September 30th 2009

અંતરના દરવાજા

                અંતરના દરવાજા

તાઃ૨૯/૯/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામણગારી દુનીયામાં,ઘણા મળી જાય સથવાર
ક્યાંથી ક્યાં શોધવા જગમાં,નામળે કોઇ અણસાર
                            …….. કામણગારી દુનીયામાં.
ચાર ડગલાં ચાલતા અવનીએ,મળી જાય સહવાસ
જીવનજીવન કરતાં જગમાં,દેહ હરપળ છે લબદાય
કુદરતની નજર પડતાં,મન ભક્તિ તરફ વળી જાય
સૃષ્ટિના આ સાગરમાં,અંતરના દરવાજા ખુલી જાય
                                 …….કામણગારી દુનીયામાં.
મર્કટમન ને દેહ દાનવનો,જ્યાં અંધારા ઘેરાઇ જાય
અવનીપરના અંધકારમાં,ઉજળા સોપાન ના દેખાય
સંસ્કારમળતાં લકીરમળે,જે દેહને સત્યના દે સોપાન
પ્રભુ કૃપાની આંગળીયે,અંતરના દરવાજા ખુલી જાય
                                   ……..કામણગારી દુનીયામાં.
સુખદુઃખની સાંકળ ના છુટે,માનવ દેહને વળગી લુંટે
ઉભરે ના અંતરનોપ્રેમ ક્યાંય,કે ના છુટે જગના મોહ
શક્તિના સથવારમાં ક્યાંય, લાગણી કે ના ઉભરેહેત
જીવનીમુક્તિજોતાંજગથી,અંતરનાદરવાજા ખુલીજાય
                                    ……..કામણગારી દુનીયામાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

September 29th 2009

મનુષ્ય જન્મ

                          મનુષ્ય જન્મ

તાઃ૨૮/૯/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
                        ……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
                       ……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના બારણે,પ્રભુ પધારે હરવાર
માણસાઇની એરીતનિરાળી,જ્યાંમળે પ્રભુનીપ્રીત
                         …….માણસાઇ મારી એવી.

***********************************

September 29th 2009

મા,મમતા ને માયા

                         મા,મમતા ને માયા

તાઃ૨૮/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ સફળ થઇજાય,જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે,ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
                         ……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
                         ……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી જશે, સંતાન બની રહેવાય
મમતાનીપ્રીતના શોધવીપડે,ને દેહ ઉજ્વળથાય
સકળસૃષ્ટિમાં ન્યારી એવી,માયા જો વળગીજાય
જીવ જગતમાં દેહપામી,ઘડી ઘડી જન્મે ભટકાય
                         ……. જન્મ સફળ થઇ જાય.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

September 29th 2009

ભુખનો ભંડાર

                       ભુખનો ભંડાર

તાઃ૨૮/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે જીવને અવનીએ, જન્મ મળ્યો કહેવાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવ,જગે દેહ ધરી હરખાય 
                              ……..દેહ  મળે જીવને અવનીએ.
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં મળે માનવદેહ જગે
જન્મ મૃત્યુના બંધન જીવના,પ્રભુ કૃપાએ ટળી જાય
દેહને સંબંધ છે વળગેલો,ના કોઇથી જગમાં એ છુટે
પામેમુક્તિ જીવઅવનીએ,રહેજ્યાંપ્રભુ ભક્તિની ભુખ
                               ………દેહ  મળે જીવને અવનીએ.
પશુ પક્ષીની વૃત્તિના કોઇ, જીવન જગમાં જીવી રહે
દેહની એવી સૃષ્ટિ જગતમાં, ભુખ સૌને વળગી રહે
અન્નભુખ ને પ્રેમભુખ છે એવી,નાના મોટા દેહે મળે
અવનીનાઅવતાર પરજીવને,ભુખનોભંડાર મળીરહે
                                 ………દેહ  મળે જીવને અવનીએ.
પિતા પુત્ર ને ભાઇ બહેન,સાથે સંબંધીઓનો સહવાસ
ઉજ્વળ માનવ જીવનથાય,જ્યાં મળેપ્રેમનો અણસાર
પાવનધરતી જગમાં છે,જ્યાંલીધો નારાયણે અવતાર
રામકૃષ્ણના નામની ભુખ,છે જન્મ સફળ જગનો જરુર
                        ………દેહ  મળે જીવને અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++

