May 30th 2017

સમજણની સાંકળ

.           .સમજણની સાંકળ  

તાઃ૩૦/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને અવનીએ,સ્પર્શે કર્મનીકેડી જીવને અનુભવ થાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવન કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
કર્મબંધન જગતપર જીવને સ્પર્શી જાય,ના કોઇથી બંધનથી છુટાય
અનેકદેહ મળે અવનીએ જેદેહથી દેખાય,ને સમજણથી અનુભવાય
વાણી વર્તન અને કર્મ એજ માનવીના,જીવનની રાહને આપી જાય
કુદરતની આલીલા અવનીએ સ્પર્શે,જે ઉંમરના બારણા ખોલી જાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
બાળકને સ્પર્શે માબાપનીકૃપા,જે જીવનના પાયા મજબુત કરી જાય
જુવાનીના માર્ગને પકડવા સંતાને,ભણતરની રાહને સમજીનેજ ચલાય
આજકાલને સમજી ચાલતા,મળેલ દેહની આજકાલને પવિત્ર કરી જાય
પવિત્રરાહને પકડીને જીવવા,નિર્મળ ભક્તિનો સંગ રાખતા કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
=======================================================
May 29th 2017

જય મેલડી માતા

Image result for meldi maa photo.         
.          .જય મેલડી માતા  

તાઃ૨૯/૫/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિનો સંગ રાખીને,માતા મેલડીની શ્રધ્ધાએ આરતી થાય
પરમકૃપા માડી તારી મળી પ્રદીપને,જે પવિત્રરાહ મળતાજ સમજાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
ગરબે ધુમતા માડી તારા ભક્તો,પ્રેમ અને શ્રધ્ધાએ પુંજન કરી જાય
તાલીઓના તાલે ધુમતા માડીની,અનંત કૃપાનોઅનુભવથી થઈ જાય
પવિત્ર રાહ મળતા દેહને જીવનમાં,માતા મેલડીના પ્રેમની વર્ષા થાય
અનંત શાંન્તિની પ્રેરણા થતા કૃપાએ,નિર્મળરાહ જીવનેજ મળી જાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
શ્રધ્ધાપ્રેમથી આરતી કરતા માતાની,જીવ પર મા મેલડીની કૃપા થાય
આંગણે આવી મા ભક્તિ સ્વીકારે,એજ સાચી માડીની કૃપા કહેવાય
કરેલ કર્મને પાવનકરે કૃપાએ,જે જીવનમાં સરળરાહ પણ આપી જાય
માડી તારી ભક્તિ નિર્મળતાએ કરતા,ના માગણી કોઇ મને અથડાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
========================================================

	
May 29th 2017

શ્રી ભોલેનાથજી

Image result for શ્રી ભોલેનાથ

.         .શ્રી ભોલેનાથજી
તાઃ૨૯/૫/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમ મળે જ્યાં પિતાનો સંતાનને,પાવનજીવનની રાહ મળી જાય
તન,મન,ધનથી શાંન્તિ મળતા,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
પિતા ભોલેનાથની ભક્તિ શ્રધ્ધાએ કરતા,કૃપાની વર્ષાય થઈ જાય
માતા પાર્વતીને વંદન કરતા,જીવનો મળેલ જન્મ સફળ પણ થાય
કૃપા મળે જ્યાં ગણપતિની,મળેલ દેહની રાહ પણ ઉજવળ થાય
ૐ નમઃ શિવાયના જાપથી,માનવજન્મને પવિત્ર જીવન મળીજાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
અજબ શક્તિશાળી પિતા છે જગતમાં,સાચી ભક્તિએ અનુભવાય
વંદન કરીને દર્શન કરતા,માતાપિતા સંગે પુત્ર ગણપતિય હરખાય
ઉજવળ જીવનની રાહ મળતા જીવને,મળેલ દેહ પાવન થઈ જાય
કૃપા મળે શ્રીભોલેનાથની,અવનીપર જન્મમરણના બંધન છુટી જાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
=======================================================
May 27th 2017

