સાચી ઓળખ
. . સાચી ઓળખ
તાઃ૨/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવતી કાલને ઓળખી લેતા,ગઈકાલ સુધરી જાય
મનમાં સાચી સમજણ મળતાં,કર્મપાવન થઈજાય
. …………………આવતી કાલને ઓળખી લેતા.
માનવમનને મળતી માયા,જીવનીરાહ બગાડી જાય
શું કરવુ શું ના કરવુ સમજતાં,આ જીવન સુધરી જાય
પ્રેમની સાચી સાંકળ પકડતાં,મોહમાયા જ છુટી જાય
મળતી રાહને સમજી લેતાં,આ જન્મ સફળ થઈ જાય
. ………………….આવતી કાલને ઓળખી લેતા.
મુક્તિ માર્ગને સમજી લેતાં,જીવથી સાચી ભક્તિ થાય
મળે જલાસાંઇની કૃપા જીવને,રાહ સાચીજ મળી જાય
અવનીપરના આગમનનેપારખી,સાચી ઓળખ થાય
માનવજીવનને પારખી લેતાં,કર્મના બંધન છુટી જાય
. ………………..આવતી કાલને ઓળખી લેતા.
==================================