September 28th 2009

નવલી રાતો

                    નવલી રાતો

તાઃ૨૭/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના નવદીવસ,મા પુંજન અર્ચન થાય
કૃપા પામવા માડી તારી,રાત્રીએ ગરબા ગવાય
                             …….નવરાત્રીના નવદીવસ.
નરનારીમાં  ઉમંગ   આવે, ને પ્રેમે ભક્તિ  થાય
આવજો માડી આંગણેઅમારે,દેવા ભક્તિ સાથ
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી, રાખજે માડી લાજ
સાચી રાહે ચાલવા માડી ,રહે જો હરપળ સાથ
                           ……..નવરાત્રીના નવદીવસ.
ગરબે ઘુમતી નાર જ્યાં,ત્યાં રાત નવલી થાય
માતા તારી કરુણા પામતી,સુહાગીણી ખુશથાય
ભાગ્યાના ભારને દુર કરી,ઉજ્વળ જીવન થાય
મળી જાય પ્રેમ નવરાતે,જીંદગી પાવન થાય
                            ……..નવરાત્રીના નવદીવસ.
ગુણલા ગાતા ગરબે ઘુમતા,નવરાત્રી ઉજવાય
દશેરાના પાવનદીને,કુકર્મોને જગથી દુરકરાય
પ્રભુ રામની કૃપા પામવા, રાવણ દહન થાય
સદમતી મળતા જીવને,જગથી ઉધ્ધાર થાય
                            ……..નવરાત્રીના નવદીવસ.

 ===================================

September 24th 2009

બારણુ ક્યાં છે?

                        બારણુ ક્યાં છે?  

તાઃ૨૩/૯/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહ પામી જીવને,જગતમાં મળી જાય સોપાન
પ્રાર્થનાના સહવાસમાં,પ્રભુ કૃપાએ શાંન્તિ મળી જાય
                                ……..માનવદેહ પામી જીવને.
તક મળે ત્યાં જીવને, જ્યાં માનવ જન્મ મળી જાય
પકડી સાચી રાહને જીવનમાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુ ભક્તિમાં પામી પ્રેમ, માનવતા મહેંકી જ જાય
જન્મ સફળ થઇજાય,જ્યાં બારણુ ભક્તિનું મળીજાય
                               ……….માનવદેહ પામી જીવને.
સંતાનનો સહવાસ થતાં,કરુણા સ્નેહ આપી ને જાય
સંસારની સીડી ચઢતાં, પ્રેમ પતિપત્ની ને સમજાય
આતુરતાનો અંત આવતા,સહવાસ સંતાનનો થાય
આવી આંગણે સદારહે,જ્યાં પ્રેમનુ બારણુ ખુલીજાય
                                   …….માનવદેહ પામી જીવને.
ઉંચનીચના સોપાનજોતાં, દ્વેષને ઇર્ષા સાથે આવીજાય
જીવને જ્યાં દેખાય ઉજ્વળતા,ત્યાં ઇર્ષાજ મળી જાય
દ્વેષ આવે અંતરથી ત્યાં, જ્યાં માનવતા ચાલી જાય
પૃથ્વીપરની આ સીડીએ,બારણે ઇર્ષાદ્વેષ આવી જાય
                                   …….માનવદેહ પામી જીવને.
સ્વર્ગ નર્કના એ દરવાજા,જીવને દેહ મુકતા જ  દેખાય
માનવ જીવન છુટતાં અંતે, જીવની વૃત્તિએ તે ખોલાય
કર્મબંધન આવે છે સાથે,જ્યાં અવનીએ દેહ છે મુકાય
આગળ જીવેત્યાં જાવુ,સત્કર્મે બારણુ સ્વર્ગનુ ખુલીજાય
                                  ……..માનવદેહ પામી જીવને.

+++++++++++++++++++++++++++++++++++

September 24th 2009

વિચાર,વહેતી ગંગા

                   વિચાર,વહેતી ગંગા

તાઃ૨૩/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નીર ગંગા જમુનાના જગતમાં,અમૃત છે કહેવાય
સ્નેહદેતા પવિત્ર વિચારે,માનવજીવનછે મહેંકાય
                             ……..નીર ગંગા જમુનાના.
માનવતાના  દરેક સોપાને, પ્રેમ પ્રેમજ છે દેખાય
સ્નેહ સાગર ભરી રહે ,ને સદા શિતળતા સહેવાય
મનમંદીરના બારણેઆવી,પ્રેમ ખોબેખોબે લઇજાય
ઉમંગને ના ઓવારો આવે,કે સ્નેહ પણ ઓછોથાય
                             ……..નીર ગંગા જમુનાના.
કુદરતની અજબલીલા, ના કૃપા કદી જોઇ શકાય
આવી મળી જાય માનવને,ના તેનાથી સમજાય
કરતા વિચાર ભક્તિ ભાવથી, સ્નેહ સદા લહેરાય
ગંગા જમુનાના નીરજાણે,વાણી વિચારે મળીજાય
                            ……..નીર ગંગા જમુનાના.
પ્રભુકૃપાને પામવા કાજે,મંદીર મસ્જીદમાં સૌ જાય
સરળતાનો સહવાસ મળતા,પ્રભુ ઘરમાં આવીજાય
પ્રેમનીલહેર આવી જીવનને,અમૃત પ્રેમે આપીજાય
મળે માનવીને માનવતા,ત્યાં જીવ સદગતીએજાય
                             …….નીર ગંગા જમુનાના.

