February 20th 2014

નિર્મળ જીવ

.                 . નિર્મળ જીવ

તાઃ૨૦/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે અપાર લીલા,ના કોઇ જીવથી જગે પરખાય
અનંત કૃપા મળવાની છે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિ થાય
.                 …………………..કુદરતની છે અપાર લીલા.
કરેલ કર્મ  એ જીવના બંધન,વણ કલ્પેલુ  જગે મેળવાય
નિર્મળ જીવ અવનીએ આવી,અનેકને રાહ બતાવીજાય
મુક્તિ માર્ગની  રાહ  સાચી,સંત જલાસાંઇથી મળી જાય
આવી આંગણે પ્રભુ કૃપા મળે,એજ સાચી ભક્તિ કહેવાય
.                ……………………કુદરતની છે અપાર લીલા.
નિર્મળજીવનને નિર્મળરાહ,જીવને અનંતશાંન્તિ દઈજાય
અપેક્ષાના વાદળછુટતા,જીવને નાઆધીવ્યાધી અથડાય
લાગણી મોહ તો છે માયાના બંધન,પ્રભુ કૃપાએ છુટી જાય
માનવતાની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સફળ કરી જાય
.                 ……………………કુદરતની છે અપાર લીલા.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment