સાચી રાહ
. . સાચી રાહ
તાઃ૧૫/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવતા જીવનમાં,સદમાર્ગને બતાવી જાય
સાચી રાહ પકડતા જીવને,જન્મથી મુક્તિ મળી જાય
. ………………..મળેલ માનવતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવના,કર્મ બંધન કહેવાય
મળતા કૃપા પરમાત્માની,આધીવ્યાધી ભાગી જાય
મોહમાયાને છોડી ચાલતા,માનવતા મહેંકતી જાય
સુખદુઃખ ના સ્પર્શે દેહને,જ્યાં સાચી રાહ મળી જાય
. ………………….મળેલ માનવતા જીવનમાં.
જલાસાંઇના ચરણ સ્પર્શે,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
સાચા સંતના ચરણે રહેતા,સંસારી જીવન મહેંકી જાય
સંસ્કાર સાચવી ચાલતા જીવને,ના અશાંન્તિ અથડાય
આવી પ્રેમ મળતા પ્રભુનો,મળેલ જન્મસફળ થઈ જાય
. ………………….મળેલ માનવતા જીવનમાં.
=================================