નિર્મળ જીવ
. . નિર્મળ જીવ
તાઃ૨૦/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે અપાર લીલા,ના કોઇ જીવથી જગે પરખાય
અનંત કૃપા મળવાની છે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિ થાય
. …………………..કુદરતની છે અપાર લીલા.
કરેલ કર્મ એ જીવના બંધન,વણ કલ્પેલુ જગે મેળવાય
નિર્મળ જીવ અવનીએ આવી,અનેકને રાહ બતાવીજાય
મુક્તિ માર્ગની રાહ સાચી,સંત જલાસાંઇથી મળી જાય
આવી આંગણે પ્રભુ કૃપા મળે,એજ સાચી ભક્તિ કહેવાય
. ……………………કુદરતની છે અપાર લીલા.
નિર્મળજીવનને નિર્મળરાહ,જીવને અનંતશાંન્તિ દઈજાય
અપેક્ષાના વાદળછુટતા,જીવને નાઆધીવ્યાધી અથડાય
લાગણી મોહ તો છે માયાના બંધન,પ્રભુ કૃપાએ છુટી જાય
માનવતાની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સફળ કરી જાય
. ……………………કુદરતની છે અપાર લીલા.
==================================