય
.                   …………………..પાવન જીવને માયા વળગે.
માનવદેહ મળતા જીવને,વિચારની શીતળ કેડી મળી જાય
પરમાત્માની એકજ કૃપાએ,આજીવન સાચીરાહે ચાલીજાય
ના મોહમાયાના કોઇ સ્પંદન સ્પર્શે,ના આફત કોઇ અથડાય
સરળ જીવનની નિર્મળરાહે,મળેલદેહ અવનીએ સુધરીજાય
.                  ……………………પાવન જીવને માયા વળગે.
દેહને સ્પર્શે કર્મ જીવના,જે અવનીપરના બંધને જ સમજાય
આવન જાવન એતો  છે કેડી કર્મની,ના કોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,શિવ ભોલેનાથની કૃપા થાય
જીવ અવનીપરના આગમનથી છટકે,જે મુક્તિમાર્ગ દઈજાય
.                  …………………….પાવન જીવને માયા વળગે.

*********************************************

 

February 26th 2014

ભોળાનાથની ભક્તિ

th

 

 

 

 

 

 

 

 

 

.                  . ભોળાનાથની ભક્તિ 

તાઃ૨૬/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ,પરમ કૃપાળુ ભોળાનાથ હરખાય
મહા શિવરાત્રીના પવિત્રદીને,માતા પાર્વતી સંગે આવી જાય
.                       …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
અખંડ સ્મરણ ૐ નમઃશિવાય કરતાં,કૃપાએ પાવન કર્મો થાય
નિર્મળ જીવનની ઉજ્વળરાહે,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબ શક્તિ ભોળાનાથની જગે,જે નિર્મળ ભક્તિએ કૃપા થાય
માતા પાર્વતીની ભક્તિકરતા,પિતા ભોળાનાથ પણ રાજીથાય
.                       …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
ઉજ્વળ રાહ મળે પ્રદીપને ,જ્યાં મહાશિવરાત્રીએ અર્ચના થાય
પંચામૃતના અભિશેકથી,પિતા સંગ શ્રી ગણપતિજીની કૃપાથાય
ત્રિશુળધારી છે અતિ દયાળુ,જીવનમાં સાચી ભક્તિ આપી જાય
મોહમાયા કળીયુગના છુટતા,જીવનેમળેલ જન્મસફળ કરીજાય
.                    ……………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
=======================================

.    .પરમપિતા શંકર ભગવાન,માતા પાર્વતી અને શ્રી ગણપતિના ચરણે
મહા શિવરાત્રીના પવિત્ર દીને ૐ નમઃ શિવાયના સ્મરણ સહિત વંદન.
આપના સેવક પ્રદીપ,રમા,દીપલ,રવિના કોટી કોટી વંદન. મહા વદ ૧૩,૨૦૭૦.

+++++++++++++++++++++++++++++++++++++++++

February 24th 2014

નિર્મળ લાગણી

.                  .નિર્મળ લાગણી

તાઃ૨૪/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એટલી પ્રેમથી દેજો,જીવને એ શાંન્તિ આપી જાય
અતિ લાગણી મેળવી લેતાં,જીવને વ્યાધીઓ મળતી જાય
.                 ………………… લાગણી એટલી પ્રેમથી દેજો.
કુદરતની આ એજ કરામત,જીવને ક્યાંથી ક્યાંય લઈ જાય
નામાગણીની કોઇ કેડી જીવની,ત્યાં અતિ આફતો મળી જાય
સરળ જીવનનીરાહ લેવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
લાગણીમોહને આંબી લેતાં,જીવને નાકોઇ તકલીફઆપીજાય
.                  ………………….લાગણી એટલી પ્રેમથી દેજો.
સદગુણનો સહવાસ જીવનમાં,નિર્મળ લાગણી આપી જાય
પ્રેમભાવના અંતરથી મળતા,પ્રભુની અપારકૃપા થઇ જાય
કળીયુગની  જ્યાં કાતરછુટે,સાચી પ્રભુભક્તિના બંધનથાય
મળેલ દેહના પાવન કર્મે,અંતે જીવને મુક્તિમાર્ગ મળીજાય
.             ……………………. લાગણી એટલી પ્રેમથી દેજો.

=================================

February 23rd 2014

પ્રથમ પ્રેમ

.                          પ્રથમ પ્રેમ

તાઃ૨૩/૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ પ્રેમ મળે સંતાનને,જે માબાપનો પ્રેમ કહેવાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જે માબાપનેખુશ કરી જાય
.                    ………………….પ્રથમ પ્રેમ મળે સંતાનને.
ભણતરની કેડી મળે,જે મા સરસ્વતીની કૃપા કહેવાય
સાચી મહેનત મનથી કરતાં,લાયકાત મેળવાઇ જાય
.                     …………………પ્રથમ પ્રેમ મળે સંતાનને.
આંગણેઆવી કૃપામળે,જ્યાં સાચીભક્તિ મનથી થાય
જલાસાંઇની અસીમકૃપા રહે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.                   …………………..પ્રથમ પ્રેમ મળે સંતાનને.
જીવન સંગીનીનોપ્રેમ મળે,જ્યાં નિર્મળ જીવન જીવાય
એકબીજાનેસાથસંગાથ રહે,જ્યાં દેખાવથી દુર રહેવાય
.                   …………………..પ્રથમ પ્રેમ મળે સંતાનને.
પ્રેમની પકડી કેડી ચાલતાં,સૌનો પ્રેમ પણ મળી જાય
સાચુ માનવજીવન જીવતાં,મળેલ દેહને આનંદ થાય
.                  ……………………પ્રથમ પ્રેમ મળે સંતાનને.

=================================

 

February 20th 2014

નિર્મળ જીવ

.                 . નિર્મળ જીવ

તાઃ૨૦/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે અપાર લીલા,ના કોઇ જીવથી જગે પરખાય
અનંત કૃપા મળવાની છે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિ થાય
.                 …………………..કુદરતની છે અપાર લીલા.
કરેલ કર્મ  એ જીવના બંધન,વણ કલ્પેલુ  જગે મેળવાય
નિર્મળ જીવ અવનીએ આવી,અનેકને રાહ બતાવીજાય
મુક્તિ માર્ગની  રાહ  સાચી,સંત જલાસાંઇથી મળી જાય
આવી આંગણે પ્રભુ કૃપા મળે,એજ સાચી ભક્તિ કહેવાય
.                ……………………કુદરતની છે અપાર લીલા.
નિર્મળજીવનને નિર્મળરાહ,જીવને અનંતશાંન્તિ દઈજાય
અપેક્ષાના વાદળછુટતા,જીવને નાઆધીવ્યાધી અથડાય
લાગણી મોહ તો છે માયાના બંધન,પ્રભુ કૃપાએ છુટી જાય
માનવતાની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સફળ કરી જાય
.                 ……………………કુદરતની છે અપાર લીલા.

==================================

February 19th 2014

શાને કાજે

.                         શાને કાજે

તાઃ૧૯/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાને કાજે જીભડી ચલાવવી,મિથ્યા આ જીવનને કરી જાય
શાંન્તિનો સહવાસ શોધવા,વિશ્વાસ સાચી ભક્તિમાં રખાય
.                  …………………..શાને કાજે જીભડી ચલાવવી.
સમજણની જ્યાં સાંકળમળે,ત્યાંમનમાં પ્રથમ વિચાર થાય
પગલુ કોઇપણ ભરતા પહેલા,તેનો અંત પણ સમજાઇ જાય
નાહકની છે આ કળીયુગની  કેડી,મન અહીં તહીં ભટકી જાય
જીભલડીને પકડી રાખતા,આવતી આફતો પણ ભાગી જાય
.                 ……………………શાને કાજે જીભડી ચલાવવી.
માનવદેહને મનની વ્યાધી,લઘરવઘર આજીવન કરી જાય
અપેશા એ અંધકાર આપે જીવનમાં,માગણીમાં મન મોહાય
સમજણ સાચી મળતા મનને,શાને માટે કોઇ અપેક્ષા રખાય
મોહમાયા જ્યાં અડે જીવને,કળીયુગના બંધનેજજીવ બંધાય
.                 …………………….શાને કાજે જીભડી ચલાવવી.

++++++++++++++++++++++++++++++++

 

February 18th 2014

આલોક પરલોક

.                 આલોક પરલોક

તાઃ૧૮/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આલોકને ના પારખે માનવી,ના અવનીએ કાંઇ સમજાય
પરલોકને પામવા માનવી જગે, ભગવુ પહેરીને ભટકાય
.             ………………….આલોકને ના પારખે માનવી.
કુદરતની આ અસીમ લીલા,જીવનુ આવનજાવન થાય
દેહ લઈને જીવ ભટકે અવનીએ,કળીયુગી કાયા કહેવાય
સકળજગતના કર્તા પરમાત્મા,લાગણીમોહથી છુટીજાય
અવનીપરના આગમન છે એવા,જીવ કર્મબંધને બંધાય
.              ………………….આલોકને ના પારખે માનવી.
પરલોકમાં રહેતા જીવને,અખંડ અસીમ કૃપા મળી જાય
શ્રધ્ધારાખી કરેલ ભક્તિએ,જીવ જન્મમરણથી છુટીજાય
સ્વર્ગની શીતળ કેડી મળતા,ના મોહમાયા કદી ભટકાય
આલોક પરલોકના બંધનછુટતા,સ્વર્ગીય સુખ મળીજાય
.              ………………….આલોકને ના પારખે માનવી.
==============================

