July 31st 2013

ભક્તિરાહ

.                 . ભક્તિરાહ           

તાઃ૩૧/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિનો સંગ નિરાળો,શ્રધ્ધાપ્રેમથી સમજાય
મળે કૃપા પરમાત્માની જીવને,એ લાયકાત કહેવાય
.            ………………….ભજન ભક્તિનો સંગ નિરાળો.
મનથી માળા કરતાં પ્રભુની,જીવનમાં શાંન્તિ થાય
ઉજ્વળતાની કેડી મળતા,આ જન્મ સફળ થઇ જાય
મોહમાયાની કાતરછુટે,જ્યાં ભજન ભાવનાથી થાય
શ્રધ્ધા સાચી મનમાં રાખતાં,પ્રભુ કૃપાય મળી જાય
.          ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.
મૃત્યુની ના કોઇ  ચિંતા દેહને,જ્યાં માનવતા મેળવાય
જલાસાંઇની દીધેલ રાહે,માનવી માનવીને મળી જાય
પ્રેમનીવર્ષા જીવનમાં પડતા,જીવને શાંન્તિ થઈ જાય
ભક્તિરાહ મળતા જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
.           ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.

=====================================

July 30th 2013

ખોડીયાર મા

.                  . ખોડીયાર મા

તાઃ૩૦/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખોડીયાર માના ગરબે ઘુમતા,મન મારુ ખુબ હરખાય
માતાની અખંડ કૃપા મળતા,આ જીવન ઉજ્વળથાય
.                ………………….ખોડીયાર માના ગરબે ઘુમતા.
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,માતાનો  પ્રેમ મળી જાય
આંગણે આવીને પ્રેમ વર્ષાવે,જે જન્મ સફળ કરી જાય
કૃપાની સાચી કેડી મેળળતા,જીવથી કર્મો પાવન થાય
મળે માતાનો પ્રેમ પ્રદીપને,આ જન્મ સાર્થક થઈ જાય
.               ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.
ખોડીયાર ખોડીયાર મનથી કરતાં,માતાજી રાજી થાય
આશીર્વાદની  એક જ દ્રષ્ટિ એ,આ જીવન ઉજ્વળ થાય
માડી તારા અખંડ પ્રેમની,પ્રદીપના મનથી આશ રખાય
સતત સ્મરણથી ભક્તિકરતાં,કૃપાએજન્મસફળ થઈજાય
.                ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.

**********************************************
જય ખોડીયાર મા જય ખોડીયાર મા જય ખોડીયાર માતા
**********************************************

July 30th 2013

રાહ મળે

.                    .રાહ મળે

તાઃ૩૦/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળે મને માનવીની,જીવનમાં એ જ અપેક્ષા હુ રાખુ
સંત જલાસાંઇના ચરણે સ્પર્શી,સાચો ભક્તિ પ્રેમ હું માગું
.                     …………………..રાહ મળે મને માનવીની.
અવનીપરનું આગમન માનવીનું,પ્રભુકૃપા મળી એ જાણું
દેહ મળતા રાહ મળે માનવતાનો,છે સાચાસંસ્કાર હું માણું
કૃપાની કેડી નિર્મળ બનતાં,જલાસાંઇને પગે પ્રેમથી લાગું
ભક્તિ પ્રેમને પકડીને  ચાલતાં,ના કળીયુગથી હું ભરમાવુ
.                    ……………………રાહ મળે મને માનવીની.
ઉજ્વળ જીવનને શીતળ રાહે,મળે પ્રેમ માનવીનો આજે
આવી આંગણે ઉભો રહું  હું,જલાસાંઇને પગે લાગવા કાજે
સંતનેશરણે સદારહી,પ્રદીપ,રમા સંગે એજ અપેક્ષા રાખે
મુક્તિમાર્ગની સાચી રાહ મળે,વંદન કરી માગુ પ્રેમે આજે
.                   …………………….રાહ મળે મને માનવીની.

************************************************

July 29th 2013

નેતાજી

.                 . નેતાજી         

તાઃ૨૯/૭/૨૦૧૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જી જી કરતા અહીંતહીં રખડી,બની ગયા એ નેતાજી
આંગળી પકડતા વાર લાગતા,લાકડી પકડીચાલેજી
.              ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
સંબંધની ના સમજ કોઇ,કે ના કોઇને પોતાના માનેજી
આવીઆંગણે લાગણી બતાવે,તેની પાછળ એ દોડેજી
શીતળતાની નાકેડી મળે,જાણે ભીખ માગવા આવેજી
નાતજાતને તો આઘીમુકી,માનવતા શોધવા લાગેજી
.              ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
ગરવી ગાથા શોધવા કાજે,અહીંતહીં દ્રષ્ટિને રાખે જઈ
નાઅંધકાર મળે કેનાઉજાસ,રાતદિવસ એ ભટકે અહીં
સફળતા શોધવા માનવી શોધે,ભટકી ભીખ માગે જઈ
અંતે એકજ લાકડી પડતા,ના હાથમાં તેના આવે કંઇ
.              ………………….જી જી કરતા અહીં તહીં રખડી.

+++++++++++++++++++++++++++++++++++

July 28th 2013

માબાપ

.                       માબાપ

તાઃ૨૮//૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મનો સંબંધ છે જીવથી,ને દેહનો સંબંધ છે  માબાપ
કર્મનીકેડીએ આવે જીવઅવનીએ,ને મળીજાય છે દેહ
.                     …………………
જન્મનો સંબંધ છે જીવથી.
પરમાત્માની આજ છે અજબ લીલા,જે બંધનથી સમજાય
મનથી કરેલ સાચીભક્તિએ,જીવનમાં સરળતા મળીજાય
કર્મનાબંધન એ જીવને જકડે,જગતે ના કોઇનાથી છટકાય
સરળતાના વાદળ વરસે,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
.                    …………………..જન્મનો સંબંધ છે જીવથી.
દેહને વળગે છે અવનીના બંધન,માબાપ નિમીત બની જાય
માતાનો પ્રેમ મળતા સંતાનને,જીવને સુખશાંન્તિ મળી જાય
નિર્મળજીવનની લાયકાતકાજે,પિતાની રાહ સાચીમળી જાય
જીવને મળેલ રાહ બને નિર્મળ,જ્યાં માબાપનોપ્રેમ મળી જાય
.                      …………………..જન્મનો સંબંધ છે જીવથી.

======================================

July 25th 2013

ભક્તિરસ

photo0159

 

 

 

 

 

 

 

 

 

.                     .ભક્તિરસ

તાઃ૨૫/૭/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિની અદભુત ગાથા,સાચા ભક્તિરસથી છલકાય
મળી જાય પ્રેમ જલાસાંઇનો જીવને,એ જ લાયકાત કહેવાય
.                   ………………….અજબ શક્તિની અદભુત ગાથા.
ભક્તિરસની નિર્મળતા મળતા,દેહને સુખશાંન્તિ મળતી જાય
અગમનિગમના ભેદની નાજરૂર,જ્યાં પરમાત્માની કૃપાથાય
અંતરમાં આનંદની  હેલી ઉભરે,ને મનને અનંત શાંન્તિ  થાય
આજકાલની નાવ્યાધી જીવને,ઉંમરાથી ઘર પવિત્ર થઈ જાય
.                 ……………………અજબ શક્તિની અદભુત ગાથા.
સાચી શ્રધ્ધાની કેડી મળતા,મળેલ આ જન્મ સફળ થઇ જાય
કર્મબંધનની રાહ છુટતા જીવને,સ્વર્ગીયસુખ સદા મળી જાય
મોહમાયાની ના ચાદર અડકે દેહને,કે ના લાગણીઓ ઉભરાય
ભક્તિરસની આઅજબ લાયકાત,જીવ કર્મબંધનથી છુટીજાય
.                 ……………………અજબ શક્તિની અદભુત ગાથા.

+++++++++++++++++++++++++++++++++++++++

July 24th 2013

શીતળતાની મહેંક

.                . શીતળતાની મહેંક

તાઃ૨૪/૭/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેંક મળે માનવતાની જીવનમાં,જ્યાં સ્નેહ શીતળ મળીજાય
ઉજ્વળતાના સોપાન મળતા,પાવન કર્મ જીવનમાં થઈ જાય
.                     ………………..મહેંક મળે માનવતાની જીવનમાં.
સરળતાની કેડી લઈ જીવતા,ના તકલીફ કોઇ જીવને અથડાય
મુંઝવણતાનો માર્ગ સરળ બને જીવનમાં,માનવતા સંગી જાય
આસપાસને આંબી લેતા  માનવીને,કુદરતની કૃપા મળી જાય
આંગણે આવી સ્નેહ મળે સૌનો,ત્યાં પાવન કર્મ જીવનમાં થાય
.                    ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
માગણી માનવીની જગતમાં,જીવને સુખશાંન્તિ મળતી જાય
મોહ મળે નાકળીયુગનો દેહને,અવનીનુ આગમન સુધરીજાય
કૃપા જલાસાંઇની પ્રદીપને મળે,જીવનો જન્મ સફળ કરી જાય
મુક્તિમાર્ગની એકજ કેડી મળે,જીવ જન્મબંધનથી છટકી જાય
.                   ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
આફત એ તો છે કળીયુગની દેન,ના મંદીર મસ્જીદથી બચાય
શ્રધ્ધા નેજ મુક્તિ આપીને માનવી,પ્રભુથી ભીખ માગતો જાય
સમયને ના પારખતા માનવીને,અસંખ્ય આફતો જ અથડાય
નિર્મળતાનોસંગ રાખતા જીવને,શીતળતાની મહેંક મળી જાય
.                     ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++