===================================

September 22nd 2009

સંબંધ શીતળતાનો

                   સંબંધ  શીતળતાનો

તાઃ૨૧/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ વાયરો ને શીતળ પ્રેમ,સ્નેહ  આપી  જાય
મનમાં મળે ઉમંગ અનેરો, ને જીવન મહેંકી જાય
                               ……..શીતળ વાયરો ને.
આવજો આંગણે પ્રેમ લઇને. સ્નેહ મળશે અનેરો
મહેંક માનવતાની મળશે,નેઉજ્વળ જીવન સંગે
મુક્તિ મળશે માગણીઓથી,સ્નેહ ઉભરશે મનથી
જ્યાં શાંન્તિ આવશેદોડી,ને ભાગશે લોભ તમથી
                              ……. શીતળ વાયરો ને.
પ્રેમની પાંપણ ખોલતા,કુદરતનીમળશે શીતળતા
શાંન્તિનોઉભરો આવશેદોડી,લઇને સાથે માનવતા
મનમાં ઉમંગ તનમાં સ્નેહ,આંખોને મળે અણસાર
પ્રેમઅને વાયરાની શીતળતા,લઇ આવે ભગવાન
                              ……. શીતળ વાયરો ને.

=================================

September 21st 2009

ચતુરાઇની દીવાલ

                       ચતુરાઇની દીવાલ

તાઃ૨૦/૯/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો ઘુંટતા બગડો આવ્યો,ને તગડો ત્રેવડ લાવ્યો
ચોથાની ચિંતા જ્યાં કરતો,ત્યાં પાંચડો પ્રેમ લાવ્યો
                               ……..એકડો ઘુંટતા બગડો.
જગતનીમ છે એવો જાણે,વળગી ચાલે એક પાને બે
આવેબીજા મળવાકાજ,જે આવતાવ્યાકુળતામળીજાય
                             ……….એકડો ઘુંટતા બગડો.
તીરથનીરખી પાવનકાજ,જ્યાં ભક્તિથી દ્રષ્ટિ કરીએ
મળી જાય મોહ માયા ત્યાં, જ્યાં ભીખ માગતા આવે
                              …….. એકડો ઘુંટતા બગડો.
ચતુરાઇની છે ચાર દીવાલ, સમજી વિચારી જ્યાં ચાલો
નાવ્યાધી કે ઉપાધીઆવે,જ્યાંબંધનચારદિવાલનાઆવે
                              ……….એકડો ઘુંટતા બગડો.
બુધ્ધી દીધી પરમાત્માએ,જ્યાં સમજી વિચારી ચલાય
લાગણી મળે ને ઉજ્વળ જીવન, પાવન ઘર થઇ જાય
                               ………એકડો ઘુંટતા બગડો.

)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)

September 20th 2009

માયાવી લાગે સંસાર

                 માયાવી લાગે સંસાર

તાઃ૧૯/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સાંકળ જીવને વળગે,
                   ના  તેમાંથી કોઇ છટકે
અવનીપરના આગમનેએ આવે,
                  જીવ મુક્તિ પામતા અટકે
                            …….સંસારની સાંકળ જીવને.
ભજન ભક્તિનો સંગ મળતા,
                  જન્મ સફળતાને છે નિરખે
પરમ પ્રેમની દ્રષ્ટિ પ્રભુની,
                  માનવજીવન સદાય મહેંકે
                           …….સંસારની સાંકળ જીવને.
કરુણા સાગરની અજબલીલા,
                  માયા સંસારને વળગી ચાલે
એક અણસાર પ્રભુ પ્રાર્થનાએ,
                 મનને માયાથી જ દુર રાખે
                          ……..સંસારની સાંકળ જીવને.
માગણી માનવીની રહે સદાયે,
                  પ્રેમ પામવા સાચો ફરે જગે
વ્યાધી આવતી અટકે જ્યાં,
                 ત્યાં સફળતા આવી ફરી વળે
                       …….સંસારની સાંકળ જીવને.

 +++++++++++++++++++++++++++++++++++++

Next Page »