અદભુતલીલા

.Image result for અવિનાશી
.             .અદભુતલીલા
તાઃ૨૭/૫/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આણી વાણી ના જાણી કોઇએ,જગતમાં સમયથી પકડાઇ જાય
નિર્મળ જીવનની રાહે જીવતા,માનવીને અનંત શાંંન્તિ મળી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
સમયને નાપકડે કોઇ જીવ,સમજીને સંગેરહેતા આણીથી અડકાય
મળેલ સંબંધને પકડીને ચાલતા,જીવનમાં વાણી સમજીને બોલાય
કુદરતની આ અજબ શક્તિ છે,મળેલ દેહને કાયમએ સ્પર્શી જાય
મહેંકપ્રસરે જગતમાં મળેલ દેહની,જે જીવનો જન્મપાવન કરી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
મેં કર્યુ એ સમજણ છે માનવદેહની,જે કર્મની કેડીને અડી જાય
મળેલદેહ એ કર્મના છે બંધન,જે આગમનથી મળતા અનુભવાય
નિર્મળ ભક્તિ એ પવિત્ર રાહ દેહની,જે જીવના વર્તનથી સમજાય
જીવનુ આવનજાવન એદેહ છે,જલાસાંઇ કૃપાએ જીવથીએ છોડાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
======================================================
May 25th 2017

પાવન શક્તિ

...Image result for jay hanuman
.              .પાવન શક્તિ
તાઃ ૨૫/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબશક્તિ છે પવિત્ર ભક્તિમાં,જે જીવને પાવનરાહ આપી જાય
મળેલદેહને ના સ્પર્શે કળીયુગ સતયુગ,જ્યાં પ્રભુની કૃપા મળી જાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
અવનીપરના ધાર્મિક સ્થળો,જે માનવીનો સમય પસાર કરી જાય
દર્શન કરીને હાથજોડી પગે લાગી,માગણી કરી અપેક્ષાઓ રખાય
આજે બચાવજો ને કાલે સુખ દઈ દેજો,એવી કૃપા માગી જવાય
દેખાવની કેડી એ કળીયુગ છે,જ્યાં સાધુબાવાઓ લાભ લઈ જાય
......પરમાત્માને ના પારખે કોઇ અવનીએ,જ્યાં દેખાવમાં ફસાઈ જાય.
નિર્મળ ભક્તિએ અંતરને સ્પર્શે,જ્યાં પરમાત્મા પણ રાજી થઇ જાય
મળે માનવ દેહને અનંત શાંંન્તિ જીવનમાં,એ પાવનશક્તિ કહેવાય
શ્રધ્ધા રાખી અર્ચના કરતા જીવ પર,સુર્યદેવની પરમકૃપા થઈ જાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જીવનમાં અનુભવથી સમજાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
======================================================

	
May 25th 2017

જય સાંઇબાબા

.Image result for સાંઇબાબા
.             .જય સાંઇબાબા   

તાઃ૨૫/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઈ સાંઈના સતત સ્મરણથી,માનવજીવન ઉજવળ થઈ જાય
પાવનરાહ દેહની મળે જીવને,જે પાવન મનુષ્ય જીવન કહેવાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા,જીવનમાં સૌનો સાથપણ મળી જાય
ના અભિમાનની ચાદર અડે કોઇ,જે ધર્મમાં દેખાવ સમાવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સાંઇબાબાની કૃપા થાય
શ્રધ્ધા સબુરી એજ છે ભક્તિ માર્ગ,જે મળેલ ધર્મનેય સ્પર્શી જાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શેરડીગામની જ્યોત પ્રગટાવી ધર્મમાં,અનેક જીવો દર્શન કરી જાય
પુંજા પ્રેમથીકરે જ્યાં સાંઇબાબાની,એજ સાચી માનવતા દઈ જાય
મળેલ જીવન સાર્થક કરે એજ ભક્તિ,ના કોઇ આફત સ્પર્શી જાય
જન્મમરણના બંધનછુટે જીવના,જ્યાં સાંઇબાબાને પ્રેમે વંદન થાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
===================================================

	
May 25th 2017

જલારામની જય

..Image result for જલારામની જય
.              .જલારામની જય

તાઃ૨૫/૫/૨૦૧૭                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુરના વૈરાગી છે ભક્તિના સંગાથી,એવા જલારામની જય
બોલે રામનામનુ નામ સંગે વિરબાઈ,દઇ રહયાતા અન્નનુ દાન
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
ભક્તિનો પવિત્રમાર્ગ વિરપુરમાં લીધો,માતાપિતાને આનંદ થાય
ના અપેક્ષા કોઇ જીવનમાં રાખી,ત્યાં પવિત્રજીવનો સંગ મળ્યો
વિરબાઈમાતા એ નિમીત બન્યા,જેને ઝોળીડંડો પ્રભુથી દેવાય
પવિત્રરાહ જગતમાં દીધી જલારામે,જીવોને ભોજન પ્રેમે અપાય
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
નિર્મળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી ઓળખણ થાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,ના કોઇ અપેક્ષાય સ્પર્શી જાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ જાય
મુક્તિમાર્ગની રાહમળે જીવને,જે મૃત્યુએ ભક્તિજ્યોત પ્રગટી જાય
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
=======================================================