February 16th 2014

મોટીબેનનો પ્રેમ

 

Masi

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 .  મોટીબેનનો પ્રેમ                     

તાઃ૧૫/૨/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની આંગળી પકડી,આવ્યા હ્યુસ્ટન રમાને ઘેર
એવા રમાના મોટા કૈલાસબેન,અમને આપ્યો સાચો પ્રેમ
.                   …………………..નિર્મળ પ્રેમની આંગળી પકડી.
લાગણી પ્રેમ નિખાલસ રાખી,આવી બેનને આપ્યો પ્રેમ
બનેવી અરવિંદલાલની કેડીએ,પ્રેમ દીધો અંતરથી એમ
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,મળ્યા જીવનમાં નિર્મળ વ્હેણ
દીકરા અમીતની પ્રેમાળ જ્યોતે,મમ્મી હ્યુસ્ટન લાવી પ્રેમ
.                   ………………….. નિર્મળ પ્રેમની આંગળી પકડી.
સમય નાપકડાતા કોઇથી,અઢાર વર્ષે આવી મળ્યા બંન્ને બેન
આશીર્વાદ અંતરથી દેતા,મળ્યો રવિ,દીપલને માસીનો પ્રેમ
મળ્યા સંસ્કાર મમ્મી પપ્પાના સંતાનને વર્તનથીજ દેખાય
જયશ્રી,પીન્કુ, મીત્તલ,વૈશાલીના,માસીને ફોન પણઆવી જાય
.                   ……………………નિર્મળ પ્રેમની આંગળી પકડી.

++++++++++++++++++++++++++++++++++=

.    .રમાના મોટીબેન પુજ્ય કૈલાસબેન વર્ષો બાદ તેને હ્યુસ્ટન આવી મળ્યા
તેની યાદ રૂપે આ કાવ્ય અમારા તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ,રમા રવિ,હીમા,દીપલ,નિશીતકુમાર હ્યુસ્ટન.તાઃ૧૫/૨/૨૦૧૪

February 16th 2014

કૃપા પરમાત્માની

.               કૃપા પરમાત્માની

તાઃ૧૬/૨/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળેલ માર્ગ ભક્તિનો,જીવને શાંન્તિ આપી જાય
નિર્મળતાના  વાદળ વરસે,જે જીવન પાવન કરી જાય
.               …………………મનને મળેલ માર્ગ ભક્તિનો.
સાચી રાહ મળે જીવનની,જ્યાં પ્રેમથી પ્રભુ ભક્તિ થાય
સાચા સંતની ઉજ્વળરાહ મળતા, પાવનકર્મ થઈ જાય
મનમાં રાખી શ્રધ્ધાએ ભજતા,કર્મની કેડી શીતળ થાય
આવી આંગણે જ્યાં કૃપા રહે,ના આધીવ્યાધી અથડાય
.              ………………….મનને મળેલ માર્ગ ભક્તિનો.
માગણી એ ના મળે કૃપા,કે ના માગણીએ મોહ મેળવાય
અંતરમાંથી જ્યાં નીકળેલાગણી,જે સૌને સાચી સમજાય
કુદરતની છે અસીમકૃપા ભક્તોપર,જન્મસફળ કરી જાય
કૃપા પરમાત્માની મળતા,જીવના માર્ગ સરળ થઈ જાય
.           …………………… મનને મળેલ માર્ગ ભક્તિનો.

==================================

February 15th 2014

માનવતાની કેડી

.                 માનવતાની કેડી

તાઃ૧૫/૨/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાને સચવાય
પાવનકર્મની રાહમળે જીવને,જે જન્મસફળ કરીજાય
.          ……………………માનવતાની મહેંક પ્રસરે.
મળેલ સંસ્કાર માબાપથી,જે કર્મબંધનથી મેળવાય
અવનીપરના આગમને જીવને,સંબંધી મળી જાય
સરળતાની શીતળ કેડી,માનવી વર્તનથી સંધાય
આજકાલને સમજીચાલતા,કર્મનીકેડી શીતળથાય
.         ………………….. માનવતાની મહેંક પ્રસરે.
જન્મજીવના અતુટબંધન,સાચી ભક્તિએ છુટી જાય
સત્કર્મની શીતળકેડીએ,મળેલ જન્મ સફળથઈ જાય
અંતરની અભિલાષા છુટે,જ્યાંજલાસાંઇનીકૃપાથાય
મોહમાયાના બંધન છુટતા,કળીયુગથી છુટી જવાય
.           …………………..માનવતાની મહેંક પ્રસરે.

++++++++++++++++++++++++++++++++++

Next Page »