May 22nd 2017

નિખાલસ સ્નેહ

.            .નિખાલસ સ્નેહ   

તાઃ૨૨/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની શીતળકેડી,એ જ જીવની પાવનરાહ કહેવાય
કર્મનીકેડી એ બંધનછે જીવના,પરમાત્માની કૃપાએ અનુભવાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
કુદરતની આ અજબ છે લીલા,જે જગતના બંધનથી સમજાય
કરેલકર્મ અવનીએ જીવનમાં,સરળ જીવનની રાહ આપી જાય
નિર્મળ જીવનની કેડી મળે,જ્યાં શ્રધ્ધાએ માબાપને વંદન થાય
અવનીપરના આગમનનુ બંધન માબાપ છે,જે કર્મથીજ બંધાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
ભક્તિપ્રેમ એ રાહછે જીવની,જે થકી જીવનમાં શ્રધ્ધાએ પુંજાય
મનથી કરેલ નિર્મળકર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
સંત જલાસાંઇની મળે કૃપા,જે મળેલ માનવદેહ પાવનકરી જાય
ના અપેક્ષાની કોઇ રાહ અડે,કે ના માગણી કોઇ મનથી થાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
=======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment