May 22nd 2017

કરૂણા સાગર

.          .કરૂણા સાગર

તાઃ૨૨/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરૂણાનો સાગર છે અવિનાશી,અવનીએ પરમાત્માજ કહેવાય
જીવને સંબંધછે જન્મમરણના,જે દેહથી થયેલ કર્મથી મેળવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
પકડેલરાહ જીવને સ્પર્શે અવનીએ,જયાં કૃપા પરમાત્માની થાય
પ્રેમ ભાવના નિખાલસ રાખી જીવતા,નિર્મળ જીવન મળી જાય
અજબ કૃપાળુ પરમાત્મા જગતમાં,જે પ્રેમાળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનથી મળે શાંંન્તિ,જ્યાં સંત જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
જગતમાં દેહનેસ્પર્શે કરેલકર્મ,જે થકી આવન જાવન મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,શ્રધ્ધા ભક્તિએ કૃપા મેળવાય
મળેલ જન્મ સાર્થક કરવા,દેહને પરમાત્મા આંગળી ચીંધી જાય
એજ કરૂણાનો સાગર કહેવાય,જે જીવને પાવનરાહે અનુભવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
====================================================

	
May 22nd 2017

નિખાલસ સ્નેહ

.            .નિખાલસ સ્નેહ   

તાઃ૨૨/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની શીતળકેડી,એ જ જીવની પાવનરાહ કહેવાય
કર્મનીકેડી એ બંધનછે જીવના,પરમાત્માની કૃપાએ અનુભવાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
કુદરતની આ અજબ છે લીલા,જે જગતના બંધનથી સમજાય
કરેલકર્મ અવનીએ જીવનમાં,સરળ જીવનની રાહ આપી જાય
નિર્મળ જીવનની કેડી મળે,જ્યાં શ્રધ્ધાએ માબાપને વંદન થાય
અવનીપરના આગમનનુ બંધન માબાપ છે,જે કર્મથીજ બંધાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
ભક્તિપ્રેમ એ રાહછે જીવની,જે થકી જીવનમાં શ્રધ્ધાએ પુંજાય
મનથી કરેલ નિર્મળકર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
સંત જલાસાંઇની મળે કૃપા,જે મળેલ માનવદેહ પાવનકરી જાય
ના અપેક્ષાની કોઇ રાહ અડે,કે ના માગણી કોઇ મનથી થાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
=======================================================