	
May 24th 2017

માડીના આંગણે

Image result for જય ચામુંડા માતા
.           .માડીના આંગણે
તાઃ૨૪/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા આંગણે આવી,પ્રેમથી વંદન કરૂ હુ સવાર સાંજ
કૃપાનોસાગર મળે માતારો,જીવનમાં નાતકલીફ કોઇ મેળવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
શરણુ લીધુ મા તારૂ જીવનમાં,શ્રધ્ધાએજ પુંજન અર્ચન થાય
સમયને સમજી ચાલતા ભક્તિરાહે,માડી તારો પ્રેમ મળી જાય
અનંત શાંંન્તિ મળતા જીવનમાં,સતયુગને કળીયુગથીય બચાય
સરળ જીવનમાં નાવ્યાધી અડે,માડી તારા દર્શનનીરાહ જોવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
સંબંધના બંધન એ કેડી કર્મની,ના કોઇથી જગતમાં છટકાય
નિર્મળ ભાવે તારી ભક્તિ કરતા,માડી તારી કૃપાય મળી જાય
પગે લાગીને પ્રાર્થના કરતા જીવને,અવનીથી બંધન છુટી જાય
પવિત્ર પ્રેમની ગંગા વહે જીવનમાં,માનવજીવન પાવન થઈજાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
=====================================================
May 23rd 2017

ગણપતિ બાપા

   Image result for ganeshji
.         .ગણપતિ બાપા

તાઃ૨૩/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતા પાર્વતીના પવિત્ર એ સંતાન,જેને ગજાનંદ પણ કહેવાય
અજબશક્તિશાળી છે અવનીપર,જેને ભાગ્યવિધાતાય કહેવાય
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
એવા ગણપતિ બાપા મોરીયા,સિધ્ધી વિનાયકથીય ઓળખાય
અનેક પવિત્રનામ મળેલછે,જે પિતા ભોલેનાથની કૃપા કહેવાય
માતા પાર્વતીનો અનંત પ્રેમ મળ્યો,ત્યાંજ જગતમાં પુંજન થાય
રીધ્ધી સીધ્ધીનાએ તારણહાર છે,અનંત શક્તિધારી થઈ જાય
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
પરમકૃપા મેળવવા પરમાત્માની,શ્રી ગણેશજીને શ્રધ્ધાએ પુંજાય
દુધઅર્ચના એ શ્રધ્ધાએ કરતાજ,ગજાનંદનુ આગમન થઈ જાય
મળે આશીર્વાદ ભોલેનાથના જીવને,જ્યાં ગણપતિજી હરખાય
સુખના સાગરનીલહેર મળતા,મળેલ જન્મ જીવનો સાર્થક થાય
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
=======================================================
May 22nd 2017

કરૂણા સાગર

.          .કરૂણા સાગર

તાઃ૨૨/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરૂણાનો સાગર છે અવિનાશી,અવનીએ પરમાત્માજ કહેવાય
જીવને સંબંધછે જન્મમરણના,જે દેહથી થયેલ કર્મથી મેળવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
પકડેલરાહ જીવને સ્પર્શે અવનીએ,જયાં કૃપા પરમાત્માની થાય
પ્રેમ ભાવના નિખાલસ રાખી જીવતા,નિર્મળ જીવન મળી જાય
અજબ કૃપાળુ પરમાત્મા જગતમાં,જે પ્રેમાળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનથી મળે શાંંન્તિ,જ્યાં સંત જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
જગતમાં દેહનેસ્પર્શે કરેલકર્મ,જે થકી આવન જાવન મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,શ્રધ્ધા ભક્તિએ કૃપા મેળવાય
મળેલ જન્મ સાર્થક કરવા,દેહને પરમાત્મા આંગળી ચીંધી જાય
એજ કરૂણાનો સાગર કહેવાય,જે જીવને પાવનરાહે અનુભવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
====================================================

	
Next Page »