July 23rd 2013

કલ્યાણની કેડી

.                . કલ્યાણની કેડી                    

તાઃ૨૩/૭/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને ઝંઝટ છે જન્મથી,અવનીએ આવતાજ સમજાય
માનવતાની કેડીને મેળવતા,કલ્યાણ જીવનુ થઈ જાય
.                    ………………….જીવને ઝંઝટ છે જન્મથી.
કળીયુગની સાંકળ છે એવી,જીવ કર્મના બંધને જકડાય
જન્મ મળતાજ અવનીએ દેહ,આંટી ઘુટીમાં જ ભટકાય
મોહમાયા તો વળગીને ચાલે,સરળ જીવ તેમાં લબદાય
સુખશાંન્તિને પામવા,સાચી ભક્તિએજ જીવથી છટકાય
.                   ………………….. જીવને ઝંઝટ છે જન્મથી.
કરેલ સારા કર્મથી મળે નામના,અવનીએ બંધન કહેવાય
સફળતાનાશિખરે પહોંચતા,જગે માનવતાય મહેંકી જાય
રાહમળે જ્યાં સાચીજીવને,જીવનમાંસરળતા આવી જાય
સફળજન્મની એકજરાહે,જીવને કલ્યાણનીકેડી મળી જાય
.                 ………………………જીવને ઝંઝટ છે જન્મથી.

=================================

July 22nd 2013

ગુરૂપુર્ણિમા

 

saijala

 

 

 

 

 

 

 

 

 

 

.                   . ગુરૂપુર્ણિમા        

તાઃ૨૨/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરતા,આ જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં ગુરૂજીને સાચા વંદન થાય
.                 …………………માનવતાની મહેંક પ્રસરતા.
માનવજીવનમાં અનેક મુંઝવણ,ના કોઇનાથી છટકાય
સાચીરાહ મળે માનવને,જ્યાંસદમાર્ગને પકડી ચલાય
અંતરની અભિલાષા ફળતા,જીવનમાં હૈયે આનંદ થાય
મળેકૃપા જલાસાંઇની પ્રદીપને,જ્યાં પ્રેમથી વંદનથાય
.              ……………………માનવતાની મહેંક પ્રસરતા.
હિન્દુ ધર્મમાં અનેક રાહે,પરમાત્માને જીવનમાં પુંજાય
ગુરૂ શિક્ષક એ માર્ગ દર્શક છે,જીવને રાહસાચી દઈ જાય
મળે જ્યાં આશિર્વાદવડીલના,જીવ સદગતી પામીજાય
માયામોહના બંધન પણ તુટતા,આફત પણ ભાગી જાય
.             …………………….માનવતાની મહેંક પ્રસરતા.

+++++++++++++++++++++++++++++++++++++

July 21st 2013

સંતાનને મળે

.               . સંતાનને મળે

તાઃ૨૧/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માની મમતા અને પ્રેમ પિતાનો,સંતાનને સ્પર્શી જાય
ઉજ્વળ જીવન સંતાનનુ જોતા,માબાપને આનંદ થાય
.              ………………..માની મમતા અને પ્રેમ પિતાનો.
પ્રભાતપહોરે પ્રેમ મળે માતાનો,જ્યાં સંતાન જાગી જાય
ગોદમાં ગબડતા વ્હાલ મળે,ને માતાનુ હૈયુ હરખાઇ જાય
બચી કરીને વ્હાલ દેતા,માની આંખમાં પાણી આવી જાય
નિર્મલતાનો સંગ રાખી જીવતાં,આ જીવન ઉજ્વળ થાય
.             …………………માની મમતા અને પ્રેમ પિતાનો.
મળે પિતાનો પ્રેમ સંતાનને,જીવવાની રાહ બતાવી જાય
સફળતાના સોપાન મળી જાય,જ્યાંઆશિર્વાદમળી જાય
કરેલ કર્મ એ છે સાંકળ જીવનની,સાચી રાહ બતાવી જાય
ગઈકાલને પાછળ મુકતા દેહની,આવતીકાલ સુધરી જાય
.            ………………….માની મમતા અને પ્રેમ પિતાનો.

+++++++++++++++++++++++++++++++++++++

Next Page »