July 15th 2013

સાચી રાહ

.                   . સાચી રાહ

તાઃ૧૫/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવતા જીવનમાં,સદમાર્ગને બતાવી જાય
સાચી રાહ પકડતા જીવને,જન્મથી મુક્તિ મળી જાય
.               ………………..મળેલ માનવતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવના,કર્મ બંધન કહેવાય
મળતા કૃપા પરમાત્માની,આધીવ્યાધી ભાગી જાય
મોહમાયાને છોડી ચાલતા,માનવતા મહેંકતી જાય
સુખદુઃખ ના સ્પર્શે દેહને,જ્યાં સાચી રાહ મળી જાય
.             ………………….મળેલ માનવતા જીવનમાં.
જલાસાંઇના ચરણ સ્પર્શે,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
સાચા સંતના ચરણે રહેતા,સંસારી  જીવન મહેંકી જાય
સંસ્કાર સાચવી ચાલતા જીવને,ના અશાંન્તિ અથડાય
આવી પ્રેમ મળતા પ્રભુનો,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….મળેલ માનવતા જીવનમાં.

=================================